ઠંડી ક્યારથી પડશે? જો તમને પણ આ સવાલ હોય તો જાણી લો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-11-14 12:16:01

ઠંડીની શરૂઆત ક્યારથી થશે તે પ્રશ્ન આપણને સૌને થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને વહેલી સવાર તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે... પરંતુ બપોરના સમયે તો જાણે ઉનાળો હોય તેવું જ લાગે.. ચોમાસા દરમિયાન પણ ગરમીનો અહેસાસ થતો હતો.. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... કારતક મહિનામાં પણ ગરમી પડી રહી છે.. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે કે ઘટશે તે મુંઝવણ લોકોને રહેતી હોય છે. ત્યારે ઠંડીનો અહેસાસ ક્યારથી થશે તેની જાણકારી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે...

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 17 તારીખ સુધી તાપમાનમાં મોટા ફેરફાર આવે તેવી સંભાવનાઓ નથી.. ગરમીનો પારો ગગડે તેવી પણ સંભાવના નથી.. તાપમાનના પારામાં એકથી બે ડિગ્રીનો ફેર પડી શકે છે... પરંતુ તેના કરતા વિશેષ તાપમાનમાં કોઈ ફેરફાર  નહીં આવે.... 17 નવેમ્બર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં દિવસનું તાપમાન 32થી 35 ડિગ્રી સુધી જોવા મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.... તાપમાન હાલ ધીમી ગતિએ ઘટી રહ્યું છે જેને કારણે ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો.....



પાછોતરા વરસાદે ખેડૂતને પાયમાલ કર્યા!

મહત્વનું છે કે ઠંડીની શરૂઆત હજી સુધી નથી થઈ જેને કારણે ધરતીપુત્રો ચિંતામાં છે.... શિયાળા પાકનું વાવેતર કરવાનો સમય થઈ ગયો છે.... પરંતુ જે પ્રમાણેનું વાતાવરણ જોઈએ તે પ્રમાણેનું વાતાવરણ નથી.... ઉલ્લેખનિય છે કે વાતાવરણ પર ખેતીનો આધાર રહેલો છે... પાછોતરા વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે... તૈયાર થયેલો પાક બગડી ગયો છે જેને કારણે ખેડૂતો બેહાલ થઈ ગયા છે... સરકારે સહાયની જાહેરાત તો કરી છે પરંતુ સહાય ખેડૂતો સુધી પહોંચશે કે કેમ તે જોવાનું રહ્યું....   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .