કોણ છે એ લોકો જેમણે સંસદની અંદર અને બહાર કોહરામ મચાવ્યો, શા માટે સર્જી તંગદીલી?


  • Published By :
  • Published Date : 2023-12-13 16:25:06

લોકસભાની કાર્યવાહી દરમિયાન અચાનક બે લોકો ગૃહમાં ઘૂસી જતાં હોબાળો મચી ગયો હતો. બંનેના હાથમાં ટીયર ગેસ જેવું કંઈક હતું. જો કે તેઓ કંઈ કરે તે પહેલા જ તે ઝડપાઈ ગયા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ બે લોકો કોણ છે અને સંસદમાં કેવી રીતે તથા શા માટે પ્રવેશ્યા હતા? સંસદમાં પ્રવેશેલા એક યુવકનું નામ સાગર શર્મા અને બીજાનું નામ મનોરંજન છે. નિષ્કાસિત બસપા સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે તેણે સુરક્ષા અધિકારીઓમાંથી એક વ્યક્તિનો પાસ જોયો અને તેનું નામ સાગર છે. તેઓ મૈસૂર ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ હાલમાં અન્ય વિશે તપાસ કરી રહી છે.


લોકસભાની બહાર બે લોકોએ હંગામો મચાવ્યો હતો

 

સંસદની બહાર બનેલી ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.


કોણ છે સાગર અને મનોરંજન?


લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કુદનારા યુવકનું નામ સાગર શર્મા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાગર શર્મા ઉપરાંત જે શખ્સે લોકસભામાં હોબાળો મચાવ્યો તેનું નામ મનોરંજન ડી છે. જો કે કર્ણાટકના મૈસુર શહેરનો વતની છે. તેનું ઉંમર 35 વર્ષ છે, તેણે બેંગ્લરૂની વિવેકાનંદ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગ કર્યું છે. તે બંનેએ સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર સંસદમાં એન્ટ્રી મેળવી હતી. જો કે સંસદની અંદર અને બહાર જે લોકોએ હોબાળો મચાવ્યો હતો તેમની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડા અને અને ગૃહ સચિવ અજય ભલ્લા સંસદ પહોંચી ચુક્યા છે. સુરક્ષાકર્મીઓ સંસદમાં અફરાતફરી મચાવનારા બંને યુવકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. બંને એવું શા માટે કર્યું તે અંગે હજું સુધી કોઈ માહિતી મળી નથી.  



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.