ફાફડા જલેબી ખાતી વખતે અમદાવાદીઓને ના નડે મોંઘવારી! માત્ર Ahmedabadમાં આટલા કિલો ફાફડા જલેબીનું થયું વેચાણ


  • Published By :
  • Published Date : 2023-10-25 14:10:54

ગુજરાત અને ગુજરાતીઓ જગવિખ્યાત છે. ખાવા પીવાના અને જમવાના શોખીન ગુજરાતીઓને માનવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ગુજરાતીઓ જ્યારે ગુજરાતમાં હોય ત્યારે તે વિદેશી ખાવાનું પસંદ કરે અને જ્યારે વિદેશમાં હોય ત્યારે ગુજરાતી ભોજન શોધે. ત્યારે ગઈકાલે દશેરાની ઉજવણી ધામધૂમથી લોકોએ કરી. ફાફડા-જલેબી વગર દશેરાની ઉજવણી ગુજરાતીઓને અધૂરી લાગે. મોંઘવારી ગમે તેટલી કેમ ન હોય, ગમે તેટલા મોંઘા ફાફડા-જલેબી કેમ ન મળતા હોય પરંતુ દશેરાના દિવસે ફાફડા જલેબી તો ખાવા જ પડે. ત્યારે એક સમાચાર પેપરના રિપોર્ટના આધારે એવી માહિતી સામે આવી છે કે અમદાવાદીઓએ 175 કરોડના ફાફડા જલેબી ખાધા છે. 8.4 લાખ કિલોનું વેચાણ ફાફડા જલેબીનું થયું હોય તેવી માહિતી સામે આવી છે.

મહેસાણાનામાં આવતી કાલે મોટા પ્રમાણમાં ફાફડા જલેબીના સ્ટોલ લાગશે-large  number of Fafda Jalebi stalls will installed tomorrow in mehsana News18  Gujarati

18 લાખ કિલો ફાફડાનું અમદાવાદમાં થયું વેચાણ!

નવરાત્રીના દિવસો દરમિયાન માતાજીની આરાધના કરવામાં આવે છે. નવ દિવસ દરમિાયન ખેલૈયાઓ મન મૂકીને ઘૂમ્યા. દશેરાના દિવસ દરમિયાન આપણે ત્યાં ફાફડા જલેબી ખાવાનો રિવાજ છે. ફાફડા જલેબી જ્યાં સુધી આપણે ના ખાઈએ ત્યાં સુધી નવરાત્રી પૂર્ણ નથી થઈ લાગતી. ત્યારે ગઈકાલે 18 લાખ કિલો ફાફડાનું વેચાણ થયું છે અને એ પણ માત્ર અમદાવાદમાં. અમદાવાદીઓ કરોડોના ફાફડા જલેબી ઝાપટી ગયા છે તેવા સમાચાર સામે આવ્યા છે. 


175 કરોડનો થયો ફાફડા-જલેબીનો બિઝનેસ!

એક મીડિયા રિપોર્ટ અનુસાર 175 કરોડના ફાફડા જલેબીનું વેચાણ માત્ર અમદાવાદમાં થયું છે. દશેરાની આગલી રાતથી ફાફડા લેવા માટે લોકો લાઈનમાં ઉભા હતા. અનેક કિલોમીટરો સુધીની લાઈનો આપણને જોવા મળી હતી. લાઈન જોઈને લાગતું હતું કે આ લાઈન, આ ભીડ માત્ર સવારે જ હશે પરંતુ સાંજના સમયે પણ અનેક જગ્યાઓ પર લાઈનો જોવા મળી હતી.


ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ભાવે વેચાતા હતા ફાફડા-જલેબી!

મોંઘવારીની વાત અનેક વખત આપણે સામાન્ય માણસોના મોંઢે સાંભળી હશે. દરેક વસ્તુઓ મોંઘી થઈ ગઈ છે તેવી વાતો આપણે કહેતા હોઈએ છીએ. પરંતુ જ્યારે પણ ખરીદીની વાત આવે છે, ખાવા પીવાની વાત આવે છે ત્યારે લોકો ભાવ નથી જોતા. ગમે તેટલી મોંઘી વસ્તુ કેમ ન હોય પરંતુ ખાવા પીવાની વસ્તુઓની વાત આવે ત્યારે આપણને મોંઘવારી નથી જોતા. ડ્રાયફૂટ કરતા પણ મોંઘા ફાફડા જલેબી વેચાઈ રહ્યા હતા પરંતુ ગુજરાતીઓએ પેટ ભરીને ફાફડા ખાધા છે. 



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.