Cricket રમતી વખતે ખેલાડી અચાનક ઢળી પડ્યો, ક્રિકેટરને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત!


  • Published By :
  • Published Date : 2024-01-10 11:05:33

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકને કારણે મોત થવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે જેમાં ચાલુ મેચમાં એટલે કે મેચ રમતા રમતા એક યુવકનું મોત થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


કોરોના બાદ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. અનેક પરિવારો એવા હશે જેમાં કોરોનાને કારણે કોઈ સ્વજને પોતાના પરિવારજનને ગુમાવ્યા હશે. એક તરફ કોરોના ધીરે ધીરે વધી રહ્યો છે તો બીજી તરફ હાર્ટ એટેકનો ખતરો પણ યુવાનો પર વધી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે. દેશભરમાં હૃદય હુમલાને કારણે થતાં મોત ચિંતાનો વિષય બની ગયો છે. કોઈ જમતા જમતા મોતને ભેટી રહ્યા છે તો કોઈ ડાન્સ કરતા કરતા મોતને વ્હાલું થાય છે. ત્યારે એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે જેમાં ક્રિકેટ રમતા રમતા ક્રિકેટર મોતને ભેટી રહ્યા છે. 


ક્રિકેટ રમતી વખતે એક યુવાનને આવ્યો હાર્ટ એટેક 

સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટરનું મોત અચાનક થઈ જાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 6 જાન્યુઆરીએ બની હતી. નોયડાના સેક્ટર-135માં બનેલા સ્ટેડિયમમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન મૂળ ઉત્તરાખંડનો 36 વર્ષીય વિકાસ નેગી બેટિંગ કરવા આવ્યો હતો. રમત દરમિયાન, નોન-સ્ટ્રાઈક છેડે ઊભેલો વિકાસ રન લેવા દોડ્યો, પરંતુ જ્યારે તે અડધી પીચ પર પહોંચ્યો ત્યાં સુધીમાં બોલ બાઉન્ડ્રીની બહાર ગયો અને ચાર રન થઈ ગયા. અડધી પીચમાંથી નોન-સ્ટ્રાઈક એન્ડ તરફ પરત ફરતી વખતે વિકાસ અચાનક પડી ગયો હતો.વિકાસને પડતા જોઈ તેના સાથી ખેલાડીઓ તેની પાસે દોડી આવ્યા હતા.


આની પહેલા પણ સામે આવ્યો છે આવો કિસ્સો 

બેહોશ થયેલા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા. નોયડા પોલીસે આ મામલે જાણકારી આપી કે મૃતક મૂળ ઉત્તરાખંડના રહેવાસી હતા. હાલ રોહિણી, દિલ્હીમાં રહે છે. ક્રિકેટ રમતી વખતે તે અચાનક જ હાર્ટ એટેકને કારણે પીચ પર પડી ગયો હતો. આની પહેલા પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં બેડમિન્ટન રમતા રમતા એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.