જ્યારે મેટા AIને દરેક ધર્મનાં આરાધ્યો પર જોક પુછ્યો તો દરેક પર અવનવાં જોક કહ્યા, ખાલી એક જ જગ્યાએ કહી દીધું I AM SORRY!


  • Published By :
  • Published Date : 2024-06-29 18:42:27

અત્યાર સુધી એ વિષય પર ખુબ ચર્ચા થઈ કે જેટલી સરળતાથી તમે દુનિયાનાં બીજા ધર્મો વિશે બોલી શકો છો કે ટીકા કરી શકો છો એટલી સરળતાથી વિશ્વના કોઈ ખુણામાં ઈસ્લામ માટે નથી બોલાતું, અમુક વાર તમે માનતા હશો કે આ ખાલી ઉભી કરવામાં આવેલી ચર્ચાઓ છે બાકી ટીકા તો દરેકની થાય છે, પણ જો કોઈ આંતરરાષ્ટ્રીય માધ્યમ ધર્મ કે ધર્મગુરૂઓમાં ભેદભાવ કરે તો એને શું કહીશું?


જ્યારે AIને આ સવાલો પૂછવામાં આવ્યા ત્યારે... 

મેટા એટલે કે ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને વ્હોટ્સએપ જેવી કંપનીઓના સમુહે પોતાનું AI વર્ઝન મેટા AI લોન્ચ કર્યું, જેમાં અલગ અલગ ધર્મનાં ઈશ્વર/આરાધ્યના નામ સાથે પ્રશ્ન પુછાયો કે એમનાં માટે કોઈ જોક શેર કરો.. તો મેટાએ દરેક માટે જોક શેર કર્યા, પણ જેવું પુછાયું કે પ્રોફેટ મોહમ્મદ એટલે કે મુસલમાનના સર્વોચ્ચ આરાધ્ય માટે જોક શેર કરો તો મેટાનો જવાબ હતો - સોરી, અમે ધર્મગુરૂઓ પર ટીપ્પણી નથી કરતા, જોઈ લો દરેક ધર્મનાં આરાધ્ય માટે કરેલો પ્રશ્ન અને મેટાનાં જવાબ... 


આવું થવાનું એક કારણ એ રીતે પણ જોવાઈ રહ્યું છે કે ઘણાં બધા ઈસ્લામિક રાષ્ટ્રો ગુસ્તાક-એ-રસુલ કી એક હી સજા, સર તન સે જુદા જેવી વાતો પર વિશ્વાસ કરે છે, અને પાકિસ્તાન જેવા દેશમાં તો તમે કોઈનાં પર પણ એણે પ્રોફેટનું અપમાન કર્યું છે કહીને એને મારી શકો અને કાયદો તમારું કશું જ ના ઉખાડી લે જેવી સ્થિતિ છે, પણ પ્રશ્ન એ થાય કે ભારતનાં તો બંધારણમાં સેક્યુલારીઝમ શબ્દ છે, અહીં પંથ/ધર્મની નિરપેક્ષતાનો મતલબ થાય છે કે અહીંયા દરેક સમાન છે તો ભારતમાંથી પુછાયેલા પ્રશ્નોમાં મેટા AI ભગવાન રામ, બુદ્ધ, ઋષભદેવ પર જોક ક્રેક કરી દે છે, પણ પ્રોફેટ મોહમ્મદ પર નથી કરી શકતું. તો મતલબ આ કઈ અસહિષ્ણુંતા છે અને શું કામ છે?



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.