જ્યારે મેટા AIને દરેક ધર્મનાં આરાધ્યો પર જોક પુછ્યો તો દરેક પર અવનવાં જોક કહ્યા, ખાલી એક જ જગ્યાએ કહી દીધું I AM SORRY!


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-29 18:42:27

અત્યાર સુધી એ વિષય પર ખુબ ચર્ચા થઈ કે જેટલી સરળતાથી તમે દુનિયાનાં બીજા ધર્મો વિશે બોલી શકો છો કે ટીકા કરી શકો છો એટલી સરળતાથી વિશ્વના કોઈ ખુણામાં ઈસ્લામ માટે નથી બોલાતું, અમુક વાર તમે માનતા હશો કે આ ખાલી ઉભી કરવામાં આવેલી ચર્ચાઓ છે બાકી ટીકા તો દરેકની થાય છે, પણ જો કોઈ આંતરરાષ્ટ્રીય માધ્યમ ધર્મ કે ધર્મગુરૂઓમાં ભેદભાવ કરે તો એને શું કહીશું?


જ્યારે AIને આ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે... 

મેટા એટલે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી કંપનીઓના સમુહે પોતાનું AI વર્ઝન મેટા AI લોન્ચ કર્યું, જેમાં અલગ અલગ ધર્મનાં ઈશ્વર/આરાધ્યના નામ સાથે પ્રશ્ન પુછાયો કે એમનાં માટે કોઈ જોક શેર કરો.. તો મેટાએ દરેક માટે જોક શેર કર્યા, પણ જેવું પુછાયું કે પ્રોફેટ મોહમ્મદ એટલે કે મુસલમાનના સર્વોચ્ચ આરાધ્ય માટે જોક શેર કરો તો મેટાનો જવાબ હતો - સોરી, અમે ધર્મગુરૂઓ પર ટીપ્પણી નથી કરતા, જોઈ લો દરેક ધર્મનાં આરાધ્ય માટે કરેલો પ્રશ્ન અને મેટાનાં જવાબ... 


આવું થવાનું એક કારણ એ રીતે પણ જોવાઈ રહ્યું છે કે ઘણાં બધા ઈસ્લામિક રાષ્ટ્રો ગુસ્તાક-એ-રસુલ કી એક હી સજા, સર તન સે જુદા જેવી વાતો પર વિશ્વાસ કરે છે, અને પાકિસ્તાન જેવા દેશમાં તો તમે કોઈનાં પર પણ એણે પ્રોફેટનું અપમાન કર્યું છે કહીને એને મારી શકો અને કાયદો તમારું કશું જ ના ઉખાડી લે જેવી સ્થિતિ છે, પણ પ્રશ્ન એ થાય કે ભારતનાં તો બંધારણમાં સેક્યુલારીઝમ શબ્દ છે, અહીં પંથ/ધર્મની નિરપેક્ષતાનો મતલબ થાય છે કે અહીંયા દરેક સમાન છે તો ભારતમાંથી પુછાયેલા પ્રશ્નોમાં મેટા AI ભગવાન રામ, બુદ્ધ, ઋષભદેવ પર જોક ક્રેક કરી દે છે, પણ પ્રોફેટ મોહમ્મદ પર નથી કરી શકતું. તો મતલબ આ કઈ અસહિષ્ણુંતા છે અને શું કામ છે?



સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે મરીઝ સાહેબની રચના કિનારે કિનારે..

અમદાવાદથી નકલી જજ ઝડપાયા છે... ના માત્ર જજ પરંતુ નકલી કોર્ટ ઝડપાઈ છે... વાત સાંભળીને નવાઈ લાગીને કેવી રીતે આવું બને પરંતુ આવું બન્યું છે.... નકલી જજ અને નકલી કોર્ટ ઝડપાઈ છે...

22-23 ઓક્ટોબરે રશિયામાં યોજાનાાર 16માં બ્રિક્સ સંમેલનમાં સંભવતઃ પ્રધાનમંત્રી મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જીનપિંગ સાથે મુલાકાત થઈ શકે છે.. પણ એ પહેલા ભારત-ચીન સરહદ વિવાદને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે..

રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. અનેક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે...