Chhotaudepurની સરહદો જ્યાં શરુ થાય છે, ત્યાં વિકાસની સરહદો પૂરી થઈ જાય છે! વિકાસની વાતો કરતા પહેલા નેતાઓએ જોવા જોઈએ આ દ્રશ્યો...


  • Published By :
  • Published Date : 2023-08-12 14:13:09

જ્યારે જ્યારે દેશમાં થયેલા વિકાસની વાતો કરવામાં આવે ત્યારે ત્યારે ગુજરાતના વિકાસ મોડલને ઉદાહરણ તરીકે પેશ કરવામાં આવે છે. ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ ગામડાથી અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે આ વાતને ખોટા સાબિત કરતા હોય છે. અંતરિયાળ વિસ્તારથી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેને જોઈને આપણને વિચાર આવે કે આ ગુજરાતનો ભાગ છે? અમે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે છોટાઉદેપુરથી એક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં 108ની સુવિધા ન મળવાને કારણે સગર્ભાને ખાટલામાં બેસાડી જ્યાં એમ્બ્યુલન્સ આવી શકે તે જગ્યાએ તેને પહોંચાડવામાં આવી હતી. 

રસ્તાની સમસ્યાની કારણે ખાટલામાં લઈ જવાય છે સગર્ભાને 

અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે માત્ર શહેરોનો જ વિકાસ કરી દેવાથી આખા ગુજરાતનો વિકાસ થઈ ગયો હોય તેવું કહેવું ખોટું છે. ગામડાઓ આજે પણ વિકાસની ઝંખના કરે છે. અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે, જેમાં રસ્તો ન હોવાને કારણે શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરતા હોય છે. તો કોઈ આરોગ્યની સુવિધા મેળવવા માટે સંઘર્ષ કરતા હોય છે. ત્યારે છોટાઉદેપુરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સર્ગભાને ખાટલામાં બેસાડી લઈ જવામાં આવી રહી છે. પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડી ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા.


પાકો રસ્તો ન હોવાને કારણે નથી પહોંચતી 108ની સુવિધા  

અનેક વખત આપણે ટીકા કરતા હોઈએ છીએ કે સારો રસ્તા નથી, સારો રસ્તાઓ મેળવવાનો અધિકાર દરેક નાગરિક છે. પરંતુ તે લોકોનું શું જ્યાં સારા રસ્તો તો ઠીક પણ પાકો રસ્તો જ ન હોય? ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાકો રસ્તો ન હોવાને કારણે, અનેક પ્રાથમિક સુવિધાઓ તેમના સુધી નથી પહોંચતી. ત્યારે પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડી ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા. પાવીજેતપુરમાં કોઈ પાકા રસ્તા જ નથી જેના કારણે સગર્ભા મહિલાને 108 સુધી પહોંચાડવી મુશ્કીલ હતી. 

વિકાસની વાતો કરતા પહેલા વિચારજો વિકાસ માટે ઝંખતા ગામડાઓને  

સરકાર વિકાસની વાતો કરે છે જ્યારે, ત્યારે એક વાર એવા ગામડાઓની મુલાકાત લે જ્યાં આવી પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડતો હોય છે. વાત માત્ર છોટાઉદેપુરની નથી પરંતુ એવા અંતરિયાળ વિસ્તારની છે જ્યાં વિકાસ પહોંચ્યો જ નથી. ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારે છે. જ્યારે પણ સરકારી અધિકારીઓ, મંત્રીઓ વિકાસ ગાથાની વાતો કરે ત્યારે આવા ગામોને યાદ કરજો જ્યાં દર્દીને આવી રીતે 108 સુધી પહોંચાડવામાં આવે છે. સત્તાધીશોને યાદ રાખવું પડશે કે આ લોકો પણ વિકાસના એટલા જ હકદાર છે જેટલા શહેરના લોકો હોય. છોટા ઉદેપુરમાં રહેતા લોકો પણ ભારતના નાગરિક જ છે. અને એમના સુધી પણ સુવિધા પહોંચવી જોઈએ એ તેમનો અધિકાર છે. અમાદરા ગામના લોકો પાકા રસ્તાની વર્ષોથી માંગ કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સત્તાધીશો સુધી નથી પહોંચતો. 



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.