ફાફડા જલેબી ખાતી વખતે અમદાવાદીઓને ના નડે મોંઘવારી! માત્ર Ahmedabadમાં આટલા કિલો ફાફડા જલેબીનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-10-25 14:10:54

ગુજરાત અને ગુજરાતીઓ જગવિખ્યાત છે. ખાવા પીવાના અને જમવાના શોખીન ગુજરાતીઓને માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ગુજરાતીઓ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે તે વિદેશી ખાવાનું પસંદ કરે અને જ્યારે વિદેશમાં હોય ત્યારે ગુજરાતી ભોજન શોધે. ત્યારે ગઈકાલે દશેરાની ઉજવણી ધામધૂમથી લોકોએ કરી. ફાફડા-જલેબી વગર દશેરાની ઉજવણી ગુજરાતીઓને અધૂરી લાગે. મોંઘવારી ગમે તેટલી કેમ ન હોય, ગમે તેટલા મોંઘા ફાફડા-જલેબી કેમ ન મળતા હોય પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી તો ખાવા જ પડે. ત્યારે એક સમાચાર પેપરના રિપોર્ટના આધારે એવી માહિતી સામે આવી છે કે અમદાવાદીઓએ 175 કરોડના ફાફડા જલેબી ખાધા છે. 8.4 લાખ કિલોનું વેચાણ ફાફડા જલેબીનું થયું હોય તેવી માહિતી સામે આવી છે.

મહેસાણાનામાં આવતી કાલે મોટા પ્રમાણમાં ફાફડા જલેબીના સ્ટોલ લાગશે-large  number of Fafda Jalebi stalls will installed tomorrow in mehsana News18  Gujarati

18 લાખ કિલો ફાફડાનું અમદાવાદમાં થયું વેચાણ!

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે. નવ દિવસ દરમિાયન ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા. દશેરાના દિવસ દરમિયાન આપણે ત્યાં ફાફડા જલેબી ખાવાનો રિવાજ છે. ફાફડા જલેબી જ્યાં સુધી આપણે ના ખાઈએ ત્યાં સુધી નવરાત્રી પૂર્ણ નથી થઈ લાગતી. ત્યારે ગઈકાલે 18 લાખ કિલો ફાફડાનું વેચાણ થયું છે અને એ પણ માત્ર અમદાવાદમાં. અમદાવાદીઓ કરોડોના ફાફડા જલેબી ઝાપટી ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. 


175 કરોડનો થયો ફાફડા-જલેબીનો બિઝનેસ!

એક મીડિયા રિપોર્ટ અનુસાર 175 કરોડના ફાફડા જલેબીનું વેચાણ માત્ર અમદાવાદમાં થયું છે. દશેરાની આગલી રાતથી ફાફડા લેવા માટે લોકો લાઈનમાં ઉભા હતા. અનેક કિલોમીટરો સુધીની લાઈનો આપણને જોવા મળી હતી. લાઈન જોઈને લાગતું હતું કે આ લાઈન, આ ભીડ માત્ર સવારે જ હશે પરંતુ સાંજના સમયે પણ અનેક જગ્યાઓ પર લાઈનો જોવા મળી હતી.


ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ભાવે વેચાતા હતા ફાફડા-જલેબી!

મોંઘવારીની વાત અનેક વખત આપણે સામાન્ય માણસોના મોંઢે સાંભળી હશે. દરેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે તેવી વાતો આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પણ ખરીદીની વાત આવે છે, ખાવા પીવાની વાત આવે છે ત્યારે લોકો ભાવ નથી જોતા. ગમે તેટલી મોંઘી વસ્તુ કેમ ન હોય પરંતુ ખાવા પીવાની વસ્તુઓની વાત આવે ત્યારે આપણને મોંઘવારી નથી જોતા. ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ફાફડા જલેબી વેચાઈ રહ્યા હતા પરંતુ ગુજરાતીઓએ પેટ ભરીને ફાફડા ખાધા છે. 



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.