કોણ છે એ લોકો જેમણે સંસદની અંદર અને બહાર કોહરામ મચાવ્યો, શા માટે સર્જી તંગદીલી?


  • Published By :
  • Published Date : 2023-12-13 16:25:06

લોકસભાની કાર્યવાહી દરમિયાન અચાનક બે લોકો ગૃહમાં ઘૂસી જતાં હોબાળો મચી ગયો હતો. બંનેના હાથમાં ટીયર ગેસ જેવું કંઈક હતું. જો કે તેઓ કંઈ કરે તે પહેલા જ તે ઝડપાઈ ગયા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ બે લોકો કોણ છે અને સંસદમાં કેવી રીતે તથા શા માટે પ્રવેશ્યા હતા? સંસદમાં પ્રવેશેલા એક યુવકનું નામ સાગર શર્મા અને બીજાનું નામ મનોરંજન છે. નિષ્કાસિત બસપા સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે તેણે સુરક્ષા અધિકારીઓમાંથી એક વ્યક્તિનો પાસ જોયો અને તેનું નામ સાગર છે. તેઓ મૈસૂર ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ હાલમાં અન્ય વિશે તપાસ કરી રહી છે.


લોકસભાની બહાર બે લોકોએ હંગામો મચાવ્યો હતો

 

સંસદની બહાર બનેલી ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.


કોણ છે સાગર અને મનોરંજન?


લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કુદનારા યુવકનું નામ સાગર શર્મા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાગર શર્મા ઉપરાંત જે શખ્સે લોકસભામાં હોબાળો મચાવ્યો તેનું નામ મનોરંજન ડી છે. જો કે કર્ણાટકના મૈસુર શહેરનો વતની છે. તેનું ઉંમર 35 વર્ષ છે, તેણે બેંગ્લરૂની વિવેકાનંદ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગ કર્યું છે. તે બંનેએ સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર સંસદમાં એન્ટ્રી મેળવી હતી. જો કે સંસદની અંદર અને બહાર જે લોકોએ હોબાળો મચાવ્યો હતો તેમની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડા અને અને ગૃહ સચિવ અજય ભલ્લા સંસદ પહોંચી ચુક્યા છે. સુરક્ષાકર્મીઓ સંસદમાં અફરાતફરી મચાવનારા બંને યુવકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. બંને એવું શા માટે કર્યું તે અંગે હજું સુધી કોઈ માહિતી મળી નથી.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે