ચૂંટણી બોન્ડ કયા પક્ષને ફળ્યા, BJP, TMC કે કોંગ્રેસ, ADRના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો


  • Published By : Admin
  • Published Date : 2024-02-16 17:56:12

લોકસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રિમ કોર્ટે ગુરૂવારે ચૂંટણી બોન્ડ સ્કિમને રદ્દ કરી દીધી છે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા બાદ એ ચર્ચાએ જોર પકડ્યું છે કે ચૂંટણી બોન્ડ રદ્દ થતાં સૌથી વધુ નુકસાન કયા પક્ષને થયું છે. એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR) દ્વારા એકત્રિત કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે ખરીદાયેલા બોન્ડના કુલ મૂલ્યના લગભગ 94.25 ટકા અથવા રૂ. 12,999 કરોડ રૂ. 1 કરોડના મૂલ્યના હતા. આ બતાવે છે કે આ બોન્ડ વ્યક્તિઓને બદલે કોર્પોરેટ દ્વારા ખરીદવામાં આવી રહ્યા હતા.


પક્ષોને કેટલું કોર્પોરેટ ફંડ મળ્યું?

 

એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (ADR)ના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નાણાકીય વર્ષ 2018-19માં રાષ્ટ્રીય પક્ષોને 881.26 કરોડ રૂપિયાનું કોર્પોરેટ દાન મળ્યું છે. નાણાકીય વર્ષ 2016-17માં આ રકમ રૂ. 563.19 કરોડ અને નાણાકીય વર્ષ 2014-15 (જે દરમિયાન 16મી લોકસભાની ચૂંટણી યોજાઈ હતી)માં રૂ. 573.18 કરોડ હતી. નાણાકીય વર્ષ 2012-13 અને 2018-19 વચ્ચે, કોર્પોરેટ તરફથી રાષ્ટ્રીય પક્ષોને મળેલા દાનમાં 974%નો વધારો થયો છે.


BJPને સૌથી વધુ  6566 કરોડનું મળ્યું દાન


વર્ષ 2017-18થી  2022-23ના સમયગાળા દરમિયાન ઈલેક્શન બોન્ડની કુલ રકમ 11450 કરોડ રૂપિયા હતી. તેમાંથી સૌથી વધુ  6566 કરોડ BJPને, કોંગ્રેસને 1123 કરોડ, ટીએમસીને 1093 કરોડ, અને બીજુ જનતા દળને 774 કરોડ રૂપિયા મળ્યા હતા. તે ઉપરાંત ડીએમકેને 617 કરોડ રૂપિયા, AAPને 94 કરોડ, NCPને 64 કરોડ રૂપિયા મળ્યા, જનતા દળ યુનાઈટેડને 24 કરોડ રૂપિયા બોન્ડ સ્વરૂપે મળ્યા હતા, તે જ પ્રકારે અન્ય ક્ષેત્રિય પક્ષોને 1095 કરોડ રૂપિયા ઈલેક્ટ્રોરલ બોન્ડ દ્વારા મળ્યા હતા. જેમાં ભારત રાષ્ટ્ર સમિતિ 384 કરોડ, YSRPCને 382 કરોડ, તેલુગુ દેશમ પાર્ટીને 147 કરોડ, શિવસેનાને 101 કરોડ, જનતા દળ સેક્યુલરને 49 કરોડ, સમાજવાદી પાર્ટીને 14 કરોડ, શિરોમણી અકાલી દળને 7 કરોડ,  AIADMKને 6 કરોડ, ઝારખંડ મુક્તિ મોરચા, એમજીપી અને એસડીએફને 1-1 કરોડ રૂપિયા ચૂંટણી બોન્ડથી મળ્યા છે.   



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.