ક્યારે યોજાશે લોકસભા ચૂંટણી, કેટલા તબક્કામાં થશે મતદાન અને ક્યારે આવશે રિઝલ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-21 17:27:25

લોકસભા ચૂંટણી ધીરે-ધીરે નજીક આવી રહી છે, ત્યારે તેની તારીખોને લઈને અટકળોનું બજાર ગરમ છે. એક અનુમાન છે કે એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે ગત દિવસોમાં બેઠક યોજીને જણાવી દીધું હતું કે અમારી તૈયારીઓ પુરી થઈ ગઈ છે. રાજકીય પક્ષોથી લઈને સામાન્ય લોકો હવે તારીખોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


ક્યારે જાહેર થશે લોકસભા ચૂંટણી


લોકસભા ચૂંટણીને લઈને એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ કે માર્ચના પ્રથમ સપ્તાહમાં તારીખોની જાહેરાત કરી શકે છે. પીએમ મોદીએ બિજેપી માટે 370 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે, જ્યારે તેમને દાવો છે કે NDA આ વખતે 400 સીટોનો આંકડો પાર કરી લેશે. વિપક્ષી ગઠબંધન  I.N.D.I.A. પણ મોદીને ટક્કર આપવાની તૈયારીમાં છે. 


કેટલા તબક્કામાં યોજાશે ચૂંટણી


ઈલેક્શન કમિશને પણ સત્તાવાર રીતે કોઈ તારીખ કે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે તે અંગે નિર્ણય લીધો નથી. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થઈ શકે છે. તેની સંભાવના એટલા માટે વ્યક્ત કરવામા આવી રહી છે કેમ કે વર્ષ 2019માં પણ 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મે મહિનામાં ચૂંટણીના પરિણામો પણ આવી શકે છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.