રામ મંદિરના નિર્માણનો શ્રેય કોને મળવો જોઈએ?, ઉમા ભારતીએ આપ્યો આ અદભૂત જવાબ


  • Published By :
  • Published Date : 2024-01-10 12:07:13

અયોધ્યા રામ મંદિરમાં રામલલાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતા ઉમા ભારતીનું નિવેદન સામે આવ્યું છે. રામ મંદિર જન્મભૂમિ આંદોલનમાં સામેલ ઉમા ભારતીએ કહ્યું છે કે રામ મંદિર નિર્માણનો અસલી શ્રેય કોને મળવો જોઈએ. રામ જન્મભૂમિ ચળવળ વિશે વાત કરતા ભાજપના વરિષ્ઠ નેતાએ કહ્યું કે રામ મંદિરનો શ્રેય સૌથી પહેલા તે કાર સેવકોને જવો જોઈએ જેમણે ચળવળ દરમિયાન પોતાના પ્રાાણનું બલિદાન આપ્યું હતું.


 500 વર્ષ સુધી ચાલ્યું રામજન્મભૂમિ આંદોલન 


મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ મિડીયા સાથે વાત કરતા કહ્યું કે રામજન્મભૂમિ આંદોલન 500 વર્ષનો સંઘર્ષ છે અને તેની સફળતાનો સંપૂર્ણ શ્રેય કોઈ એક વ્યક્તિને આપી શકાય નહીં. તેમણે કહ્યું, 'આ ચળવળ પાંચ સદીઓ સુધી ચાલુ રહી. દેશનું આ એકમાત્ર આંદોલન છે જે 500 વર્ષ સુધી ચાલ્યું અને સફળ રહ્યું. આનો શ્રેય કોઈ એક વ્યક્તિને ન જવો જોઈએ. આવી સ્થિતિમાં મને લાગે છે કે સૌથી પહેલો અને સૌથી વધુ શ્રેય એ લોકોને મળવો જોઈએ જેમણે આ માટે પોતાનો જીવ આપી દીધો અને વિવાદિત માળખાને તોડી પાડ્યું હતું.

 

અશોક સિંઘલે આંદોલન આગળ વધાર્યું


ઉમા ભારતીએ કહ્યું કે જો વિવાદિત માળખું તોડી પાડવામાં આવ્યું ન હોત તો કોઈ પણ સર્વે શક્ય જ નહોતો. તેમણે કહ્યું કે માળખુ તોડી પાડવામાં આવ્યા બાદ જ સર્વે શરૂ થયો અને સુપ્રીમ કોર્ટે તેના પરિણામોનો સ્વિકાર કર્યો. ઉમા ભારતીએ વિશ્વ હિંદુ પરિષદના પૂર્વ પ્રમુખ અશોક સિંઘલને પણ યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે ત્યાર બાદનો શ્રેય અશોક સિંઘલને પણ આપવું જોઈએ, તેઓ રામ મંદિર આંદોલનને આગલા સ્તર સુધી લઈ ગયા હતા, તેમના નેતૃત્વમાં અમે આંદોલનને આગળ વધાર્યું હતું. 


PM મોદી, અમિત શાહ અને યોગીને પણ ક્રેડિટ


બિજેપીના કદાવર નેતા ઉમા ભારતીએ ત્યાર બાદ કહ્યું કે મંદિર નિર્માણનો શ્રેય પ્રધાનમંત્રી મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથને પણ જવું જોઈએ, જેમણે આંદોલનને અંતિમ સ્વરૂપ આપ્યું હતું, જો કે સૌથી મોટો શ્રેય તો તે લોકોને આપવામાં આવે જેમણે આંદોલન માટે તેમના પ્રાણોનું બલિદાન આપ્યું હતું.  



રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.

ભરૂચમાં મનરેગા કૌભાંડમા કોંગ્રેસ નેતા હીરા જોટવા પછી હવે તેમના દીકરા દિગ્વિજય જોટવાના જામીન મંજુર થઇ ગયા છે. આ મનરેગા કૌભાંડમા બંને પિતા પુત્રો હીરા જોટવા અને દિગ્વિજય જોટવા જેલમાં હતા ત્યારે દિગ્વિજય જોટવાના જામીન પણ કોર્ટ દ્વારા મંજુર કરવામાં આવ્યા છે. બેઉ પિતા પુત્રએ ભરૂચના મનરેગા કૌભાંડમા બે મહિનાથી વધારેનો જેલવાસ ભોગવ્યો છે.

As part of the 'Fit India, Fit Media' campaign, the government's Information Department, in collaboration with the Indian Red Cross Society, Gujarat, conducts a health check-up of employees working in the media every year. The health of journalists will be checked during the ongoing Vikas Week, Director of Information K.L. Bachani and Chairman of the Indian Red Cross Society, Gujarat, Ajaybhai Patel announced yesterday.

આજકાલ ઘણીબધી જગ્યાએ એક ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે કે , જો તમે સત્તાધારી પક્ષ BJP સાથે જોડાયેલા હોવ તો તમે ગાડીમાં આગળ BJPનો ખેસ મુકતા હોવ છો. પરંતુ રાજ્યના અરવલ્લી જિલ્લાથી એક એવો ઘટસ્ફોટ થયો છે કે , ગુનેગારો ૨૦ લાખની ફોર્ચ્યુનરમાં આગળ BJPનો ખેસ લગાવી ડ્રગસની હેરાફેરી કરતા હતા. આ BJPનો ખેસ પોલીસને ચકમો આપવા માટે લગાવવામાં આવ્યો હતો.