સરકાર સ્વીકારે કે ના સ્વીકારે આરોપ સાબિત થઈ ગયા છે... હવે કોના ચહેરા પાછળ છુપાશે સરકાર?


  • Published By :
  • Published Date : 2023-02-28 12:38:59

પીએસઆઈ ભરતીમાં કૌભાંડના આક્ષેપો વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ દ્વારા ગઈકાલે કરવામાં આવ્યા હતા. યુવરાજસિંહે ભરતીમાં ભ્રષ્ટાચારનો આક્ષેપ લગાવ્યા જે બાદ આ મામલે તપાસ કરવામાં આવી રહી છે તેવા સમાચાર મળી રહ્યા છે. યુવરાજસિંહે આક્ષેપ મૂકતા જણાવ્યું હતું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ પરીક્ષા આપ્યા વગર સીધા જ પોલીસ એકેડેમી વડોદરાનો યુવક મયૂર પીએસઆઈ તરીકે તાલીમ લઈ રહ્યો છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી. વિશાલ રાઠવાએ ઉમેદવાર છે જેના નામ સાથે ચેડા મયૂર તડવીએ કર્યા હતા. લિસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ મયુર તડવીએ ત્રીજા ક્રમે પોતાનું નામ મૂકી દીધું હતું.  


યુવરાજસિંહે ભરતીમાં ગોલમાલ થતા હોવાના લગાવ્યા હતા આક્ષેપ 

રાજ્યમાં ભરતી કૌભાંડ થતું હોવાનો આક્ષેપ યુવરાજસિંહે લગાવ્યો છે. યુવરાજસિંહે આક્ષેપ લગાડતા કહ્યું કે આ 1382 જગ્યાની આ ભરતીમાં 10 લોકો ગોઠવણથી લાગી ગયા છે. યુવરાજ સિંહે આક્ષેપ લગાવતા કહ્યું કે મયુર તડવી નામનો વ્યક્તિ કોઈ પણ પરીક્ષા આપ્યા વગર પીએસઆઈની ટ્રેનિંગ લઈ રહ્યો છે. યુવરાજસિંહે આરોપ લગાવતા કહ્યું કે 40 લાખ રુપિયાની લાંચ આપીને કોઈ પણ યુવક કોઈપણ જાતની લેખિત કે શારીરિક પરીક્ષા આપ્યા વગર સીધો પોલીસ તાલીમ એકેડેમીમાં તાલીમ લેવા પહોંચી જાય છે. આ અંગે તપાસ થવી જોઈએ તેવી યુવરાજસિંહે માગ કરી હતી. મળતી માહિતી અનુસાર આ અંગે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. પૂરાવાની ચકાસણી કરવામાં આવી રહી છે.   


જમાવટની ટીમે કરી વિશાલ રાઠવા સાથે વાત 

એવું માનવામાં આવી રહ્યું હતું કે વિશાલ રાઠવાએ પોતાની જગ્યાએ કોઈ બીજા વ્યક્તિને પરીક્ષા માટે મોકલ્યો હોઈ શકે છે. ત્યારે જમાવટની ટીમે વિશાલ રાઠવા સાથે વાત કરી હતી જેમાં તેમણે કહ્યું કે તેમણે પરીક્ષા આપી છે અને સત્તાવાર રીતે ટ્રેનિંગ લઈ રહ્યા છે. લીસ્ટમાં વિશાલ રાઠવાનું નામ ત્રીજા ક્રમે હતું પરંતુ તેમના નામ સાથે ચેડા કરવામાં આવ્યા છે. તેમની જગ્યાએ મયૂર તડવીએ પોતાનું નામ મૂકી દીધું હતું. પરીક્ષામાં પાસ થયા બાદ વિશાલ રાઠવા પણ કરાઈ એકેડેમીમાં ટ્રેનિંગ લઈ રહ્યા છે.        




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.