કોણ જાણી શક્યું કાળને રે ઓચિંતાનું કેવું થાશે... વોક પર નીકળેલી યુવતી બની કાળનો કોળિયો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-20 12:16:00

દિનપ્રતિદિન અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. રાહદારી તેમજ વાહન ચાલકો અકસ્માતમાં મોતને ભેટતા હોય છે. ત્યારે ફરી એક વખત અમદાવાદના નરોડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો છે. મળતી માહિતી મુજબ BRTS બસ રિવર્સ લઈ રહી હતી તે દરમિયાન યુવતીનું મોત નિપજ્યું હતું. મોર્નિંગ વોક પર નીકળી હતી તે દરમિયાન BRTSની અડફેટે આવી જતા તેનું કરૂણ મોત નિપજ્યું છે.  

BRTS bus splits in half after hitting wall in Ahmedabad | City - Times of  India Videos


મોર્નિગ વોક પર નીકળેલી મહિલા બની અકસ્માતનો ભોગ  

રસ્તા પર અનેક વખત અકસ્માત સર્જાતા હોય છે. એકના ભૂલની સજા બીજાને ભોગવવી પડે છે. અકસ્માતમાં અનેક લોકોએ પોતાના પરિવારના સભ્યોને ગુમાવ્યા છે. અનેક વખત BRTS બસને કારણે અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. ત્યારે ગુરુવાર સવારે નરોડા પાટીયા નજીક અકસ્માત સર્જાયો હતો. મોર્નિંગ વોક પર નીકળેલી યુવતી કાળનો કોળિયો બની છે. રિવર્સ લેતા દરમિયાન BRTS બસે મહિલાને પોતાની અડફેટે લીધી હતી. ઘટના સ્થળે મોત થતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો છે.   




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.