પિતા જ જ્યારે પુત્રી પર દુષ્કર્મ આચરે ત્યારે...! વાંચો Vapiથી સામે આવેલો કિસ્સો જે વાંચીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે


  • Published By :
  • Published Date : 2023-08-28 14:49:24

આપણે ત્યાં પિતા અને પુત્રીના સંબંધો વિશે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. પિતા પુત્રીના આઈકોન હોય છે. જેમ માતાને વહાલો દીકરો હોય છે તેમ પિતાને વહાલી દીકરી હોય છે. લેખકો એવું પણ કહે છે કે એક સમય દીકરી ભગવાન વિરૂદ્ધ સાંભળી શકે છે પરંતુ પિતા વિરૂદ્ધ ઉચ્ચારવામાં આવેલા શબ્દો તે સાંભળી નથી શકતી. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ, એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે બાપ-દીકરીના સંબંધોને લજવતી હોય છે. વાપીથી એક સમાચાર સામે આવ્યા છે જે માનવતાને શર્મસાર કરી દે તેવા છે. વાપી શહેરમાં એક પિતાએ પોતાની હવસનો શિકાર પિતાએ પોતાની દીકરીને બનાવી. દીકરી પર પિતા પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરતા રહ્યા હતા.       


પાંચ વર્ષથી પિતા પોતાની દીકરીને બનાવતો હતો હવસનો શિકાર 

દીકરી માટે તેના પિતા જીવતા જાગતા રોલ મોડલ હોય છે. પિતાનું સ્થાન દીકરીના જીવનમાં મહત્વનું હોય છે. પિતા પુત્રીના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. ત્યારે વાપીના ધનાઢ્ય પરિવારનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો. અને દુષ્કર્મ આચરનાર તેના પિતા જ હતા. પિતા ઉદ્યોગપતિ છે અને પરિવાર મૂળ મારવાડી છે અને તે હાલ વાપીમાં રહે છે. સમૃદ્ધ હોવા છતાંય તેમની આવી માનસિક્તા જાણીને બધા ચોંકી ગયા હતા. હિંમત રાખીને આ આખી વાત દીકરીએ તેની માતાને કહી. જ્યારે આ વાત માતાએ સાંભળી ત્યારે તેમની નીચેની જમીન ખસી ગઈ હતી. 



પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ કરવામાં આવી ફરિયાદ  

પતિનું કૃત્ય સાંભળી એક સમય માટે પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી પરંતુ તે બાદ માતાએ હિંમત રાખી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી. દીકરી જ્યારે 13 વર્ષની હતી ત્યારથી તે તેના પિતાના હવસનો ભોગ બનતી હતી. નાની હતી ત્યારે તેની સાથે પિતા શું કરી રહ્યા છે તેની ખબર પડતી ન હતી પરંતુ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનામાં આ અંગેની સમજ આવવા લાગી. લાલચ આપીને પિતા એકલતાનો લાભ લઈ આવા કૃત્યોને કરતો હતો. જ્યારે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે આખી ઘટના સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.      


પોતાના ઘરમાં પણ દીકરીઓ હવે સુરક્ષિત નથી?

પહેલા આપણે એવું માનતા હતા કે દીકરી રાત્રીના સમયે ઘરની બહાર રહે તો તે સુરક્ષિત નથી. પરંતુ ધીરે ધીરે એવો સમય આવ્યો જ્યારે આપણે માનવા લાગ્યા કે દીકરી ઘરમાં રહે તો સુરક્ષિત છે. પરંતુ હવે તો એવો સમય આવી ગયો છે જેમાં દીકરી તો સગા બાપથી પણ સુરક્ષિત નથી. પ્રશ્ન એ થાય કે કોઈ પિતા કેવી રીતે પોતાના હવસનો શિકાર પોતાની બાળકીને બનાવી શકે?      




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.