દાદાની હાલત બગડી તો હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક! જુઓ Social Media પર વાયરલ થયો વીડિયો....


  • Published By :
  • Published Date : 2024-02-13 11:39:26

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જે દિલને સ્પર્શ કરી લેતા હોય છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે. આવા દ્રશ્યો સામાન્ય રીતે નથી જોવા મળતા. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એક વડીલની જાન બચાવવા માટે બાઈકને હોસ્પિટલની અંદર લઈ આવે છે. લોકોને આ વાયરલ વીડિયો જોવો ખૂબ પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક!

જ્યારે કોઈ બીમાર હોય ત્યારે સારવાર માટે તે હોસ્પિટલ જતા હોય છે. ચાલવામાં સક્ષમ માણસ હોય તો તે ચાલીને જતા હોય છે અને ચાલવામાં અશક્ત હોય તો વ્હીલચેરમાં બેસીને જતા હોય છે અથવા તો એમ્બ્યુલન્સમાં જતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે એક બિમાર વ્યક્તિને લઈ. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તે મધ્યપ્રદેશનો હોવાનો માનવામાં આવી રહ્યો છે. 



અલગ અલગ યુઝર્સ આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા 

મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યક્તિ બાઈકમાં સારવાર માટે લઈને આવ્યા છે તે તેના દાદા હતા અને તો બીજા મીડિયા રિપોર્ટ અનુસાર તે વ્યક્તિ હોસ્પિટલનો કર્મચારી હતો.સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને જોવા પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો આ વીડિયોને લઈ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર અલગ અલગ યુઝર્સે રિએક્શન આપ્યું છે. આ વીડિયો પર તમારી શું પ્રતિક્રિયા છે તે અમને કમેન્ટમાં જણાવો.  



મહેસાણા જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ખુબ મોટું ગાબડું સામે આવ્યું છે. કેમ કે, મરતોલી ગામના ૨૦૦ જેટલા ભાજપના કાર્યકરો પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. આ તમામ ભાજપના કાર્યકરોએ આક્ષેપ કર્યા છે કે , પાર્ટીમાં અમારી કોઈ જ વેલ્યુ નથી રહી. બીજી તરફ , બનાસકાંઠા જિલ્લામાં પણ ભાજપમાં ખુબ મોટું ગાબડું પડ્યું છે. પૂર્વ નગરસેવક અને સિનિયર આગેવાન શાંતિ માળી અને ગોપાલ સેનાના અધ્યક્ષ નરસિંહ દેસાઈ કોંગ્રેસમાં જોડાયા છે.

સામાન્ય રીતે લોકો પોતાના જન્મદિવસે તેની ભવ્ય ઉજવણી કરતા હોય છે. પરંતુ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર અનંત અંબાણીના 31મા જન્મદિન પ્રસંગે આયોજિત વિવિધ પરોપકારી કાર્યો તથા પ્રવૃત્તિઓએ આશરે 57 લાખ લોકોના જીવનને સ્પર્શ કરી તેને બહેતર બનાવવાનો પ્રયાસ કર્યો છે. લાખો લોકોના જીવનને સમૃદ્ધ બનાવવાના ઉદ્દેશથી ધાર્મિક ટ્રસ્ટ, શૈક્ષણિક તથા આરોગ્યસંભાળ સંસ્થાઓ તેમજ સામાજકલ્યાણની સંસ્થાઓમાં સખાવતી યોગદાન અપાયું હતું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગી કરવાને લઇને જબરદસ્ત મંથન ચાલી રહ્યું છે. ત્યારે , ભાજપ દ્વારા કેટલાક માપદંડો બનાવવામાં આવ્યા છે જેમ કે , ૬૦થી વધુ વયના લોકોને ટિકિટ ના આપવી. ત્રણ ટર્મથી ચૂંટણી લડતા હોય તેમને ટિકિટ ના આપવી. આવા અનેક નિયમો ભાજપે બનાવ્યા છે. તો ભાજપના જ આવા નિયમોની સામે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મોરચો માંડ્યો છે. મનસુખ વસાવાએ સ્પષ્ટપણે કહી દીધું છે કે , આ નિયમો જ પાર્ટીને નુકશાન કરશે.

ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.