Gandhinagarની વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા ત્યારે ખબર પડી કે આજે રજા છે, અધ્યાપકોએ કર્યો Mass bunk! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-20 17:02:54

આપણે ત્યાં કહેવત છે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ વાત એટલા માટે યાદ કરવી પડી કારણ કે ગુજરાતના પાટનગરમાં વિચિત્ર ઘટના સામે આવી છે. પ્રધ્યાપકોએ વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવ્યા હતા અને પછી પોતે જ રજા રાખી લીધી હતી જેના કારણે દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ પાછો ગાંડો થયો? શિક્ષક વગરની કોલેજ કેવી રીતે ચાલશે. ઉંમરના કારણે છોકરાઓ તો છોકરમત કરતા હોય પણ અનુભવિ શિક્ષકો જ આવું કરવા લાગે તો એ કેટલું યોગ્ય કહેવાય? 



વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા પરંતુ પ્રદ્યાપકોએ રજા પાડી 

ગાંધીનગર ખાતેની વિનયન કોલેજમાં આજે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પણ ભણાવવા માટે કોઈ શિક્ષકો હાજર રહ્યા ન હતા. ભણવા માટે વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી કોલેજ પહોંચ્યા હતા પણ અધ્યાપકોએ સ્વયંભૂ રજા રાખી લેતા તેમણે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે કોલેજના આચાર્ય હાજર હતા પણ તેમના સિવાય કોઈ પ્રાદ્યાપકો હાજર રહ્યા ન હતા અને રજા પાડી દીધી હતી. સામાન્ય રીતે ગાંધીનગરની આ કોલેજમાં આસપાસના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. પણ દૂર દૂરથી કોલેજ પહોંચેલા વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ પહોચ્યા ત્યારે કોલેજના પ્રાદ્યાપકો તો ત્યાં હાજર જ ન હતા. 


રજાની જાણકારી પ્રદ્યાપકોને અપાઈ પરંતુ વિદ્યાર્થીઓને ન અપાઈ 

ગુજરાત યુનિવર્સિટી હેઠળ હાલ યુથ ફેસ્ટિવલ ચાલે છે તો કોલેજમાં યુથ ફેસ્ટિવલની રજા જાહેર કરવામાં આવી હતી. તકલીફ એ થઈ કે યુથ ફેસ્ટિવલની રજાની જાણકારી કોલેજ તંત્ર તરફથી શિક્ષકોને તો કરવામાં આવી હતી પણ વિદ્યાર્થીઓને કહેવાનું ભૂલાઈ ગયું હતું. જો કે અદ્યાપકોનો આમાં કોઈ વાંક નથી વાંક વિદ્યાર્થીઓ સુધી માહિતી ન પહોંચાડનારનો છે. 



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.