પિતા જ જ્યારે પુત્રી પર દુષ્કર્મ આચરે ત્યારે...! વાંચો Vapiથી સામે આવેલો કિસ્સો જે વાંચીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે


  • Published By :
  • Published Date : 2023-08-28 14:49:24

આપણે ત્યાં પિતા અને પુત્રીના સંબંધો વિશે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. પિતા પુત્રીના આઈકોન હોય છે. જેમ માતાને વહાલો દીકરો હોય છે તેમ પિતાને વહાલી દીકરી હોય છે. લેખકો એવું પણ કહે છે કે એક સમય દીકરી ભગવાન વિરૂદ્ધ સાંભળી શકે છે પરંતુ પિતા વિરૂદ્ધ ઉચ્ચારવામાં આવેલા શબ્દો તે સાંભળી નથી શકતી. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ, એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે બાપ-દીકરીના સંબંધોને લજવતી હોય છે. વાપીથી એક સમાચાર સામે આવ્યા છે જે માનવતાને શર્મસાર કરી દે તેવા છે. વાપી શહેરમાં એક પિતાએ પોતાની હવસનો શિકાર પિતાએ પોતાની દીકરીને બનાવી. દીકરી પર પિતા પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરતા રહ્યા હતા.       


પાંચ વર્ષથી પિતા પોતાની દીકરીને બનાવતો હતો હવસનો શિકાર 

દીકરી માટે તેના પિતા જીવતા જાગતા રોલ મોડલ હોય છે. પિતાનું સ્થાન દીકરીના જીવનમાં મહત્વનું હોય છે. પિતા પુત્રીના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. ત્યારે વાપીના ધનાઢ્ય પરિવારનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો. અને દુષ્કર્મ આચરનાર તેના પિતા જ હતા. પિતા ઉદ્યોગપતિ છે અને પરિવાર મૂળ મારવાડી છે અને તે હાલ વાપીમાં રહે છે. સમૃદ્ધ હોવા છતાંય તેમની આવી માનસિક્તા જાણીને બધા ચોંકી ગયા હતા. હિંમત રાખીને આ આખી વાત દીકરીએ તેની માતાને કહી. જ્યારે આ વાત માતાએ સાંભળી ત્યારે તેમની નીચેની જમીન ખસી ગઈ હતી. 



પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ કરવામાં આવી ફરિયાદ  

પતિનું કૃત્ય સાંભળી એક સમય માટે પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી પરંતુ તે બાદ માતાએ હિંમત રાખી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી. દીકરી જ્યારે 13 વર્ષની હતી ત્યારથી તે તેના પિતાના હવસનો ભોગ બનતી હતી. નાની હતી ત્યારે તેની સાથે પિતા શું કરી રહ્યા છે તેની ખબર પડતી ન હતી પરંતુ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનામાં આ અંગેની સમજ આવવા લાગી. લાલચ આપીને પિતા એકલતાનો લાભ લઈ આવા કૃત્યોને કરતો હતો. જ્યારે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે આખી ઘટના સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.      


પોતાના ઘરમાં પણ દીકરીઓ હવે સુરક્ષિત નથી?

પહેલા આપણે એવું માનતા હતા કે દીકરી રાત્રીના સમયે ઘરની બહાર રહે તો તે સુરક્ષિત નથી. પરંતુ ધીરે ધીરે એવો સમય આવ્યો જ્યારે આપણે માનવા લાગ્યા કે દીકરી ઘરમાં રહે તો સુરક્ષિત છે. પરંતુ હવે તો એવો સમય આવી ગયો છે જેમાં દીકરી તો સગા બાપથી પણ સુરક્ષિત નથી. પ્રશ્ન એ થાય કે કોઈ પિતા કેવી રીતે પોતાના હવસનો શિકાર પોતાની બાળકીને બનાવી શકે?      




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી