કોને કરશે નરેશ પટેલ ચુંટણીમાં સમર્થન, નરેશ પટેલનું મોટું નિવેદન !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 14:52:08

ચુંટણી પેહલા તમામ પક્ષો પોતાની પાર્ટી મજબૂત કરવા તૈયારી કરી રહી છે. દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ખોડલધામ નવરાત્રીમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે નરેશ પટેલ પણ જોવા મળ્યા અને તેમણે આ અંગે નિવેદન પણ આપ્યું .....

 

નરેશ પટેલએ શું કહ્યું ?

ચુંટણી પેહલા પાટીદાર અગ્રણી નરેશ પટેલને ચુંટણીમાં સમર્થન અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હજુ ચૂંટણી જાહેર નથી થઈ ચૂંટણી જાહેર થયા બાદ જોઈશું. નવરાત્રીમાં રાજકારણની વાત કરવી યોગ્ય નથી.  અને ત્યાં તેમણે આપના નેતા ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળ્યા.

 

ચુંટણી ક્યારે થશે ?

કેટલાય સમયથી ચુંટણી વેહલી થશે તેવી વાત ચાલી રહી છે . તેના વચ્હે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના નિવેદનથી ચુંટણીની ચર્ચાએ જોર પકડયું છે. પાટીલે ચૂંટણીને લઈને નિવેદન આપતા કહ્યુ હતુ કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી. પરંતુ વખતે ચૂંટણી 10થી 12 દિવસ વહેલી યોજાય તેવું મને લાગી રહ્યુ છે. નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવું મને લાગે છે.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.