સ્માર્ટ શહેર અમદાવાદમાં શાળાએ જતા બાળકો રિક્ષામાં ઠુસી-ઠુસીને ભરવામાં આવે છે


  • Published By :
  • Published Date : 2023-09-09 20:43:16

સ્માર્ટ શહેર અમદાવાદની શાળામાં ભણતા છોકરાઓને રિક્ષામાં ઠુંસી ઠુંસીને ભરવામાં આવ્યા છે એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ગામડામાં તો પરિસ્થિતિ ખરાબ હતી પણ હવે તો શહેરમાં પણ લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતા આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ દુઃખદ છે.

ગામડા તો ન સુધર્યા, શહેરો પણ બગડી ગયા

આ વીડિયો પરથી એવું લાગી રહ્યું છે કે શહેર અને ગામડાનું અંતર ઘટ્યું છે. જે રીતે નાના ભૂલકાઓને રિક્ષામાં ભરવામાં આવ્યા છે એ દેખાડી રહ્યું છે કે ગામડા તો ન સુધર્યા અને શહેરો પણ બગડી ગયા છે. ગામડાઓમાં છોકરાઓને રિક્ષા કે જીપમાં બેસાડીને લઈ જતા હોય શાળા માટે ત્યારે મગફળીની ગુણીની જેમ ઠુંસી ઠુંસીને ભરી દેતા હોય છે. લાગી રહ્યું છે એ પ્રથા હવે શહેરમાં પણ આવી રહી છે. અમદાવાદ જેવા અમદાવાદમાં જેમાં મા બાપ બાળકોને ભણાવવા માટે પ્રાથમિક શાળામાં જ લાખો રૂપિયા ભરતા હોય છે તેમાં પણ આ પ્રકારની સ્થિતિ નજર આવી રહી છે. વિચાર કરો એક રિક્ષામાં આટલા છોકરા ભર્યા છે છોકરો લપસીને પડી જાય તો જવાબદાર કોણ? ખાડો આવી જાય અને છોકરાઓને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ? 

છોકરાઓને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ?

આપણે જાણીએ છીએ કે શાળાની રિક્ષામાં બે છોકરાઓ જાય તો રિક્ષાવાળાને તો ભાડું પોસાય જાય પણ મા બાપને એ ભાડુ ક્યારેય ન પોસાય કારણ કે શાળાની બંધાયેલી રિક્ષામાં છોકરાઓ ઘટે તો મા બાપને ખિસ્સામાં ભાર વધી જાય. તેમને વધારે રૂપિયા આપવા પડે અને બધાની પરિસ્થિતિ સક્ષમ નથી હોતી કે આવી રીતે શાળાએ લઈ જવાના અને મૂકી જવાના વધારે રૂપિયા આપી શકે અને એટલા માટે જ સોસાયટીના વાલીઓ છોકરાઓ માટે એક રિક્ષા બંધાવી લેતા હોય છે જેમાં એક સાથે તેમના બાળકો જાય તો વાલીઓને પરવળે, પણ બીજી બાજુ છોકરાઓને કંઈ થઈ જાય તો? 


તમને યાદ હોય તો જાન્યુઆરી 2023માં એક બનાવ બન્યો હતો. વિદ્યાર્થીથી ભરેલી રિક્ષા રસ્તા પર જઈ રહી હતી અને બે આખલાઓ રસ્તા પર ઝઘડી રહ્યા હતા, આખલાઓ રિક્ષા સાથે અથડાયા અને છોકરાઓથી ભરેલી રિક્ષા ગોથું મારી ગઈ. આતો સારું હતું કે રિક્ષા ધીમી ઝડપે જઈ રહી હતી એટલે છોકરાઓને કંઈ થયું નહીં બાકી ગમે તે થઈ શકે. અનેકવાર આવા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા રહે છે છતાં પણ કોઈ ગંભીરતાથી આ મામલે પગલા નથી લેવાતા. પછી તક્ષશિલા જેવો કોઈ મોટો બનાવ બને છે ત્યારે અચાનક આ મામલે ધ્યાન દોરાય છે પણ ત્યાં સુધી તો મોડું થઈ ગયું હોય છે. આ મામલે કોઈ પગલા લેવા જોઈએ બાકી આગામી સમયમાં મોટી દુર્ઘટના થાય તો જવાબદાર આપણે જ હશું.  



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.