નર્મદા ડેમમાંથી પાણી છોડાતા અનેક ગામોમાં સર્જાઈ હતી પૂર જેવી પરિસ્થિતિ, જાણો સરદાર સરોવર નિગમના અધિકારીએ શું આપ્યું કારણ


  • Published By :
  • Published Date : 2023-09-22 16:48:33

ગુજરાતના અનેક ભાગોમાં વરસાદને કારણે તારાજી સર્જાઈ છે. અનેક જગ્યાઓથી તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે. અનેક જગ્યાઓ એવી છે જ્યાં વરસાદી પાણી ઘરોમાં ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઘરમાં પાણી ઘૂસી જવાથી લોકો વધારે પરેશાન થઈ રહ્યા છે. ઘરવખરીને પણ ભારે નુકસાન પહોંચ્યું છે. નર્મદા ડેમમાં અચાનક પાણી છોડવામાં આવ્યું જેને કારણે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. ડેમમાં પાણીની ભરપૂર આવક તો થઈ પરંતુ તે જે સ્થિતિ સર્જાઈ તે વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ. નર્મદા તેમજ ભરૂચમાં લોકો કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તે દ્રશ્યો તમે જોયા હશે. વિવાદોમાં ઘેરાયેલાં સરદાર સરોવર નર્મદા નિગમે નર્મદા ડેમમાં અચાનક પાણી આવવા પાછળ અલગ જ કારણ બતાવ્યું. 



સરદાર સરોવર નિગમે આપ્યું આ કારણ!

વિવાદોમાં ઘેરાયેલા સરદાર સરોવર નિગમે એક યાદી બહાર પાડી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે ઈન્દિરા સાગર ડેમ અને નર્મદા ડેમની વચ્ચે વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાઈ હતી. અચાનક વાદળ ફાટવાને કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે. યાદીમાં જણાવ્યા અનુસાર ઓગષ્ટ મહિનામાં નોંધપાત્ર વરસાદ થયો ન હતો. પહેલી ઓગષ્ટે નર્મદા કંટ્રોલ ઓથોરીટીની સરદાર સરોવર જળાશય નિયમન સમિતિની બેઠક મળી હતી. જેમાં 4 સપ્ટેમ્બરનું નર્મદા ડેમનું સ્તર 136.64 મીટર હોવું જોઇએ તેમ નકકી થયું હતું.


પરંતુ તે દિવસે નર્મદા ડેમની સપાટી 133.73 મીટર હતી. સપાટી ઓછી હોવા છતાં રીવર બેડ પાવર હાઉસના ટર્બાઇન ચાલુ હતાં.  વીજ ઉત્પાદન કરવામાં આવી રહ્યું હતું. વીજ ઉત્પાદન બાદ પાણી નર્મદા નદીમાં ઠલવાતું હતું. પાણીની બચત કરવાના આશયથી 6 સપ્ટેમ્બરથી આરબીપીએચ બંધ કરી દેવાયું હતું. તો બીજી તરફ 6 સપ્ટેમ્બરથી 14મી સપ્ટેમ્બર દરમિયાન સરદાર સરોવર પરિયોજનાના ઉપરવાસમાં ખૂબ ઓછો વરસાદ થયો હતો.


નર્મદા ડેમના કેચમેન્ટ એરિયામાં 15મી સપ્ટેમ્બરે મધ્યમ વરસાદ પડ્યો જ્યારે 16 અને 17 સપ્ટેમ્બરે અતિભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે આ સમયકાળ દરમિયાન ઉપરવાસનો મુખ્ય ડેમ એવો ઈન્દિરાસાગર પૂરેપૂરો ભરાઇ ગયો. ડેમ છલોછલ ભરાઈ જવાને કારણે તમામ પાણી નર્મદા ડેમ તરફ છોડાઈ રહ્યું હતું. એવું પણ કારણ દર્શાવવામાં આવ્યું કે ઇન્દિરા સાગર ડેમ અને નર્મદા ડેમની વચ્ચે વાદળ ફાટવાથી અચાનક પૂરની સ્થિતિ સર્જાઇ હતી. 16મીએ રાત્રે સરદાર સરોવરમાં પાણીની આવક 21.75 લાખ કયુસેક નોંધાઇ હતી.


17 સપ્ટેમ્બરના દિવસે છોડાયું 18 લાખ ક્યુસેક પાણી

સેન્ટ્રલ વોટર કમિશન તરફથી નોંધપાત્ર આગાહી ન હોવા છતાં 16મી સપ્ટેમ્બરે સવારે 10 વાગ્યાથી નર્મદા ડેમમાંથી ડાઉન સ્ટ્રીમમાંથી 45 હજાર કયુસેક ત્યાર બાદ 12 કલાકે 1 લાખ કયુસેક, બપોરે 2 કલાકે 5 લાખ કયુસેક અને સાંજે 5 વાગ્યે 8 લાખ કયુસેક પાણી છોડયું હતું. ડેમ માં મહત્તમ 21.75 લાખ કયુસેક પાણીની આવક સામે 17 સપ્ટેમ્બરની વહેલી સવારે નર્મદા ડેમમાંથી 18.62 લાખ કયુસેક પાણી છોડાયું હતું. 


ગ્રામજનોએ લીધો મંત્રીઓનો ઉધડો!

એકાએક ડેમમાં પાણી છોડવામાં આવતા ગામો એલર્ટ કરવામાં આવ્યા હતા. ગામોને એલર્ટ તો કરવામાં આવ્યા હતા. પરંતુ પૂરને કારણે જે સ્થિતિ સર્જાઈ છે તે વિનાશકારી છે. લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો છે. જ્યારે કોઈ નેતા કે અધિકારી પૂરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લઈ રહ્યા છે ત્યારે ત્યારે તેમને લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોએ મુલાકાતે આવેલા પદાધિકારીઓને કહ્યું કે તમારી ચાપલૂસીનો ભોગ અમારે બનવું પડી રહ્યું છે. ધારાસભ્યને પણ વિરોધનો સામનો કરવો પડી રહ્યા છે. સ્થાનિક લોકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. 




ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.