Chhotaudepurની સરહદો જ્યાં શરુ થાય છે, ત્યાં વિકાસની સરહદો પૂરી થઈ જાય છે! વિકાસની વાતો કરતા પહેલા નેતાઓએ જોવા જોઈએ આ દ્રશ્યો...


  • Published By :
  • Published Date : 2023-08-12 14:13:09

જ્યારે જ્યારે દેશમાં થયેલા વિકાસની વાતો કરવામાં આવે ત્યારે ત્યારે ગુજરાતના વિકાસ મોડલને ઉદાહરણ તરીકે પેશ કરવામાં આવે છે. ગુજરાતને વિકાસશીલ ગુજરાત કહેવામાં આવે છે, પરંતુ ગામડાથી અનેક એવા દ્રશ્યો સામે આવતા હોય છે જે આ વાતને ખોટા સાબિત કરતા હોય છે. અંતરિયાળ વિસ્તારથી અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે જેને જોઈને આપણને વિચાર આવે કે આ ગુજરાતનો ભાગ છે? અમે આ વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે છોટાઉદેપુરથી એક દ્રશ્યો સામે આવ્યા હતા જેમાં 108ની સુવિધા ન મળવાને કારણે સગર્ભાને ખાટલામાં બેસાડી જ્યાં એમ્બ્યુલન્સ આવી શકે તે જગ્યાએ તેને પહોંચાડવામાં આવી હતી. 

રસ્તાની સમસ્યાની કારણે ખાટલામાં લઈ જવાય છે સગર્ભાને 

અનેક વખત અમે કહેતા હોઈએ છીએ કે માત્ર શહેરોનો જ વિકાસ કરી દેવાથી આખા ગુજરાતનો વિકાસ થઈ ગયો હોય તેવું કહેવું ખોટું છે. ગામડાઓ આજે પણ વિકાસની ઝંખના કરે છે. અનેક વખત એવા દ્રશ્યો સામે આવતા હોય છે, જેમાં રસ્તો ન હોવાને કારણે શાળામાં ભણવા માટે વિદ્યાર્થીઓ સંઘર્ષ કરતા હોય છે. તો કોઈ આરોગ્યની સુવિધા મેળવવા માટે સંઘર્ષ કરતા હોય છે. ત્યારે છોટાઉદેપુરથી એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં સર્ગભાને ખાટલામાં બેસાડી લઈ જવામાં આવી રહી છે. પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડી ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા.


પાકો રસ્તો ન હોવાને કારણે નથી પહોંચતી 108ની સુવિધા  

અનેક વખત આપણે ટીકા કરતા હોઈએ છીએ કે સારો રસ્તા નથી, સારો રસ્તાઓ મેળવવાનો અધિકાર દરેક નાગરિક છે. પરંતુ તે લોકોનું શું જ્યાં સારા રસ્તો તો ઠીક પણ પાકો રસ્તો જ ન હોય? ગુજરાતના અનેક અંતરિયાળ વિસ્તાર એવા છે જ્યાં પાકો રસ્તો ન હોવાને કારણે, અનેક પ્રાથમિક સુવિધાઓ તેમના સુધી નથી પહોંચતી. ત્યારે પાવીજેતપુર તાલુકાના મોટા અમાદરા ગામે રસ્તાના અભાવે સગર્ભા મહિલાને ખાટલામાં બેસાડી ૨ કિમી સુધી ઊંચકી ૧૦૮ સુધી પહોંચાડ્યા હતા. પાવીજેતપુરમાં કોઈ પાકા રસ્તા જ નથી જેના કારણે સગર્ભા મહિલાને 108 સુધી પહોંચાડવી મુશ્કીલ હતી. 

વિકાસની વાતો કરતા પહેલા વિચારજો વિકાસ માટે ઝંખતા ગામડાઓને  

સરકાર વિકાસની વાતો કરે છે જ્યારે, ત્યારે એક વાર એવા ગામડાઓની મુલાકાત લે જ્યાં આવી પરિસ્થિતિનો સામનો લોકોને કરવો પડતો હોય છે. વાત માત્ર છોટાઉદેપુરની નથી પરંતુ એવા અંતરિયાળ વિસ્તારની છે જ્યાં વિકાસ પહોંચ્યો જ નથી. ગામડાઓ આજે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખા મારે છે. જ્યારે પણ સરકારી અધિકારીઓ, મંત્રીઓ વિકાસ ગાથાની વાતો કરે ત્યારે આવા ગામોને યાદ કરજો જ્યાં દર્દીને આવી રીતે 108 સુધી પહોંચાડવામાં આવે છે. સત્તાધીશોને યાદ રાખવું પડશે કે આ લોકો પણ વિકાસના એટલા જ હકદાર છે જેટલા શહેરના લોકો હોય. છોટા ઉદેપુરમાં રહેતા લોકો પણ ભારતના નાગરિક જ છે. અને એમના સુધી પણ સુવિધા પહોંચવી જોઈએ એ તેમનો અધિકાર છે. અમાદરા ગામના લોકો પાકા રસ્તાની વર્ષોથી માંગ કરી રહ્યા છે પરંતુ તેમનો અવાજ સત્તાધીશો સુધી નથી પહોંચતો. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.