ચૂંટણી આવી ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાને ગુજરાત સાંભર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 18:49:50

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પોલિટિકલ પાર્ટીઓ પ્રચાર માટે મેદાનમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહે તે માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાની યાત્રા દરમિયાન રાજકોટમાં તેમણે જનસભા યોજી હતી તે બાદ મોરબી ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


વિપક્ષી પાર્ટી પર કર્યા પ્રહાર

સૌરાષ્ટ્રને ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવે છે. દરેક પાર્ટી સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. રોજકોટમાં વિશાળ જનસભાને સંબોધતા જે.પી.નડ્ડાએ રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર તેમણે કોંગ્રેસ પર ભાઈ બહેનની પાર્ટી હોવાનો કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસથી લઈ પીડીપી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. 

Image

ગુજરાત મોડલના કર્યા વખાણ

દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા એવા ગુજરાત મોડલના વખાણ કરતા તેમણે કહ્યું કે ગુજરાતના કેટલાક આદર્શ પ્રોજેક્ટ છે જેમાં ડિજિટલ ગુજરાત, રિન્યુએબલ એનર્જી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનો આભાર માનું છું. સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ છે, આ ભૂમિને નમન કરૂ છું, કોરોના કાળમાં અન્ય પાર્ટીના લોકો આઈસોલેટ થયા હતા ત્યારે આપ બધા લોકો વચ્ચે હતા માટે અભિનંદન પાઠવું છું.

  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.