રેડ પર રાજનીતિ ! સાચું કોણ અમદાવાદ પોલીસ કે આમ આદમી પાર્ટી?


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 13:28:52


પોલીસ અને આપ માંથી કોણ સાચું ? 

આમ આદમી પાર્ટી દ્વારા ગઇકાલે રેટ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે અમદાવાદ પોલીસ દ્વારા તેમના કાર્યાલય ખાતે દરોડા પાડવા માં આવ્યા છે , ત્યારે આજે સવારે અમદાવાદ પોલીસએ ટ્વીટ કરીને આ વાત નકારી છે અને તેનો જવાબ દેતા હવે ગોપાલ ઇટાલિયાએ વધુ ટ્વીટ કરીને ખરેખર દરોડા હોવા નો ખુલાસો કર્યો છે ત્યારે હવે સવાલ થાય છે શું ખરેખર આપ ની ઓફિસ માં દરોડા પડ્યા હતા ? પોલીસ અને આપ માંથી કોણ સાચું ? 

ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરીને લખ્યું, ગઈકાલે આમ આદમી પાર્ટીની ડેટા ઓફિસ ઉપર પોલીસે રેઈડ કરી હતી અને આખી ઓફિસમાં તમામ કબાટ, ડ્રોઅર, કોમ્પ્યુટર, ડાયરી વગેરે ચેક કર્યા હતા. ડેટા ઓફિસ ચેક કરનાર પોલીસનું નામ પૂછતાં તેઓએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાંથી હિતેષભાઈ તેમજ પારસભાઈ અને એક અજાણ્યો વ્યક્તિ હોવાનું જણાવ્યું હતું.



આ પહેલા આજે સવારે અમદાવાદ પોલીસે ટ્વીટ કરીને કહ્યું હતું કે, ગઈકાલે આમ આદમી પાર્ટીની ઓફિસે પોલીસે રેડ કરી છે તેવા સમાચાર સોસીયલ મીડિયા દ્વારા જાણવા મળેલ છે. આવા પ્રકારની કોઈ પણ રેડ શહેર પોલીસે દ્વારા કરવામાં આવી નથી.


ગોપાલ ઇટાલિયા "ભાજપના કહેવાથી પોહચી પોલીસ"

આપની ઓફિસ દરોડા મામલે રાજનીતિ થઈ રહી છે ત્યારે આજે ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવી દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી જેમાં તેમણે ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે પોલીસનો કોઈ વાંક નથી. ત્યારે ઇસુદાન ગઢવીએ કહ્યું ભાજપ બોખલાય કેમ ગયું છે અમદાવાદ પોલીસે ટ્વિટ કરી કહ્યું કે રેડ કરવામાં નથી આવી. મને ખબર છે કે પોલીસ પર દિલ્હીથી દબાણ આવી રહ્યું છે. પોલીસનો કોઈ વાંક નથી. પોલીસને બોલવાનો અધિકાર નથી. હું રિક્વેસ્ટ કરું આમ આદમી પાર્ટીની બીજી ઓફિસમાં પણ રેડ કરો પણ છુપાવો છો શું કામ? પોલીસ, સીબીઆઇ અને ઇડીથી ડરવાના નથી.રેડ મામલે ગોપાલ ઇટલીયાએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે, ગઇકાલ રાત્રે ભાજપના ઇશારે 8.30 વાગ્યા આસપાસ પોલીસે સર્ચ ઓપરેશન કમ રેડ પાડવામાં આવી. અને આજે અમદાવાદ પોલીસ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો કે કોઈ રેડ કરવામાં નથી આવી. કાલે 8.30 આસપાસ કેટલા પોલીસ વાળા આવ્યા અને ઓફિસમાં હાજર સંગઠન મંત્રીએ પરિચય પૂછતાં કહ્યું કે, નવરંગપુરા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફમાંથી આવીએ છીએ અને આઇ કાર્ડ માંગતા પોલીસ તરીકેનું આઇ કાર્ડ બતાવ્યું. જેમાં હિતેશભાઈ અને પરસભાઈનું આઇ કાર્ડ હતું. તેમણે ઓફિસ ચેક કરી હતી. 


જ્યારે આપ ઓફિસ પર રેડ ના પુરાવા માગવામાં આવ્યા ત્યારે તેમણે કહિયું અમારી ઓફિસ નવી છે આટલે કેમેરાની જરૂર પડી નથી .પરંતુ બિલ્ડિંગની બાજુમાં બેંક છે અને તેના કેમેરા ચેક કરવામાં આવે. હિતેશ અને પારસ ના કોલ લોકેશન ચેક કરવામાં આવે. અમે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લેટમાં આપવાના છીએ કે, જો આ અસલી પોલીસ છે તો આ ભાજપએ મોકલેલી પોલીસ છે અને જો આ નકલી હોય તો હિતેશ અને પારસ નામના વ્યક્તિ પર fir કરવામાં આવે.ઉપરાંત તે બંને લોકોના ફોનની લોકેશન ચેક કરવામાં આવે અને બેન્કના કેમેરા ચેક કરવામાં આવે.




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .