જ્યારે નેતા પક્ષપલટો કરે ત્યારે સવાલ થાય કે એ ખેસમાં એવો તો શું જાદુ હશે કે નેતાના બોલ જ બદલાઈ જાય છે! સાંભળો પક્ષપલટા કરનાર માટે શું બોલ્યા Pal Ambalia..


  • Published By :
  • Published Date : 2024-03-21 11:25:58

ગુજરાતના રાજકારણમાં છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાની મૌસમ ચાલી રહી છે. અને નેતાઓએ પક્ષ છોડી દીધો છે, પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. હમાણાં પરિસ્થિતિ એવી છે કે ભાજપમાં ભરતી મેળો પ્રતિદિન જોવા મળે છે. હજારો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. પક્ષપલટો કર્યા બાદ નેતાના, ધારાસભ્યોના સૂર બદલાઈ જતા હોય છે. પક્ષ પલટો કરનાર પર પાલભાઈ આંબલિયાએ નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પહેલા આખલા હોય પક્ષપલટો કરતા બળદ બની જાય છે...    

ખબર નહીં એ ખેસમાં એવો શું જાદું હોય છે કે....!

ચૂંટણીનો સમય નજીક હોય તેમ તેમ રાજકીય પાર્ટીમાં ભરતી મેળો થતો હોય છે. જે પક્ષમાં વર્ષો સુધી રહ્યા હોય તે પક્ષનો સાથ છોડતા નેતાઓને એક ક્ષણ પણ નથી લાગતી! જે પક્ષ વિરૂદ્ધ પહેલા નિવેદનો આપ્યા હોય તે જ પક્ષમાં જવાનું અને પછી એ જ પક્ષની વાહવાહી કરવાની...! તાજેતરમાં અનેક નેતાઓએ, ધારાસભ્યોએ પક્ષ પલટો કરી લીધો. ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. ભાજપમાં જોડાયા પછી આપણને એક સવાલ થાય કે એવો તો શું જાદુ હશે એ ખેસમાં કે બધું સારૂં જ લાગવા લાગે...! ના માત્ર કોંગ્રેસની પરંતુ આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ પણ કંઈ આવી જ છે. આ પાર્ટીમાંથી પણ અનેક કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે.   


પાલભાઈ આંબલિયાએ પક્ષપલટો કરનારને લઈ આપ્યું નિવેદન 

કોંગ્રેસના અનેક નેતાઓના નિવેદનો આપણી સામે છે જેમાં તે પક્ષ પલટો કરનાર વ્યક્તિને લઈ બોલતા હોય છે. પક્ષપલટો કર્યો તે બાદ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહની પ્રતિક્રિયા સામે આવી હતી. જેમાં તેમણે પક્ષપલટો કરનાર લોકોને લઈ વાત કરી હતી. ત્યારે હવે કોંગ્રેસના નેતા પાલભાઈ આંબલિયાએ પક્ષ પલટો કરનાર પર નિવેદન આપ્યું છે. પોતાના નિવેદનમાં તેમણે કહ્યું કે પહેલા આખલા હોય પક્ષપલટો કરતા બળદ બની જાય છે. તે સિવાય પણ તેમણે પક્ષપલટો કરનાર વિરૂદ્ધ આકરા પ્રહાર કર્યા છે.      



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.