ક્યારે યોજાશે લોકસભા ચૂંટણી, કેટલા તબક્કામાં થશે મતદાન અને ક્યારે આવશે રિઝલ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-21 17:27:25

લોકસભા ચૂંટણી ધીરે-ધીરે નજીક આવી રહી છે, ત્યારે તેની તારીખોને લઈને અટકળોનું બજાર ગરમ છે. એક અનુમાન છે કે એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે ગત દિવસોમાં બેઠક યોજીને જણાવી દીધું હતું કે અમારી તૈયારીઓ પુરી થઈ ગઈ છે. રાજકીય પક્ષોથી લઈને સામાન્ય લોકો હવે તારીખોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


ક્યારે જાહેર થશે લોકસભા ચૂંટણી


લોકસભા ચૂંટણીને લઈને એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ કે માર્ચના પ્રથમ સપ્તાહમાં તારીખોની જાહેરાત કરી શકે છે. પીએમ મોદીએ બિજેપી માટે 370 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે, જ્યારે તેમને દાવો છે કે NDA આ વખતે 400 સીટોનો આંકડો પાર કરી લેશે. વિપક્ષી ગઠબંધન  I.N.D.I.A. પણ મોદીને ટક્કર આપવાની તૈયારીમાં છે. 


કેટલા તબક્કામાં યોજાશે ચૂંટણી


ઈલેક્શન કમિશને પણ સત્તાવાર રીતે કોઈ તારીખ કે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે તે અંગે નિર્ણય લીધો નથી. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થઈ શકે છે. તેની સંભાવના એટલા માટે વ્યક્ત કરવામા આવી રહી છે કેમ કે વર્ષ 2019માં પણ 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મે મહિનામાં ચૂંટણીના પરિણામો પણ આવી શકે છે.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.