ફાફડા જલેબી ખાતી વખતે અમદાવાદીઓને ના નડે મોંઘવારી! માત્ર Ahmedabadમાં આટલા કિલો ફાફડા જલેબીનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-10-25 14:10:54

ગુજરાત અને ગુજરાતીઓ જગવિખ્યાત છે. ખાવા પીવાના અને જમવાના શોખીન ગુજરાતીઓને માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ગુજરાતીઓ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે તે વિદેશી ખાવાનું પસંદ કરે અને જ્યારે વિદેશમાં હોય ત્યારે ગુજરાતી ભોજન શોધે. ત્યારે ગઈકાલે દશેરાની ઉજવણી ધામધૂમથી લોકોએ કરી. ફાફડા-જલેબી વગર દશેરાની ઉજવણી ગુજરાતીઓને અધૂરી લાગે. મોંઘવારી ગમે તેટલી કેમ ન હોય, ગમે તેટલા મોંઘા ફાફડા-જલેબી કેમ ન મળતા હોય પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી તો ખાવા જ પડે. ત્યારે એક સમાચાર પેપરના રિપોર્ટના આધારે એવી માહિતી સામે આવી છે કે અમદાવાદીઓએ 175 કરોડના ફાફડા જલેબી ખાધા છે. 8.4 લાખ કિલોનું વેચાણ ફાફડા જલેબીનું થયું હોય તેવી માહિતી સામે આવી છે.

મહેસાણાનામાં આવતી કાલે મોટા પ્રમાણમાં ફાફડા જલેબીના સ્ટોલ લાગશે-large  number of Fafda Jalebi stalls will installed tomorrow in mehsana News18  Gujarati

18 લાખ કિલો ફાફડાનું અમદાવાદમાં થયું વેચાણ!

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે. નવ દિવસ દરમિાયન ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા. દશેરાના દિવસ દરમિયાન આપણે ત્યાં ફાફડા જલેબી ખાવાનો રિવાજ છે. ફાફડા જલેબી જ્યાં સુધી આપણે ના ખાઈએ ત્યાં સુધી નવરાત્રી પૂર્ણ નથી થઈ લાગતી. ત્યારે ગઈકાલે 18 લાખ કિલો ફાફડાનું વેચાણ થયું છે અને એ પણ માત્ર અમદાવાદમાં. અમદાવાદીઓ કરોડોના ફાફડા જલેબી ઝાપટી ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. 


175 કરોડનો થયો ફાફડા-જલેબીનો બિઝનેસ!

એક મીડિયા રિપોર્ટ અનુસાર 175 કરોડના ફાફડા જલેબીનું વેચાણ માત્ર અમદાવાદમાં થયું છે. દશેરાની આગલી રાતથી ફાફડા લેવા માટે લોકો લાઈનમાં ઉભા હતા. અનેક કિલોમીટરો સુધીની લાઈનો આપણને જોવા મળી હતી. લાઈન જોઈને લાગતું હતું કે આ લાઈન, આ ભીડ માત્ર સવારે જ હશે પરંતુ સાંજના સમયે પણ અનેક જગ્યાઓ પર લાઈનો જોવા મળી હતી.


ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ભાવે વેચાતા હતા ફાફડા-જલેબી!

મોંઘવારીની વાત અનેક વખત આપણે સામાન્ય માણસોના મોંઢે સાંભળી હશે. દરેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે તેવી વાતો આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પણ ખરીદીની વાત આવે છે, ખાવા પીવાની વાત આવે છે ત્યારે લોકો ભાવ નથી જોતા. ગમે તેટલી મોંઘી વસ્તુ કેમ ન હોય પરંતુ ખાવા પીવાની વસ્તુઓની વાત આવે ત્યારે આપણને મોંઘવારી નથી જોતા. ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ફાફડા જલેબી વેચાઈ રહ્યા હતા પરંતુ ગુજરાતીઓએ પેટ ભરીને ફાફડા ખાધા છે. 



ભ્રષ્ટાચાર એ કોઈ પણ દેશને અંદરથી એટલો ખોખલો કરી નાખે છે કે , જે તે દેશ પોતાની આગળ વધવાની ક્ષમતા ગુમાવી ચુકે છે. આ ભ્રષ્ટાચારનું પરિણામ આવે છે રાજકોટ TRP ગેમઝોન કાંડ , ગંભીરા બ્રિજ અકસ્માત , હરણી બોટકાંડ અને મોરબી બ્રીજકાંડ. વાત કરીએ , આપણા ACBની તો , ACBના ઇતિહાસમાં ગુજરાત રાજ્યમાં પહેલીવાર DNA પરીક્ષણથી આરોપીને સજા થઇ છે. છે ને રસપ્રદ વાત .

દિવસેને દિવસે વૃક્ષોનું મહત્વ વધતું જાય છે. કેમ કે જો આપણે આપણી આવનારી પેઢીઓને દુનિયા સહીસલામત આપવી હશે તો , માનવજાતે વધારેમાં વધારે વૃક્ષો વાવવા જ પડશે. તો હવે બનાસકાંઠા જિલ્લાએ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ખુબ મોટાપાયે વૃક્ષો વાવીને એક પ્રકારની હરિયાળી ક્રાંતિ કરી છે. વિધાનસભાના અધ્યક્ષશ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે લુણાવા ખાતે એકસાથે ૫૧૦૦ રોપાઓનું વૃક્ષારોપણ કરાયું છે. વિધાનસભા સ્પીકર શંકર ચૌધરીએ આ પ્રસંગે કહ્યું છે કે , વૃક્ષ નારાયણની પૂજા અર્ચના સાથે થરાદ તાલુકામાં વધુ પાંચ વન બનાવવામાં આવશે

ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રીના હસ્તે ગુજરાતના 4 આદિજાતી અને અંતરીયાળ વિસ્તારમાંના જિલ્લાઓ માટેની મોબાઈલ મેડિકલ યુનિટનું લોકાર્પણ કરવામાં આવ્યું. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી આરોગ્ય ક્ષેત્રે, કુદરતી તેમજ માનવસર્જિત આપત્તિઓનો ભોગ બનેલા લોકોને સહાય કરનારી તથા લોકોના દુઃખો મહદઅંશે દુર કરતી મોટામાં મોટી માનવતાવાદી સંસ્થાઓમાંથી એક છે. ઈન્ડિયન રેડક્રોસ સોસાયટીની ગુજરાત રાજ્ય શાખા દેશની સૌથી સક્રિય રાજ્ય શાખાઓમાંની એક છે.

જૂનાગઢના ભેંસાણમાં પરબ વાવડીમાં તલાટી મંત્રીએ ફરીયાદી પાસેથી ૧૫૦૦ રૂપિયા માંગ્યાા કેશની માથાકુટમાં કોણ પડે એટલે કરી નાખ્યો ડિજીટલ વ્યહવાર હવે એન્ટી કરપ્શન બ્યુરોના સકંજામાં તલાટી