ચૂંટણી આવી ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાને ગુજરાત સાંભર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 18:49:50

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પોલિટિકલ પાર્ટીઓ પ્રચાર માટે મેદાનમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહે તે માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાની યાત્રા દરમિયાન રાજકોટમાં તેમણે જનસભા યોજી હતી તે બાદ મોરબી ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


વિપક્ષી પાર્ટી પર કર્યા પ્રહાર

સૌરાષ્ટ્રને ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવે છે. દરેક પાર્ટી સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. રોજકોટમાં વિશાળ જનસભાને સંબોધતા જે.પી.નડ્ડાએ રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર તેમણે કોંગ્રેસ પર ભાઈ બહેનની પાર્ટી હોવાનો કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસથી લઈ પીડીપી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. 

Image

ગુજરાત મોડલના કર્યા વખાણ

દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા એવા ગુજરાત મોડલના વખાણ કરતા તેમણે કહ્યું કે ગુજરાતના કેટલાક આદર્શ પ્રોજેક્ટ છે જેમાં ડિજિટલ ગુજરાત, રિન્યુએબલ એનર્જી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનો આભાર માનું છું. સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ છે, આ ભૂમિને નમન કરૂ છું, કોરોના કાળમાં અન્ય પાર્ટીના લોકો આઈસોલેટ થયા હતા ત્યારે આપ બધા લોકો વચ્ચે હતા માટે અભિનંદન પાઠવું છું.

  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે