ક્યારે યોજાશે લોકસભા ચૂંટણી, કેટલા તબક્કામાં થશે મતદાન અને ક્યારે આવશે રિઝલ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-21 17:27:25

લોકસભા ચૂંટણી ધીરે-ધીરે નજીક આવી રહી છે, ત્યારે તેની તારીખોને લઈને અટકળોનું બજાર ગરમ છે. એક અનુમાન છે કે એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે ગત દિવસોમાં બેઠક યોજીને જણાવી દીધું હતું કે અમારી તૈયારીઓ પુરી થઈ ગઈ છે. રાજકીય પક્ષોથી લઈને સામાન્ય લોકો હવે તારીખોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


ક્યારે જાહેર થશે લોકસભા ચૂંટણી


લોકસભા ચૂંટણીને લઈને એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ કે માર્ચના પ્રથમ સપ્તાહમાં તારીખોની જાહેરાત કરી શકે છે. પીએમ મોદીએ બિજેપી માટે 370 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે, જ્યારે તેમને દાવો છે કે NDA આ વખતે 400 સીટોનો આંકડો પાર કરી લેશે. વિપક્ષી ગઠબંધન  I.N.D.I.A. પણ મોદીને ટક્કર આપવાની તૈયારીમાં છે. 


કેટલા તબક્કામાં યોજાશે ચૂંટણી


ઈલેક્શન કમિશને પણ સત્તાવાર રીતે કોઈ તારીખ કે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે તે અંગે નિર્ણય લીધો નથી. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થઈ શકે છે. તેની સંભાવના એટલા માટે વ્યક્ત કરવામા આવી રહી છે કેમ કે વર્ષ 2019માં પણ 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મે મહિનામાં ચૂંટણીના પરિણામો પણ આવી શકે છે.  



રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .

પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલા વિશે એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યા છે . ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી ગુજરાત હાઇકોર્ટ દ્વારા મંજુર કરવામાં આવી છે. ગુજરાત હાઇકોર્ટે પોન્ઝી સ્કીમ કૌભાંડના આરોપી ભુપેન્દ્ર સિંહ ઝાલાની જામીન અરજી શરતોને આધારે મંજુર કરી છે. ભુપેન્દ્ર સિંહ ઝાલાને ૮ મહિનાથી વધુના જેલવાસ પછી ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે .