ક્યારે યોજાશે લોકસભા ચૂંટણી, કેટલા તબક્કામાં થશે મતદાન અને ક્યારે આવશે રિઝલ્ટ, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2024-02-21 17:27:25

લોકસભા ચૂંટણી ધીરે-ધીરે નજીક આવી રહી છે, ત્યારે તેની તારીખોને લઈને અટકળોનું બજાર ગરમ છે. એક અનુમાન છે કે એપ્રિલ-મે મહિનામાં લોકસભા ચૂંટણી યોજાઈ શકે છે. ચૂંટણી પંચે ગત દિવસોમાં બેઠક યોજીને જણાવી દીધું હતું કે અમારી તૈયારીઓ પુરી થઈ ગઈ છે. રાજકીય પક્ષોથી લઈને સામાન્ય લોકો હવે તારીખોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.


ક્યારે જાહેર થશે લોકસભા ચૂંટણી


લોકસભા ચૂંટણીને લઈને એવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચૂંટણી પંચ ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહ કે માર્ચના પ્રથમ સપ્તાહમાં તારીખોની જાહેરાત કરી શકે છે. પીએમ મોદીએ બિજેપી માટે 370 સીટોનો ટાર્ગેટ રાખ્યો છે, જ્યારે તેમને દાવો છે કે NDA આ વખતે 400 સીટોનો આંકડો પાર કરી લેશે. વિપક્ષી ગઠબંધન  I.N.D.I.A. પણ મોદીને ટક્કર આપવાની તૈયારીમાં છે. 


કેટલા તબક્કામાં યોજાશે ચૂંટણી


ઈલેક્શન કમિશને પણ સત્તાવાર રીતે કોઈ તારીખ કે કેટલા તબક્કામાં ચૂંટણી યોજાશે તે અંગે નિર્ણય લીધો નથી. જો કે એવું માનવામાં આવી રહ્યું છે કે વર્ષ 2024ની લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં થઈ શકે છે. તેની સંભાવના એટલા માટે વ્યક્ત કરવામા આવી રહી છે કેમ કે વર્ષ 2019માં પણ 7 તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મે મહિનામાં ચૂંટણીના પરિણામો પણ આવી શકે છે.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.