વાવમાં ક્યારે યોજાશે પેટા ચૂંટણી? સાંસદ Geniben Thakorની પેટાચૂંટણીને લઈ મોટી જાહેરાત! ઉમેદવાર પણ ફાઇનલ!


  • Published By :
  • Published Date : 2024-09-23 12:27:53

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં છે.. ભાજપની પ્રયોગશાળા માનવામાં આવે છે.. રાજકીય રીતે કોઈપણ બદલાવ લાવવો હોય તો સૌથી પહેલા implementation ગુજરાતમાં કરવામાં આવે. લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને ઉમેદવાર ના બનાવ્યા હતા, બીજા ઉમેદવારોને ઉભા રાખ્યા હતા જ્યારે કોંગ્રેસે અનેક ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા.. તેમાંથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી ગયા અને સાંસદ બની ગયા. વાવ વિધાનસભા બેઠક પર આવનાર સમયમાં ચૂંટણી થવાની છે. ત્યારે ઉમેદવારને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે.

ચૂંટણી ક્યારે થશે તેની પણ વાત કરી!

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ બધા એક જ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં પેટા ચૂંટણી ક્યારે થશે? લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની થઈ હતી. બંને પક્ષોએ મહિલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા.  ત્યારે બનાસકાંઠાના સાંસદએ ચૂંટણી ક્યારે હશે એ વાતનો ખુલાસો કર્યો છે!  ભાભરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપ્યું છે અને ઈશારા ઈશારામાં ઉમેદવાર કોણ હશે તે પણ જણાવી દીધું!


ઈશારા ઈશારામાં ઉમેદવારનું નામ કહી દીધું

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી... જો આ સ્પીચને ધ્યાનથી સાંભળીએ તો તેમણે એવું કહ્યું બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. આનો મતલબ એ પણ થાય કે વાવ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે. તો હવે ચૂંટણી પહેલા શું નવાજુની થાય છે તે જોવાનું રહ્યું.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.