રેડ પર રાજનીતિ ! સાચું કોણ અમદાવાદ પોલીસ કે આમ આદમી પાર્ટી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:28:52


પોલીસ અને આપ માંથી કોણ સાચું ? 

આમ આદમી પાર્ટી દ્વારા ગઇકાલે રેટ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ પોલીસ દ્વારા તેમના કાર્યાલય ખાતે દરોડા પાડવા માં આવ્યા છે , ત્યારે આજે સવારે અમદાવાદ પોલીસએ ટ્વીટ કરીને આ વાત નકારી છે અને તેનો જવાબ દેતા હવે ગોપાલ ઇટાલિયાએ વધુ ટ્વીટ કરીને ખરેખર દરોડા હોવા નો ખુલાસો કર્યો છે ત્યારે હવે સવાલ થાય છે શું ખરેખર આપ ની ઓફિસ માં દરોડા પડ્યા હતા ? પોલીસ અને આપ માંથી કોણ સાચું ? 

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને લખ્યું, ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.



આ પહેલા આજે સવારે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.


ગોપાલ ઇટાલિયા "ભાજપના કહેવાથી પોહચી પોલીસ"

આપની ઓફિસ દરોડા મામલે રાજનીતિ થઈ રહી છે ત્યારે આજે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે પોલીસનો કોઈ વાંક નથી. ત્યારે ઇસુદાન ગઢવીએ કહ્યું ભાજપ બોખલાય કેમ ગયું છે અમદાવાદ પોલીસે ટ્વિટ કરી કહ્યું કે રેડ કરવામાં નથી આવી. મને ખબર છે કે પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે. પોલીસનો કોઈ વાંક નથી. પોલીસને બોલવાનો અધિકાર નથી. હું રિક્વેસ્ટ કરું આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ રેડ કરો પણ છુપાવો છો શું કામ? પોલીસ, સીબીઆઇ અને ઇડીથી ડરવાના નથી.રેડ મામલે ગોપાલ ઇટલીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગઇકાલ રાત્રે ભાજપના ઇશારે 8.30 વાગ્યા આસપાસ પોલીસે સર્ચ ઓપરેશન કમ રેડ પાડવામાં આવી. અને આજે અમદાવાદ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે કોઈ રેડ કરવામાં નથી આવી. કાલે 8.30 આસપાસ કેટલા પોલીસ વાળા આવ્યા અને ઓફિસમાં હાજર સંગઠન મંત્રીએ પરિચય પૂછતાં કહ્યું કે, નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી આવીએ છીએ અને આઇ કાર્ડ માંગતા પોલીસ તરીકેનું આઇ કાર્ડ બતાવ્યું. જેમાં હિતેશભાઈ અને પરસભાઈનું આઇ કાર્ડ હતું. તેમણે ઓફિસ ચેક કરી હતી. 


જ્યારે આપ ઓફિસ પર રેડ ના પુરાવા માગવામાં આવ્યા ત્યારે તેમણે કહિયું અમારી ઓફિસ નવી છે આટલે કેમેરાની જરૂર પડી નથી .પરંતુ બિલ્ડિંગની બાજુમાં બેંક છે અને તેના કેમેરા ચેક કરવામાં આવે. હિતેશ અને પારસ ના કોલ લોકેશન ચેક કરવામાં આવે. અમે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લેટમાં આપવાના છીએ કે, જો આ અસલી પોલીસ છે તો આ ભાજપએ મોકલેલી પોલીસ છે અને જો આ નકલી હોય તો હિતેશ અને પારસ નામના વ્યક્તિ પર fir કરવામાં આવે.ઉપરાંત તે બંને લોકોના ફોનની લોકેશન ચેક કરવામાં આવે અને બેન્કના કેમેરા ચેક કરવામાં આવે.




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .