Gujaratમાં ક્યારે પડશે કડકડતી ઠંડી? જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By :
  • Published Date : 2024-11-20 14:21:10

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે... આગામી દિવાસમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... પહાડી વિસ્તારમાં હિમ વર્ષા થવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે...ગાંધીનગર સૌથી ઠંડી શહેર બન્યું છે.. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે...

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

લોકો આતુરતાથી ઠંડી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા... ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ફેરફાર આવી રહ્યો છે... ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 19.7 નોંધાયું છે જ્યારે ડીસાનું તાપમાન 16.4 નોંધાયું છે.. વડોદરાનું તાપમાન 17 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 20.1 ડિગ્રી નોંધાયું છે... નલિયાનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે...



ડિસેમ્બરમાં વધી શકે છે ઠંડીનું પ્રમાણ

મહત્વનું છે કે નવેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ જાય છે સામાન્ય રીતે પરંતુ આ વખતે ઠંડીની શરૂઆત મોડી થઈ છે.... અનેક વિસ્તારોમાં તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે.. ડિસેમ્બર મહિનામાં વધારે તાપમાનના પારામાં ઘટાડો થવાની સંભાવના છે.... કડકડતી ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ જશે આવનાર સમયમાં તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.. 



ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.