Chhotaudepurની સરહદો જ્યાં શરુ થાય છે, ત્યાં વિકાસની સરહદો પૂરી થઈ જાય છે! વિકાસની વાતો કરતા પહેલા નેતાઓએ જોવા જોઈએ આ દ્રશ્યો...


  • Published By :
  • Published Date : 2023-08-12 14:13:09

જ્યારે જ્યારે દેશમાં થયેલા વિકાસની વાતો કરવામાં આવે ત્યારે ત્યારે ગુજરાતના વિકાસ મોડલને ઉદાહરણ તરીકે પેશ કરવામાં આવે છે. ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ ગામડાથી અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે આ વાતને ખોટા સાબિત કરતા હોય છે. અંતરિયાળ વિસ્તારથી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેને જોઈને આપણને વિચાર આવે કે આ ગુજરાતનો ભાગ છે? અમે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે છોટાઉદેપુરથી એક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં 108ની સુવિધા ન મળવાને કારણે સગર્ભાને ખાટલામાં બેસાડી જ્યાં એમ્બ્યુલન્સ આવી શકે તે જગ્યાએ તેને પહોંચાડવામાં આવી હતી. 

રસ્તાની સમસ્યાની કારણે ખાટલામાં લઈ જવાય છે સગર્ભાને 

અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે માત્ર શહેરોનો જ વિકાસ કરી દેવાથી આખા ગુજરાતનો વિકાસ થઈ ગયો હોય તેવું કહેવું ખોટું છે. ગામડાઓ આજે પણ વિકાસની ઝંખના કરે છે. અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે, જેમાં રસ્તો ન હોવાને કારણે શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરતા હોય છે. તો કોઈ આરોગ્યની સુવિધા મેળવવા માટે સંઘર્ષ કરતા હોય છે. ત્યારે છોટાઉદેપુરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સર્ગભાને ખાટલામાં બેસાડી લઈ જવામાં આવી રહી છે. પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડી ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા.


પાકો રસ્તો ન હોવાને કારણે નથી પહોંચતી 108ની સુવિધા  

અનેક વખત આપણે ટીકા કરતા હોઈએ છીએ કે સારો રસ્તા નથી, સારો રસ્તાઓ મેળવવાનો અધિકાર દરેક નાગરિક છે. પરંતુ તે લોકોનું શું જ્યાં સારા રસ્તો તો ઠીક પણ પાકો રસ્તો જ ન હોય? ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાકો રસ્તો ન હોવાને કારણે, અનેક પ્રાથમિક સુવિધાઓ તેમના સુધી નથી પહોંચતી. ત્યારે પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડી ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા. પાવીજેતપુરમાં કોઈ પાકા રસ્તા જ નથી જેના કારણે સગર્ભા મહિલાને 108 સુધી પહોંચાડવી મુશ્કીલ હતી. 

વિકાસની વાતો કરતા પહેલા વિચારજો વિકાસ માટે ઝંખતા ગામડાઓને  

સરકાર વિકાસની વાતો કરે છે જ્યારે, ત્યારે એક વાર એવા ગામડાઓની મુલાકાત લે જ્યાં આવી પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડતો હોય છે. વાત માત્ર છોટાઉદેપુરની નથી પરંતુ એવા અંતરિયાળ વિસ્તારની છે જ્યાં વિકાસ પહોંચ્યો જ નથી. ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારે છે. જ્યારે પણ સરકારી અધિકારીઓ, મંત્રીઓ વિકાસ ગાથાની વાતો કરે ત્યારે આવા ગામોને યાદ કરજો જ્યાં દર્દીને આવી રીતે 108 સુધી પહોંચાડવામાં આવે છે. સત્તાધીશોને યાદ રાખવું પડશે કે આ લોકો પણ વિકાસના એટલા જ હકદાર છે જેટલા શહેરના લોકો હોય. છોટા ઉદેપુરમાં રહેતા લોકો પણ ભારતના નાગરિક જ છે. અને એમના સુધી પણ સુવિધા પહોંચવી જોઈએ એ તેમનો અધિકાર છે. અમાદરા ગામના લોકો પાકા રસ્તાની વર્ષોથી માંગ કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સત્તાધીશો સુધી નથી પહોંચતો. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.