સ્માર્ટ શહેર અમદાવાદમાં શાળાએ જતા બાળકો રિક્ષામાં ઠુસી-ઠુસીને ભરવામાં આવે છે


  • Published By :
  • Published Date : 2023-09-09 20:43:16

સ્માર્ટ શહેર અમદાવાદની શાળામાં ભણતા છોકરાઓને રિક્ષામાં ઠુંસી ઠુંસીને ભરવામાં આવ્યા છે એવો વીડિયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે. ગામડામાં તો પરિસ્થિતિ ખરાબ હતી પણ હવે તો શહેરમાં પણ લાખો રૂપિયા ખર્ચ્યા હોવા છતા આવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે એ દુઃખદ છે.

ગામડા તો ન સુધર્યા, શહેરો પણ બગડી ગયા

આ વીડિયો પરથી એવું લાગી રહ્યું છે કે શહેર અને ગામડાનું અંતર ઘટ્યું છે. જે રીતે નાના ભૂલકાઓને રિક્ષામાં ભરવામાં આવ્યા છે એ દેખાડી રહ્યું છે કે ગામડા તો ન સુધર્યા અને શહેરો પણ બગડી ગયા છે. ગામડાઓમાં છોકરાઓને રિક્ષા કે જીપમાં બેસાડીને લઈ જતા હોય શાળા માટે ત્યારે મગફળીની ગુણીની જેમ ઠુંસી ઠુંસીને ભરી દેતા હોય છે. લાગી રહ્યું છે એ પ્રથા હવે શહેરમાં પણ આવી રહી છે. અમદાવાદ જેવા અમદાવાદમાં જેમાં મા બાપ બાળકોને ભણાવવા માટે પ્રાથમિક શાળામાં જ લાખો રૂપિયા ભરતા હોય છે તેમાં પણ આ પ્રકારની સ્થિતિ નજર આવી રહી છે. વિચાર કરો એક રિક્ષામાં આટલા છોકરા ભર્યા છે છોકરો લપસીને પડી જાય તો જવાબદાર કોણ? ખાડો આવી જાય અને છોકરાઓને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ? 

છોકરાઓને કંઈ થઈ જાય તો જવાબદાર કોણ?

આપણે જાણીએ છીએ કે શાળાની રિક્ષામાં બે છોકરાઓ જાય તો રિક્ષાવાળાને તો ભાડું પોસાય જાય પણ મા બાપને એ ભાડુ ક્યારેય ન પોસાય કારણ કે શાળાની બંધાયેલી રિક્ષામાં છોકરાઓ ઘટે તો મા બાપને ખિસ્સામાં ભાર વધી જાય. તેમને વધારે રૂપિયા આપવા પડે અને બધાની પરિસ્થિતિ સક્ષમ નથી હોતી કે આવી રીતે શાળાએ લઈ જવાના અને મૂકી જવાના વધારે રૂપિયા આપી શકે અને એટલા માટે જ સોસાયટીના વાલીઓ છોકરાઓ માટે એક રિક્ષા બંધાવી લેતા હોય છે જેમાં એક સાથે તેમના બાળકો જાય તો વાલીઓને પરવળે, પણ બીજી બાજુ છોકરાઓને કંઈ થઈ જાય તો? 


તમને યાદ હોય તો જાન્યુઆરી 2023માં એક બનાવ બન્યો હતો. વિદ્યાર્થીથી ભરેલી રિક્ષા રસ્તા પર જઈ રહી હતી અને બે આખલાઓ રસ્તા પર ઝઘડી રહ્યા હતા, આખલાઓ રિક્ષા સાથે અથડાયા અને છોકરાઓથી ભરેલી રિક્ષા ગોથું મારી ગઈ. આતો સારું હતું કે રિક્ષા ધીમી ઝડપે જઈ રહી હતી એટલે છોકરાઓને કંઈ થયું નહીં બાકી ગમે તે થઈ શકે. અનેકવાર આવા વીડિયો સોશિયલ મીડિયામાં ફરતા રહે છે છતાં પણ કોઈ ગંભીરતાથી આ મામલે પગલા નથી લેવાતા. પછી તક્ષશિલા જેવો કોઈ મોટો બનાવ બને છે ત્યારે અચાનક આ મામલે ધ્યાન દોરાય છે પણ ત્યાં સુધી તો મોડું થઈ ગયું હોય છે. આ મામલે કોઈ પગલા લેવા જોઈએ બાકી આગામી સમયમાં મોટી દુર્ઘટના થાય તો જવાબદાર આપણે જ હશું.  



ભારતે હવે હવાઈ ક્ષેત્રે પાકિસ્તાનને ઘેરવાનું શરુ કરી દીધું છે. ભારત સરકારે જાહેરાત કરી છે કે ૨૩ મેં સુધી પાકિસ્તાન માટે ભારતનો એર સ્પેસ બંધ રહેશે . પાકિસ્તાનની તમામ ફ્લાઇટો ભારતના એરસ્પેસનો ઉપયોગ કરીને ચીન , મ્યાનમાર , થાઈલેન્ડ શ્રીલંકા જતી હતી. પરંતુ હવે પાકિસ્તાને ગોળ ચક્કર લગાવીને જવું પડશે. ભારતના એરસ્પેસમાં ચોખ્ખી નો-એન્ટ્રી . આમ ભારતે પાકિસ્તાનના અર્થતંત્ર પર ખુબ મોટી સ્ટ્રાઇક કરી છે.

પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.