કોણ જાણી શક્યું કાળને રે ઓચિંતાનું કેવું થાશે... વોક પર નીકળેલી યુવતી બની કાળનો કોળિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 12:16:00

દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાહદારી તેમજ વાહન ચાલકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના નરોડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ BRTS બસ રિવર્સ લઈ રહી હતી તે દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હતું. મોર્નિંગ વોક પર નીકળી હતી તે દરમિયાન BRTSની અડફેટે આવી જતા તેનું કરૂણ મોત નિપજ્યું છે.  

BRTS bus splits in half after hitting wall in Ahmedabad | City - Times of  India Videos


મોર્નિગ વોક પર નીકળેલી મહિલા બની અકસ્માતનો ભોગ  

રસ્તા પર અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. એકના ભૂલની સજા બીજાને ભોગવવી પડે છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક વખત BRTS બસને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુરુવાર સવારે નરોડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલી યુવતી કાળનો કોળિયો બની છે. રિવર્સ લેતા દરમિયાન BRTS બસે મહિલાને પોતાની અડફેટે લીધી હતી. ઘટના સ્થળે મોત થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.   




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.