PM નરેન્દ્ર મોદીની જાતિ OBCમાં ક્યારે સામેલ થઈ? રાહુલ ગાંધીના દાવામાં કેટલું સત્ય? જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-08 21:19:04

વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મથી OBC નથી. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન બાદ ફરી એકવાર વડાપ્રધાન OBC છે કે નહીં તે અંગે ચર્ચા છેડાઈ છે. હવે તેમણે કહ્યું છે કે મોદીજી અન્ય પછાત વર્ગના હોવાનું કહીને લોકોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. મોદીનો જન્મ તેલી જાતિમાં થયો હતો, જેને ગુજરાતમાં ભાજપ સરકારના કાર્યકાળ દરમિયાન 2000માં OBC કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. આ રીતે મોદીજી જન્મથી OBC નથી.


1 જાન્યુઆરીનો પરિપત્ર


કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર હુમલો કરવા માટે 1 જાન્યુઆરી, 2022ના રોજ બહાર પાડવામાં આવેલા ગુજરાત સરકારના પરિપત્રને ટાંક્યો છે. જેમાં મોઢ ઘાંચીઓનો ઓબીસીમાં સમાવેશ કરવા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. બીબીસીના એક અહેવાલ મુજબ, જ્યારે આ વિવાદ પ્રથમવાર ઊભો થયો ત્યારે તત્કાલીન ડેપ્યુટી સીએમ અને સરકારના પ્રવક્તા નીતિન પટેલે કહ્યું હતું કે ગુજરાત સરકારના સમાજ કલ્યાણ વિભાગે 25 જુલાઈ 1994ના રોજ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું. જેમાં રાજ્યની 36 જાતિઓને ઓબીસી કેટેગરીમાં સામેલ કરવામાં આવી હતી. તેના 25-બીમાં મોઢ જાતિનો ઉલ્લેખ છે.


ત્યારે ગુજરાતમાં કોની સરકાર હતી?    


જ્યારે ગુજરાત સરકારે ઘાંચી સહિત 36 જ્ઞાતિઓને ઓબીસીમાં સમાવી હતી. તે સમયે રાજ્યમાં કોંગ્રેસની સરકાર હતી. તે સમયે છબીલદાસ મહેતા મુખ્યમંત્રી હતા. એ વાત સાચી છે કે PM મોદી જે જ્ઞાતિમાંથી આવે છે તે મોદી સમાજ મોઢ ઘાંચી જાતિની પેટાજાતિ છે અને તેને OBCમાં સમાવવા માટે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. બીબીસીના અહેવાલમાં ખુલાસો થયો હતો કે જ્યારે ઘાંચી સમુદાયને ઓબીસીની યાદીમાં સામેલ કરવામાં આવ્યો હતો ત્યારે તેની પેટાજાતિનો પણ સમાવેશ થવો જોઈતો હતો. પરંતુ આવું ન થયું. આથી મોઢ ઘાંચી જ્ઞાતિને આ યાદીમાં સમાવવા માટે નવો પરિપત્ર બહાર પાડવો પડ્યો હતો. બીબીસીએ આ દાવો ગુજરાત સરકારના અધિકારીને ટાંકીને કર્યો હતો. જો કે હવે, તાજેતરના વિવાદ વચ્ચે, BJP IT સેલના વડા અમિત માલવિયાએ દાવો કર્યો છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય પ્રધાન બન્યા તે પહેલાં, મોઢ ઘાંચીનો બે વર્ષ પહેલાં સમાવેશ કરવામાં આવ્યો હતો.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.