દુનિયામાં પહેલીવાર લોંગ ડ્રાઈવ કરનાર મહિલા કોણ હતાં? ભારતમાં કઈ મહિલાએ સૌથી પહેલા કાર ચલાવી?


  • Published By :
  • Published Date : 2023-03-15 22:12:10

શું તમને દુનિયાની પહેલી કાર ચલાવનાર મહિલા વિશે ખબર છે? જો ના ખબર હોય તો આ લેખ વાંચો. અત્યારે દુનિયાના કોઈ પણ ખુણામાં મહિલા પુરુષોની તુલનામાં ક્યાંય પાછળ નથી. દુનિયાના તમામ દેશોમાં મહિલાઓ ક્યાંક પ્લેન ઉડાવે છે તો ક્યાંક ટ્રેન ચલાવે છે.  દોડભાગવાળા જીવનમાં મહિલાઓ તમામ કામ કરી રહી છે જે દુનિયામાં સંભવ છે. મહિલાઓ કાર પણ ચલાવે છે પણ તમને જાણીને નવાઈ લાગશે કે જે મહિલાએ દુનિયામાં પહેલીવાર કાર ચલાવી કે લોંગ ડ્રાઈવ કરી તે પોતાના પતિને કહ્યા વગર નીકળી ગઈ હતી. એ મહિલા એટલે બેર્થા બેંજ. મર્સિડિઝ બેંજના સંસ્થાપક કાર્લ બેંજના પત્ની બેર્થા બેંજએ પહેલીવાર કાર ચલાવી હતી અને એ પણ પોતાના પતિને કહ્યા વગર. બેર્થા બેંજે પહેલીવાર કાર ચલાવી હતી અને એ પણ 106 કિલો મીટર. તમને એ પણ જાણીને નવાઈ લાગશે કે આ કારમાં ખાલી ત્રણ જ પૈડા હતા. 

Bertha Benz | Mercedes-Benz Group > Company > Tradition > Founders &  Pioneers

દુનિયાની સૌથી પહેલી કાર કોણે બનાવી હતી?

ફોર્ડે 1908માં દુનિયાની પહેલી સસ્તી કાર મૉડલ ટીને બજારમાં ઉતારી હતી તે પહેલા કાર્લ બેંજે 1886માં પોતાની પેટેંટ મોટર વેહિકલ મૉડલ-3 બનાવી લીધી હતી. જો કે એ વાત અલગ હતી કે ત્રણ વર્ષ સુધી બેંજની એક પણ ગાડી વેચાઈ નહોતી. આ વાતથી કાર્લ બેંજ ખૂબ નિરાશ હતા કારણ કે તેમની મહેનત રંગ નહોતી લાવી રહી. કાર્લ બેંજની પત્ની બેર્થાએ સલાહ આપી હતી કે તમે રોડ પર કાર ચલાવો અને તમારા આવિષ્કાર વિશે લોકોને જણાવો. જો કે એવું થયું નહીં તો બેર્થાએ નિર્ણય લઈ લીધો કે હું જ હવે કાર ચલાવીશ અને લોકો વચ્ચે કાર્લની પ્રોડક્ટ લઈ જઈશ. બેર્થાનો વિચાર હતો કે આવું કરવાથી કારની બ્રાન્ડિંગ પણ થશે અને કાર વેચાશે પણ ખરાં. બેર્થાના આ નિર્ણયથી કાર્લ બેંજ સહમત નહોતા અને તેણે બેર્થાને રોડ પર કાર ચલાવવાની પણ મનાહી કરી દીધી હતી.  

Mercedes-Benz

ના પાડ્યા બાદ પણ બેર્થાએ ચલાવી હતી કાર 

ઓગસ્ટ 1888માં બેર્થા પતિ કાર્લ બેંજ અને કંપનીના અધિકારીઓને ખબર ના પડે તેમ ગાડી લઈને નીકળી ગયા હતા. કારની ક્ષમતા ચકાસવા તેણે 106 કિલોમીટર સુધી કાર ચલાવી હતી. જો કે તે એકલા જ નહોતા તેમની સાથે તેમના બાળકો પણ હતા. આ પરાક્રમ સાથે જ તે દુનિયાની પહેલી કાર ચલાવતી મહિલા બની ગઈ હતી. બેર્થાએ મૈનહેમથી ફોર્જિયમ સુધી એટલે કે 106 કિલોમીટર ગાડી ચલાવી હતી. આ પરાક્રમ કરી તે દુનિયાની પહેલી કાર ચલાવતી મહિલા તો બની પણ સાથે લોંગ ડ્રાઈવ કરતી પણ પહેલી મહિલા બની ગઈ હતી. 

Love story of Ratan D. Tata & Susaune Briere - Zoroastrians.net

તો ભારતમાં કઈ મહિલાએ સૌથી પહેલા કાર ચલાવી?

ભારતમાં આજે કારનું પ્રોડક્શન ખૂબ વધારે થાય છે. દુનિયામાં વેચાતી કારમાંથી મોટાભાગની કાર ભારતમાં ખરીદાય છે. કોરોના જેવા કાળમાં પણ ભારતમાં કારની ખરીદી ઘટી નહોતી તે આપણે જાણીએ જ છીએ. ભારતમાં સૌથી પહેલીવાર કાર ચલાવનાર મહિલા ટાટા પરિવારમાંથી હતા. રતનજી દાદાભાઈ ટાટાના પત્ની સુજૈન ટાટાએ ભારતમાં પહેલીવાર કાર ચલાવી હતી. ફ્રાંસના સુજૈન ટાટાએ 1905માં પહેલીવાર કાર ચલાવી હતી. આ સાથે જ ભારતમાં કાર ચલાવનાર મહિલામાં તેણે પોતાનું નામ નોંધાવી દીધું હતું. 



ગોંડલના અનિરુદ્ધસિંહ જાડેજાને જૂનાગઢ જેલમાંથી સાબરમતી જેલમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. જેનાથી અનેક રાજકીય તર્ક વિતર્ક શરુ થઇ ગયા. અનિરુદ્ધ જાડેજાની EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજા માફી રદ થતા તેઓ જૂનાગઢ જેલમાં બંધ છે. આ પછી અમિત ખૂંટ કેસમાં પણ અનિરુદ્ધસિંહ જાડેજાની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. હવે તેમને સાબરમતી જેલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.

જાન્યુઆરી ૨૦૨૩માં જુનિયર ક્લાર્કની પરીક્ષા યોજાઈ હતી જેમાં , બાયડના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર આકાશ પટેલની ગુજરાત ATS દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આકાશ પટેલ પર ખુબ ગંભીર આક્ષેપો થયા હતા. જોકે થોડાક સમય અગાઉ , આકાશ પટેલને બાયડ યુવા મોરચાના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.આ પછી , વિદ્યાર્થીનેતા યુવરાજસિંહ જાડેજા દ્વારા આકાશ પટેલની નિમણુંકને લઇને સવાલો ઉઠાવવામાં આવ્યા છે. હવે આકાશ પટેલને બીજેપીએ યુવા મોરચાના પ્રમુખના પદેથી દૂર કરી દીધા છે.

ભાવનગરમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિને લઇને એક ખુબ ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં થોડાક દિવસો પહેલા , ઘોઘા તાલુકાના વાળુકડ ગામે લાલા રબારી નામના યુવકનો નિર્દયતા પૂર્વક જીવ લઇ લેવામાં આવ્યો હતો. આ પછી , ઘટનાના ફૂટેજ સોશ્યિલ મીડિયામાં ખુબ વાઇરલ થયા હતા. જેનાથી સમગ્ર પંથકમાં ભય અને અરેરાટીનો માહોલ જામી ગયો હતો. હવે પોલીસ દ્વારા આ ઘટનામાં ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમને વાળુકડ ગામ ખાતે પંચનામું કરવા માટે લાવવામાં આવ્યા છે. જ્યાં તેમનું સરઘસ પણ કાઢવામાં આવ્યું છે.

રાજકોટમાં આવેલી આજી નદી પર રિવરફ્રન્ટ બનાવવાનો રસ્તો હવે સાફ થઇ ચુક્યો છે. કેમ કે , જંગલેશ્વર વિસ્તારમાં અંદાજે ૪૦૦ કરોડ રૂપિયાની કિંમતની સરકારી જમીન પર ખડકાયેલા ૧૩૫૮ જેટલા મકાનોને દૂર કરવામાં આવશે. આ માટે ગુજરાતના મહેસુલી પંચ દ્વારા સ્થાનિક દબાણકારોની અપીલને રદ કરતો ચુકાદો આપી દેવામાં આવ્યો છે. આ ચુકાદા પછી , ટૂંક સમયમાં જ જંગલેશ્વરમાં ફરી એકવાર ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.