Rajasthan, Madhya Pradesh સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ક્યારે થશે? Election Commission કરશે આ અંગે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-10-09 09:37:29

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણી તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી તારીખની જાહેરાત આજે બપોરે 12 વાગ્યે થવાની છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી આ તારીખ અંગેની માહિતી આપશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવેમ્બરના બીજા અઠવાડિયાથી લઈ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જશે. આવી મીહિતી સામે આવી રહી છે.અલગ અલગ તારીખો તેમજ અલગ અલગ ચરણમાં આ ચૂંટણી સંપન્ન થશે તેવી માહિતી સામે આવી છે.  

રાજય વિધાનસભાની ચુંટણીમાં મતદાન જાગૃતિ માટે ચુંટણીવડા તેમજ સામાજીક અને  શૈક્ષણિક સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે.

12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ 

ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. પાંચેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તે જ સમયે, છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. જોકે, મતદાનની તારીખ બદલાય તેવી સંભાવના છે. 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્વક સંપન્નઃ પ૩.૩૮% મતદાન

પીએમ મોદીએ સંભાળી પ્રચારની કમાન 

મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17મી ડિસેમ્બરે પૂરો થાય છે, જ્યારે રાજસ્થાન વિધાનસભાનો કાર્યકાળ 14મી જાન્યુઆરીએ, મધ્યપ્રદેશનો કાર્યકાળ 6મી જાન્યુઆરીએ, તેલંગાણાનો 16મી જાન્યુઆરીએ અને છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3જી જાન્યુઆરીએ પૂરો થાય છે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ પણ પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. ત્યારે ચૂંટણી માટે કઈ તારીખ આવે છે તેની પર સૌ કોઈની નજર છે.    

સ્ટોરી અપડેટ થઈ રહી છે.... 



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે