રાજ્યમાં ક્યારે થશે મેઘરાજાની એન્ટ્રી? જાણો ચોમાસાને લઈ હવામાન વિભાગે તેમજ અંબાલાલ પટેલે શું કરી આગાહી


  • Published By :
  • Published Date : 2023-06-23 09:51:06

બિપોરજોયને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો હતો. અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો જેને કારણે મોટા પાયે નુકસાન પણ થયું છે. ગુજરાતથી બિપોરજોય વાવાઝોડું આગળ નીકળી ગયું પરંતુ ચોમાસાની સિસ્ટમ પર અસર કરતું ગયું. આમ તો આ સમય દરમિયાન મુખ્યત્વે ચોમાસું બેસી જતું હોય છે પરંતુ આ વખતે ચોમાસા માટે રાહ જોવી પડશે તેવી આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કેરળમાં તો ચોમાસું બેસી ગયું છે પરંતુ રસ્તામાં તે અટવાઈ ગયું છે.  


આ જગ્યાઓ પર વરસી શકે છે વરસાદ

ગુજરાતમાં ગરમીનો અહેસાસ લોકોને થઈ રહ્યો છે. બિપોરજોય વાવાઝોડાને કારણે વાતાવરણમાં પલટો તો આવ્યો હતો પરંતુ તે પસાર થયા બાદ ફરી એક વખત તાપમાનનો પારો વધી રહ્યો છે જેને કારણે ગરમીનો અનુભવ લોકોને થઈ રહ્યો છે. ત્યારે ચોમાસાને લઈ રાજ્યના લોકોએ રાહ જોવી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડાને કારણે ચોમાસાની સિસ્ટમ વેરવિખેર થઈ ગઈ છે. જેને કારણે વરસાદ માટે ગુજરાતીઓએ રાહ જોવી પડશે. હવામાન વિભાગની આગાહી અનુસાર એક સપ્તાહ બાદ ગુજરાતમાં વરસાદનું આગમન થઈ શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 3-4 દિવસ દરમિયાન સુરત, વલસાડ, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર તેમજ વડોદરામાં હળવો વરસાદ વરસી શકે છે.       



ગયા વર્ષ કરતા આ વખતે મોડું છે ચોમાસુ!

ગુજરાતમાં ગયા વર્ષે વિધિવત રીતે ચોમાસાની શરૂઆત થઈ ગઈ હતી પરંતુ આ વખતે ગયા વર્ષની સરખામણી કરતા વધારે રાહ જોવી પડશે. મહિનાના અંત સુધીમાં અનેક જિલ્લાઓમાં વરસાદ આવી શકે છે. આવનાર અઠવાડિયામાં ગુજરાતના પૂર્વ વિસ્તારોમાં ચોમાસાની શરૂઆત થઈ જશે. જે બાદ ધીરે ધીરે ચોમાસુ આગળ વધશે પરંતુ કઈ પેટનમાં આગળ વધશે તે અંગે અસમંજસ છે.  


અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી!

વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે. 25થી 30 જૂનની વચ્ચે રાજ્યના અનેક ભાગોમાં વરસાદનું આગમન થઈ ચૂક્યું હશે. ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ નર્મદા વિસ્તારમાં ભારે વરસાદ વરસી શકે છે. તે સિવાય સુરતના અનેક ભાગોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 5 જુલાઈ સુધીમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છના ભાગોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવનાર સમયમાં વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને ગુજરાતના અનેક ભાગોમાં વરસાદ થશે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.