ઠંડી ક્યારથી પડશે? જો તમને પણ આ સવાલ હોય તો જાણી લો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી શું કહે છે?


  • Published By :
  • Published Date : 2024-11-14 12:16:01

ઠંડીની શરૂઆત ક્યારથી થશે તે પ્રશ્ન આપણને સૌને થઈ રહ્યો છે... બપોરના સમયે ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે અને વહેલી સવાર તેમજ રાત્રે ઠંડીનો અહેસાસ થાય છે... પરંતુ બપોરના સમયે તો જાણે ઉનાળો હોય તેવું જ લાગે.. ચોમાસા દરમિયાન પણ ગરમીનો અહેસાસ થતો હતો.. લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે... કારતક મહિનામાં પણ ગરમી પડી રહી છે.. આવનાર દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે કે ઘટશે તે મુંઝવણ લોકોને રહેતી હોય છે. ત્યારે ઠંડીનો અહેસાસ ક્યારથી થશે તેની જાણકારી પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવી છે...

શું કહે છે પરેશ ગોસ્વામીની આગાહી?

પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર 17 તારીખ સુધી તાપમાનમાં મોટા ફેરફાર આવે તેવી સંભાવનાઓ નથી.. ગરમીનો પારો ગગડે તેવી પણ સંભાવના નથી.. તાપમાનના પારામાં એકથી બે ડિગ્રીનો ફેર પડી શકે છે... પરંતુ તેના કરતા વિશેષ તાપમાનમાં કોઈ ફેરફાર  નહીં આવે.... 17 નવેમ્બર સુધીમાં અલગ અલગ વિસ્તારોમાં દિવસનું તાપમાન 32થી 35 ડિગ્રી સુધી જોવા મળી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.... તાપમાન હાલ ધીમી ગતિએ ઘટી રહ્યું છે જેને કારણે ઠંડીનો અનુભવ નથી થઈ રહ્યો.....



પાછોતરા વરસાદે ખેડૂતને પાયમાલ કર્યા!

મહત્વનું છે કે ઠંડીની શરૂઆત હજી સુધી નથી થઈ જેને કારણે ધરતીપુત્રો ચિંતામાં છે.... શિયાળા પાકનું વાવેતર કરવાનો સમય થઈ ગયો છે.... પરંતુ જે પ્રમાણેનું વાતાવરણ જોઈએ તે પ્રમાણેનું વાતાવરણ નથી.... ઉલ્લેખનિય છે કે વાતાવરણ પર ખેતીનો આધાર રહેલો છે... પાછોતરા વરસાદને કારણે જગતના તાતને રડવાનો વારો આવ્યો છે... તૈયાર થયેલો પાક બગડી ગયો છે જેને કારણે ખેડૂતો બેહાલ થઈ ગયા છે... સરકારે સહાયની જાહેરાત તો કરી છે પરંતુ સહાય ખેડૂતો સુધી પહોંચશે કે કેમ તે જોવાનું રહ્યું....   



અમેરિકામાં થોડાક સમય પેહલા જ , ઇઝરાયેલી એમ્બેસીના બે સ્ટાફ પર. જીવલેણ હુમલો થયો છે. આ હુમલો વોશિંગટન ડીસીમાં જે જ્યુઈશ મ્યુઝિયમ આવેલું છે તેની નજીક આ હુમલો કરવામાં આવ્યો છે. આ બાબતે ત્યાંના મેટ્રોપોલિટન પોલીસ ડિપાર્ટમેન્ટએ એક સસ્પેક્ટને કસ્ટડીમાં લીધો છે. પ્રાથમિક માહિતી એ સામે આવી છે કે આ હિંસક હુમલો ઈલિયાસ રોડ્રિગુએઝ દ્વારા કરવામાં આવ્યો છે. જયારે પોલીસે તેની ધરપકડ કરી ત્યારે તેણે "ફ્રી પેલેસ્ટાઇન ફ્રી પેલેસ્ટાઇન" નામની બૂમો પાડી હતી.

અમદાવાદમાં ઇતિહાસના સૌથી મોટા ડિમોલિશનના ભાગ રૂપે ચંડોળામાં આજે પણ ફેઝ 2ની કામગીરી ચાલુ જ છે . ચંડોળા તળાવમાં આવેલી તમામ મસ્જિદ સહિતના ધાર્મિક સ્થાનોને તોડવાની શરૂઆત કરવામાં આવી છે. આ કામગીરી દરમ્યાન કોઈ પણ અનિચ્છનીય બનાવ ના બને તે માટે ક્રાઇમ બ્રાન્ચ સહીત પોલીસનો જડબેસલાક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તો આવો જાણીએ ચંડોળામાં ચાલી રહેલા ફેઝ ૨ના મેગા ડિમોલિશન વિશે.

પાછલા ઘણા સમયથી પાકિસ્તાનમાં એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે . ભારતની વિરુદ્ધમાં જે આતંકીઓએ ભૂતકાળમાં આતંકવાદી હુમલાઓની સાજીશ કરી હતી તે આંતકીઓની હવે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા હત્યા થઇ રહી છે. આ ક્રમમાં હવે લશ્કરના આતંકી સૈફુલ્લા ખાલિદનો નંબર આવ્યો છે . જેની હત્યા અજાણ્યા હુમલાવરો દ્વારા કરી દેવાઈ છે. તેની પર આરોપ હતો કે ૨૦૦૬માં RSSના નાગપુર સ્થિત મુખ્યાલય પરના અટેકનો તે માસ્ટરમાઈન્ડ હતો . પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં ત્રણ ગનમેન દ્વારા સૈફુલ્લા ખાલિદની હત્યા કર દેવાઈ છે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ લઇને આજે એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે કે , ભારતીય સેનાએ સ્પષ્ટ કરી દીધું છે કે , પાકિસ્તાન સાથે DGMO સ્તરની કોઈ પણ વાતચીત આજે નઈ થાય . સીઝફાયર ચાલુ જ રહેશે. બેઉ દેશોના DGMO એટલેકે , ડિરેક્ટોરેટ જનરલ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચે આજે કોઈ જ સંવાદ નથી થવા જઈ રહ્યો .