Gandhinagarની વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા ત્યારે ખબર પડી કે આજે રજા છે, અધ્યાપકોએ કર્યો Mass bunk! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-20 17:02:54

આપણે ત્યાં કહેવત છે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ વાત એટલા માટે યાદ કરવી પડી કારણ કે ગુજરાતના પાટનગરમાં વિચિત્ર ઘટના સામે આવી છે. પ્રધ્યાપકોએ વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવ્યા હતા અને પછી પોતે જ રજા રાખી લીધી હતી જેના કારણે દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ પાછો ગાંડો થયો? શિક્ષક વગરની કોલેજ કેવી રીતે ચાલશે. ઉંમરના કારણે છોકરાઓ તો છોકરમત કરતા હોય પણ અનુભવિ શિક્ષકો જ આવું કરવા લાગે તો એ કેટલું યોગ્ય કહેવાય? 



વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા પરંતુ પ્રદ્યાપકોએ રજા પાડી 

ગાંધીનગર ખાતેની વિનયન કોલેજમાં આજે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પણ ભણાવવા માટે કોઈ શિક્ષકો હાજર રહ્યા ન હતા. ભણવા માટે વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી કોલેજ પહોંચ્યા હતા પણ અધ્યાપકોએ સ્વયંભૂ રજા રાખી લેતા તેમણે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે કોલેજના આચાર્ય હાજર હતા પણ તેમના સિવાય કોઈ પ્રાદ્યાપકો હાજર રહ્યા ન હતા અને રજા પાડી દીધી હતી. સામાન્ય રીતે ગાંધીનગરની આ કોલેજમાં આસપાસના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. પણ દૂર દૂરથી કોલેજ પહોંચેલા વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ પહોચ્યા ત્યારે કોલેજના પ્રાદ્યાપકો તો ત્યાં હાજર જ ન હતા. 


રજાની જાણકારી પ્રદ્યાપકોને અપાઈ પરંતુ વિદ્યાર્થીઓને ન અપાઈ 

ગુજરાત યુનિવર્સિટી હેઠળ હાલ યુથ ફેસ્ટિવલ ચાલે છે તો કોલેજમાં યુથ ફેસ્ટિવલની રજા જાહેર કરવામાં આવી હતી. તકલીફ એ થઈ કે યુથ ફેસ્ટિવલની રજાની જાણકારી કોલેજ તંત્ર તરફથી શિક્ષકોને તો કરવામાં આવી હતી પણ વિદ્યાર્થીઓને કહેવાનું ભૂલાઈ ગયું હતું. જો કે અદ્યાપકોનો આમાં કોઈ વાંક નથી વાંક વિદ્યાર્થીઓ સુધી માહિતી ન પહોંચાડનારનો છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.