પૂજા દરમિયાન કયા ભગવાનને કયું પુષ્પ કરવું જોઈએ અર્પણ? જાણો કયા ભગવાનને કયું પુષ્પ છે પ્રિય


  • Published By :
  • Published Date : 2023-01-15 17:08:05

હિંદુ ધર્મમાં દરેક વસ્તુનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે અમુક વસ્તુ અર્પણ કરવાથી ભગવાનની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ ફુલ-પુષ્પ અર્પણ કરવામાં આવે છે. તમામ દેવી દેવતાઓની પૂજામાં અલગ અલગ ફૂલો તેમજ અલગ અલગ પદાર્થ ચઢાવવાનો નિયમ બતાવામાં આવ્યો છે. પુષ્પ ભગવાનને અતિ પ્રિય માનવામાં આવે છે. 

ગણેશ


Navratri 2021 : પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ  પુષ્પ કરશો અર્પણ - Adyashakti will be pleased with the flower Find out  which form of Goddess you will

આપણા શાસ્ત્રોમાં અલગ અલગ દેવી-દેવતાઓની અલગ અલગ રીતે પૂજા કરવાનું પ્રાવધાન બતાવામાં આવ્યું છે. દરેક ભગવાનની વિશેષ રીતે પૂજા કરવામાં આવે તો તેઓ જલ્દી પ્રસન્ન થઈ ભક્તને મનોવાંચ્છિત ફળ આપે છે. અનેક લોકો એવું પણ માનતા હોય છે કે સાચા દિલથી અર્પણ કરવામાં આવેલી વસ્તુનો ભગવાન સ્વીકાર કરે છે. પરંતુ કેટલાક ફૂલો એવા હોય છે જે ચઢાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગલગોટાનું ફૂલ એક એવું ફૂલ છે જેને અર્પણ કરવાથી ભગવાન શીધ્ર પ્રસન્ન થાય છે. 

મહા મહિનાની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ તુલસી અને શ્રીકૃષ્ણની  પૂજાનું વિધાન છે | Ekadashi Puja Vidhi: Along With Lord Vishnu On The  Ekadashi Of The Month Of Magha, There Is

આ 5 વસ્તુઓમાં નિવાસ કરે છે માતા લક્ષ્મી, મેળવવી હોય કૃપા તો ઘરમાં અવશ્ય  રાખો આ સામાન.... - MT News Gujarati

જો તમે ભોલેનાથની આરાધના કરી રહ્યા છો તો તમારે શિવજીને પ્રસન્ન કરવા આંકડાનું ફૂલ, ચમેલી, શંખપુષ્પી, કરેણ જેવા પુષ્પો અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુને  તેમજ માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અતિ પ્રિય માનવામાં આવે છે. ઉપરાંત વિષ્ણુ ભગવાનને તુલસી, અશોક, ચંપા, પારીજાતના પુષ્પો પણ અર્પણ કરી શકાય છે. માતાજીને આમ તો દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે પરંતુ તેમને દુર્વા, તુલસી જેવા પુષ્પો અર્પણ ન કરવા જોઈએ. ગણેશજીને દુર્વા અતિપ્રિય છે. ગણપતિજીને તુલસી સિવાય દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે. 



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .