અંબાજી મંદિર પ્રસાદના વિવાદનો અંત ક્યારે? ગેટ બહાર લાગી ધરણા, પ્રદર્શન, રેલી ન કરવાની નોટીસ!


  • Published By :
  • Published Date : 2023-03-14 10:09:23

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયે અનેક દિવસો વીતી ગયા છે. પરંતુ તેને લઈ ચાલતો વિવાદ બંધ નથી થયો. દિવસેને દિવસે આ મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ શરૂ કરતા અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે મળતી માહિતી અનુસાર અંબાજી મંદિરના ગેટ નંબર 7ને તાળુ મારી દેવામાં આવ્યું છે અને જાહેરનામુ લગાવી દેવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે 24 માર્ચ સુધી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ઉપવાસ, ધરણા તેમજ રેલી યોજી શકાશે નહીં.     

Ambaji temple

મોહનથાળ ફરી શરૂ કરવા કલેક્ટરને કરાઈ રજૂઆત  

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ અચાનક બંધ કરી દેવાયો હતો અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈ માઈભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોહનથાળ પ્રસાદ ફરી શરૂ થાય તે માટે વિવિધ સંગઠનો દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મોહનથાળ ફરી શરૂ થાય તેવી માગ કરવામાં આવી હતી. આ મુદ્દાને લઈ દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવ્યું છે. રાજવી પરિવારે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી હતી.   


ગેટ નંબર 7 બહાર લગાવવામાં આવી સૂચના! 

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત અનેક મંદિરોમાં જઈ મોહનથાળનું વિતરણ પણ કર્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દાઓને લઈ વિરોધ નોંધાવામાં આવ્યો હતો. શક્તિપીઠ અંબાજી ખાતે પણ સંગઠનો દ્વારા વિનામૂલ્યે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. પરંતુ તેનું વિતરણ એકાએક બંધ થઈ ગયું છે. ઉપરાંત ગેટ નંબર 7 દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને નોટીસ લગાવવામાં આવી છે કે 24 માર્ચ સુધી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના ઉપવાસ, ધરણા, રેલી યોજી શકાશે નહીં. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.