રેલવે વિભાગ ઉંઘમાંથી ક્યારે બહાર આવશે? Andhra Pradesh Train Accident બાદ વિપક્ષે પૂછ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-10-30 10:04:57

રવિવાર સાંજે આંધ્રપ્રદેશમાં એક ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી જેમાં 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ મૃત્યુઆંક હજી વધી પણ શકે છે તેવી સંભાવના પૂરેપૂરી છે. ભારતમાં આવો ટ્રેન અકસ્માત પહેલી વખત નથી થયો. અનેક એવા ટ્રેન અકસ્માત થયા છે જે ભીષણ છે, અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક ભીષણ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનાને પગલે વિપક્ષે સરકારને ઘેરી છે. અનેક રાજનેતાઓએ આ ઘટનાને સઈ ટ્વિટ કરી છે, અને સરકારને સવાલ પૂછ્યા છે.

દુર્ઘટનામાંથી નથી લેવાતો બોધપાઠ  

આપણે ત્યાં જ્યારે જ્યારે કોઈ અકસ્માત સર્જાય છે તે બાદ એક-બે દિવસ સુધી એ દુર્ઘટનાને યાદ રાખીએ છીએ. શોક વ્યક્ત કરીએ છીએ વગરે વગેરે.. દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની ચર્ચા કરીએ છીએ. શું કર્યું હોત તો આ દુર્ઘટના ના સર્જાઈ હોત તેવી વાતો સામાન્ય માણસ કરતા હોય છે. કદાચ આવી વાતો કેન્દ્રીય મંત્રીઓ પણ કરતા હશે. અકસ્માત કયા કારણોસર સર્જાય છે તે જાણવા માટે કમિટીની રચના કરવામાં આવે છે, તે મામલે તપાસ થાય છે, રિપોર્ટ સોંપવામાં આવે છે પરંતુ તે બાદ કાર્યવાહી નથી કરવામાં આવતી... આગળ જે દુર્ઘટના સર્જાઈ હોય છે તેમાંથી કોઈ બોધપાઠ નથી લેવામાં આવતો . 


ઓડિશામાં સર્જાયો હતો આવો જ ભીષણ ટ્રેન અકસ્માત

આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આવો જ એક અકસ્માત થોડા સમય પહેલા ઓડિશામાં સર્જાયો હતો. ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે વખતે પણ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ કરવામાં આવી હશે, આવી દુર્ઘટનાઓને કેવી રીતે ટાળવી તે અંગે ચર્ચા કરવામાં આવી હશે પરંતુ તે બધાનું પરિણામ શું આવ્યું? ફરી એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 13 લોકોના મોત તો થઈ ગયા છે અને આ આંકડો વધશે તેવી પૂરેપૂરી સંભાવના છે. 

મમતા બેનર્જીએ રેલવે વિભાગને પૂછ્યા આ સવાલ

આ વાતને લઈ વિપક્ષ દ્વારા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક રાજનેતાઓએ આ દુર્ઘટનાને પગલે દુખ વ્યક્ત કર્યું છે અને સરકારને સવાલ પણ પૂછ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ પૂછ્યો છે કે રેલવે વિભાગ ઉંઘથી ક્યારે બહાર આવશે? તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ દુર્ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે...   



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે