Gujaratના દરિયાકિનારા પર આવતા માદક પદાર્થો ક્યાં પહોંચે છે? કેન્દ્ર સરકારના આ આંકડા તમને ચોંકાવી દેશે!


  • Published By :
  • Published Date : 2023-08-11 12:32:48

ગુજરાતના દરિયા કિનારે બંદરો મારફતે ડ્રગ્સ આવે છે એ વાતને ગુજરાત પોલીસ કે બીજી કોઈ કેન્દ્રની મોટી સંસ્થાઓ નકારી ન શકે. હવે ગુજરાતમાં આવે છે તો ત્યાંથી ક્યાંક જતું તો હશે ને તો પહેલા ક્યાં જતું હતું એ ખબર ન હતી પણ હવે ગુજરાતમાં ને ગુજરાતમાં જ ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું છે. એક આંકડો સામે આવ્યો છે કે ગુજરાતમાં લગભગ 20 લાખ લોકો ડ્રગ્સ લે છે. 


ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સ લે છે!

કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ડ્રગ્સ મામલે આ અહેવાલ જાહેર કર્યો છે. એનડીડીટીસી એઈમ્સ મારફતે આ અહેવાલ બનાવવામાં આવ્યો હતો અને પછી મંત્રાલય દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સ મામલે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સ લે છે એમાં 11.75 લાખ લોકો ગાંજો અને અફિણ લે છે. અફિણમાં પણ વિભાજન કરીએ તો 10.27 લાખ પુરુષો અને 1.48 લાખ મહિલાઓ અફિણનું સેવન કરે છે. ગાંજાની વાત કરીએ તો 2.36 લાખ પુરુષો અને 1.49 લાખ મહિલાઓ ગાંજો ફૂંકે છે. આ આંકડાઓ સમજીએ તો સંખ્યાના આધારે ચોખ્ખી ખબર પડે છે કે ગુજરાતમાં ગાંજો ઓછો ફૂંકાય છે પણ તેની સરખામણીએ અફિણ વધારે પીવાય છે. 


સરહદ પરથી સુરક્ષા બળોએ પકડી પાડ્યું ડ્રગ્સ 

એક ચમચી એક ડ્રગ્સની કિંમત પણ લાખો રૂપિયામાં હોય છે તો વિચાર કરો ચાર વર્ષમાં કચ્છની સરહદ પર 200 કિલો ગ્રામ ડ્રગ્સ ભારત પાકિસ્તાનની સરહદ પરથી સરહદ સુરક્ષા દળે પકડી પાડ્યું છે. આ આંકડાઓની વાત કરીએ તો 2020માં 69 કિલોગ્રામ, 2021માં 31 કિલોગ્રામ, 2022માં 65 કિલોગ્રામ અને આ વર્ષે જૂન સુધીમાં 36 કિલોગ્રામ ચરસ બોર્ડર સિક્યોરિટી ફોર્સે પકડી લીધું છે. હેરોઈનની વાત કરીએ તો કચ્છની સરહદ પર 2021માં 1 કિલોગ્રામ, 2022માં 49 કિલોગ્રામ અને 2023માં 6 કિલોગ્રામ હેરોઈન પકડી લેવામાં આવ્યું છે. 


ગુજરાતમાં આટલા લાખ લોકો કરે છે સિડેટિવનું સેવન 

અંગ્રેજીમાં એક શબ્દ છે જેનું નામ છે સિડેટિવ. આ શબ્દનો અર્થ થાય છે કે એવી વસ્તુ જે તમારી મગજની કામગીરીને સાવ ઢીલું ઢપ્પ કરી દે છે. આ સિડેટિવ્સનો સ્વાદ પણ ગુજરાતના લોકો કાઠિયાવાડી થાળીની જેમ માણે છે. ગુજરાતમાં 6.59 લાખ પુરુષો અને 33 હજાર મહિલાઓ સિડેટિવ્સનું સેવન કરે છે. આનો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં સૌથી બીજા નંબરનું મનપસંદ માદક પદાર્થ હોય તો એ સિડેટિવ્સ છે. આમ ત્રીજા નંબરનું સૌથી વધુ માદક પદાર્થનું સેવન થતું હોય તો એ ગાંજો છે. ગુજરાતમાં 2.36 લાખ પૂરુષો ગાંજાની જોઈન્ટ લગાવે છે અને દોઢ લાખ મહિલાઓ પણ ગાંજો ફૂંકે છે. ગુજરાતમાં સૌથી વધારે અફિણ, પછી સીડેટિવ્સ, પછી ગાંજો, પછી હેલ્લુસિનોજેન્સ, એટીએસ, ઈન્હેલન્ટ્સ અને કોકેઈન પણ માણવામાં આવે છે. અને આ બધા આંકડા ખુદ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના 2018ના અહેવાલના છે. 


દરિયાકિનારાથી ગુજરાતમાં પહોંચતા માદક પદાર્થને આવતા રોકવા જરૂરી

ટૂંકમાં અમારે આ સંદેશ આપવો છે કે દરિયાકિનારાથી પહોંચતો માદક પદાર્થ હવે ગુજરાતના યુવાનો પણ માણી રહ્યા છે જે આપણા માટે એક ગંભીર બાબત છે કારણ કે એક સમયે અંગ્રેજોએ ચીનવાળાઓને અફિણ પીવડાવી પીવડાવીને ખલાસ કરી દીધું હતું. આનાઆના કારણે ચીનને ભારે ફટકો પડ્યો હતો આપણને આમ ન સમજાય પણ આ બધી વસ્તુની અસર અર્થતંત્ર પર પડે છે. લોકો કામ જ નહીં કરે અને ગાંજો ફૂંકે રાખશે કે ડ્રગ્સ લીધે રાખશે તો ગુજરાત અને દેશ બરબાદ થઈ જશે.




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.