Gujaratમાં ક્યારે પડશે કડકડતી ઠંડી? જાણો ક્યાં કેટલું તાપમાન નોંધાયું?


  • Published By :
  • Published Date : 2024-11-20 14:21:10

રાજ્યમાં ધીરે ધીરે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... વહેલી સવારે તેમજ મોડી રીત્રે ઠંડીનો ચમકારો અનુભવાય છે.... 24 કલાકમાં જ બેથી ત્રણ ડિગ્રી તાપમાન ઘટ્યું છે.... અનેક વિસ્તારો એવા છે જ્યાંનું લઘુત્તમ તાપમાન 20 ડિગ્રી નીચે નોંધાયું છે... આગામી દિવાસમાં તાપમાનમાં વધારે ફેરફાર નહીં આવે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... પહાડી વિસ્તારમાં હિમ વર્ષા થવાને કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે...ગાંધીનગર સૌથી ઠંડી શહેર બન્યું છે.. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે...

ક્યાં કેટલું નોંધાયું તાપમાન?

લોકો આતુરતાથી ઠંડી ક્યારે થશે તેની રાહ સૌ કોઈ જોઈ રહ્યા હતા... ધીરે ધીરે તાપમાનનો પારો ગગડી રહ્યો છે... લઘુત્તમ તાપમાનમાં ફેરફાર આવી રહ્યો છે... ક્યાં કેટલું તાપમાન નોંધાયું તેની વાત કરીએ તો ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું છે, અમદાવાદનું તાપમાન 19.7 નોંધાયું છે જ્યારે ડીસાનું તાપમાન 16.4 નોંધાયું છે.. વડોદરાનું તાપમાન 17 ડિગ્રી જ્યારે સુરતનું તાપમાન 20.1 ડિગ્રી નોંધાયું છે... નલિયાનું તાપમાન 15.5 ડિગ્રી નોંધાયું છે...



ડિસેમ્બરમાં વધી શકે છે ઠંડીનું પ્રમાણ

મહત્વનું છે કે નવેમ્બરની શરૂઆતમાં કડકડતી ઠંડીનો અનુભવ થઈ જાય છે સામાન્ય રીતે પરંતુ આ વખતે ઠંડીની શરૂઆત મોડી થઈ છે.... અનેક વિસ્તારોમાં તાપમાન 20 ડિગ્રીની નીચે નોંધાયું છે.. ડિસેમ્બર મહિનામાં વધારે તાપમાનના પારામાં ઘટાડો થવાની સંભાવના છે.... કડકડતી ઠંડીનો અનુભવ થવાની શરૂઆત થઈ જશે આવનાર સમયમાં તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે.. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.