રસ્તો બનાવાનો કીધો, તો કોન્ટ્રાક્ટરે આવો રસ્તો બનાવ્યો! જુઓ કેવી રીતે રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર Radhanpurમાં બનાવાયો રસ્તો


  • Published By :
  • Published Date : 2023-09-01 09:25:14

ખરાબ રોડ રસ્તાની વાતો તો અનેક વખત કરવામાં આવે છે. અનેક વખત એવા પણ મુદ્દાઓ ઉઠે છે કે ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. લોકોને પાકા રસ્તા મળે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. શહેરોમાં તો હજૂ પણ રસ્તાઓની હાલત સારી છે પરંતુ ગામડાઓમાં તો રસ્તાઓની હાલત બિસ્માર છે. સારા રસ્તા બનાવી આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. સારા રસ્તા તો બની જાય છે પરંતુ તે મજબૂત નથી હોતા જેને કારણે માત્ર થોડા સમયની અંદર રસ્તાઓ તૂટી જાય છે. ત્યારે રાધનપુરમાં પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ, રસ્તો પણ બની ગયો પરંતુ રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર. 

વીજપોલ હટાવ્યા વગર જ બનાવાઈ દેવાયો રોડ   

ઓછી ગુણવત્તાનો માલ સામાન વપરાતો હોવાને કારણે અનેક વખત રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે અથવા તો માત્ર થોડા સમયની અંદર જ ખાડાઓ પડી જતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાતો હોય છે. અનેક જગ્યાઓ પર પાકો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર પાકા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાધનપુરથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘાંચી વિસ્તારમાં રસ્તાનું નિર્માણ થઈ રહ્યું હતું, રસ્તાની વચ્ચોવચ વીજપોલ આવતો હતો. વીજપોલને હટાવ્યા વગર જ રસ્તો બનાવી દીધો. રસ્તાની વચ્ચો વચ વીજપોલ છે. આ રસ્તો બનાવવનાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તેની પર લોકો હસે કે રડે તે પ્રશ્ન લોકોને મુંજવી રહ્યો છે.  


આ રસ્તા પર જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? 

મહત્વનું છે કે આ રસ્તાની વચ્ચોવચ જે વીજપોલ મૂકવામાં આવ્યો છે તેને કારણે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે જે રીતે વીજપોલને મધ્યમાં રાખીને રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને કારણે રાત્રીના સમયે વીજપોલ વાહનચાલકોને દેખાય તે થોડુ અઘરૂ માનવામાં આવી રહ્યું છે. 



આવા રસ્તાનો શું લાભ જેનો થઈ ના શકે ઉપયોગ 

રસ્તાનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું પરંતુ તે રસ્તાનો ઉપયોગ લોકો કરી શકશે તે એક પ્રશ્ન છે, કારણ કે રસ્તાની વચ્ચોવચ પોલ હોવાને કારણે ગાડીઓ અથવા તો મોટા વાહનો પસાર થઈ શકવાના નથી. કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ લોકોમાં રોષ ભરાયો છે. કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે. મહત્વનું છે કે રસ્તો હોવો જરૂરી છે પરંતુ રસ્તો બન્યા પછી પણ જો તે ઉપયોગમાં ન આવી શકે તો તે શું કામનું?    



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.