કોણ જાણી શક્યું કાળને રે ઓચિંતાનું કેવું થાશે... વોક પર નીકળેલી યુવતી બની કાળનો કોળિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 12:16:00

દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાહદારી તેમજ વાહન ચાલકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના નરોડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ BRTS બસ રિવર્સ લઈ રહી હતી તે દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હતું. મોર્નિંગ વોક પર નીકળી હતી તે દરમિયાન BRTSની અડફેટે આવી જતા તેનું કરૂણ મોત નિપજ્યું છે.  

BRTS bus splits in half after hitting wall in Ahmedabad | City - Times of  India Videos


મોર્નિગ વોક પર નીકળેલી મહિલા બની અકસ્માતનો ભોગ  

રસ્તા પર અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. એકના ભૂલની સજા બીજાને ભોગવવી પડે છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક વખત BRTS બસને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુરુવાર સવારે નરોડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલી યુવતી કાળનો કોળિયો બની છે. રિવર્સ લેતા દરમિયાન BRTS બસે મહિલાને પોતાની અડફેટે લીધી હતી. ઘટના સ્થળે મોત થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.   




ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે