લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ - આમ આદમી પાર્ટી


  • Published By :
  • Published Date : 2022-11-01 10:23:40

એક બાજુ મોરબીમાં જ્યાં લોકો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે તો બીજી તરફ તંત્ર વડાપ્રધાનના આગમનની તૈયારીમાં લાગી ગયું છે. લોકોને મદદ કરવાને બદલે મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગ કામ કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ હોસ્પિટલની મુલાકાત વડાપ્રધાન લેવાના છે. થોડા કલાકો પહેલા જે હોસ્પિટલ બ્લેક એન્ડ વ્યાઈટમાં દેખાતું હતું તે હોસ્પિટલને  અચાનક રંગીન કરી દેવામાં આવ્યું. રાતોરાત કામ હાથ ધરવામાં આવતા, આ વાતનો આમ આદમી પાર્ટીએ આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો. આપે ટ્વિટ કરી લખ્યું કે એકબાજુ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે લોકોને મદદ કરવાના બદલે સમગ્ર તંત્ર સાહેબના સ્વાગતમાં હોસ્પિટલને રંગીન કરવામાં લાગ્યું છે.

 


આમ આદમી પાર્ટીએ ભાજપ પર કર્યા પ્રહાર

મોરબીમાં બનેલી હોનારતને લઈ તમામ લોકો દુખી છે. ભલે દરેક લોકોએ પોતાના સ્વજનોને નથી ગુમાવ્યા પરંતુ આ દર્દ એવું છે જેનો અનુભવ તમામ લોકો કરી શકે છે. મોરબીના લોકો આ સમયે તંત્ર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે ત્યારે તંત્ર લોકોની વ્હારે આવવાને બદલે હોસ્પિટલને ચકાચક કરવામાં લાગી ગયું છે. હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરી દેવામાં આવી છે. કારણ કે વડાપ્રધાન મોરબીની મુલાકાત લેવાના છે. દુ:ખના સમયે તંત્ર પીએમના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. આ વાતને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. 

તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું - આમ આદમી પાર્ટી 

આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે એકબાજપ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. માસુમ બાળકોએ પોતાના આ-બાપ ખોયા છે. ત્યારે લોકોની મદદ કરવાને બદલે સમગ્ર તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું છે. લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.