અંબાજી મંદિર પ્રસાદના વિવાદનો અંત ક્યારે? ગેટ બહાર લાગી ધરણા, પ્રદર્શન, રેલી ન કરવાની નોટીસ!


  • Published By :
  • Published Date : 2023-03-14 10:09:23

શક્તિપીઠ અંબાજીમાં મોહનથાળનો પ્રસાદ બંધ થયે અનેક દિવસો વીતી ગયા છે. પરંતુ તેને લઈ ચાલતો વિવાદ બંધ નથી થયો. દિવસેને દિવસે આ મુદ્દો ગરમાતો જઈ રહ્યો છે. મોહનથાળની બદલીમાં ચિક્કીનો પ્રસાદ શરૂ કરતા અનેક સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. કલેક્ટરને રજૂઆત પણ કરવામાં આવી હતી પરંતુ હજી સુધી કોઈ પરિણામ આવ્યું નથી. ત્યારે મળતી માહિતી અનુસાર અંબાજી મંદિરના ગેટ નંબર 7ને તાળુ મારી દેવામાં આવ્યું છે અને જાહેરનામુ લગાવી દેવામાં આવ્યું છે જેમાં લખવામાં આવ્યું છે કે 24 માર્ચ સુધી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વગર ઉપવાસ, ધરણા તેમજ રેલી યોજી શકાશે નહીં.     

Ambaji temple

મોહનથાળ ફરી શરૂ કરવા કલેક્ટરને કરાઈ રજૂઆત  

શક્તિપીઠ અંબાજી મંદિરમાં પ્રસાદ સ્વરૂપે આપવામાં આવતો મોહનથાળનો પ્રસાદ અચાનક બંધ કરી દેવાયો હતો અને ચિક્કીનો પ્રસાદ શરૂ કરી દેવામાં આવ્યો હતો. જેને લઈ માઈભક્તોમાં ભારે નારાજગી જોવા મળી હતી. મોહનથાળ પ્રસાદ ફરી શરૂ થાય તે માટે વિવિધ સંગઠનો દ્વારા જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મોહનથાળ ફરી શરૂ થાય તેવી માગ કરવામાં આવી હતી. આ મુદ્દાને લઈ દાંતાના રાજવી પરિવારે પણ ઝંપલાવ્યું છે. રાજવી પરિવારે હાઈકોર્ટમાં જવાની પણ તૈયારી દર્શાવી હતી.   


ગેટ નંબર 7 બહાર લગાવવામાં આવી સૂચના! 

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા ધરણા પણ કરવામાં આવ્યા હતા ઉપરાંત અનેક મંદિરોમાં જઈ મોહનથાળનું વિતરણ પણ કર્યું હતું. તે ઉપરાંત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા પણ આ મુદ્દાઓને લઈ વિરોધ નોંધાવામાં આવ્યો હતો. શક્તિપીઠ અંબાજી ખાતે પણ સંગઠનો દ્વારા વિનામૂલ્યે મોહનથાળનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. પરંતુ તેનું વિતરણ એકાએક બંધ થઈ ગયું છે. ઉપરાંત ગેટ નંબર 7 દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે અને નોટીસ લગાવવામાં આવી છે કે 24 માર્ચ સુધી કોઈ પણ જાતની પૂર્વ મંજૂરી વિના ઉપવાસ, ધરણા, રેલી યોજી શકાશે નહીં. 



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ ફરી એકવાર ભારત - અમેરિકા ટ્રેડ ડીલને લઇને ટિપ્પણી કરી છે. ભારતનું પ્રતિનિધિમંડળ હાલમાં અમેરિકામાં છે . તેનો પ્રયાસ છે કે, જુલાઈની ૯ મી તારીખ પેહલા બેઉ દેશો વચ્ચે વ્યાપારી કરારો સંપન્ન થાય. ભારતનું પ્રતિનિધિમંડળ રાજેશ અગ્રવાલના નેતૃત્વમાં અમેરિકા પહોંચ્યું છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની જે આ ટિપ્પણી આવી તે પેહલા યુએસના ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસેન્ટએ કહ્યું છે કે , ભારત અને અમેરિકા એવા કરારોની નજીક પહોંચી ચુક્યા છે જ્યાં અમેરિકન ઉત્પાદનો પર ઓછો ટેરિફ લગાવવામાં આવશે .

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.