લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ - આમ આદમી પાર્ટી


  • Published By :
  • Published Date : 2022-11-01 10:23:40

એક બાજુ મોરબીમાં જ્યાં લોકો પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે તો બીજી તરફ તંત્ર વડાપ્રધાનના આગમનની તૈયારીમાં લાગી ગયું છે. લોકોને મદદ કરવાને બદલે મોરબી સિવિલ હોસ્પિટલમાં રંગ કામ કરવામાં આવી રહ્યું છે. કારણ કે આ હોસ્પિટલની મુલાકાત વડાપ્રધાન લેવાના છે. થોડા કલાકો પહેલા જે હોસ્પિટલ બ્લેક એન્ડ વ્યાઈટમાં દેખાતું હતું તે હોસ્પિટલને  અચાનક રંગીન કરી દેવામાં આવ્યું. રાતોરાત કામ હાથ ધરવામાં આવતા, આ વાતનો આમ આદમી પાર્ટીએ આકરા શબ્દોમાં વિરોધ કર્યો હતો. આપે ટ્વિટ કરી લખ્યું કે એકબાજુ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે ત્યારે લોકોને મદદ કરવાના બદલે સમગ્ર તંત્ર સાહેબના સ્વાગતમાં હોસ્પિટલને રંગીન કરવામાં લાગ્યું છે.

 


આમ આદમી પાર્ટીએ ભાજપ પર કર્યા પ્રહાર

મોરબીમાં બનેલી હોનારતને લઈ તમામ લોકો દુખી છે. ભલે દરેક લોકોએ પોતાના સ્વજનોને નથી ગુમાવ્યા પરંતુ આ દર્દ એવું છે જેનો અનુભવ તમામ લોકો કરી શકે છે. મોરબીના લોકો આ સમયે તંત્ર પાસેથી મદદની આશા રાખી રહ્યા છે ત્યારે તંત્ર લોકોની વ્હારે આવવાને બદલે હોસ્પિટલને ચકાચક કરવામાં લાગી ગયું છે. હોસ્પિટલની રાતોરાત કાયાપલટ કરી દેવામાં આવી છે. કારણ કે વડાપ્રધાન મોરબીની મુલાકાત લેવાના છે. દુ:ખના સમયે તંત્ર પીએમના સ્વાગતની તૈયારીઓ કરી રહી છે. આ વાતને લઈ આમ આદમી પાર્ટીએ ભાજપ પર પ્રહાર કર્યા છે. 

તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું - આમ આદમી પાર્ટી 

આમ આદમી પાર્ટીએ ટ્વિટ કરી લખ્યું કે એકબાજપ મોરબીમાં લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. માસુમ બાળકોએ પોતાના આ-બાપ ખોયા છે. ત્યારે લોકોની મદદ કરવાને બદલે સમગ્ર તંત્ર સાહેબના આગમનની તૈયારીઓમાં લાગી ગયું છે. લોકો જીવે કે મરે ભાજપની શાનમાં કોઈ કમી ન રહેવી જોઈએ.



સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.

બગદાણામાં કોળી સમાજના નવનીત બાલધીયા પર હિંસા થઈ તેને લઇને હવે ગુજરાત કોંગ્રેસના પ્રદેશપ્રમુખ અમિત ચાવડાની પ્લેટોફોર્મ એક્સ પર પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે, " ગુજરાતમાં Bhupendra પટેલની ડબલ એન્જિન સરકારનું રાજ નથી ચાલતું પણ દાદાઓ ( ગુંડાઓ)નું રાજ ચાલે છે. બગદાણાના કોળી સમાજના સરપંચના પરિવારના યુવાન પર ગુંડાઓ ખુલ્લેઆમ જાનલેવા હુમલો કરી હાથ પગ તોડી નાખે છે, ત્યારે પોલીસ દેખાવ પુરતી કાર્યવાહી કરી કોળી સમાજનો ગુસ્સો શાંત પાડવા પ્રયાસ કરે છે, પરંતુ હુમલો કરાવનારા કોણ છે તેની તપાસ કેમ નથી થતી? હર્ષ સંઘવી તમારી પોલીસ, ગુંડાઓ ભવિષ્યમાં આવી ફરી હિંમત ના કરે તેવી કડક કાર્યવાહી કરશે કે નહીં?"