લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ - આમ આદમી પાર્ટી


  • Published By :
  • Published Date : 2022-11-01 10:23:40

એક બાજુ મોરબીમાં જ્યાં લોકો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે તો બીજી તરફ તંત્ર વડાપ્રધાનના આગમનની તૈયારીમાં લાગી ગયું છે. લોકોને મદદ કરવાને બદલે મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગ કામ કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ હોસ્પિટલની મુલાકાત વડાપ્રધાન લેવાના છે. થોડા કલાકો પહેલા જે હોસ્પિટલ બ્લેક એન્ડ વ્યાઈટમાં દેખાતું હતું તે હોસ્પિટલને  અચાનક રંગીન કરી દેવામાં આવ્યું. રાતોરાત કામ હાથ ધરવામાં આવતા, આ વાતનો આમ આદમી પાર્ટીએ આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો. આપે ટ્વિટ કરી લખ્યું કે એકબાજુ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે લોકોને મદદ કરવાના બદલે સમગ્ર તંત્ર સાહેબના સ્વાગતમાં હોસ્પિટલને રંગીન કરવામાં લાગ્યું છે.

 


આમ આદમી પાર્ટીએ ભાજપ પર કર્યા પ્રહાર

મોરબીમાં બનેલી હોનારતને લઈ તમામ લોકો દુખી છે. ભલે દરેક લોકોએ પોતાના સ્વજનોને નથી ગુમાવ્યા પરંતુ આ દર્દ એવું છે જેનો અનુભવ તમામ લોકો કરી શકે છે. મોરબીના લોકો આ સમયે તંત્ર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે ત્યારે તંત્ર લોકોની વ્હારે આવવાને બદલે હોસ્પિટલને ચકાચક કરવામાં લાગી ગયું છે. હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરી દેવામાં આવી છે. કારણ કે વડાપ્રધાન મોરબીની મુલાકાત લેવાના છે. દુ:ખના સમયે તંત્ર પીએમના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. આ વાતને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. 

તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું - આમ આદમી પાર્ટી 

આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે એકબાજપ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. માસુમ બાળકોએ પોતાના આ-બાપ ખોયા છે. ત્યારે લોકોની મદદ કરવાને બદલે સમગ્ર તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું છે. લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ.



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.