સરકાર સ્વીકારે કે ના સ્વીકારે આરોપ સાબિત થઈ ગયા છે... હવે કોના ચહેરા પાછળ છુપાશે સરકાર?


  • Published By :
  • Published Date : 2023-02-28 12:38:59

પીએસઆઈ ભરતીમાં કૌભાંડના આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહે ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યા જે બાદ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. યુવરાજસિંહે આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ પરીક્ષા આપ્યા વગર સીધા જ પોલીસ એકેડેમી વડોદરાનો યુવક મયૂર પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી. વિશાલ રાઠવાએ ઉમેદવાર છે જેના નામ સાથે ચેડા મયૂર તડવીએ કર્યા હતા. લિસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ મયુર તડવીએ ત્રીજા ક્રમે પોતાનું નામ મૂકી દીધું હતું.  


યુવરાજસિંહે ભરતીમાં ગોલમાલ થતા હોવાના લગાવ્યા હતા આક્ષેપ 

રાજ્યમાં ભરતી કૌભાંડ થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહે લગાવ્યો છે. યુવરાજસિંહે આક્ષેપ લગાડતા કહ્યું કે આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગી ગયા છે. યુવરાજ સિંહે આક્ષેપ લગાવતા કહ્યું કે મયુર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પરીક્ષા આપ્યા વગર પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજસિંહે આરોપ લગાવતા કહ્યું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર સીધો પોલીસ તાલીમ એકેડેમીમાં તાલીમ લેવા પહોંચી જાય છે. આ અંગે તપાસ થવી જોઈએ તેવી યુવરાજસિંહે માગ કરી હતી. મળતી માહિતી અનુસાર આ અંગે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પૂરાવાની ચકાસણી કરવામાં આવી રહી છે.   


જમાવટની ટીમે કરી વિશાલ રાઠવા સાથે વાત 

એવું માનવામાં આવી રહ્યું હતું કે વિશાલ રાઠવાએ પોતાની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને પરીક્ષા માટે મોકલ્યો હોઈ શકે છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે તેમણે પરીક્ષા આપી છે અને સત્તાવાર રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. લીસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ તેમના નામ સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મયૂર તડવીએ પોતાનું નામ મૂકી દીધું હતું. પરીક્ષામાં પાસ થયા બાદ વિશાલ રાઠવા પણ કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.        




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.