દાદાની હાલત બગડી તો હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક! જુઓ Social Media પર વાયરલ થયો વીડિયો....


  • Published By :
  • Published Date : 2024-02-13 11:39:26

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જે દિલને સ્પર્શ કરી લેતા હોય છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે. આવા દ્રશ્યો સામાન્ય રીતે નથી જોવા મળતા. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એક વડીલની જાન બચાવવા માટે બાઈકને હોસ્પિટલની અંદર લઈ આવે છે. લોકોને આ વાયરલ વીડિયો જોવો ખૂબ પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક!

જ્યારે કોઈ બીમાર હોય ત્યારે સારવાર માટે તે હોસ્પિટલ જતા હોય છે. ચાલવામાં સક્ષમ માણસ હોય તો તે ચાલીને જતા હોય છે અને ચાલવામાં અશક્ત હોય તો વ્હીલચેરમાં બેસીને જતા હોય છે અથવા તો એમ્બ્યુલન્સમાં જતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે એક બિમાર વ્યક્તિને લઈ. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તે મધ્યપ્રદેશનો હોવાનો માનવામાં આવી રહ્યો છે. 



અલગ અલગ યુઝર્સ આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા 

મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યક્તિ બાઈકમાં સારવાર માટે લઈને આવ્યા છે તે તેના દાદા હતા અને તો બીજા મીડિયા રિપોર્ટ અનુસાર તે વ્યક્તિ હોસ્પિટલનો કર્મચારી હતો.સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને જોવા પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો આ વીડિયોને લઈ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર અલગ અલગ યુઝર્સે રિએક્શન આપ્યું છે. આ વીડિયો પર તમારી શું પ્રતિક્રિયા છે તે અમને કમેન્ટમાં જણાવો.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.