ચૂંટણી બોન્ડ કયા પક્ષને ફળ્યા, BJP, TMC કે કોંગ્રેસ, ADRના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો


  • Published By : Admin
  • Published Date : 2024-02-16 17:56:12

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી બોન્ડ સ્કિમને રદ્દ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૂંટણી બોન્ડ રદ્દ થતાં સૌથી વધુ નુકસાન કયા પક્ષને થયું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે ખરીદાયેલા બોન્ડના કુલ મૂલ્યના લગભગ 94.25 ટકા અથવા રૂ. 12,999 કરોડ રૂ. 1 કરોડના મૂલ્યના હતા. આ બતાવે છે કે આ બોન્ડ વ્યક્તિઓને બદલે કોર્પોરેટ દ્વારા ખરીદવામાં આવી રહ્યા હતા.


પક્ષોને કેટલું કોર્પોરેટ ફંડ મળ્યું?

 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં રાષ્ટ્રીય પક્ષોને 881.26 કરોડ રૂપિયાનું કોર્પોરેટ દાન મળ્યું છે. નાણાકીય વર્ષ 2016-17માં આ રકમ રૂ. 563.19 કરોડ અને નાણાકીય વર્ષ 2014-15 (જે દરમિયાન 16મી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી)માં રૂ. 573.18 કરોડ હતી. નાણાકીય વર્ષ 2012-13 અને 2018-19 વચ્ચે, કોર્પોરેટ તરફથી રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં 974%નો વધારો થયો છે.


BJPને સૌથી વધુ  6566 કરોડનું મળ્યું દાન


વર્ષ 2017-18થી  2022-23ના સમયગાળા દરમિયાન ઈલેક્શન બોન્ડની કુલ રકમ 11450 કરોડ રૂપિયા હતી. તેમાંથી સૌથી વધુ  6566 કરોડ BJPને, કોંગ્રેસને 1123 કરોડ, ટીએમસીને 1093 કરોડ, અને બીજુ જનતા દળને 774 કરોડ રૂપિયા મળ્યા હતા. તે ઉપરાંત ડીએમકેને 617 કરોડ રૂપિયા, AAPને 94 કરોડ, NCPને 64 કરોડ રૂપિયા મળ્યા, જનતા દળ યુનાઈટેડને 24 કરોડ રૂપિયા બોન્ડ સ્વરૂપે મળ્યા હતા, તે જ પ્રકારે અન્ય ક્ષેત્રિય પક્ષોને 1095 કરોડ રૂપિયા ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા મળ્યા હતા. જેમાં ભારત રાષ્ટ્ર સમિતિ 384 કરોડ, YSRPCને 382 કરોડ, તેલુગુ દેશમ પાર્ટીને 147 કરોડ, શિવસેનાને 101 કરોડ, જનતા દળ સેક્યુલરને 49 કરોડ, સમાજવાદી પાર્ટીને 14 કરોડ, શિરોમણી અકાલી દળને 7 કરોડ,  AIADMKને 6 કરોડ, ઝારખંડ મુક્તિ મોરચા, એમજીપી અને એસડીએફને 1-1 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડથી મળ્યા છે.   



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.