રેલવે વિભાગ ઉંઘમાંથી ક્યારે બહાર આવશે? Andhra Pradesh Train Accident બાદ વિપક્ષે પૂછ્યા સવાલ


  • Published By :
  • Published Date : 2023-10-30 10:04:57

રવિવાર સાંજે આંધ્રપ્રદેશમાં એક ભીષણ ટ્રેન અકસ્માત સર્જાયો હતો. બે ટ્રેન એકબીજા સાથે અથડાઈ હતી જેમાં 13 જેટલા લોકોના મોત થઈ ગયા છે. આ મૃત્યુઆંક હજી વધી પણ શકે છે તેવી સંભાવના પૂરેપૂરી છે. ભારતમાં આવો ટ્રેન અકસ્માત પહેલી વખત નથી થયો. અનેક એવા ટ્રેન અકસ્માત થયા છે જે ભીષણ છે, અનેક લોકોના મોત થયા છે. ત્યારે વધુ એક ભીષણ અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનાને પગલે વિપક્ષે સરકારને ઘેરી છે. અનેક રાજનેતાઓએ આ ઘટનાને સઈ ટ્વિટ કરી છે, અને સરકારને સવાલ પૂછ્યા છે.

દુર્ઘટનામાંથી નથી લેવાતો બોધપાઠ  

આપણે ત્યાં જ્યારે જ્યારે કોઈ અકસ્માત સર્જાય છે તે બાદ એક-બે દિવસ સુધી એ દુર્ઘટનાને યાદ રાખીએ છીએ. શોક વ્યક્ત કરીએ છીએ વગરે વગેરે.. દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગેની ચર્ચા કરીએ છીએ. શું કર્યું હોત તો આ દુર્ઘટના ના સર્જાઈ હોત તેવી વાતો સામાન્ય માણસ કરતા હોય છે. કદાચ આવી વાતો કેન્દ્રીય મંત્રીઓ પણ કરતા હશે. અકસ્માત કયા કારણોસર સર્જાય છે તે જાણવા માટે કમિટીની રચના કરવામાં આવે છે, તે મામલે તપાસ થાય છે, રિપોર્ટ સોંપવામાં આવે છે પરંતુ તે બાદ કાર્યવાહી નથી કરવામાં આવતી... આગળ જે દુર્ઘટના સર્જાઈ હોય છે તેમાંથી કોઈ બોધપાઠ નથી લેવામાં આવતો . 


ઓડિશામાં સર્જાયો હતો આવો જ ભીષણ ટ્રેન અકસ્માત

આ વાત એટલા માટે કરવામાં આવી રહી છે કારણ કે આવો જ એક અકસ્માત થોડા સમય પહેલા ઓડિશામાં સર્જાયો હતો. ટ્રેનો વચ્ચે ટક્કર થઈ હતી અને અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તે વખતે પણ દુર્ઘટના કેવી રીતે સર્જાઈ તેની તપાસ કરવામાં આવી હશે, આવી દુર્ઘટનાઓને કેવી રીતે ટાળવી તે અંગે ચર્ચા કરવામાં આવી હશે પરંતુ તે બધાનું પરિણામ શું આવ્યું? ફરી એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે જેમાં 13 લોકોના મોત તો થઈ ગયા છે અને આ આંકડો વધશે તેવી પૂરેપૂરી સંભાવના છે. 

મમતા બેનર્જીએ રેલવે વિભાગને પૂછ્યા આ સવાલ

આ વાતને લઈ વિપક્ષ દ્વારા પણ પ્રશ્ન પૂછવામાં આવ્યા છે. મમતા બેનર્જી, અરવિંદ કેજરીવાલ સહિત અનેક રાજનેતાઓએ આ દુર્ઘટનાને પગલે દુખ વ્યક્ત કર્યું છે અને સરકારને સવાલ પણ પૂછ્યો છે. પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સવાલ પૂછ્યો છે કે રેલવે વિભાગ ઉંઘથી ક્યારે બહાર આવશે? તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ આ દુર્ઘટનાને લઈ દુખ વ્યક્ત કર્યું છે...   



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.