રામ મંદિરના નિર્માણનો શ્રેય કોને મળવો જોઈએ?, ઉમા ભારતીએ આપ્યો આ અદભૂત જવાબ


  • Published By :
  • Published Date : 2024-01-10 12:07:13

અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ઉમા ભારતીનું નિવેદન સામે આવ્યું છે. રામ મંદિર જન્મભૂમિ આંદોલનમાં સામેલ ઉમા ભારતીએ કહ્યું છે કે રામ મંદિર નિર્માણનો અસલી શ્રેય કોને મળવો જોઈએ. રામ જન્મભૂમિ ચળવળ વિશે વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે રામ મંદિરનો શ્રેય સૌથી પહેલા તે કાર સેવકોને જવો જોઈએ જેમણે ચળવળ દરમિયાન પોતાના પ્રાાણનું બલિદાન આપ્યું હતું.


 500 વર્ષ સુધી ચાલ્યું રામજન્મભૂમિ આંદોલન 


મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ મિડીયા સાથે વાત કરતા કહ્યું કે રામજન્મભૂમિ આંદોલન 500 વર્ષનો સંઘર્ષ છે અને તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોઈ એક વ્યક્તિને આપી શકાય નહીં. તેમણે કહ્યું, 'આ ચળવળ પાંચ સદીઓ સુધી ચાલુ રહી. દેશનું આ એકમાત્ર આંદોલન છે જે 500 વર્ષ સુધી ચાલ્યું અને સફળ રહ્યું. આનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન જવો જોઈએ. આવી સ્થિતિમાં મને લાગે છે કે સૌથી પહેલો અને સૌથી વધુ શ્રેય એ લોકોને મળવો જોઈએ જેમણે આ માટે પોતાનો જીવ આપી દીધો અને વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું.

 

અશોક સિંઘલે આંદોલન આગળ વધાર્યું


ઉમા ભારતીએ કહ્યું કે જો વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું ન હોત તો કોઈ પણ સર્વે શક્ય જ નહોતો. તેમણે કહ્યું કે માળખુ તોડી પાડવામાં આવ્યા બાદ જ સર્વે શરૂ થયો અને સુપ્રીમ કોર્ટે તેના પરિણામોનો સ્વિકાર કર્યો. ઉમા ભારતીએ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ત્યાર બાદનો શ્રેય અશોક સિંઘલને પણ આપવું જોઈએ, તેઓ રામ મંદિર આંદોલનને આગલા સ્તર સુધી લઈ ગયા હતા, તેમના નેતૃત્વમાં અમે આંદોલનને આગળ વધાર્યું હતું. 


PM મોદી, અમિત શાહ અને યોગીને પણ ક્રેડિટ


બિજેપીના કદાવર નેતા ઉમા ભારતીએ ત્યાર બાદ કહ્યું કે મંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પણ જવું જોઈએ, જેમણે આંદોલનને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જો કે સૌથી મોટો શ્રેય તો તે લોકોને આપવામાં આવે જેમણે આંદોલન માટે તેમના પ્રાણોનું બલિદાન આપ્યું હતું.  



અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .

આમ આદમી પાર્ટીમાં એક નવો વિવાદનો વંટોળ ઉભો થયો છે. અને આ વિવાદનો વંટોળ કેમ ઉભો થયો છે તો , બોટાદના MLA ઉમેશ મકવાણા પ્રેસ કોન્ફરન્સ કરીને વિધાનસભાના દંડકપદેથી અને રાષ્ટ્રીય જોઈન્ટ સેક્રેટરીના પદેથી રાજીનામુ આપે છે . તો હવે આ મામલે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની ટ્વીટ સામે આવી છે જેમાં તેમણે લખ્યું છે કે બોટાદના MLA ઉમેશ મકવાણાને પાર્ટી વિરોધી ગતિવિધિઓ હાથ ધરવા માટે પાંચ વર્ષ માટે સસ્પેન્ડ કરવામાં આવે છે.