Gujaratના દરિયાકિનારા પર આવતા માદક પદાર્થો ક્યાં પહોંચે છે? કેન્દ્ર સરકારના આ આંકડા તમને ચોંકાવી દેશે!


  • Published By :
  • Published Date : 2023-08-11 12:32:48

ગુજરાતના દરિયા કિનારે બંદરો મારફતે ડ્રગ્સ આવે છે એ વાતને ગુજરાત પોલીસ કે બીજી કોઈ કેન્દ્રની મોટી સંસ્થાઓ નકારી ન શકે. હવે ગુજરાતમાં આવે છે તો ત્યાંથી ક્યાંક જતું તો હશે ને તો પહેલા ક્યાં જતું હતું એ ખબર ન હતી પણ હવે ગુજરાતમાં ને ગુજરાતમાં જ ડ્રગ્સનું સેવન કરવામાં આવી રહ્યું છે. એક આંકડો સામે આવ્યો છે કે ગુજરાતમાં લગભગ 20 લાખ લોકો ડ્રગ્સ લે છે. 


ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સ લે છે!

કેન્દ્રના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય દ્વારા ડ્રગ્સ મામલે આ અહેવાલ જાહેર કર્યો છે. એનડીડીટીસી એઈમ્સ મારફતે આ અહેવાલ બનાવવામાં આવ્યો હતો અને પછી મંત્રાલય દ્વારા પણ મદદ કરવામાં આવી હતી. જેમાં ડ્રગ્સ મામલે ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં 20 લાખ લોકો ડ્રગ્સ લે છે એમાં 11.75 લાખ લોકો ગાંજો અને અફિણ લે છે. અફિણમાં પણ વિભાજન કરીએ તો 10.27 લાખ પુરુષો અને 1.48 લાખ મહિલાઓ અફિણનું સેવન કરે છે. ગાંજાની વાત કરીએ તો 2.36 લાખ પુરુષો અને 1.49 લાખ મહિલાઓ ગાંજો ફૂંકે છે. આ આંકડાઓ સમજીએ તો સંખ્યાના આધારે ચોખ્ખી ખબર પડે છે કે ગુજરાતમાં ગાંજો ઓછો ફૂંકાય છે પણ તેની સરખામણીએ અફિણ વધારે પીવાય છે. 


સરહદ પરથી સુરક્ષા બળોએ પકડી પાડ્યું ડ્રગ્સ 

એક ચમચી એક ડ્રગ્સની કિંમત પણ લાખો રૂપિયામાં હોય છે તો વિચાર કરો ચાર વર્ષમાં કચ્છની સરહદ પર 200 કિલો ગ્રામ ડ્રગ્સ ભારત પાકિસ્તાનની સરહદ પરથી સરહદ સુરક્ષા દળે પકડી પાડ્યું છે. આ આંકડાઓની વાત કરીએ તો 2020માં 69 કિલોગ્રામ, 2021માં 31 કિલોગ્રામ, 2022માં 65 કિલોગ્રામ અને આ વર્ષે જૂન સુધીમાં 36 કિલોગ્રામ ચરસ બોર્ડર સિક્યોરિટી ફોર્સે પકડી લીધું છે. હેરોઈનની વાત કરીએ તો કચ્છની સરહદ પર 2021માં 1 કિલોગ્રામ, 2022માં 49 કિલોગ્રામ અને 2023માં 6 કિલોગ્રામ હેરોઈન પકડી લેવામાં આવ્યું છે. 


ગુજરાતમાં આટલા લાખ લોકો કરે છે સિડેટિવનું સેવન 

અંગ્રેજીમાં એક શબ્દ છે જેનું નામ છે સિડેટિવ. આ શબ્દનો અર્થ થાય છે કે એવી વસ્તુ જે તમારી મગજની કામગીરીને સાવ ઢીલું ઢપ્પ કરી દે છે. આ સિડેટિવ્સનો સ્વાદ પણ ગુજરાતના લોકો કાઠિયાવાડી થાળીની જેમ માણે છે. ગુજરાતમાં 6.59 લાખ પુરુષો અને 33 હજાર મહિલાઓ સિડેટિવ્સનું સેવન કરે છે. આનો મતલબ એવો થાય છે કે ગુજરાતમાં સૌથી બીજા નંબરનું મનપસંદ માદક પદાર્થ હોય તો એ સિડેટિવ્સ છે. આમ ત્રીજા નંબરનું સૌથી વધુ માદક પદાર્થનું સેવન થતું હોય તો એ ગાંજો છે. ગુજરાતમાં 2.36 લાખ પૂરુષો ગાંજાની જોઈન્ટ લગાવે છે અને દોઢ લાખ મહિલાઓ પણ ગાંજો ફૂંકે છે. ગુજરાતમાં સૌથી વધારે અફિણ, પછી સીડેટિવ્સ, પછી ગાંજો, પછી હેલ્લુસિનોજેન્સ, એટીએસ, ઈન્હેલન્ટ્સ અને કોકેઈન પણ માણવામાં આવે છે. અને આ બધા આંકડા ખુદ કેન્દ્ર સરકારના સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયના 2018ના અહેવાલના છે. 


દરિયાકિનારાથી ગુજરાતમાં પહોંચતા માદક પદાર્થને આવતા રોકવા જરૂરી

ટૂંકમાં અમારે આ સંદેશ આપવો છે કે દરિયાકિનારાથી પહોંચતો માદક પદાર્થ હવે ગુજરાતના યુવાનો પણ માણી રહ્યા છે જે આપણા માટે એક ગંભીર બાબત છે કારણ કે એક સમયે અંગ્રેજોએ ચીનવાળાઓને અફિણ પીવડાવી પીવડાવીને ખલાસ કરી દીધું હતું. આનાઆના કારણે ચીનને ભારે ફટકો પડ્યો હતો આપણને આમ ન સમજાય પણ આ બધી વસ્તુની અસર અર્થતંત્ર પર પડે છે. લોકો કામ જ નહીં કરે અને ગાંજો ફૂંકે રાખશે કે ડ્રગ્સ લીધે રાખશે તો ગુજરાત અને દેશ બરબાદ થઈ જશે.




ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી