રાજ્યમાં ક્યારે થશે ચોમાસાનું આગમન? વરસાદને લઈ હવામાન વિભાગે કરી આગાહી, વાંચો


  • Published By :
  • Published Date : 2023-06-22 16:32:29

વધતી ગરમીને કારણે લોકો ચોમાસાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. બિપોરજોયને કારણે થોડા દિવસો માટે ઠંડક પ્રસરી હતી પરંતુ ફરીથી ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. આમ તો ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ બેસી જવાનું હતું પરંતુ હવે ચોમાસાનું આગમન થોડું મોડા થશે. હવે ચોમાસુ 27 જૂન સુધી લંબાયું છે અને તે ચિંતાની વાત છે. એટલું જ નહીં આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે. ખાનગી હવામાન એજન્સીના અહેવાલ મુજબ બિપરજોય વાવાઝોડા બાદ હવે બંગાળની ખાડી ફરી એક્ટિવ થશે અને તેમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાશે.આ લૉ-પ્રેશર એરિયા જમીન પર ઝડપથી આવશે અને મધ્ય ભારતના વિસ્તારો તરફ આગળ વધશે. 


ચોમાસાની સિસ્ટમ પર વાવાઝોડાને કારણે પડી અસર!

બિપોરજોય વાવાઝોડાને કારણે ગુજરાત તેમજ રાજસ્થાનમાં વરસાદ વરસ્યો હતો. ત્યારે હવે જે લો પ્રેશર સર્જાશે તેને કારણે ઓડિશા, છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં તેના કારણે ભારે વરસાદ થવાની શક્યતા દેખાઇ રહી છે. જૂન મહિનાના અંત સુધીમાં આ સિસ્ટમ નબળી પડી જશે પરંતુ તે ગુજરાત અને રાજસ્થાન તરફ આવે તેવી શક્યતાઓ છે. જેના કારણે ગુજરાત અને રાજસ્થાનના અનેક વિસ્તારોમાં વરસાદ થવાની શક્યતા છે. બીજી તરફ પવનની દિશા પણ ફંટાઇ ગઇ હતી. જેના કારણે ચોમાસાની સિસ્ટમ હાલમાં તૈયાર થયેલી જોવા મળતી નથી. જેના કારણે ચોમાસું 7 દિવસ મોડું ગુજરાતમાં પ્રવેશે તેવી સંભાવના છે


હવામાન વિભાગે કરી આ આગાહી

હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતી એ કહ્યું છે કે ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ પ્રમાણે આગામી દિવસોમાં પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા સહિતના જિલ્લાઓમાં વરસાદ વરસી શકે છે. 


વરસાદને લઈ અંબાલાલ પટેલે કહ્યું કે 

આ સિવાય હવામાન નિષ્ણાંત અંબાલાલ કાકાએ પણ કંઈક આવી જ આગાહી કરી છે. અંબાબલ કાકા એ કહ્યું કે વાવાઝોડાની અસર ચોમાસાની સિસ્ટમ પર પડી છે જેને કારણે ચોમાસું ક્યારે બેસશે તેની આગાહી કરવી મુશ્કેલ છે. ગુજરાતમાં 25થી 30 જૂન વચ્ચે ગુજરાતમાં વરસાદ આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. રવિવારની આસપાસ ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ શકે છે. શરૂઆતમાં જ ધોધમાર વરસાદ થશે તેવું અનુમાન લગાવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થશે.  




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.