Gujaratમાં ક્યારે પડશે કડકડતી ઠંડી? જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By :
  • Published Date : 2024-11-20 14:21:10

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે... આગામી દિવાસમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... પહાડી વિસ્તારમાં હિમ વર્ષા થવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે...ગાંધીનગર સૌથી ઠંડી શહેર બન્યું છે.. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે...

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

લોકો આતુરતાથી ઠંડી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા... ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ફેરફાર આવી રહ્યો છે... ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 19.7 નોંધાયું છે જ્યારે ડીસાનું તાપમાન 16.4 નોંધાયું છે.. વડોદરાનું તાપમાન 17 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 20.1 ડિગ્રી નોંધાયું છે... નલિયાનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે...



ડિસેમ્બરમાં વધી શકે છે ઠંડીનું પ્રમાણ

મહત્વનું છે કે નવેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ જાય છે સામાન્ય રીતે પરંતુ આ વખતે ઠંડીની શરૂઆત મોડી થઈ છે.... અનેક વિસ્તારોમાં તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે.. ડિસેમ્બર મહિનામાં વધારે તાપમાનના પારામાં ઘટાડો થવાની સંભાવના છે.... કડકડતી ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ જશે આવનાર સમયમાં તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.. 



અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .

રક્ષામંત્રી રાજનાથ સિંહે ઓપરેશન સિંદૂર પછી પ્રથમ વખત ગુજરાત પ્રવાસે છે. આજે રક્ષામંત્રી રાજનાથસિંહ ભુજ એરબેઝની મુલાકાતે પહોંચ્યા છે. જ્યાં તેઓ એરફોર્સે , BSF અને આર્મીના અધિકારીઓ - જવાનોને મળીને ચર્ચા કરીને સરહદ પરની સુરક્ષા અંગે સમીક્ષા કરી છે. આ સાથેજ રક્ષામંત્રી રાજનાથ સિંહ ગુજરાતમાં ભારત - પાકિસ્તાન સરહદના વિવિધ વિસ્તારોની મુલાકાત પણ કરી છે. તો આવો જાણીએ રક્ષામંત્રી રાજનાથ સિંહના પ્રવાસ વિશે.