જ્યારે Andhra Pradeshના YSRCP પાર્ટીના MLA P Ramkrishna Reddyએ Boothમાં ઘૂસીને EVM પછાડ્યું! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-05-22 18:21:12

લોકસભા ચૂંટણી તેમજ અનેક રાજ્યોમાં વિધાનસભાની અનેક બેઠકો માટે પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે..  બૂથ કેપ્ચરિંગના અનેક વીડિયો આપણી સામે આવ્યા છે..ત્યારે આંધ્ર પ્રદેશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય પોલિંગ બુથ પર પહોંચે છે અને ઈવીએમને તોડી નાખે છે... આ વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે. 

અનેક એવા વીડિયો વાયરલ થયા છે જે સવાલ કરે છે કે.. 

દેશમાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કર્મચારીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે.. લોકસભા ચૂંટણી માટે થઈ રહેલા  મતદાન અંતર્ગત માત્ર બે તબક્કા ચૂંટણીના બાકી છે.. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે તંત્ર સામે અનેક સવાલો ઉભા કરતી હોય છે.. બુથ કેપ્ચરિંગના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોય છે... ત્યારે આંધ્રપ્રદેશનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ત્યાંની સત્તારૂપ પાર્ટીના ધારાસભ્ય ઈવીએમ મશીનને તોડતા દેખાય છે.. 



વીડિયો સામે આવતા આપી દેવાયા તપાસના આદેશ

જે વીડિયો સામે આવ્યો છે YSRCPના MLA પી રામકૃષ્ણ રેડ્ડી દેખાઈ રહ્યા છે . તેઓ પોલિંગ બુથમાં ઘૂસીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે EVMને તોડી નાખે છે. અહીં એ પણ માહિતી સામે આવી રહી છે કે, આ MLA પી. રામકૃષ્ણ રેડ્ડીએ પોલિંગ સ્ટાફને પણ ધમકાવ્યા હતા . જો કે જેવી જ આ ઘટના સામે આવી કે ઇલેકશન કમિશને તરત જ તપાસ શરુ કરી દીધી. આ ઘટના કથિત રીતે ૧૩ મેના દિવસની હોવાની જાણકારી સામે આવી છે. ઇલેકશન કમિશને કહ્યું છે કે , વીડિયો પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને તપાસમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .