જ્યારે Andhra Pradeshના YSRCP પાર્ટીના MLA P Ramkrishna Reddyએ Boothમાં ઘૂસીને EVM પછાડ્યું! વીડિયો થયો વાયરલ


  • Published By :
  • Published Date : 2024-05-22 18:21:12

લોકસભા ચૂંટણી તેમજ અનેક રાજ્યોમાં વિધાનસભાની અનેક બેઠકો માટે પેટા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે..  બૂથ કેપ્ચરિંગના અનેક વીડિયો આપણી સામે આવ્યા છે..ત્યારે આંધ્ર પ્રદેશનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ધારાસભ્ય પોલિંગ બુથ પર પહોંચે છે અને ઈવીએમને તોડી નાખે છે... આ વીડિયો વાયરલ થયા બાદ ચૂંટણી પંચ દ્વારા પગલા લેવા આદેશ કરવામાં આવ્યો છે. 

અનેક એવા વીડિયો વાયરલ થયા છે જે સવાલ કરે છે કે.. 

દેશમાં મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે કર્મચારીઓ દિવસ રાત મહેનત કરતા હોય છે.. લોકસભા ચૂંટણી માટે થઈ રહેલા  મતદાન અંતર્ગત માત્ર બે તબક્કા ચૂંટણીના બાકી છે.. સોશિયલ મીડિયાના માધ્યમથી અનેક એવી ઘટનાઓ સામે આવતી હોય છે તંત્ર સામે અનેક સવાલો ઉભા કરતી હોય છે.. બુથ કેપ્ચરિંગના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હોય છે... ત્યારે આંધ્રપ્રદેશનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં ત્યાંની સત્તારૂપ પાર્ટીના ધારાસભ્ય ઈવીએમ મશીનને તોડતા દેખાય છે.. 



વીડિયો સામે આવતા આપી દેવાયા તપાસના આદેશ

જે વીડિયો સામે આવ્યો છે YSRCPના MLA પી રામકૃષ્ણ રેડ્ડી દેખાઈ રહ્યા છે . તેઓ પોલિંગ બુથમાં ઘૂસીને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન એટલે EVMને તોડી નાખે છે. અહીં એ પણ માહિતી સામે આવી રહી છે કે, આ MLA પી. રામકૃષ્ણ રેડ્ડીએ પોલિંગ સ્ટાફને પણ ધમકાવ્યા હતા . જો કે જેવી જ આ ઘટના સામે આવી કે ઇલેકશન કમિશને તરત જ તપાસ શરુ કરી દીધી. આ ઘટના કથિત રીતે ૧૩ મેના દિવસની હોવાની જાણકારી સામે આવી છે. ઇલેકશન કમિશને કહ્યું છે કે , વીડિયો પોલીસને સોંપી દેવામાં આવ્યો છે અને તપાસમાં મદદ કરવા માટે પણ કહેવામાં આવ્યું છે.



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.