Gujaratના દરિયાકિનારા પર આવતા માદક પદાર્થો ક્યાં પહોંચે છે? કેન્દ્ર સરકારના આ આંકડા તમને ચોંકાવી દેશે!


  • Published By :
  • Published Date : 2023-08-11 12:32:48

ગુજરાતના દરિયા કિનારે બંદરો મારફતે ડ્રગ્સ આવે છે એ વાતને ગુજરાત પોલીસ કે બીજી કોઈ કેન્દ્રની મોટી સંસ્થાઓ નકારી ન શકે. હવે ગુજરાતમાં આવે છે તો ત્યાંથી ક્યાંક જતું તો હશે ને તો પહેલા ક્યાં જતું હતું એ ખબર ન હતી પણ હવે ગુજરાતમાં ને ગુજરાતમાં જ ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું છે. એક આંકડો સામે આવ્યો છે કે ગુજરાતમાં લગભગ 20 લાખ લોકો ડ્રગ્સ લે છે. 


ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સ લે છે!

કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ડ્રગ્સ મામલે આ અહેવાલ જાહેર કર્યો છે. એનડીડીટીસી એઈમ્સ મારફતે આ અહેવાલ બનાવવામાં આવ્યો હતો અને પછી મંત્રાલય દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સ મામલે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સ લે છે એમાં 11.75 લાખ લોકો ગાંજો અને અફિણ લે છે. અફિણમાં પણ વિભાજન કરીએ તો 10.27 લાખ પુરુષો અને 1.48 લાખ મહિલાઓ અફિણનું સેવન કરે છે. ગાંજાની વાત કરીએ તો 2.36 લાખ પુરુષો અને 1.49 લાખ મહિલાઓ ગાંજો ફૂંકે છે. આ આંકડાઓ સમજીએ તો સંખ્યાના આધારે ચોખ્ખી ખબર પડે છે કે ગુજરાતમાં ગાંજો ઓછો ફૂંકાય છે પણ તેની સરખામણીએ અફિણ વધારે પીવાય છે. 


સરહદ પરથી સુરક્ષા બળોએ પકડી પાડ્યું ડ્રગ્સ 

એક ચમચી એક ડ્રગ્સની કિંમત પણ લાખો રૂપિયામાં હોય છે તો વિચાર કરો ચાર વર્ષમાં કચ્છની સરહદ પર 200 કિલો ગ્રામ ડ્રગ્સ ભારત પાકિસ્તાનની સરહદ પરથી સરહદ સુરક્ષા દળે પકડી પાડ્યું છે. આ આંકડાઓની વાત કરીએ તો 2020માં 69 કિલોગ્રામ, 2021માં 31 કિલોગ્રામ, 2022માં 65 કિલોગ્રામ અને આ વર્ષે જૂન સુધીમાં 36 કિલોગ્રામ ચરસ બોર્ડર સિક્યોરિટી ફોર્સે પકડી લીધું છે. હેરોઈનની વાત કરીએ તો કચ્છની સરહદ પર 2021માં 1 કિલોગ્રામ, 2022માં 49 કિલોગ્રામ અને 2023માં 6 કિલોગ્રામ હેરોઈન પકડી લેવામાં આવ્યું છે. 


ગુજરાતમાં આટલા લાખ લોકો કરે છે સિડેટિવનું સેવન 

અંગ્રેજીમાં એક શબ્દ છે જેનું નામ છે સિડેટિવ. આ શબ્દનો અર્થ થાય છે કે એવી વસ્તુ જે તમારી મગજની કામગીરીને સાવ ઢીલું ઢપ્પ કરી દે છે. આ સિડેટિવ્સનો સ્વાદ પણ ગુજરાતના લોકો કાઠિયાવાડી થાળીની જેમ માણે છે. ગુજરાતમાં 6.59 લાખ પુરુષો અને 33 હજાર મહિલાઓ સિડેટિવ્સનું સેવન કરે છે. આનો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં સૌથી બીજા નંબરનું મનપસંદ માદક પદાર્થ હોય તો એ સિડેટિવ્સ છે. આમ ત્રીજા નંબરનું સૌથી વધુ માદક પદાર્થનું સેવન થતું હોય તો એ ગાંજો છે. ગુજરાતમાં 2.36 લાખ પૂરુષો ગાંજાની જોઈન્ટ લગાવે છે અને દોઢ લાખ મહિલાઓ પણ ગાંજો ફૂંકે છે. ગુજરાતમાં સૌથી વધારે અફિણ, પછી સીડેટિવ્સ, પછી ગાંજો, પછી હેલ્લુસિનોજેન્સ, એટીએસ, ઈન્હેલન્ટ્સ અને કોકેઈન પણ માણવામાં આવે છે. અને આ બધા આંકડા ખુદ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના 2018ના અહેવાલના છે. 


દરિયાકિનારાથી ગુજરાતમાં પહોંચતા માદક પદાર્થને આવતા રોકવા જરૂરી

ટૂંકમાં અમારે આ સંદેશ આપવો છે કે દરિયાકિનારાથી પહોંચતો માદક પદાર્થ હવે ગુજરાતના યુવાનો પણ માણી રહ્યા છે જે આપણા માટે એક ગંભીર બાબત છે કારણ કે એક સમયે અંગ્રેજોએ ચીનવાળાઓને અફિણ પીવડાવી પીવડાવીને ખલાસ કરી દીધું હતું. આનાઆના કારણે ચીનને ભારે ફટકો પડ્યો હતો આપણને આમ ન સમજાય પણ આ બધી વસ્તુની અસર અર્થતંત્ર પર પડે છે. લોકો કામ જ નહીં કરે અને ગાંજો ફૂંકે રાખશે કે ડ્રગ્સ લીધે રાખશે તો ગુજરાત અને દેશ બરબાદ થઈ જશે.




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.