ચૂંટણી આવી ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાને ગુજરાત સાંભર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 18:49:50

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પોલિટિકલ પાર્ટીઓ પ્રચાર માટે મેદાનમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહે તે માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાની યાત્રા દરમિયાન રાજકોટમાં તેમણે જનસભા યોજી હતી તે બાદ મોરબી ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


વિપક્ષી પાર્ટી પર કર્યા પ્રહાર

સૌરાષ્ટ્રને ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવે છે. દરેક પાર્ટી સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. રોજકોટમાં વિશાળ જનસભાને સંબોધતા જે.પી.નડ્ડાએ રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર તેમણે કોંગ્રેસ પર ભાઈ બહેનની પાર્ટી હોવાનો કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસથી લઈ પીડીપી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. 

Image

ગુજરાત મોડલના કર્યા વખાણ

દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા એવા ગુજરાત મોડલના વખાણ કરતા તેમણે કહ્યું કે ગુજરાતના કેટલાક આદર્શ પ્રોજેક્ટ છે જેમાં ડિજિટલ ગુજરાત, રિન્યુએબલ એનર્જી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનો આભાર માનું છું. સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ છે, આ ભૂમિને નમન કરૂ છું, કોરોના કાળમાં અન્ય પાર્ટીના લોકો આઈસોલેટ થયા હતા ત્યારે આપ બધા લોકો વચ્ચે હતા માટે અભિનંદન પાઠવું છું.

  



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"