દાદાની હાલત બગડી તો હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક! જુઓ Social Media પર વાયરલ થયો વીડિયો....


  • Published By :
  • Published Date : 2024-02-13 11:39:26

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જે દિલને સ્પર્શ કરી લેતા હોય છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે. આવા દ્રશ્યો સામાન્ય રીતે નથી જોવા મળતા. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એક વડીલની જાન બચાવવા માટે બાઈકને હોસ્પિટલની અંદર લઈ આવે છે. લોકોને આ વાયરલ વીડિયો જોવો ખૂબ પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક!

જ્યારે કોઈ બીમાર હોય ત્યારે સારવાર માટે તે હોસ્પિટલ જતા હોય છે. ચાલવામાં સક્ષમ માણસ હોય તો તે ચાલીને જતા હોય છે અને ચાલવામાં અશક્ત હોય તો વ્હીલચેરમાં બેસીને જતા હોય છે અથવા તો એમ્બ્યુલન્સમાં જતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે એક બિમાર વ્યક્તિને લઈ. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તે મધ્યપ્રદેશનો હોવાનો માનવામાં આવી રહ્યો છે. 



અલગ અલગ યુઝર્સ આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા 

મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યક્તિ બાઈકમાં સારવાર માટે લઈને આવ્યા છે તે તેના દાદા હતા અને તો બીજા મીડિયા રિપોર્ટ અનુસાર તે વ્યક્તિ હોસ્પિટલનો કર્મચારી હતો.સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને જોવા પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો આ વીડિયોને લઈ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર અલગ અલગ યુઝર્સે રિએક્શન આપ્યું છે. આ વીડિયો પર તમારી શું પ્રતિક્રિયા છે તે અમને કમેન્ટમાં જણાવો.  



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.