Cricket રમતી વખતે ખેલાડી અચાનક ઢળી પડ્યો, ક્રિકેટરને આવ્યો Heart Attack અને થઈ ગયું મોત!


  • Published By :
  • Published Date : 2024-01-10 11:05:33

હાર્ટ એટેકના કિસ્સાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હાર્ટ એટેકને કારણે મોત થવાનું જાણે સામાન્ય બની ગયું હોય તેવું લાગી રહ્યું છે. આપણી સામે એવા અનેક કિસ્સાઓ છે જેમાં હાર્ટ એટેકને કારણે લોકો મોતને ભેટી રહ્યા છે. કોરોના બાદ તો આવા કિસ્સાઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે જેમાં ચાલુ મેચમાં એટલે કે મેચ રમતા રમતા એક યુવકનું મોત થઈ ગયું છે. સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 


કોરોના બાદ વધી રહ્યા છે હાર્ટ એટેકના કિસ્સા 

કોરોનાને કારણે અનેક લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. અનેક પરિવારો એવા હશે જેમાં કોરોનાને કારણે કોઈ સ્વજને પોતાના પરિવારજનને ગુમાવ્યા હશે. એક તરફ કોરોના ધીરે ધીરે વધી રહ્યો છે તો બીજી તરફ હાર્ટ એટેકનો ખતરો પણ યુવાનો પર વધી રહ્યો છે. અનેક એવા કિસ્સાઓ છે જેમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓ મોતને ભેટી રહ્યા છે. દેશભરમાં હૃદય હુમલાને કારણે થતાં મોત ચિંતાનો વિષય બની ગયો છે. કોઈ જમતા જમતા મોતને ભેટી રહ્યા છે તો કોઈ ડાન્સ કરતા કરતા મોતને વ્હાલું થાય છે. ત્યારે એક કિસ્સો ઉત્તર પ્રદેશથી સામે આવ્યો છે જેમાં ક્રિકેટ રમતા રમતા ક્રિકેટર મોતને ભેટી રહ્યા છે. 


ક્રિકેટ રમતી વખતે એક યુવાનને આવ્યો હાર્ટ એટેક 

સોશિયલ મીડિયા પર આનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં ક્રિકેટરનું મોત અચાનક થઈ જાય છે. મળતી માહિતી અનુસાર આ ઘટના 6 જાન્યુઆરીએ બની હતી. નોયડાના સેક્ટર-135માં બનેલા સ્ટેડિયમમાં યુવાનો ક્રિકેટ રમી રહ્યા હતા. આ દરમિયાન મૂળ ઉત્તરાખંડનો 36 વર્ષીય વિકાસ નેગી બેટિંગ કરવા આવ્યો હતો. રમત દરમિયાન, નોન-સ્ટ્રાઈક છેડે ઊભેલો વિકાસ રન લેવા દોડ્યો, પરંતુ જ્યારે તે અડધી પીચ પર પહોંચ્યો ત્યાં સુધીમાં બોલ બાઉન્ડ્રીની બહાર ગયો અને ચાર રન થઈ ગયા. અડધી પીચમાંથી નોન-સ્ટ્રાઈક એન્ડ તરફ પરત ફરતી વખતે વિકાસ અચાનક પડી ગયો હતો.વિકાસને પડતા જોઈ તેના સાથી ખેલાડીઓ તેની પાસે દોડી આવ્યા હતા.


આની પહેલા પણ સામે આવ્યો છે આવો કિસ્સો 

બેહોશ થયેલા યુવાનને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો પરંતુ ત્યાં હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા. નોયડા પોલીસે આ મામલે જાણકારી આપી કે મૃતક મૂળ ઉત્તરાખંડના રહેવાસી હતા. હાલ રોહિણી, દિલ્હીમાં રહે છે. ક્રિકેટ રમતી વખતે તે અચાનક જ હાર્ટ એટેકને કારણે પીચ પર પડી ગયો હતો. આની પહેલા પણ આવો એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં બેડમિન્ટન રમતા રમતા એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.