જ્યારે નેતા પક્ષપલટો કરે ત્યારે સવાલ થાય કે એ ખેસમાં એવો તો શું જાદુ હશે કે નેતાના બોલ જ બદલાઈ જાય છે! સાંભળો પક્ષપલટા કરનાર માટે શું બોલ્યા Pal Ambalia..


  • Published By :
  • Published Date : 2024-03-21 11:25:58

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની મૌસમ ચાલી રહી છે. અને નેતાઓએ પક્ષ છોડી દીધો છે, પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. હમાણાં પરિસ્થિતિ એવી છે કે ભાજપમાં ભરતી મેળો પ્રતિદિન જોવા મળે છે. હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પક્ષપલટો કર્યા બાદ નેતાના, ધારાસભ્યોના સૂર બદલાઈ જતા હોય છે. પક્ષ પલટો કરનાર પર પાલભાઈ આંબલિયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પહેલા આખલા હોય પક્ષપલટો કરતા બળદ બની જાય છે...    

ખબર નહીં એ ખેસમાં એવો શું જાદું હોય છે કે....!

ચૂંટણીનો સમય નજીક હોય તેમ તેમ રાજકીય પાર્ટીમાં ભરતી મેળો થતો હોય છે. જે પક્ષમાં વર્ષો સુધી રહ્યા હોય તે પક્ષનો સાથ છોડતા નેતાઓને એક ક્ષણ પણ નથી લાગતી! જે પક્ષ વિરૂદ્ધ પહેલા નિવેદનો આપ્યા હોય તે જ પક્ષમાં જવાનું અને પછી એ જ પક્ષની વાહવાહી કરવાની...! તાજેતરમાં અનેક નેતાઓએ, ધારાસભ્યોએ પક્ષ પલટો કરી લીધો. ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા પછી આપણને એક સવાલ થાય કે એવો તો શું જાદુ હશે એ ખેસમાં કે બધું સારૂં જ લાગવા લાગે...! ના માત્ર કોંગ્રેસની પરંતુ આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ પણ કંઈ આવી જ છે. આ પાર્ટીમાંથી પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે.   


પાલભાઈ આંબલિયાએ પક્ષપલટો કરનારને લઈ આપ્યું નિવેદન 

કોંગ્રેસના અનેક નેતાઓના નિવેદનો આપણી સામે છે જેમાં તે પક્ષ પલટો કરનાર વ્યક્તિને લઈ બોલતા હોય છે. પક્ષપલટો કર્યો તે બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેમણે પક્ષપલટો કરનાર લોકોને લઈ વાત કરી હતી. ત્યારે હવે કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પક્ષ પલટો કરનાર પર નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પહેલા આખલા હોય પક્ષપલટો કરતા બળદ બની જાય છે. તે સિવાય પણ તેમણે પક્ષપલટો કરનાર વિરૂદ્ધ આકરા પ્રહાર કર્યા છે.      



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.