કોને કરશે નરેશ પટેલ ચુંટણીમાં સમર્થન, નરેશ પટેલનું મોટું નિવેદન !!!!!!


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-01 14:52:08

ચુંટણી પેહલા તમામ પક્ષો પોતાની પાર્ટી મજબૂત કરવા તૈયારી કરી રહી છે. દરમિયાન ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ નરેશ પટેલને લઈને છેલ્લા ઘણા સમયથી રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતમાં ખોડલધામ નવરાત્રીમાં આપ નેતા ગોપાલ ઇટાલિયા સાથે નરેશ પટેલ પણ જોવા મળ્યા અને તેમણે આ અંગે નિવેદન પણ આપ્યું .....

 

નરેશ પટેલએ શું કહ્યું ?

ચુંટણી પેહલા પાટીદાર અગ્રણી નરેશ પટેલને ચુંટણીમાં સમર્થન અંગે જ્યારે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું હજુ ચૂંટણી જાહેર નથી થઈ ચૂંટણી જાહેર થયા બાદ જોઈશું. નવરાત્રીમાં રાજકારણની વાત કરવી યોગ્ય નથી.  અને ત્યાં તેમણે આપના નેતા ગોપાલ ઇટાલિયા સાથે જોવા મળ્યા.

 

ચુંટણી ક્યારે થશે ?

કેટલાય સમયથી ચુંટણી વેહલી થશે તેવી વાત ચાલી રહી છે . તેના વચ્હે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટિલના નિવેદનથી ચુંટણીની ચર્ચાએ જોર પકડયું છે. પાટીલે ચૂંટણીને લઈને નિવેદન આપતા કહ્યુ હતુ કે, ચૂંટણીની તારીખ જાહેર કરવાની સત્તા મારી પાસે નથી. પરંતુ વખતે ચૂંટણી 10થી 12 દિવસ વહેલી યોજાય તેવું મને લાગી રહ્યુ છે. નવેમ્બરના અંત સુધીમાં ચૂંટણી પૂર્ણ થઈ જશે તેવું મને લાગે છે.



થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .