Gandhinagarની વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા ત્યારે ખબર પડી કે આજે રજા છે, અધ્યાપકોએ કર્યો Mass bunk! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-20 17:02:54

આપણે ત્યાં કહેવત છે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ વાત એટલા માટે યાદ કરવી પડી કારણ કે ગુજરાતના પાટનગરમાં વિચિત્ર ઘટના સામે આવી છે. પ્રધ્યાપકોએ વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવ્યા હતા અને પછી પોતે જ રજા રાખી લીધી હતી જેના કારણે દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ પાછો ગાંડો થયો? શિક્ષક વગરની કોલેજ કેવી રીતે ચાલશે. ઉંમરના કારણે છોકરાઓ તો છોકરમત કરતા હોય પણ અનુભવિ શિક્ષકો જ આવું કરવા લાગે તો એ કેટલું યોગ્ય કહેવાય? 



વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા પરંતુ પ્રદ્યાપકોએ રજા પાડી 

ગાંધીનગર ખાતેની વિનયન કોલેજમાં આજે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પણ ભણાવવા માટે કોઈ શિક્ષકો હાજર રહ્યા ન હતા. ભણવા માટે વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી કોલેજ પહોંચ્યા હતા પણ અધ્યાપકોએ સ્વયંભૂ રજા રાખી લેતા તેમણે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે કોલેજના આચાર્ય હાજર હતા પણ તેમના સિવાય કોઈ પ્રાદ્યાપકો હાજર રહ્યા ન હતા અને રજા પાડી દીધી હતી. સામાન્ય રીતે ગાંધીનગરની આ કોલેજમાં આસપાસના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. પણ દૂર દૂરથી કોલેજ પહોંચેલા વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ પહોચ્યા ત્યારે કોલેજના પ્રાદ્યાપકો તો ત્યાં હાજર જ ન હતા. 


રજાની જાણકારી પ્રદ્યાપકોને અપાઈ પરંતુ વિદ્યાર્થીઓને ન અપાઈ 

ગુજરાત યુનિવર્સિટી હેઠળ હાલ યુથ ફેસ્ટિવલ ચાલે છે તો કોલેજમાં યુથ ફેસ્ટિવલની રજા જાહેર કરવામાં આવી હતી. તકલીફ એ થઈ કે યુથ ફેસ્ટિવલની રજાની જાણકારી કોલેજ તંત્ર તરફથી શિક્ષકોને તો કરવામાં આવી હતી પણ વિદ્યાર્થીઓને કહેવાનું ભૂલાઈ ગયું હતું. જો કે અદ્યાપકોનો આમાં કોઈ વાંક નથી વાંક વિદ્યાર્થીઓ સુધી માહિતી ન પહોંચાડનારનો છે. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.