વ્હાઇટ હાઉસે ભારત પર "ટેરિફ"ને લઇને કર્યા આકરા પ્રહાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-13 16:31:05

અમેરિકાએ ફરી એકવાર ભારતને ટેરિફને લઇને ટાર્ગેટ બનાવ્યું છે . વહાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટે પ્રેસ વાર્તા દરમ્યાન ભારત સહીત બીજા ઘણા દેશો પર ટેરિફને લઇને આકરા પ્રહાર કર્યા છે . તો આવો જાણીએ કેમ અવારનવાર અમેરિકા ભારતને ટેરિફને લઇને ટાર્ગેટ કરતુ રહે છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહાઈટ હાઉસમાં આગમન થતાની સાથે જ જાણે "ટ્રેડ વાર" પોતાના જ સહયોગી દેશો સાથે શરુ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે . જોકે આ ટ્રેડવાર અપેક્ષિત હતું કેમ કે , અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના  ચૂંટણી પ્રચાર દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર કહી ચુક્યા છે , " ડિક્ષનરીમાં "ટેરિફ" શબ્દ મારો સૌથી પ્રિય છે ." 

આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને "ટેરિફ કિંગ" પણ કહી ચુક્યા છે . હવે વહાઈટ હોઉસે અમેરિકન માલ સામાન પર વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ પર ચર્ચા કરી હતી .   જેમાં વહાઈટ હાઉસના સેક્રેટરી કેરોલાઇન લેવિટે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે , " ભારત અમેરિકન દારૂ પર ૧૫૦ ટકા જયારે અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ લાદે છે . " કેરોલાઈન લેવિટે તો જાપાનને અને કેનેડાને પણ આડેહાથ લીધું હતું . કેરોલાઇન લેવિટ આ પ્રેસ કોન્ફરન્સમાં આખો ચાર્ટ લઇને આવ્યા હતા જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે , ક્યા ક્યા દેશો અમેરિકન માલ - સામાન પર કેટલા ટકા ટેરિફ લાદે છે? જેમાં ભારત પણ હતું . ભારતનો ઉલ્લેખ કરીને કેરોલાઇને કહ્યું કે , " જોવો ભારત અમેરિકન દારૂ પર ૧૫૦ ટકા ટેરિફ લગાડે છે. જેનાથી કેન્ટુકી બોર્નબોર્ન ની ભારતમાં નિકાસ મોંઘી બને છે ." આપને જણાવી દયિકે , કેન્ટુકી બોર્નબોન અમેરિકાની લોકપ્રિય આલ્કોહોલની બ્રાન્ડ છે . ભારત સરકારના વિદેશ ખાતાના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ થોડા સમય પેહલા જ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું છે કે , "  અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર કરાર એટલેકે ( બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ)  બંને દેશો ભારત અને અમેરિકા વચ્ચે સબંધો મજબૂત કરશે . એકબીજાના માર્કેટ ઉપલબ્ધ બનશે અને ટેરિફ અને નોન - ટેરિફ બેરીયરમાં પણ ઘટાડો થશે. ભારત અને અમેરિકા વચ્ચેની સપ્લાય ચેન આ કરારથી મજબૂત થશે." 

આપને જણાવી દયિકે ભારતે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળમાં (૨૦૧૬ - ૨૦૨૦) દરમ્યાન બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાર્તાલાપ શરુ કર્યો હતો પરંતુ કોઈ કારણસર બેઉ દેશો વચ્ચે મતભેદો યથાવત રહ્યા હતા . વાત કરીએ ભારત અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપારની તો , ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળ દરમ્યાન તેમણે ભારત પાસેથી "જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ " એટલેકે GSP નું બિરુદ લઈ દીધું હતું , આ GSP અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાંથી આવતા માલ સામાનની આયાત પર ખુબ નહિવત અથવા તો ઝીરો ટેરિફ લગાડે છે , પરંતુ ટ્રમ્પએ ભારતને આ ઝટકો આપતા આપણને ૭૦ મિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો . વાત કરીએ હાલની તો યુએસ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે . આપણે અમેરિકા પાસે ટ્રેડ પ્લસ છીએ તેનો મતલબ જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ તેના કરતા વધારે વસ્તુ આપણે અમેરિકમાં નિકાસ કરીએ છીએ . ૨૦૨૩ના વર્ષમાં ભારતે અમેરિકામાં ૮૫.૫ બિલિયન ડોલરના કિંમતની વસ્તુઓ નિકાસ કરી હતી . આ મુખ્ય નિકાસોમાં ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ , દવાઓ , જેમ્સ અને જવેલરી ,  રીફાઇન્ડ  ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ , અમેરિકા ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે . 

તમારું ભારત અમેરિકા વ્યાપારી સંબંધોને લઇને શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .



Who does not know the famous Indian industrialist Dhirajlal Hira Chand Ambani alias Dhirubhai Ambani. Many people have heard his story from working at a petrol pump to establishing a company like Reliance Industries. But very few people know how much struggle he has had to reach here and what thoughts and principles he lives by. 28th December is Dhirubhai Ambani's birthday. Before that, Parimalbhai Nathwani has written an article on Dhirubhai's life and his principles. In the article, Parimal Nathwani has described Dhirubhai's life by linking it with the principles of Geeta.

ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા અને શહેરમાં બાકી રહેલી નિયુક્તિઓને લઇને કવાયત તેજ કરવામાં આવી છે. છેલ્લા એક અઠવાડિયાથી જિલ્લા અને શહેર પ્રમુખની નિયુક્તિઓ માટે બેઠકોનો ધમધમાટ ચાલી રહ્યો છે. આ માટે પ્રદેશપ્રમુખ જગદીશ પંચાલ અને સંગઠનમંત્રી રત્નાકર પાંડે તબક્કાવાર બેઠકો કરી રહ્યા છે જે અંતર્ગત વિવિધ જિલ્લાઓના હોદ્દેદારો સાથે બેઠક યોજવામાં આવી છે.

અમદાવાદ સમગ્ર ભારતના ઇતિહાસમાં એક નવું નામ અંકિત કરવા જઈ રહ્યું છે. કેમ કે , ભારતને આજે કોમનવેલ્થ ગેમ્સની વર્ષ ૨૦૩૦ની યજમાની મળી ચુકી છે. જે હવે આપણા અમદાવાદમાં યોજાશે. આ જાહેરાત સ્કોટલેન્ડના ગ્લાસગોમાં કોમનવેલ્થ સ્પોર્ટ્સ એક્ઝિક્યુટિવ બોર્ડની મિટિંગ બાદ કરવામાં આવી છે. આ મિટિંગમાં ભારત તરફથી ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ પણ હાજર હતું.

ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.