પૂજા દરમિયાન કયા ભગવાનને કયું પુષ્પ કરવું જોઈએ અર્પણ? જાણો કયા ભગવાનને કયું પુષ્પ છે પ્રિય


  • Published By :
  • Published Date : 2023-01-15 17:08:05

હિંદુ ધર્મમાં દરેક વસ્તુનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે અમુક વસ્તુ અર્પણ કરવાથી ભગવાનની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ ફુલ-પુષ્પ અર્પણ કરવામાં આવે છે. તમામ દેવી દેવતાઓની પૂજામાં અલગ અલગ ફૂલો તેમજ અલગ અલગ પદાર્થ ચઢાવવાનો નિયમ બતાવામાં આવ્યો છે. પુષ્પ ભગવાનને અતિ પ્રિય માનવામાં આવે છે. 

ગણેશ


Navratri 2021 : પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ  પુષ્પ કરશો અર્પણ - Adyashakti will be pleased with the flower Find out  which form of Goddess you will

આપણા શાસ્ત્રોમાં અલગ અલગ દેવી-દેવતાઓની અલગ અલગ રીતે પૂજા કરવાનું પ્રાવધાન બતાવામાં આવ્યું છે. દરેક ભગવાનની વિશેષ રીતે પૂજા કરવામાં આવે તો તેઓ જલ્દી પ્રસન્ન થઈ ભક્તને મનોવાંચ્છિત ફળ આપે છે. અનેક લોકો એવું પણ માનતા હોય છે કે સાચા દિલથી અર્પણ કરવામાં આવેલી વસ્તુનો ભગવાન સ્વીકાર કરે છે. પરંતુ કેટલાક ફૂલો એવા હોય છે જે ચઢાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગલગોટાનું ફૂલ એક એવું ફૂલ છે જેને અર્પણ કરવાથી ભગવાન શીધ્ર પ્રસન્ન થાય છે. 

મહા મહિનાની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ તુલસી અને શ્રીકૃષ્ણની  પૂજાનું વિધાન છે | Ekadashi Puja Vidhi: Along With Lord Vishnu On The  Ekadashi Of The Month Of Magha, There Is

આ 5 વસ્તુઓમાં નિવાસ કરે છે માતા લક્ષ્મી, મેળવવી હોય કૃપા તો ઘરમાં અવશ્ય  રાખો આ સામાન.... - MT News Gujarati

જો તમે ભોલેનાથની આરાધના કરી રહ્યા છો તો તમારે શિવજીને પ્રસન્ન કરવા આંકડાનું ફૂલ, ચમેલી, શંખપુષ્પી, કરેણ જેવા પુષ્પો અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુને  તેમજ માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અતિ પ્રિય માનવામાં આવે છે. ઉપરાંત વિષ્ણુ ભગવાનને તુલસી, અશોક, ચંપા, પારીજાતના પુષ્પો પણ અર્પણ કરી શકાય છે. માતાજીને આમ તો દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે પરંતુ તેમને દુર્વા, તુલસી જેવા પુષ્પો અર્પણ ન કરવા જોઈએ. ગણેશજીને દુર્વા અતિપ્રિય છે. ગણપતિજીને તુલસી સિવાય દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે. 



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.