ચૂંટણી આવી ત્યારે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નડ્ડાને ગુજરાત સાંભર્યું


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-20 18:49:50

2022 ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ પોલિટિકલ પાર્ટીઓ પ્રચાર માટે મેદાનમાં આવી ગઈ છે. આમ આદમી પાર્ટી તેમજ ભારતીય જનતા પાર્ટી ચૂંટણી પ્રચાર કરી રહી છે. ગુજરાતમાં ભાજપનો દબદબો યથાવત રહે તે માટે ભાજપના દિગ્ગજ નેતાઓ ગુજરાત આવી પ્રચાર કરી રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા હાલ ગુજરાતના પ્રવાસે આવ્યા છે. પોતાની યાત્રા દરમિયાન રાજકોટમાં તેમણે જનસભા યોજી હતી તે બાદ મોરબી ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


વિપક્ષી પાર્ટી પર કર્યા પ્રહાર

સૌરાષ્ટ્રને ગુજરાતની રાજનીતિનું એપી સેન્ટર માનવામાં આવે છે. દરેક પાર્ટી સૌરાષ્ટ્ર પર વધારે ધ્યાન આપી રહ્યા છે. રોજકોટમાં વિશાળ જનસભાને સંબોધતા જે.પી.નડ્ડાએ રાજકીય પાર્ટીઓ પર પ્રહાર કર્યા હતા. તેમણે નામ લીધા વગર કોંગ્રેસ પર પ્રહાર તેમણે કોંગ્રેસ પર ભાઈ બહેનની પાર્ટી હોવાનો કટાક્ષ કર્યો હતો. તેમણે પોતાના ભાષણમાં કોંગ્રેસથી લઈ પીડીપી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. 

Image

ગુજરાત મોડલના કર્યા વખાણ

દેશ-વિદેશમાં પ્રખ્યાત થયેલા એવા ગુજરાત મોડલના વખાણ કરતા તેમણે કહ્યું કે ગુજરાતના કેટલાક આદર્શ પ્રોજેક્ટ છે જેમાં ડિજિટલ ગુજરાત, રિન્યુએબલ એનર્જી સહિતના પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. વધુમાં તેમણે કહ્યું હતું કે ચૂંટાયેલા તમામ પ્રતિનિધિઓનો આભાર માનું છું. સૌરાષ્ટ્ર સંતોની ભૂમિ છે, આ ભૂમિને નમન કરૂ છું, કોરોના કાળમાં અન્ય પાર્ટીના લોકો આઈસોલેટ થયા હતા ત્યારે આપ બધા લોકો વચ્ચે હતા માટે અભિનંદન પાઠવું છું.

  



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.