કોણ છે એ લોકો જેમણે સંસદની અંદર અને બહાર કોહરામ મચાવ્યો, શા માટે સર્જી તંગદીલી?


  • Published By :
  • Published Date : 2023-12-13 16:25:06

લોકસભાની કાર્યવાહી દરમિયાન અચાનક બે લોકો ગૃહમાં ઘૂસી જતાં હોબાળો મચી ગયો હતો. બંનેના હાથમાં ટીયર ગેસ જેવું કંઈક હતું. જો કે તેઓ કંઈ કરે તે પહેલા જ તે ઝડપાઈ ગયા હતા. હવે સવાલ એ ઉઠી રહ્યો છે કે આ બે લોકો કોણ છે અને સંસદમાં કેવી રીતે તથા શા માટે પ્રવેશ્યા હતા? સંસદમાં પ્રવેશેલા એક યુવકનું નામ સાગર શર્મા અને બીજાનું નામ મનોરંજન છે. નિષ્કાસિત બસપા સાંસદ દાનિશ અલીએ જણાવ્યું કે તેણે સુરક્ષા અધિકારીઓમાંથી એક વ્યક્તિનો પાસ જોયો અને તેનું નામ સાગર છે. તેઓ મૈસૂર ભાજપના સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર આવ્યા હતા. સુરક્ષા એજન્સીઓ હાલમાં અન્ય વિશે તપાસ કરી રહી છે.


લોકસભાની બહાર બે લોકોએ હંગામો મચાવ્યો હતો

 

સંસદની બહાર બનેલી ઘટનામાં દિલ્હી પોલીસે બે લોકોની અટકાયત કરી છે. તેમના નામ નીલમ અને અનમોલ શિંદે છે. નીલમ એક મહિલા છે અને તેની ઉંમર 42 વર્ષ છે, તે હરિયાણાના હિસારની રહેવાસી છે. બીજા આરોપીનું નામ અનમોલ શિંદે છે. અનમોલના પિતાનું નામ ધનરાજ શિંદે છે અને તે મહારાષ્ટ્રના લાતુરનો રહેવાસી છે. તેની ઉંમર 25 વર્ષ છે.


કોણ છે સાગર અને મનોરંજન?


લોકસભામાં પ્રેક્ષક ગેલેરીમાંથી કુદનારા યુવકનું નામ સાગર શર્મા હોવાનું કહેવામાં આવી રહ્યું છે, સાગર શર્મા ઉપરાંત જે શખ્સે લોકસભામાં હોબાળો મચાવ્યો તેનું નામ મનોરંજન ડી છે. જો કે કર્ણાટકના મૈસુર શહેરનો વતની છે. તેનું ઉંમર 35 વર્ષ છે, તેણે બેંગ્લરૂની વિવેકાનંદ યુનિવર્સિટીમાંથી એન્જીનિયરિંગ કર્યું છે. તે બંનેએ સાંસદ પ્રતાપ સિમ્હાના પાસ પર સંસદમાં એન્ટ્રી મેળવી હતી. જો કે સંસદની અંદર અને બહાર જે લોકોએ હોબાળો મચાવ્યો હતો તેમની વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં તે અંગે કોઈ જાણકારી મળી શકી નથી. મામલાની તપાસ માટે દિલ્હી પોલીસ કમિશનર સંજય અરોડા અને અને ગૃહ સચિવ અજય ભલ્લા સંસદ પહોંચી ચુક્યા છે. સુરક્ષાકર્મીઓ સંસદમાં અફરાતફરી મચાવનારા બંને યુવકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી દીધી છે. બંને એવું શા માટે કર્યું તે અંગે હજું સુધી કોઈ માહિતી મળી નથી.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.