સ્માર્ટ શહેર અમદાવાદમાં શાળાએ જતા બાળકો રિક્ષામાં ઠુસી-ઠુસીને ભરવામાં આવે છે


  • Published By :
  • Published Date : 2023-09-09 20:43:16

સ્માર્ટ શહેર અમદાવાદની શાળામાં ભણતા છોકરાઓને રિક્ષામાં ઠુંસી ઠુંસીને ભરવામાં આવ્યા છે એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ગામડામાં તો પરિસ્થિતિ ખરાબ હતી પણ હવે તો શહેરમાં પણ લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતા આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ દુઃખદ છે.

ગામડા તો ન સુધર્યા, શહેરો પણ બગડી ગયા

આ વીડિયો પરથી એવું લાગી રહ્યું છે કે શહેર અને ગામડાનું અંતર ઘટ્યું છે. જે રીતે નાના ભૂલકાઓને રિક્ષામાં ભરવામાં આવ્યા છે એ દેખાડી રહ્યું છે કે ગામડા તો ન સુધર્યા અને શહેરો પણ બગડી ગયા છે. ગામડાઓમાં છોકરાઓને રિક્ષા કે જીપમાં બેસાડીને લઈ જતા હોય શાળા માટે ત્યારે મગફળીની ગુણીની જેમ ઠુંસી ઠુંસીને ભરી દેતા હોય છે. લાગી રહ્યું છે એ પ્રથા હવે શહેરમાં પણ આવી રહી છે. અમદાવાદ જેવા અમદાવાદમાં જેમાં મા બાપ બાળકોને ભણાવવા માટે પ્રાથમિક શાળામાં જ લાખો રૂપિયા ભરતા હોય છે તેમાં પણ આ પ્રકારની સ્થિતિ નજર આવી રહી છે. વિચાર કરો એક રિક્ષામાં આટલા છોકરા ભર્યા છે છોકરો લપસીને પડી જાય તો જવાબદાર કોણ? ખાડો આવી જાય અને છોકરાઓને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ? 

છોકરાઓને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ?

આપણે જાણીએ છીએ કે શાળાની રિક્ષામાં બે છોકરાઓ જાય તો રિક્ષાવાળાને તો ભાડું પોસાય જાય પણ મા બાપને એ ભાડુ ક્યારેય ન પોસાય કારણ કે શાળાની બંધાયેલી રિક્ષામાં છોકરાઓ ઘટે તો મા બાપને ખિસ્સામાં ભાર વધી જાય. તેમને વધારે રૂપિયા આપવા પડે અને બધાની પરિસ્થિતિ સક્ષમ નથી હોતી કે આવી રીતે શાળાએ લઈ જવાના અને મૂકી જવાના વધારે રૂપિયા આપી શકે અને એટલા માટે જ સોસાયટીના વાલીઓ છોકરાઓ માટે એક રિક્ષા બંધાવી લેતા હોય છે જેમાં એક સાથે તેમના બાળકો જાય તો વાલીઓને પરવળે, પણ બીજી બાજુ છોકરાઓને કંઈ થઈ જાય તો? 


તમને યાદ હોય તો જાન્યુઆરી 2023માં એક બનાવ બન્યો હતો. વિદ્યાર્થીથી ભરેલી રિક્ષા રસ્તા પર જઈ રહી હતી અને બે આખલાઓ રસ્તા પર ઝઘડી રહ્યા હતા, આખલાઓ રિક્ષા સાથે અથડાયા અને છોકરાઓથી ભરેલી રિક્ષા ગોથું મારી ગઈ. આતો સારું હતું કે રિક્ષા ધીમી ઝડપે જઈ રહી હતી એટલે છોકરાઓને કંઈ થયું નહીં બાકી ગમે તે થઈ શકે. અનેકવાર આવા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા રહે છે છતાં પણ કોઈ ગંભીરતાથી આ મામલે પગલા નથી લેવાતા. પછી તક્ષશિલા જેવો કોઈ મોટો બનાવ બને છે ત્યારે અચાનક આ મામલે ધ્યાન દોરાય છે પણ ત્યાં સુધી તો મોડું થઈ ગયું હોય છે. આ મામલે કોઈ પગલા લેવા જોઈએ બાકી આગામી સમયમાં મોટી દુર્ઘટના થાય તો જવાબદાર આપણે જ હશું.  



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.