રામ મંદિરના નિર્માણનો શ્રેય કોને મળવો જોઈએ?, ઉમા ભારતીએ આપ્યો આ અદભૂત જવાબ


  • Published By :
  • Published Date : 2024-01-10 12:07:13

અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ઉમા ભારતીનું નિવેદન સામે આવ્યું છે. રામ મંદિર જન્મભૂમિ આંદોલનમાં સામેલ ઉમા ભારતીએ કહ્યું છે કે રામ મંદિર નિર્માણનો અસલી શ્રેય કોને મળવો જોઈએ. રામ જન્મભૂમિ ચળવળ વિશે વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે રામ મંદિરનો શ્રેય સૌથી પહેલા તે કાર સેવકોને જવો જોઈએ જેમણે ચળવળ દરમિયાન પોતાના પ્રાાણનું બલિદાન આપ્યું હતું.


 500 વર્ષ સુધી ચાલ્યું રામજન્મભૂમિ આંદોલન 


મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ મિડીયા સાથે વાત કરતા કહ્યું કે રામજન્મભૂમિ આંદોલન 500 વર્ષનો સંઘર્ષ છે અને તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોઈ એક વ્યક્તિને આપી શકાય નહીં. તેમણે કહ્યું, 'આ ચળવળ પાંચ સદીઓ સુધી ચાલુ રહી. દેશનું આ એકમાત્ર આંદોલન છે જે 500 વર્ષ સુધી ચાલ્યું અને સફળ રહ્યું. આનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન જવો જોઈએ. આવી સ્થિતિમાં મને લાગે છે કે સૌથી પહેલો અને સૌથી વધુ શ્રેય એ લોકોને મળવો જોઈએ જેમણે આ માટે પોતાનો જીવ આપી દીધો અને વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું.

 

અશોક સિંઘલે આંદોલન આગળ વધાર્યું


ઉમા ભારતીએ કહ્યું કે જો વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું ન હોત તો કોઈ પણ સર્વે શક્ય જ નહોતો. તેમણે કહ્યું કે માળખુ તોડી પાડવામાં આવ્યા બાદ જ સર્વે શરૂ થયો અને સુપ્રીમ કોર્ટે તેના પરિણામોનો સ્વિકાર કર્યો. ઉમા ભારતીએ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ત્યાર બાદનો શ્રેય અશોક સિંઘલને પણ આપવું જોઈએ, તેઓ રામ મંદિર આંદોલનને આગલા સ્તર સુધી લઈ ગયા હતા, તેમના નેતૃત્વમાં અમે આંદોલનને આગળ વધાર્યું હતું. 


PM મોદી, અમિત શાહ અને યોગીને પણ ક્રેડિટ


બિજેપીના કદાવર નેતા ઉમા ભારતીએ ત્યાર બાદ કહ્યું કે મંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પણ જવું જોઈએ, જેમણે આંદોલનને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જો કે સૌથી મોટો શ્રેય તો તે લોકોને આપવામાં આવે જેમણે આંદોલન માટે તેમના પ્રાણોનું બલિદાન આપ્યું હતું.  



સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ વચ્ચે જામનગરથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. જેમાં વોર્ડ નંબર ૩ના ઉમેદવાર હાર્ટ એટેકથી નરેન્દ્રસિંહ જાડેજાનું મૃત્યુ થયું છે. આ કારણે, જામનગર શહેરના વોર્ડ નંબર ૩માં શોકનું મોજું ફરી વળ્યું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.