લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ - આમ આદમી પાર્ટી


  • Published By :
  • Published Date : 2022-11-01 10:23:40

એક બાજુ મોરબીમાં જ્યાં લોકો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે તો બીજી તરફ તંત્ર વડાપ્રધાનના આગમનની તૈયારીમાં લાગી ગયું છે. લોકોને મદદ કરવાને બદલે મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગ કામ કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ હોસ્પિટલની મુલાકાત વડાપ્રધાન લેવાના છે. થોડા કલાકો પહેલા જે હોસ્પિટલ બ્લેક એન્ડ વ્યાઈટમાં દેખાતું હતું તે હોસ્પિટલને  અચાનક રંગીન કરી દેવામાં આવ્યું. રાતોરાત કામ હાથ ધરવામાં આવતા, આ વાતનો આમ આદમી પાર્ટીએ આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો. આપે ટ્વિટ કરી લખ્યું કે એકબાજુ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે લોકોને મદદ કરવાના બદલે સમગ્ર તંત્ર સાહેબના સ્વાગતમાં હોસ્પિટલને રંગીન કરવામાં લાગ્યું છે.

 


આમ આદમી પાર્ટીએ ભાજપ પર કર્યા પ્રહાર

મોરબીમાં બનેલી હોનારતને લઈ તમામ લોકો દુખી છે. ભલે દરેક લોકોએ પોતાના સ્વજનોને નથી ગુમાવ્યા પરંતુ આ દર્દ એવું છે જેનો અનુભવ તમામ લોકો કરી શકે છે. મોરબીના લોકો આ સમયે તંત્ર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે ત્યારે તંત્ર લોકોની વ્હારે આવવાને બદલે હોસ્પિટલને ચકાચક કરવામાં લાગી ગયું છે. હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરી દેવામાં આવી છે. કારણ કે વડાપ્રધાન મોરબીની મુલાકાત લેવાના છે. દુ:ખના સમયે તંત્ર પીએમના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. આ વાતને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. 

તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું - આમ આદમી પાર્ટી 

આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે એકબાજપ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. માસુમ બાળકોએ પોતાના આ-બાપ ખોયા છે. ત્યારે લોકોની મદદ કરવાને બદલે સમગ્ર તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું છે. લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ.



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.