રાજ્યમાં ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી? જાણો ચોમાસાને લઈ હવામાન વિભાગે તેમજ અંબાલાલ પટેલે શું કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-23 09:51:06

બિપોરજોયને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે મોટા પાયે નુકસાન પણ થયું છે. ગુજરાતથી બિપોરજોય વાવાઝોડું આગળ નીકળી ગયું પરંતુ ચોમાસાની સિસ્ટમ પર અસર કરતું ગયું. આમ તો આ સમય દરમિયાન મુખ્યત્વે ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વખતે ચોમાસા માટે રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કેરળમાં તો ચોમાસું બેસી ગયું છે પરંતુ રસ્તામાં તે અટવાઈ ગયું છે.  


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

ગુજરાતમાં ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો તો આવ્યો હતો પરંતુ તે પસાર થયા બાદ ફરી એક વખત તાપમાનનો પારો વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ચોમાસાને લઈ રાજ્યના લોકોએ રાહ જોવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે ચોમાસાની સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ છે. જેને કારણે વરસાદ માટે ગુજરાતીઓએ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક સપ્તાહ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3-4 દિવસ દરમિયાન સુરત, વલસાડ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ વડોદરામાં હળવો વરસાદ વરસી શકે છે.       



ગયા વર્ષ કરતા આ વખતે મોડું છે ચોમાસુ!

ગુજરાતમાં ગયા વર્ષે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ આ વખતે ગયા વર્ષની સરખામણી કરતા વધારે રાહ જોવી પડશે. મહિનાના અંત સુધીમાં અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. આવનાર અઠવાડિયામાં ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. જે બાદ ધીરે ધીરે ચોમાસુ આગળ વધશે પરંતુ કઈ પેટનમાં આગળ વધશે તે અંગે અસમંજસ છે.  


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી!

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 25થી 30 જૂનની વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું હશે. ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ નર્મદા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય સુરતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 5 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનાર સમયમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થશે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.