રસ્તો બનાવાનો કીધો, તો કોન્ટ્રાક્ટરે આવો રસ્તો બનાવ્યો! જુઓ કેવી રીતે રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર Radhanpurમાં બનાવાયો રસ્તો


  • Published By :
  • Published Date : 2023-09-01 09:25:14

ખરાબ રોડ રસ્તાની વાતો તો અનેક વખત કરવામાં આવે છે. અનેક વખત એવા પણ મુદ્દાઓ ઉઠે છે કે ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. લોકોને પાકા રસ્તા મળે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. શહેરોમાં તો હજૂ પણ રસ્તાઓની હાલત સારી છે પરંતુ ગામડાઓમાં તો રસ્તાઓની હાલત બિસ્માર છે. સારા રસ્તા બનાવી આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. સારા રસ્તા તો બની જાય છે પરંતુ તે મજબૂત નથી હોતા જેને કારણે માત્ર થોડા સમયની અંદર રસ્તાઓ તૂટી જાય છે. ત્યારે રાધનપુરમાં પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ, રસ્તો પણ બની ગયો પરંતુ રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર. 

વીજપોલ હટાવ્યા વગર જ બનાવાઈ દેવાયો રોડ   

ઓછી ગુણવત્તાનો માલ સામાન વપરાતો હોવાને કારણે અનેક વખત રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે અથવા તો માત્ર થોડા સમયની અંદર જ ખાડાઓ પડી જતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાતો હોય છે. અનેક જગ્યાઓ પર પાકો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર પાકા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાધનપુરથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘાંચી વિસ્તારમાં રસ્તાનું નિર્માણ થઈ રહ્યું હતું, રસ્તાની વચ્ચોવચ વીજપોલ આવતો હતો. વીજપોલને હટાવ્યા વગર જ રસ્તો બનાવી દીધો. રસ્તાની વચ્ચો વચ વીજપોલ છે. આ રસ્તો બનાવવનાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તેની પર લોકો હસે કે રડે તે પ્રશ્ન લોકોને મુંજવી રહ્યો છે.  


આ રસ્તા પર જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? 

મહત્વનું છે કે આ રસ્તાની વચ્ચોવચ જે વીજપોલ મૂકવામાં આવ્યો છે તેને કારણે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે જે રીતે વીજપોલને મધ્યમાં રાખીને રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને કારણે રાત્રીના સમયે વીજપોલ વાહનચાલકોને દેખાય તે થોડુ અઘરૂ માનવામાં આવી રહ્યું છે. 



આવા રસ્તાનો શું લાભ જેનો થઈ ના શકે ઉપયોગ 

રસ્તાનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું પરંતુ તે રસ્તાનો ઉપયોગ લોકો કરી શકશે તે એક પ્રશ્ન છે, કારણ કે રસ્તાની વચ્ચોવચ પોલ હોવાને કારણે ગાડીઓ અથવા તો મોટા વાહનો પસાર થઈ શકવાના નથી. કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ લોકોમાં રોષ ભરાયો છે. કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે. મહત્વનું છે કે રસ્તો હોવો જરૂરી છે પરંતુ રસ્તો બન્યા પછી પણ જો તે ઉપયોગમાં ન આવી શકે તો તે શું કામનું?    



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી