કોંગ્રેસના ગઢમાં કોણ પાડશે ગાબડું ? 15 વર્ષથી વિરમગામ કોંગ્રેસનો ગઢ


  • Published By :
  • Published Date : 2022-10-28 18:50:21

વિરમગામ વિધાનસભા બેઠક પર એક દાયકાથી ભાજપ નથી જીત્યું !


ગુજરાતમાં વિધાનસભા 2022 ચૂંટણીના બણગા ફૂંકાઈ રહ્યા છે બધા પક્ષો અને ઉમેદવારો તૈયારીઓમાં લાગી ગયા છે ગુજરાત પર છેલ્લા દાયકાઓથી ભાજપનું શાશન છે પણ ગુજરાતમાં ભાજપ માટે કેટલીક સીટો જીતવી કપરા ચઢાણ બરાબર છે અને આવી જ એક બેઠક એટલે ગુજરાતની વિરમગામ વિભાનસભા બેઠક. આજના આ વિશેષ આર્ટિકલમાં આપણે વિરમગામ બેઠકને લઈને કેટલીક મહત્વપૂર્ણ ચર્ચા કરીશું.

વિરમગામની ખાસિયતની વાત કરવામાં આવે તો વિરમગામની સ્થાપના વિરમદેવ વાધેલાએ 1484ની આસપાસ કરી હતી.વિરમગામ શહેર ઐતિહાસિક શહેરની સાથે સાથે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર પણ કહેવામાં આવે છે. વિરમગામ શહેરમાં મિનળદેવી બંધાવેલું મુનસર તળાવ પ્રખ્યાત છે. વિરમગામ શહેર 5 દરવાજાની વચ્ચે આવેલું છે. વિરમગામ વિધાનસભામાંથી રાજ્યને હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોર જેવા બે યુવા નેતા આપ્યા છે.


શું છે જાતિગત સમીકરણ ?

વિરમગામ ગુજરાત રાજ્યના 182 વિધાનસભા મતવિસ્તારો પૈકીનો એક છે. તે અમદાવાદ જિલ્લાનો જ એક ભાગ છ તમને જણાવી દઈએ કે વિરમગામ બેઠકમાં 3 વિસ્તારોનો સમાવેશ થાય છે.જેમાં રામપુરા દેત્રોજ અને માંડલનો સમાવેશ થાય છે.આ બેઠક પર જો જાતિગત વાત કરવામાં આવે છે વિરમગામ શહેરમાં સૌથી વધુ મુસ્લિમ સમુદાય જોવા મળે છે જયારે અન્ય સમાજની વાત કરવામાં આવે તો પટેલ,ઠાકોર,બ્રાહ્મણ સમાજની વસ્તી જોવા મળે છે પરંતુ સમગ્ર વિધાનસભા ક્ષેત્રમાં સૌથી વધુ વસ્તી ઠાકોર સમાજની છે. જેમાં કુલ મતદારો 2,98,936 છે. જેમાં પુરુષો 1,54,449 અને સ્ત્રીઓ 1,44,484 સંખ્યા છે. 


2022નું આ બેઠકનું સમીકરણ 

અમદાવાદ જીલ્લાના પૂર્વ પ્રમુખ અને વિરમગામના પૂર્વ ધારાસભ્ય કમાભાઇ રાઠોડ, સામાજિક આગેવાન-કોળી પટેલ સમાજ સરપંચ-સાકોલ ગ્રામ પંચાયતના ચંદુભાઈ પટેલ સહિત અન્ય 8થી 9 લોકો અને તેમની સાથે સમર્થકો મોટી સંખ્યામાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા.એટલે કે ટૂંકમાં કહીયે તો કોંગ્રેસના જે ચહેરાઓ હતા તેમને તોડી મતદારોને ભાજપ તરફ ખેંચવા ભાજપ પ્રયાસો કરી રહ્યું છે ગુજરાતના રાજકારણમાં જીતો નહીં તો સામેના પક્ષના મત તોડો એ નીતિ ચાલી રહી છે. ત્યારે ભાજપ, કોંગ્રેસ અને હવે આપ પણ એકબીજા પક્ષના મત તોડવા સતત પ્રયત્ન કરતાં જોવા મળી રહ્યા છે. 


આ બધાની વચ્ચે હવે જોવાનું એ રહેશે કે કોણ જીતની બાજી મારશે લોકશાહીનું મહાપર્વ આવી રહ્યું છે હવે આપણે નક્કી કરવાનું છે કોના માથે જીતની પાગડી પહેરાવી છે



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .