રામ મંદિરના નિર્માણનો શ્રેય કોને મળવો જોઈએ?, ઉમા ભારતીએ આપ્યો આ અદભૂત જવાબ


  • Published By :
  • Published Date : 2024-01-10 12:07:13

અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ઉમા ભારતીનું નિવેદન સામે આવ્યું છે. રામ મંદિર જન્મભૂમિ આંદોલનમાં સામેલ ઉમા ભારતીએ કહ્યું છે કે રામ મંદિર નિર્માણનો અસલી શ્રેય કોને મળવો જોઈએ. રામ જન્મભૂમિ ચળવળ વિશે વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે રામ મંદિરનો શ્રેય સૌથી પહેલા તે કાર સેવકોને જવો જોઈએ જેમણે ચળવળ દરમિયાન પોતાના પ્રાાણનું બલિદાન આપ્યું હતું.


 500 વર્ષ સુધી ચાલ્યું રામજન્મભૂમિ આંદોલન 


મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ મિડીયા સાથે વાત કરતા કહ્યું કે રામજન્મભૂમિ આંદોલન 500 વર્ષનો સંઘર્ષ છે અને તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોઈ એક વ્યક્તિને આપી શકાય નહીં. તેમણે કહ્યું, 'આ ચળવળ પાંચ સદીઓ સુધી ચાલુ રહી. દેશનું આ એકમાત્ર આંદોલન છે જે 500 વર્ષ સુધી ચાલ્યું અને સફળ રહ્યું. આનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન જવો જોઈએ. આવી સ્થિતિમાં મને લાગે છે કે સૌથી પહેલો અને સૌથી વધુ શ્રેય એ લોકોને મળવો જોઈએ જેમણે આ માટે પોતાનો જીવ આપી દીધો અને વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું.

 

અશોક સિંઘલે આંદોલન આગળ વધાર્યું


ઉમા ભારતીએ કહ્યું કે જો વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું ન હોત તો કોઈ પણ સર્વે શક્ય જ નહોતો. તેમણે કહ્યું કે માળખુ તોડી પાડવામાં આવ્યા બાદ જ સર્વે શરૂ થયો અને સુપ્રીમ કોર્ટે તેના પરિણામોનો સ્વિકાર કર્યો. ઉમા ભારતીએ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ત્યાર બાદનો શ્રેય અશોક સિંઘલને પણ આપવું જોઈએ, તેઓ રામ મંદિર આંદોલનને આગલા સ્તર સુધી લઈ ગયા હતા, તેમના નેતૃત્વમાં અમે આંદોલનને આગળ વધાર્યું હતું. 


PM મોદી, અમિત શાહ અને યોગીને પણ ક્રેડિટ


બિજેપીના કદાવર નેતા ઉમા ભારતીએ ત્યાર બાદ કહ્યું કે મંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પણ જવું જોઈએ, જેમણે આંદોલનને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જો કે સૌથી મોટો શ્રેય તો તે લોકોને આપવામાં આવે જેમણે આંદોલન માટે તેમના પ્રાણોનું બલિદાન આપ્યું હતું.  



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે