Rajasthan, Madhya Pradesh સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ક્યારે થશે? Election Commission કરશે આ અંગે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-10-09 09:37:29

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણી તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી તારીખની જાહેરાત આજે બપોરે 12 વાગ્યે થવાની છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી આ તારીખ અંગેની માહિતી આપશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવેમ્બરના બીજા અઠવાડિયાથી લઈ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જશે. આવી મીહિતી સામે આવી રહી છે.અલગ અલગ તારીખો તેમજ અલગ અલગ ચરણમાં આ ચૂંટણી સંપન્ન થશે તેવી માહિતી સામે આવી છે.  

રાજય વિધાનસભાની ચુંટણીમાં મતદાન જાગૃતિ માટે ચુંટણીવડા તેમજ સામાજીક અને  શૈક્ષણિક સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે.

12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ 

ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. પાંચેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તે જ સમયે, છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. જોકે, મતદાનની તારીખ બદલાય તેવી સંભાવના છે. 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્વક સંપન્નઃ પ૩.૩૮% મતદાન

પીએમ મોદીએ સંભાળી પ્રચારની કમાન 

મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17મી ડિસેમ્બરે પૂરો થાય છે, જ્યારે રાજસ્થાન વિધાનસભાનો કાર્યકાળ 14મી જાન્યુઆરીએ, મધ્યપ્રદેશનો કાર્યકાળ 6મી જાન્યુઆરીએ, તેલંગાણાનો 16મી જાન્યુઆરીએ અને છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3જી જાન્યુઆરીએ પૂરો થાય છે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ પણ પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. ત્યારે ચૂંટણી માટે કઈ તારીખ આવે છે તેની પર સૌ કોઈની નજર છે.    

સ્ટોરી અપડેટ થઈ રહી છે.... 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.