રેલવે વિભાગ ઉંઘમાંથી ક્યારે બહાર આવશે? Andhra Pradesh Train Accident બાદ વિપક્ષે પૂછ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-10-30 10:04:57

રવિવાર સાંજે આંધ્રપ્રદેશમાં એક ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી જેમાં 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ મૃત્યુઆંક હજી વધી પણ શકે છે તેવી સંભાવના પૂરેપૂરી છે. ભારતમાં આવો ટ્રેન અકસ્માત પહેલી વખત નથી થયો. અનેક એવા ટ્રેન અકસ્માત થયા છે જે ભીષણ છે, અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક ભીષણ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનાને પગલે વિપક્ષે સરકારને ઘેરી છે. અનેક રાજનેતાઓએ આ ઘટનાને સઈ ટ્વિટ કરી છે, અને સરકારને સવાલ પૂછ્યા છે.

દુર્ઘટનામાંથી નથી લેવાતો બોધપાઠ  

આપણે ત્યાં જ્યારે જ્યારે કોઈ અકસ્માત સર્જાય છે તે બાદ એક-બે દિવસ સુધી એ દુર્ઘટનાને યાદ રાખીએ છીએ. શોક વ્યક્ત કરીએ છીએ વગરે વગેરે.. દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની ચર્ચા કરીએ છીએ. શું કર્યું હોત તો આ દુર્ઘટના ના સર્જાઈ હોત તેવી વાતો સામાન્ય માણસ કરતા હોય છે. કદાચ આવી વાતો કેન્દ્રીય મંત્રીઓ પણ કરતા હશે. અકસ્માત કયા કારણોસર સર્જાય છે તે જાણવા માટે કમિટીની રચના કરવામાં આવે છે, તે મામલે તપાસ થાય છે, રિપોર્ટ સોંપવામાં આવે છે પરંતુ તે બાદ કાર્યવાહી નથી કરવામાં આવતી... આગળ જે દુર્ઘટના સર્જાઈ હોય છે તેમાંથી કોઈ બોધપાઠ નથી લેવામાં આવતો . 


ઓડિશામાં સર્જાયો હતો આવો જ ભીષણ ટ્રેન અકસ્માત

આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આવો જ એક અકસ્માત થોડા સમય પહેલા ઓડિશામાં સર્જાયો હતો. ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે વખતે પણ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ કરવામાં આવી હશે, આવી દુર્ઘટનાઓને કેવી રીતે ટાળવી તે અંગે ચર્ચા કરવામાં આવી હશે પરંતુ તે બધાનું પરિણામ શું આવ્યું? ફરી એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 13 લોકોના મોત તો થઈ ગયા છે અને આ આંકડો વધશે તેવી પૂરેપૂરી સંભાવના છે. 

મમતા બેનર્જીએ રેલવે વિભાગને પૂછ્યા આ સવાલ

આ વાતને લઈ વિપક્ષ દ્વારા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક રાજનેતાઓએ આ દુર્ઘટનાને પગલે દુખ વ્યક્ત કર્યું છે અને સરકારને સવાલ પણ પૂછ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ પૂછ્યો છે કે રેલવે વિભાગ ઉંઘથી ક્યારે બહાર આવશે? તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ દુર્ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે...   



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .