દાદાની હાલત બગડી તો હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક! જુઓ Social Media પર વાયરલ થયો વીડિયો....


  • Published By :
  • Published Date : 2024-02-13 11:39:26

સોશિયલ મીડિયા પર અનેક એવા વીડિયો વાયરલ થતા હોય છે જે દિલને સ્પર્શ કરી લેતા હોય છે. એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે. આવા દ્રશ્યો સામાન્ય રીતે નથી જોવા મળતા. પરંતુ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ એક વડીલની જાન બચાવવા માટે બાઈકને હોસ્પિટલની અંદર લઈ આવે છે. લોકોને આ વાયરલ વીડિયો જોવો ખૂબ પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે.  

હોસ્પિટલમાં બાઈક લઈને પહોંચ્યો યુવક!

જ્યારે કોઈ બીમાર હોય ત્યારે સારવાર માટે તે હોસ્પિટલ જતા હોય છે. ચાલવામાં સક્ષમ માણસ હોય તો તે ચાલીને જતા હોય છે અને ચાલવામાં અશક્ત હોય તો વ્હીલચેરમાં બેસીને જતા હોય છે અથવા તો એમ્બ્યુલન્સમાં જતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ બાઈક લઈને હોસ્પિટલની અંદર પહોંચી જાય છે એક બિમાર વ્યક્તિને લઈ. સોશિયલ મીડિયા પર જે વીડિયો વાયરલ થયો છે તે મધ્યપ્રદેશનો હોવાનો માનવામાં આવી રહ્યો છે. 



અલગ અલગ યુઝર્સ આપી રહ્યા છે અલગ અલગ પ્રતિક્રિયા 

મીડિયા રિપોર્ટ અનુસાર જે વ્યક્તિ બાઈકમાં સારવાર માટે લઈને આવ્યા છે તે તેના દાદા હતા અને તો બીજા મીડિયા રિપોર્ટ અનુસાર તે વ્યક્તિ હોસ્પિટલનો કર્મચારી હતો.સોશિયલ મીડિયા પર આ વીડિયો લોકોને જોવા પસંદ આવી રહ્યો છે. અલગ અલગ લોકો આ વીડિયોને લઈ અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે. વીડિયો પર અલગ અલગ યુઝર્સે રિએક્શન આપ્યું છે. આ વીડિયો પર તમારી શું પ્રતિક્રિયા છે તે અમને કમેન્ટમાં જણાવો.  



"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.