ચૂંટણી બોન્ડ કયા પક્ષને ફળ્યા, BJP, TMC કે કોંગ્રેસ, ADRના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો


  • Published By : Admin
  • Published Date : 2024-02-16 17:56:12

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી બોન્ડ સ્કિમને રદ્દ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૂંટણી બોન્ડ રદ્દ થતાં સૌથી વધુ નુકસાન કયા પક્ષને થયું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે ખરીદાયેલા બોન્ડના કુલ મૂલ્યના લગભગ 94.25 ટકા અથવા રૂ. 12,999 કરોડ રૂ. 1 કરોડના મૂલ્યના હતા. આ બતાવે છે કે આ બોન્ડ વ્યક્તિઓને બદલે કોર્પોરેટ દ્વારા ખરીદવામાં આવી રહ્યા હતા.


પક્ષોને કેટલું કોર્પોરેટ ફંડ મળ્યું?

 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં રાષ્ટ્રીય પક્ષોને 881.26 કરોડ રૂપિયાનું કોર્પોરેટ દાન મળ્યું છે. નાણાકીય વર્ષ 2016-17માં આ રકમ રૂ. 563.19 કરોડ અને નાણાકીય વર્ષ 2014-15 (જે દરમિયાન 16મી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી)માં રૂ. 573.18 કરોડ હતી. નાણાકીય વર્ષ 2012-13 અને 2018-19 વચ્ચે, કોર્પોરેટ તરફથી રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં 974%નો વધારો થયો છે.


BJPને સૌથી વધુ  6566 કરોડનું મળ્યું દાન


વર્ષ 2017-18થી  2022-23ના સમયગાળા દરમિયાન ઈલેક્શન બોન્ડની કુલ રકમ 11450 કરોડ રૂપિયા હતી. તેમાંથી સૌથી વધુ  6566 કરોડ BJPને, કોંગ્રેસને 1123 કરોડ, ટીએમસીને 1093 કરોડ, અને બીજુ જનતા દળને 774 કરોડ રૂપિયા મળ્યા હતા. તે ઉપરાંત ડીએમકેને 617 કરોડ રૂપિયા, AAPને 94 કરોડ, NCPને 64 કરોડ રૂપિયા મળ્યા, જનતા દળ યુનાઈટેડને 24 કરોડ રૂપિયા બોન્ડ સ્વરૂપે મળ્યા હતા, તે જ પ્રકારે અન્ય ક્ષેત્રિય પક્ષોને 1095 કરોડ રૂપિયા ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા મળ્યા હતા. જેમાં ભારત રાષ્ટ્ર સમિતિ 384 કરોડ, YSRPCને 382 કરોડ, તેલુગુ દેશમ પાર્ટીને 147 કરોડ, શિવસેનાને 101 કરોડ, જનતા દળ સેક્યુલરને 49 કરોડ, સમાજવાદી પાર્ટીને 14 કરોડ, શિરોમણી અકાલી દળને 7 કરોડ,  AIADMKને 6 કરોડ, ઝારખંડ મુક્તિ મોરચા, એમજીપી અને એસડીએફને 1-1 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડથી મળ્યા છે.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.