જ્યારે નેતા પક્ષપલટો કરે ત્યારે સવાલ થાય કે એ ખેસમાં એવો તો શું જાદુ હશે કે નેતાના બોલ જ બદલાઈ જાય છે! સાંભળો પક્ષપલટા કરનાર માટે શું બોલ્યા Pal Ambalia..


  • Published By :
  • Published Date : 2024-03-21 11:25:58

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની મૌસમ ચાલી રહી છે. અને નેતાઓએ પક્ષ છોડી દીધો છે, પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. હમાણાં પરિસ્થિતિ એવી છે કે ભાજપમાં ભરતી મેળો પ્રતિદિન જોવા મળે છે. હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પક્ષપલટો કર્યા બાદ નેતાના, ધારાસભ્યોના સૂર બદલાઈ જતા હોય છે. પક્ષ પલટો કરનાર પર પાલભાઈ આંબલિયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પહેલા આખલા હોય પક્ષપલટો કરતા બળદ બની જાય છે...    

ખબર નહીં એ ખેસમાં એવો શું જાદું હોય છે કે....!

ચૂંટણીનો સમય નજીક હોય તેમ તેમ રાજકીય પાર્ટીમાં ભરતી મેળો થતો હોય છે. જે પક્ષમાં વર્ષો સુધી રહ્યા હોય તે પક્ષનો સાથ છોડતા નેતાઓને એક ક્ષણ પણ નથી લાગતી! જે પક્ષ વિરૂદ્ધ પહેલા નિવેદનો આપ્યા હોય તે જ પક્ષમાં જવાનું અને પછી એ જ પક્ષની વાહવાહી કરવાની...! તાજેતરમાં અનેક નેતાઓએ, ધારાસભ્યોએ પક્ષ પલટો કરી લીધો. ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા પછી આપણને એક સવાલ થાય કે એવો તો શું જાદુ હશે એ ખેસમાં કે બધું સારૂં જ લાગવા લાગે...! ના માત્ર કોંગ્રેસની પરંતુ આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ પણ કંઈ આવી જ છે. આ પાર્ટીમાંથી પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે.   


પાલભાઈ આંબલિયાએ પક્ષપલટો કરનારને લઈ આપ્યું નિવેદન 

કોંગ્રેસના અનેક નેતાઓના નિવેદનો આપણી સામે છે જેમાં તે પક્ષ પલટો કરનાર વ્યક્તિને લઈ બોલતા હોય છે. પક્ષપલટો કર્યો તે બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેમણે પક્ષપલટો કરનાર લોકોને લઈ વાત કરી હતી. ત્યારે હવે કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પક્ષ પલટો કરનાર પર નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પહેલા આખલા હોય પક્ષપલટો કરતા બળદ બની જાય છે. તે સિવાય પણ તેમણે પક્ષપલટો કરનાર વિરૂદ્ધ આકરા પ્રહાર કર્યા છે.      



જૂનાગઢનું ભવનાથ મંદિર કે જ્યાં હવે સરકાર દ્વારા નિમણુંક થયેલ વહીવટદારનું શાસન શરુ થયું છે. મહંત હરિગિરિની મુદત હવે પૂર્ણ થઇ છે. હવે જૂનાગઢ કલેકટર દ્વારા ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલની નિમણુંક કરવામાં આવી છે. પ્રાંત અધિકારી ચરણસિંહ ગોહિલે આજે ભવનાથ મંદિરના વહીવટદાર તરીકે ચાર્જ પણ સંભાળી લીધો છે. જૂનાગઢના ભવનાથ મંદિરમાં મહંત મહેશગીરી અને હરીગીરી વચ્ચે વિવાદ ચાલી રહ્યો હતો. હવે મહંત હરીગીરીનો કાર્યકાળ પૂર્ણ થતા સરકારે વહીવટદારની નિમણુંક કરી છે.

પેસેન્જર પ્લેન બનાવતી કંપની બોઇંગ પાછલા કેટલાક સમયથી આર્થિક કટોકટીનો સામનો કરી રહી હતી . તેને હવે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યકાળમાં એક જીવનદાન મળ્યું છે . આ દાવો અમેરિકાના એક પ્રખ્યાત અખબાર ન્યુયોર્ક ટાઈમ્સ દ્વારા કરવામાં આવ્યો છે. એટલુંજ નહિ , બોઇંગની ખરીદી કરવા માટે , ટ્રમ્પનું તંત્ર જે તે દેશ પર દબાણ કરે છે . હાલમાં જ બોઇંગને જે મોટાપાયે વિમાન બનાવવાના ઓર્ડર મળ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી જ મળ્યા છે.

ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે