Gandhinagarની વિનયન કોલેજમાં વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા ત્યારે ખબર પડી કે આજે રજા છે, અધ્યાપકોએ કર્યો Mass bunk! જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-09-20 17:02:54

આપણે ત્યાં કહેવત છે છોરું કછોરું થાય પણ માવતર કમાવતર ન થાય. આ વાત એટલા માટે યાદ કરવી પડી કારણ કે ગુજરાતના પાટનગરમાં વિચિત્ર ઘટના સામે આવી છે. પ્રધ્યાપકોએ વિદ્યાર્થીઓને કોલેજમાં બોલાવ્યા હતા અને પછી પોતે જ રજા રાખી લીધી હતી જેના કારણે દૂર દૂરથી આવેલા વિદ્યાર્થીઓએ વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે ગુજરાતમાં વિકાસ પાછો ગાંડો થયો? શિક્ષક વગરની કોલેજ કેવી રીતે ચાલશે. ઉંમરના કારણે છોકરાઓ તો છોકરમત કરતા હોય પણ અનુભવિ શિક્ષકો જ આવું કરવા લાગે તો એ કેટલું યોગ્ય કહેવાય? 



વિદ્યાર્થીઓ કોલેજ પહોંચ્યા પરંતુ પ્રદ્યાપકોએ રજા પાડી 

ગાંધીનગર ખાતેની વિનયન કોલેજમાં આજે વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા પણ ભણાવવા માટે કોઈ શિક્ષકો હાજર રહ્યા ન હતા. ભણવા માટે વિદ્યાર્થીઓ ક્યાં ક્યાંથી કોલેજ પહોંચ્યા હતા પણ અધ્યાપકોએ સ્વયંભૂ રજા રાખી લેતા તેમણે પોતાનો રોષ ઠાલવ્યો હતો. જો કે કોલેજના આચાર્ય હાજર હતા પણ તેમના સિવાય કોઈ પ્રાદ્યાપકો હાજર રહ્યા ન હતા અને રજા પાડી દીધી હતી. સામાન્ય રીતે ગાંધીનગરની આ કોલેજમાં આસપાસના વિસ્તારમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવતા હોય છે. પણ દૂર દૂરથી કોલેજ પહોંચેલા વિદ્યાર્થીઓ જ્યારે કોલેજ પહોચ્યા ત્યારે કોલેજના પ્રાદ્યાપકો તો ત્યાં હાજર જ ન હતા. 


રજાની જાણકારી પ્રદ્યાપકોને અપાઈ પરંતુ વિદ્યાર્થીઓને ન અપાઈ 

ગુજરાત યુનિવર્સિટી હેઠળ હાલ યુથ ફેસ્ટિવલ ચાલે છે તો કોલેજમાં યુથ ફેસ્ટિવલની રજા જાહેર કરવામાં આવી હતી. તકલીફ એ થઈ કે યુથ ફેસ્ટિવલની રજાની જાણકારી કોલેજ તંત્ર તરફથી શિક્ષકોને તો કરવામાં આવી હતી પણ વિદ્યાર્થીઓને કહેવાનું ભૂલાઈ ગયું હતું. જો કે અદ્યાપકોનો આમાં કોઈ વાંક નથી વાંક વિદ્યાર્થીઓ સુધી માહિતી ન પહોંચાડનારનો છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.