પિતા જ જ્યારે પુત્રી પર દુષ્કર્મ આચરે ત્યારે...! વાંચો Vapiથી સામે આવેલો કિસ્સો જે વાંચીને તમારા રૂંવાડા ઉભા થઈ જશે


  • Published By :
  • Published Date : 2023-08-28 14:49:24

આપણે ત્યાં પિતા અને પુત્રીના સંબંધો વિશે ઘણું બધું લખાયું છે, ઘણું બધું કહેવાયું છે. પિતા પુત્રીના આઈકોન હોય છે. જેમ માતાને વહાલો દીકરો હોય છે તેમ પિતાને વહાલી દીકરી હોય છે. લેખકો એવું પણ કહે છે કે એક સમય દીકરી ભગવાન વિરૂદ્ધ સાંભળી શકે છે પરંતુ પિતા વિરૂદ્ધ ઉચ્ચારવામાં આવેલા શબ્દો તે સાંભળી નથી શકતી. પરંતુ અનેક વખત એવા કિસ્સાઓ, એવી ઘટનાઓ સામે આવતી હોય છે જે બાપ-દીકરીના સંબંધોને લજવતી હોય છે. વાપીથી એક સમાચાર સામે આવ્યા છે જે માનવતાને શર્મસાર કરી દે તેવા છે. વાપી શહેરમાં એક પિતાએ પોતાની હવસનો શિકાર પિતાએ પોતાની દીકરીને બનાવી. દીકરી પર પિતા પાંચ વર્ષ સુધી દુષ્કર્મ આચરતા રહ્યા હતા.       


પાંચ વર્ષથી પિતા પોતાની દીકરીને બનાવતો હતો હવસનો શિકાર 

દીકરી માટે તેના પિતા જીવતા જાગતા રોલ મોડલ હોય છે. પિતાનું સ્થાન દીકરીના જીવનમાં મહત્વનું હોય છે. પિતા પુત્રીના સંબંધને પવિત્ર માનવામાં આવે છે. ત્યારે વાપીના ધનાઢ્ય પરિવારનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં પાંચ વર્ષ સુધી દીકરી પર દુષ્કર્મ આચરવામાં આવ્યો. અને દુષ્કર્મ આચરનાર તેના પિતા જ હતા. પિતા ઉદ્યોગપતિ છે અને પરિવાર મૂળ મારવાડી છે અને તે હાલ વાપીમાં રહે છે. સમૃદ્ધ હોવા છતાંય તેમની આવી માનસિક્તા જાણીને બધા ચોંકી ગયા હતા. હિંમત રાખીને આ આખી વાત દીકરીએ તેની માતાને કહી. જ્યારે આ વાત માતાએ સાંભળી ત્યારે તેમની નીચેની જમીન ખસી ગઈ હતી. 



પોલીસ સ્ટેશનમાં પિતા વિરૂદ્ધ કરવામાં આવી ફરિયાદ  

પતિનું કૃત્ય સાંભળી એક સમય માટે પત્ની સ્તબ્ધ થઈ ગઈ હતી પરંતુ તે બાદ માતાએ હિંમત રાખી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી. દીકરી જ્યારે 13 વર્ષની હતી ત્યારથી તે તેના પિતાના હવસનો ભોગ બનતી હતી. નાની હતી ત્યારે તેની સાથે પિતા શું કરી રહ્યા છે તેની ખબર પડતી ન હતી પરંતુ જેમ જેમ મોટી થતી ગઈ તેમ તેમ તેનામાં આ અંગેની સમજ આવવા લાગી. લાલચ આપીને પિતા એકલતાનો લાભ લઈ આવા કૃત્યોને કરતો હતો. જ્યારે આ મામલો પોલીસ પાસે પહોંચ્યો ત્યારે આખી ઘટના સાંભળીને પોલીસ પણ દંગ રહી ગઈ હતી. આ મામલે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.      


પોતાના ઘરમાં પણ દીકરીઓ હવે સુરક્ષિત નથી?

પહેલા આપણે એવું માનતા હતા કે દીકરી રાત્રીના સમયે ઘરની બહાર રહે તો તે સુરક્ષિત નથી. પરંતુ ધીરે ધીરે એવો સમય આવ્યો જ્યારે આપણે માનવા લાગ્યા કે દીકરી ઘરમાં રહે તો સુરક્ષિત છે. પરંતુ હવે તો એવો સમય આવી ગયો છે જેમાં દીકરી તો સગા બાપથી પણ સુરક્ષિત નથી. પ્રશ્ન એ થાય કે કોઈ પિતા કેવી રીતે પોતાના હવસનો શિકાર પોતાની બાળકીને બનાવી શકે?      




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.