રાજ્યમાં ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી? જાણો ચોમાસાને લઈ હવામાન વિભાગે તેમજ અંબાલાલ પટેલે શું કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-23 09:51:06

બિપોરજોયને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે મોટા પાયે નુકસાન પણ થયું છે. ગુજરાતથી બિપોરજોય વાવાઝોડું આગળ નીકળી ગયું પરંતુ ચોમાસાની સિસ્ટમ પર અસર કરતું ગયું. આમ તો આ સમય દરમિયાન મુખ્યત્વે ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વખતે ચોમાસા માટે રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કેરળમાં તો ચોમાસું બેસી ગયું છે પરંતુ રસ્તામાં તે અટવાઈ ગયું છે.  


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

ગુજરાતમાં ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો તો આવ્યો હતો પરંતુ તે પસાર થયા બાદ ફરી એક વખત તાપમાનનો પારો વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ચોમાસાને લઈ રાજ્યના લોકોએ રાહ જોવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે ચોમાસાની સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ છે. જેને કારણે વરસાદ માટે ગુજરાતીઓએ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક સપ્તાહ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3-4 દિવસ દરમિયાન સુરત, વલસાડ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ વડોદરામાં હળવો વરસાદ વરસી શકે છે.       



ગયા વર્ષ કરતા આ વખતે મોડું છે ચોમાસુ!

ગુજરાતમાં ગયા વર્ષે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ આ વખતે ગયા વર્ષની સરખામણી કરતા વધારે રાહ જોવી પડશે. મહિનાના અંત સુધીમાં અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. આવનાર અઠવાડિયામાં ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. જે બાદ ધીરે ધીરે ચોમાસુ આગળ વધશે પરંતુ કઈ પેટનમાં આગળ વધશે તે અંગે અસમંજસ છે.  


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી!

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 25થી 30 જૂનની વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું હશે. ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ નર્મદા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય સુરતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 5 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનાર સમયમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થશે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.