કોણ હશે આપના CMનો ચેહરો , કેજરીવાલ CM ચહેરાની સાથે કરશે રોડ શો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-03 23:28:46


ગુજરાત વિધાનસભા ચૂંટણી આજે જાહેર થઈ ગઈ છે ત્યારે તેવામાં અરવિંદ કેજરીવાલ આવતીકાલે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આવતીકાલે આમ આદમી પાર્ટી AAPના CM ચહેરાની જાહેરાત કરશે ત્યારે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરશે તેવા સમાચાર આવી રહ્યા છે. ચર્ચાઓ ચાલી રહી છે કે આમ આદમી પાર્ટીએ 2 નામ પસંદ કર્યા છે જેની આવતીકાલે અરવિંદ કેજરીવાલ જાહેરાત કરશે. અરવિંદ કેજરીવાલ કાલની મુલાકાત બાદ આમ આદમી પાર્ટી શનિવારથી રોડ શોના આયોજન કરશે. પ્રતિદિન 2થી 3 રોડ શોનું આયોજન થશે એવું સૂત્રોએ જણાવ્યું છે.


કોણ હશે CM ચેહરો??

CM ચેહર તરીકે અત્યારે ઈસુદાન ગઢવી અથવા ગોપાલ ઈટાલિયા AAPનો સીએમ ચહેરો હોય એવી પ્રબળ શકયતા છે . પાર્ટીના સૂત્રોએ માહિતી આપી છે કે ગોપાલ ઈટાલિયા પાટીદાર સમાજના છે અને પાટીદાર આંદોલનમાં પણ તેઓ સામેલ હતા.આ દરમિયાન બીજી બાજુ ઈસુદાન ગઢવી ભૂતપૂર્વ પત્રકાર છે અને તેમની લોકપ્રિયતા પણ ઘણી વધારે છે. તેવામાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે ઈસુદાન ગઢવીને આમ આદમી પાર્ટીના મુખ્યમંત્રીના ચહેરા તરીકે જાહેર કરાય એની પ્રબળ સંભાવના જોવા મળી રહી છે. જોકે જ્યાં સુધી અરવિંદ કેજરીવાલ ચહેરાની જાહેરાત નહીં કરે ત્યાં સુધી આ સસ્પેન્સ યથાવત રહ્યો છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.