PM નરેન્દ્ર મોદીની જાતિ OBCમાં ક્યારે સામેલ થઈ? રાહુલ ગાંધીના દાવામાં કેટલું સત્ય? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-08 21:19:04

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી OBC નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ફરી એકવાર વડાપ્રધાન OBC છે કે નહીં તે અંગે ચર્ચા છેડાઈ છે. હવે તેમણે કહ્યું છે કે મોદીજી અન્ય પછાત વર્ગના હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદીનો જન્મ તેલી જાતિમાં થયો હતો, જેને ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન 2000માં OBC કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. આ રીતે મોદીજી જન્મથી OBC નથી.


1 જાન્યુઆરીનો પરિપત્ર


કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે 1 જાન્યુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલા ગુજરાત સરકારના પરિપત્રને ટાંક્યો છે. જેમાં મોઢ ઘાંચીઓનો ઓબીસીમાં સમાવેશ કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. બીબીસીના એક અહેવાલ મુજબ, જ્યારે આ વિવાદ પ્રથમવાર ઊભો થયો ત્યારે તત્કાલીન ડેપ્યુટી સીએમ અને સરકારના પ્રવક્તા નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે 25 જુલાઈ 1994ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં રાજ્યની 36 જાતિઓને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. તેના 25-બીમાં મોઢ જાતિનો ઉલ્લેખ છે.


ત્યારે ગુજરાતમાં કોની સરકાર હતી?    


જ્યારે ગુજરાત સરકારે ઘાંચી સહિત 36 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવી હતી. તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. એ વાત સાચી છે કે PM મોદી જે જ્ઞાતિમાંથી આવે છે તે મોદી સમાજ મોઢ ઘાંચી જાતિની પેટાજાતિ છે અને તેને OBCમાં સમાવવા માટે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બીબીસીના અહેવાલમાં ખુલાસો થયો હતો કે જ્યારે ઘાંચી સમુદાયને ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો ત્યારે તેની પેટાજાતિનો પણ સમાવેશ થવો જોઈતો હતો. પરંતુ આવું ન થયું. આથી મોઢ ઘાંચી જ્ઞાતિને આ યાદીમાં સમાવવા માટે નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો. બીબીસીએ આ દાવો ગુજરાત સરકારના અધિકારીને ટાંકીને કર્યો હતો. જો કે હવે, તાજેતરના વિવાદ વચ્ચે, BJP IT સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા તે પહેલાં, મોઢ ઘાંચીનો બે વર્ષ પહેલાં સમાવેશ કરવામાં આવ્યો હતો.



જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

" આજે ઈરાન માટે ખુબ મોટો દિવસ છે કેમ કે , ઈરાન પર ખુબ ઘાતક હુમલો કરવામાં આવ્યો છે. " આ શબ્દો છે , અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. આ એજ રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ છે કે જેઓ , અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણીઓના પ્રચાર દરમ્યાન , અમેરિકાને કોઈ પણ નવા યુદ્ધમાં ના ઝોંકવાની કસમ ખાતા હતા અને આજે તેઓ , તેમના બીજા કાર્યકાળના શરુ થયે માત્ર ૧૩ મહિનાની અંદર , ઈરાન પર ખુબ ભારે બોમ્બમારો કરાવી રહ્યા છે. આવનારા , સમયમાં અમેરિકા જમીની સ્તરે ઈરાન પર આક્રમણ કરી શકે છે. તો બીજી તરફ , કુવૈતથી ખબર આવી છે કે , ઈરાનના હુમલામાં એક ભારતીયએ જીવ ગુમાવ્યો છે. વાત કરીએ , ભારતની તો , પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે જે ઉર્જા સંકટ ભારત સામે ઉભું થયું છે તેની સામે કેરોસીનના વેચાણને કેન્દ્ર સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.