PM નરેન્દ્ર મોદીની જાતિ OBCમાં ક્યારે સામેલ થઈ? રાહુલ ગાંધીના દાવામાં કેટલું સત્ય? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-08 21:19:04

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી OBC નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ફરી એકવાર વડાપ્રધાન OBC છે કે નહીં તે અંગે ચર્ચા છેડાઈ છે. હવે તેમણે કહ્યું છે કે મોદીજી અન્ય પછાત વર્ગના હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદીનો જન્મ તેલી જાતિમાં થયો હતો, જેને ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન 2000માં OBC કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. આ રીતે મોદીજી જન્મથી OBC નથી.


1 જાન્યુઆરીનો પરિપત્ર


કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે 1 જાન્યુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલા ગુજરાત સરકારના પરિપત્રને ટાંક્યો છે. જેમાં મોઢ ઘાંચીઓનો ઓબીસીમાં સમાવેશ કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. બીબીસીના એક અહેવાલ મુજબ, જ્યારે આ વિવાદ પ્રથમવાર ઊભો થયો ત્યારે તત્કાલીન ડેપ્યુટી સીએમ અને સરકારના પ્રવક્તા નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે 25 જુલાઈ 1994ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં રાજ્યની 36 જાતિઓને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. તેના 25-બીમાં મોઢ જાતિનો ઉલ્લેખ છે.


ત્યારે ગુજરાતમાં કોની સરકાર હતી?    


જ્યારે ગુજરાત સરકારે ઘાંચી સહિત 36 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવી હતી. તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. એ વાત સાચી છે કે PM મોદી જે જ્ઞાતિમાંથી આવે છે તે મોદી સમાજ મોઢ ઘાંચી જાતિની પેટાજાતિ છે અને તેને OBCમાં સમાવવા માટે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બીબીસીના અહેવાલમાં ખુલાસો થયો હતો કે જ્યારે ઘાંચી સમુદાયને ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો ત્યારે તેની પેટાજાતિનો પણ સમાવેશ થવો જોઈતો હતો. પરંતુ આવું ન થયું. આથી મોઢ ઘાંચી જ્ઞાતિને આ યાદીમાં સમાવવા માટે નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો. બીબીસીએ આ દાવો ગુજરાત સરકારના અધિકારીને ટાંકીને કર્યો હતો. જો કે હવે, તાજેતરના વિવાદ વચ્ચે, BJP IT સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા તે પહેલાં, મોઢ ઘાંચીનો બે વર્ષ પહેલાં સમાવેશ કરવામાં આવ્યો હતો.



અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.

૧૮મી જૂને યોજાવનાર ચૂંટણીઓ માટે સત્તાધારી પક્ષ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે ચાર બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીએ આ નામોની જાહેરાત જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને કરી છે. ગુજરાતમાં આ તમામ ૪ બેઠકો સત્તાધારી પક્ષ ભાજપના ફાળે જાય તેવી સંભાવના પુરેપુરી છે. કેમ કે , ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પાસે પૂરતું સંખ્યાબળ જ નથી.