જ્યારે મેટા AIને દરેક ધર્મનાં આરાધ્યો પર જોક પુછ્યો તો દરેક પર અવનવાં જોક કહ્યા, ખાલી એક જ જગ્યાએ કહી દીધું I AM SORRY!


  • Published By :
  • Published Date : 2024-06-29 18:42:27

અત્યાર સુધી એ વિષય પર ખુબ ચર્ચા થઈ કે જેટલી સરળતાથી તમે દુનિયાનાં બીજા ધર્મો વિશે બોલી શકો છો કે ટીકા કરી શકો છો એટલી સરળતાથી વિશ્વના કોઈ ખુણામાં ઈસ્લામ માટે નથી બોલાતું, અમુક વાર તમે માનતા હશો કે આ ખાલી ઉભી કરવામાં આવેલી ચર્ચાઓ છે બાકી ટીકા તો દરેકની થાય છે, પણ જો કોઈ આંતરરાષ્ટ્રીય માધ્યમ ધર્મ કે ધર્મગુરૂઓમાં ભેદભાવ કરે તો એને શું કહીશું?


જ્યારે AIને આ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે... 

મેટા એટલે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી કંપનીઓના સમુહે પોતાનું AI વર્ઝન મેટા AI લોન્ચ કર્યું, જેમાં અલગ અલગ ધર્મનાં ઈશ્વર/આરાધ્યના નામ સાથે પ્રશ્ન પુછાયો કે એમનાં માટે કોઈ જોક શેર કરો.. તો મેટાએ દરેક માટે જોક શેર કર્યા, પણ જેવું પુછાયું કે પ્રોફેટ મોહમ્મદ એટલે કે મુસલમાનના સર્વોચ્ચ આરાધ્ય માટે જોક શેર કરો તો મેટાનો જવાબ હતો - સોરી, અમે ધર્મગુરૂઓ પર ટીપ્પણી નથી કરતા, જોઈ લો દરેક ધર્મનાં આરાધ્ય માટે કરેલો પ્રશ્ન અને મેટાનાં જવાબ... 


આવું થવાનું એક કારણ એ રીતે પણ જોવાઈ રહ્યું છે કે ઘણાં બધા ઈસ્લામિક રાષ્ટ્રો ગુસ્તાક-એ-રસુલ કી એક હી સજા, સર તન સે જુદા જેવી વાતો પર વિશ્વાસ કરે છે, અને પાકિસ્તાન જેવા દેશમાં તો તમે કોઈનાં પર પણ એણે પ્રોફેટનું અપમાન કર્યું છે કહીને એને મારી શકો અને કાયદો તમારું કશું જ ના ઉખાડી લે જેવી સ્થિતિ છે, પણ પ્રશ્ન એ થાય કે ભારતનાં તો બંધારણમાં સેક્યુલારીઝમ શબ્દ છે, અહીં પંથ/ધર્મની નિરપેક્ષતાનો મતલબ થાય છે કે અહીંયા દરેક સમાન છે તો ભારતમાંથી પુછાયેલા પ્રશ્નોમાં મેટા AI ભગવાન રામ, બુદ્ધ, ઋષભદેવ પર જોક ક્રેક કરી દે છે, પણ પ્રોફેટ મોહમ્મદ પર નથી કરી શકતું. તો મતલબ આ કઈ અસહિષ્ણુંતા છે અને શું કામ છે?



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી