PM નરેન્દ્ર મોદીની જાતિ OBCમાં ક્યારે સામેલ થઈ? રાહુલ ગાંધીના દાવામાં કેટલું સત્ય? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-08 21:19:04

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી OBC નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ફરી એકવાર વડાપ્રધાન OBC છે કે નહીં તે અંગે ચર્ચા છેડાઈ છે. હવે તેમણે કહ્યું છે કે મોદીજી અન્ય પછાત વર્ગના હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદીનો જન્મ તેલી જાતિમાં થયો હતો, જેને ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન 2000માં OBC કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. આ રીતે મોદીજી જન્મથી OBC નથી.


1 જાન્યુઆરીનો પરિપત્ર


કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે 1 જાન્યુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલા ગુજરાત સરકારના પરિપત્રને ટાંક્યો છે. જેમાં મોઢ ઘાંચીઓનો ઓબીસીમાં સમાવેશ કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. બીબીસીના એક અહેવાલ મુજબ, જ્યારે આ વિવાદ પ્રથમવાર ઊભો થયો ત્યારે તત્કાલીન ડેપ્યુટી સીએમ અને સરકારના પ્રવક્તા નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે 25 જુલાઈ 1994ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં રાજ્યની 36 જાતિઓને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. તેના 25-બીમાં મોઢ જાતિનો ઉલ્લેખ છે.


ત્યારે ગુજરાતમાં કોની સરકાર હતી?    


જ્યારે ગુજરાત સરકારે ઘાંચી સહિત 36 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવી હતી. તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. એ વાત સાચી છે કે PM મોદી જે જ્ઞાતિમાંથી આવે છે તે મોદી સમાજ મોઢ ઘાંચી જાતિની પેટાજાતિ છે અને તેને OBCમાં સમાવવા માટે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બીબીસીના અહેવાલમાં ખુલાસો થયો હતો કે જ્યારે ઘાંચી સમુદાયને ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો ત્યારે તેની પેટાજાતિનો પણ સમાવેશ થવો જોઈતો હતો. પરંતુ આવું ન થયું. આથી મોઢ ઘાંચી જ્ઞાતિને આ યાદીમાં સમાવવા માટે નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો. બીબીસીએ આ દાવો ગુજરાત સરકારના અધિકારીને ટાંકીને કર્યો હતો. જો કે હવે, તાજેતરના વિવાદ વચ્ચે, BJP IT સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા તે પહેલાં, મોઢ ઘાંચીનો બે વર્ષ પહેલાં સમાવેશ કરવામાં આવ્યો હતો.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.