PM નરેન્દ્ર મોદીની જાતિ OBCમાં ક્યારે સામેલ થઈ? રાહુલ ગાંધીના દાવામાં કેટલું સત્ય? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-08 21:19:04

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી OBC નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ફરી એકવાર વડાપ્રધાન OBC છે કે નહીં તે અંગે ચર્ચા છેડાઈ છે. હવે તેમણે કહ્યું છે કે મોદીજી અન્ય પછાત વર્ગના હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદીનો જન્મ તેલી જાતિમાં થયો હતો, જેને ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન 2000માં OBC કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. આ રીતે મોદીજી જન્મથી OBC નથી.


1 જાન્યુઆરીનો પરિપત્ર


કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે 1 જાન્યુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલા ગુજરાત સરકારના પરિપત્રને ટાંક્યો છે. જેમાં મોઢ ઘાંચીઓનો ઓબીસીમાં સમાવેશ કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. બીબીસીના એક અહેવાલ મુજબ, જ્યારે આ વિવાદ પ્રથમવાર ઊભો થયો ત્યારે તત્કાલીન ડેપ્યુટી સીએમ અને સરકારના પ્રવક્તા નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે 25 જુલાઈ 1994ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં રાજ્યની 36 જાતિઓને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. તેના 25-બીમાં મોઢ જાતિનો ઉલ્લેખ છે.


ત્યારે ગુજરાતમાં કોની સરકાર હતી?    


જ્યારે ગુજરાત સરકારે ઘાંચી સહિત 36 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવી હતી. તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. એ વાત સાચી છે કે PM મોદી જે જ્ઞાતિમાંથી આવે છે તે મોદી સમાજ મોઢ ઘાંચી જાતિની પેટાજાતિ છે અને તેને OBCમાં સમાવવા માટે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બીબીસીના અહેવાલમાં ખુલાસો થયો હતો કે જ્યારે ઘાંચી સમુદાયને ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો ત્યારે તેની પેટાજાતિનો પણ સમાવેશ થવો જોઈતો હતો. પરંતુ આવું ન થયું. આથી મોઢ ઘાંચી જ્ઞાતિને આ યાદીમાં સમાવવા માટે નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો. બીબીસીએ આ દાવો ગુજરાત સરકારના અધિકારીને ટાંકીને કર્યો હતો. જો કે હવે, તાજેતરના વિવાદ વચ્ચે, BJP IT સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા તે પહેલાં, મોઢ ઘાંચીનો બે વર્ષ પહેલાં સમાવેશ કરવામાં આવ્યો હતો.



હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે.