વાવમાં ક્યારે યોજાશે પેટા ચૂંટણી? સાંસદ Geniben Thakorની પેટાચૂંટણીને લઈ મોટી જાહેરાત! ઉમેદવાર પણ ફાઇનલ!


  • Published By :
  • Published Date : 2024-09-23 12:27:53

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં છે.. ભાજપની પ્રયોગશાળા માનવામાં આવે છે.. રાજકીય રીતે કોઈપણ બદલાવ લાવવો હોય તો સૌથી પહેલા implementation ગુજરાતમાં કરવામાં આવે. લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને ઉમેદવાર ના બનાવ્યા હતા, બીજા ઉમેદવારોને ઉભા રાખ્યા હતા જ્યારે કોંગ્રેસે અનેક ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા.. તેમાંથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી ગયા અને સાંસદ બની ગયા. વાવ વિધાનસભા બેઠક પર આવનાર સમયમાં ચૂંટણી થવાની છે. ત્યારે ઉમેદવારને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે.

ચૂંટણી ક્યારે થશે તેની પણ વાત કરી!

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ બધા એક જ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં પેટા ચૂંટણી ક્યારે થશે? લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની થઈ હતી. બંને પક્ષોએ મહિલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા.  ત્યારે બનાસકાંઠાના સાંસદએ ચૂંટણી ક્યારે હશે એ વાતનો ખુલાસો કર્યો છે!  ભાભરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપ્યું છે અને ઈશારા ઈશારામાં ઉમેદવાર કોણ હશે તે પણ જણાવી દીધું!


ઈશારા ઈશારામાં ઉમેદવારનું નામ કહી દીધું

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી... જો આ સ્પીચને ધ્યાનથી સાંભળીએ તો તેમણે એવું કહ્યું બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. આનો મતલબ એ પણ થાય કે વાવ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે. તો હવે ચૂંટણી પહેલા શું નવાજુની થાય છે તે જોવાનું રહ્યું.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.