વ્હાઇટ હાઉસે ભારત પર "ટેરિફ"ને લઇને કર્યા આકરા પ્રહાર!


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-03-13 16:31:05

અમેરિકાએ ફરી એકવાર ભારતને ટેરિફને લઇને ટાર્ગેટ બનાવ્યું છે . વહાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટે પ્રેસ વાર્તા દરમ્યાન ભારત સહીત બીજા ઘણા દેશો પર ટેરિફને લઇને આકરા પ્રહાર કર્યા છે . તો આવો જાણીએ કેમ અવારનવાર અમેરિકા ભારતને ટેરિફને લઇને ટાર્ગેટ કરતુ રહે છે.  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું વહાઈટ હાઉસમાં આગમન થતાની સાથે જ જાણે "ટ્રેડ વાર" પોતાના જ સહયોગી દેશો સાથે શરુ કરી દીધું હોય તેવું લાગી રહ્યું છે . જોકે આ ટ્રેડવાર અપેક્ષિત હતું કેમ કે , અમેરિકામાં રાષ્ટ્રપતિ પદના  ચૂંટણી પ્રચાર દરમ્યાન ડોનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર કહી ચુક્યા છે , " ડિક્ષનરીમાં "ટેરિફ" શબ્દ મારો સૌથી પ્રિય છે ." 

આ પછી ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને "ટેરિફ કિંગ" પણ કહી ચુક્યા છે . હવે વહાઈટ હોઉસે અમેરિકન માલ સામાન પર વિવિધ દેશો દ્વારા લગાવવામાં આવેલ ટેરિફ પર ચર્ચા કરી હતી .   જેમાં વહાઈટ હાઉસના સેક્રેટરી કેરોલાઇન લેવિટે ભારતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે , " ભારત અમેરિકન દારૂ પર ૧૫૦ ટકા જયારે અમેરિકન કૃષિ ઉત્પાદનો પર ૧૦૦ ટકા ટેરિફ લાદે છે . " કેરોલાઈન લેવિટે તો જાપાનને અને કેનેડાને પણ આડેહાથ લીધું હતું . કેરોલાઇન લેવિટ આ પ્રેસ કોન્ફરન્સમાં આખો ચાર્ટ લઇને આવ્યા હતા જેમાં દર્શાવવામાં આવ્યું હતું કે , ક્યા ક્યા દેશો અમેરિકન માલ - સામાન પર કેટલા ટકા ટેરિફ લાદે છે? જેમાં ભારત પણ હતું . ભારતનો ઉલ્લેખ કરીને કેરોલાઇને કહ્યું કે , " જોવો ભારત અમેરિકન દારૂ પર ૧૫૦ ટકા ટેરિફ લગાડે છે. જેનાથી કેન્ટુકી બોર્નબોર્ન ની ભારતમાં નિકાસ મોંઘી બને છે ." આપને જણાવી દયિકે , કેન્ટુકી બોર્નબોન અમેરિકાની લોકપ્રિય આલ્કોહોલની બ્રાન્ડ છે . ભારત સરકારના વિદેશ ખાતાના પ્રવક્તા રણધીર જયસ્વાલે અગાઉ થોડા સમય પેહલા જ ભારતની સ્થિતિ સ્પષ્ટ કરતા કહ્યું છે કે , "  અમેરિકા અને ભારત વચ્ચે દ્વિપક્ષીય વ્યાપાર કરાર એટલેકે ( બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ)  બંને દેશો ભારત અને અમેરિકા વચ્ચે સબંધો મજબૂત કરશે . એકબીજાના માર્કેટ ઉપલબ્ધ બનશે અને ટેરિફ અને નોન - ટેરિફ બેરીયરમાં પણ ઘટાડો થશે. ભારત અને અમેરિકા વચ્ચેની સપ્લાય ચેન આ કરારથી મજબૂત થશે." 

આપને જણાવી દયિકે ભારતે અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળમાં (૨૦૧૬ - ૨૦૨૦) દરમ્યાન બાઈલેટરલ ટ્રેડ એગ્રીમેન્ટ માટે વાર્તાલાપ શરુ કર્યો હતો પરંતુ કોઈ કારણસર બેઉ દેશો વચ્ચે મતભેદો યથાવત રહ્યા હતા . વાત કરીએ ભારત અમેરિકાના દ્વિપક્ષીય વ્યાપારની તો , ડોનાલ્ડ ટ્રમ્પના પેહલા કાર્યકાળ દરમ્યાન તેમણે ભારત પાસેથી "જનરલાઇઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સ " એટલેકે GSP નું બિરુદ લઈ દીધું હતું , આ GSP અંતર્ગત અમેરિકા વિકાસશીલ દેશોમાંથી આવતા માલ સામાનની આયાત પર ખુબ નહિવત અથવા તો ઝીરો ટેરિફ લગાડે છે , પરંતુ ટ્રમ્પએ ભારતને આ ઝટકો આપતા આપણને ૭૦ મિલિયન ડોલરનો ફટકો પડ્યો હતો . વાત કરીએ હાલની તો યુએસ ભારતનું બીજા નંબરનું સૌથી મોટું ટ્રેડ પાર્ટનર છે . આપણે અમેરિકા પાસે ટ્રેડ પ્લસ છીએ તેનો મતલબ જેટલી વસ્તુ આપણે અમેરિકામાંથી આયાત કરીએ છીએ તેના કરતા વધારે વસ્તુ આપણે અમેરિકમાં નિકાસ કરીએ છીએ . ૨૦૨૩ના વર્ષમાં ભારતે અમેરિકામાં ૮૫.૫ બિલિયન ડોલરના કિંમતની વસ્તુઓ નિકાસ કરી હતી . આ મુખ્ય નિકાસોમાં ઇલેક્ટ્રોનિક્સ ગૂડ્સ , દવાઓ , જેમ્સ અને જવેલરી ,  રીફાઇન્ડ  ક્રૂડ ઓઇલનો સમાવેશ થાય છે. તો હવે જોઈએ , અમેરિકા ભારત પ્રત્યે કેવું વલણ રાખે છે . 

તમારું ભારત અમેરિકા વ્યાપારી સંબંધોને લઇને શું માનવું છે તે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવજો .



ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.