રસ્તો બનાવાનો કીધો, તો કોન્ટ્રાક્ટરે આવો રસ્તો બનાવ્યો! જુઓ કેવી રીતે રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર Radhanpurમાં બનાવાયો રસ્તો


  • Published By :
  • Published Date : 2023-09-01 09:25:14

ખરાબ રોડ રસ્તાની વાતો તો અનેક વખત કરવામાં આવે છે. અનેક વખત એવા પણ મુદ્દાઓ ઉઠે છે કે ખરાબ રોડ રસ્તાને કારણે અકસ્માત સર્જાય છે અને અનેક લોકો મોતને ભેટે છે. લોકોને પાકા રસ્તા મળે તે માટે અનેક વખત રજૂઆત કરવામાં આવે છે. શહેરોમાં તો હજૂ પણ રસ્તાઓની હાલત સારી છે પરંતુ ગામડાઓમાં તો રસ્તાઓની હાલત બિસ્માર છે. સારા રસ્તા બનાવી આપવાની જવાબદારી કોન્ટ્રાક્ટરની હોય છે. સારા રસ્તા તો બની જાય છે પરંતુ તે મજબૂત નથી હોતા જેને કારણે માત્ર થોડા સમયની અંદર રસ્તાઓ તૂટી જાય છે. ત્યારે રાધનપુરમાં પાકો રસ્તો બનાવવાની કામગીરી શરૂ થઈ, રસ્તો પણ બની ગયો પરંતુ રસ્તાની વચ્ચોવચ આવતા વીજપોલને હટાવ્યા વગર. 

વીજપોલ હટાવ્યા વગર જ બનાવાઈ દેવાયો રોડ   

ઓછી ગુણવત્તાનો માલ સામાન વપરાતો હોવાને કારણે અનેક વખત રસ્તાઓનું ધોવાણ થઈ જતું હોય છે અથવા તો માત્ર થોડા સમયની અંદર જ ખાડાઓ પડી જતા હોય છે જેને કારણે અનેક વખત અકસ્માત સર્જાતો હોય છે. અનેક જગ્યાઓ પર પાકો રસ્તો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. અનેક સ્થળો પર પાકા રસ્તા બનાવવામાં આવી રહ્યા છે. ત્યારે રાધનપુરથી એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. શહેરના ઘાંચી વિસ્તારમાં રસ્તાનું નિર્માણ થઈ રહ્યું હતું, રસ્તાની વચ્ચોવચ વીજપોલ આવતો હતો. વીજપોલને હટાવ્યા વગર જ રસ્તો બનાવી દીધો. રસ્તાની વચ્ચો વચ વીજપોલ છે. આ રસ્તો બનાવવનાર કોન્ટ્રાક્ટર અને એન્જિનિયર દ્વારા જે બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે તેની પર લોકો હસે કે રડે તે પ્રશ્ન લોકોને મુંજવી રહ્યો છે.  


આ રસ્તા પર જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? 

મહત્વનું છે કે આ રસ્તાની વચ્ચોવચ જે વીજપોલ મૂકવામાં આવ્યો છે તેને કારણે જો અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? કારણ કે જે રીતે વીજપોલને મધ્યમાં રાખીને રોડનું નિર્માણ કરવામાં આવ્યું છે તેને કારણે રાત્રીના સમયે વીજપોલ વાહનચાલકોને દેખાય તે થોડુ અઘરૂ માનવામાં આવી રહ્યું છે. 



આવા રસ્તાનો શું લાભ જેનો થઈ ના શકે ઉપયોગ 

રસ્તાનું નિર્માણ તો કરી દેવામાં આવ્યું પરંતુ તે રસ્તાનો ઉપયોગ લોકો કરી શકશે તે એક પ્રશ્ન છે, કારણ કે રસ્તાની વચ્ચોવચ પોલ હોવાને કારણે ગાડીઓ અથવા તો મોટા વાહનો પસાર થઈ શકવાના નથી. કોન્ટ્રાક્ટરની કામગીરીને લઈ લોકોમાં રોષ ભરાયો છે. કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ કાર્યવાહી થવી જોઈએ તેવી માગ સ્થાનિકો કરી રહ્યા છે. મહત્વનું છે કે રસ્તો હોવો જરૂરી છે પરંતુ રસ્તો બન્યા પછી પણ જો તે ઉપયોગમાં ન આવી શકે તો તે શું કામનું?    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.