Rajasthan, Madhya Pradesh સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી ક્યારે થશે? Election Commission કરશે આ અંગે જાહેરાત


  • Published By :
  • Published Date : 2023-10-09 09:37:29

2024માં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. રાજકીય પાર્ટી દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પરંતુ લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. આ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાણી તેમજ મિઝોરમમાં વિધાનસભા ચૂંટણી થવાની છે.પાંચ રાજ્યોમાં યોજાનારી ચૂંટણી તારીખની જાહેરાત આજે બપોરે 12 વાગ્યે થવાની છે. ચૂંટણી પંચ પ્રેસ કોન્ફરન્સ કરી આ તારીખ અંગેની માહિતી આપશે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર નવેમ્બરના બીજા અઠવાડિયાથી લઈ ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયા સુધીમાં પૂર્ણ થઈ જશે. આવી મીહિતી સામે આવી રહી છે.અલગ અલગ તારીખો તેમજ અલગ અલગ ચરણમાં આ ચૂંટણી સંપન્ન થશે તેવી માહિતી સામે આવી છે.  

રાજય વિધાનસભાની ચુંટણીમાં મતદાન જાગૃતિ માટે ચુંટણીવડા તેમજ સામાજીક અને  શૈક્ષણિક સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે.

12 વાગ્યે ચૂંટણી પંચ કરશે પ્રેસ કોન્ફરન્સ 

ચૂંટણી પંચ આજે પ્રેસ કોન્ફરન્સ કરી પાંચ રાજ્યો રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં ચૂંટણીની તારીખો જાહેર કરવા જઈ રહ્યું છે. આજે બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સ કરશે. પાંચેય રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. ગત વખતની જેમ રાજસ્થાન, મધ્યપ્રદેશ, મિઝોરમ અને તેલંગાણામાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાય તેવી શક્યતા છે. તે જ સમયે, છત્તીસગઢમાં બે તબક્કામાં મતદાન થઈ શકે છે. જોકે, મતદાનની તારીખ બદલાય તેવી સંભાવના છે. 

જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્વક સંપન્નઃ પ૩.૩૮% મતદાન

પીએમ મોદીએ સંભાળી પ્રચારની કમાન 

મિઝોરમ વિધાનસભાનો કાર્યકાળ 17મી ડિસેમ્બરે પૂરો થાય છે, જ્યારે રાજસ્થાન વિધાનસભાનો કાર્યકાળ 14મી જાન્યુઆરીએ, મધ્યપ્રદેશનો કાર્યકાળ 6મી જાન્યુઆરીએ, તેલંગાણાનો 16મી જાન્યુઆરીએ અને છત્તીસગઢ વિધાનસભાનો કાર્યકાળ 3જી જાન્યુઆરીએ પૂરો થાય છે. મહત્વનું છે કે વિધાનસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટીઓ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. પીએમ મોદીએ પણ પ્રચારની કમાન પોતાના હાથમાં સંભાળી લીધી છે. ત્યારે ચૂંટણી માટે કઈ તારીખ આવે છે તેની પર સૌ કોઈની નજર છે.    

સ્ટોરી અપડેટ થઈ રહી છે.... 



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.