પૂજા દરમિયાન કયા ભગવાનને કયું પુષ્પ કરવું જોઈએ અર્પણ? જાણો કયા ભગવાનને કયું પુષ્પ છે પ્રિય


  • Published By :
  • Published Date : 2023-01-15 17:08:05

હિંદુ ધર્મમાં દરેક વસ્તુનો વિશેષ મહિમા રહેલો છે. એવું માનવામાં આવે છે કે અમુક વસ્તુ અર્પણ કરવાથી ભગવાનની કૃપા જલ્દી પ્રાપ્ત થાય છે. અલગ અલગ દેવી દેવતાઓને અલગ અલગ ફુલ-પુષ્પ અર્પણ કરવામાં આવે છે. તમામ દેવી દેવતાઓની પૂજામાં અલગ અલગ ફૂલો તેમજ અલગ અલગ પદાર્થ ચઢાવવાનો નિયમ બતાવામાં આવ્યો છે. પુષ્પ ભગવાનને અતિ પ્રિય માનવામાં આવે છે. 

ગણેશ


Navratri 2021 : પુષ્પથી પ્રસન્ન થશે આદ્યશક્તિ ! જાણો દેવીના કયા રૂપને કયુ  પુષ્પ કરશો અર્પણ - Adyashakti will be pleased with the flower Find out  which form of Goddess you will

આપણા શાસ્ત્રોમાં અલગ અલગ દેવી-દેવતાઓની અલગ અલગ રીતે પૂજા કરવાનું પ્રાવધાન બતાવામાં આવ્યું છે. દરેક ભગવાનની વિશેષ રીતે પૂજા કરવામાં આવે તો તેઓ જલ્દી પ્રસન્ન થઈ ભક્તને મનોવાંચ્છિત ફળ આપે છે. અનેક લોકો એવું પણ માનતા હોય છે કે સાચા દિલથી અર્પણ કરવામાં આવેલી વસ્તુનો ભગવાન સ્વીકાર કરે છે. પરંતુ કેટલાક ફૂલો એવા હોય છે જે ચઢાવવાથી ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગલગોટાનું ફૂલ એક એવું ફૂલ છે જેને અર્પણ કરવાથી ભગવાન શીધ્ર પ્રસન્ન થાય છે. 

મહા મહિનાની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ સાથે જ તુલસી અને શ્રીકૃષ્ણની  પૂજાનું વિધાન છે | Ekadashi Puja Vidhi: Along With Lord Vishnu On The  Ekadashi Of The Month Of Magha, There Is

આ 5 વસ્તુઓમાં નિવાસ કરે છે માતા લક્ષ્મી, મેળવવી હોય કૃપા તો ઘરમાં અવશ્ય  રાખો આ સામાન.... - MT News Gujarati

જો તમે ભોલેનાથની આરાધના કરી રહ્યા છો તો તમારે શિવજીને પ્રસન્ન કરવા આંકડાનું ફૂલ, ચમેલી, શંખપુષ્પી, કરેણ જેવા પુષ્પો અર્પણ કરવા જોઈએ. ભગવાન વિષ્ણુને  તેમજ માતા લક્ષ્મીને કમળનું પુષ્પ અતિ પ્રિય માનવામાં આવે છે. ઉપરાંત વિષ્ણુ ભગવાનને તુલસી, અશોક, ચંપા, પારીજાતના પુષ્પો પણ અર્પણ કરી શકાય છે. માતાજીને આમ તો દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે પરંતુ તેમને દુર્વા, તુલસી જેવા પુષ્પો અર્પણ ન કરવા જોઈએ. ગણેશજીને દુર્વા અતિપ્રિય છે. ગણપતિજીને તુલસી સિવાય દરેક પુષ્પ અર્પણ કરી શકાય છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.