વાવમાં ક્યારે યોજાશે પેટા ચૂંટણી? સાંસદ Geniben Thakorની પેટાચૂંટણીને લઈ મોટી જાહેરાત! ઉમેદવાર પણ ફાઇનલ!


  • Published By :
  • Published Date : 2024-09-23 12:27:53

ગુજરાતને ભાજપનો ગઢ માનવામાં છે.. ભાજપની પ્રયોગશાળા માનવામાં આવે છે.. રાજકીય રીતે કોઈપણ બદલાવ લાવવો હોય તો સૌથી પહેલા implementation ગુજરાતમાં કરવામાં આવે. લોકસભાની ચૂંટણી વખતે ભારતીય જનતા પાર્ટીએ ધારાસભ્યોને ઉમેદવાર ના બનાવ્યા હતા, બીજા ઉમેદવારોને ઉભા રાખ્યા હતા જ્યારે કોંગ્રેસે અનેક ધારાસભ્યોને ઉમેદવાર તરીકે ઉભા રાખ્યા હતા.. તેમાંથી વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર લોકસભાની ચૂંટણી જીતી ગયા અને સાંસદ બની ગયા. વાવ વિધાનસભા બેઠક પર આવનાર સમયમાં ચૂંટણી થવાની છે. ત્યારે ઉમેદવારને લઈ સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે.

ચૂંટણી ક્યારે થશે તેની પણ વાત કરી!

લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ બધા એક જ રાહ જોઈ રહ્યા છે કે ગુજરાતમાં પેટા ચૂંટણી ક્યારે થશે? લોકસભાની ચૂંટણી દરમિયાન સૌથી વધારે ચર્ચા બનાસકાંઠા બેઠકની થઈ હતી. બંને પક્ષોએ મહિલાને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા. વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ચૂંટણી જીતી ગયા.  ત્યારે બનાસકાંઠાના સાંસદએ ચૂંટણી ક્યારે હશે એ વાતનો ખુલાસો કર્યો છે!  ભાભરમાં એક કાર્યક્રમ દરમિયાન તેમણે નિવેદન આપ્યું છે અને ઈશારા ઈશારામાં ઉમેદવાર કોણ હશે તે પણ જણાવી દીધું!


ઈશારા ઈશારામાં ઉમેદવારનું નામ કહી દીધું

10 થી 15 દિવસમા વાવ વિધાનસભાની ચૂંટણી યોજવા માટેની જાહેરાત થઈ શકે તેવું ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે. ભાભરના લોકનિકેતન હોસ્ટેલ ખાતે યોજાયેલ કોંગ્રેસના કાર્યકર્તાઓની મિટિંગમાં કરી હાકલ કરતા કહ્યું કે, આગામી વિધાનસભાની પેટા ચૂંટણીમાં કોંગ્રેસના સર્વ સમાજના ઉમેદવારને જીતાડવા અપીલ કરી... જો આ સ્પીચને ધ્યાનથી સાંભળીએ તો તેમણે એવું કહ્યું બનાસકાંઠા માટે ગુલાબની પત્તી લાવજો. આનો મતલબ એ પણ થાય કે વાવ બેઠક પર કોંગ્રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત ઉમેદવાર તરીકે આવી શકે છે. તો હવે ચૂંટણી પહેલા શું નવાજુની થાય છે તે જોવાનું રહ્યું.. ત્યારે આ મામલે તમારૂં શું માનવું છે તે અમને કમેન્ટમાં જણાવજો.. 



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.