અધિક માસને શા માટે કહેવાય છે પુરૂષોત્તમ માસ? અધિક માસના સ્વામી કેવી રીતે બન્યા વિષ્ણુ ભગવાન, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-18 16:03:09

હિંદુ ધર્મમાં દરેક મહિનાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. પ્રત્યેક મહિનામાં વિવિધ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે દર ત્રણ વર્ષે અધિક મહિનો આવતો હોય છે જેનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ વખતે શ્રાવણ મહિના પહેલા અધિક માસ આવ્યો છે જેને લઈ અધિક મહિનો ખાસ માનવામાં આવે છે. અધિક મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરને પ્રિય છે જ્યારે પરષોત્તમ મહિનો ભગવાન વિષ્ણુને પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પ્રાર્થના કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે.

અધિક માસ સાથે શ્રાવણનો સંગમ, પુરુષોત્તમ માસમાં કરો હર-હરીની સાધના | Sandesh

શા માટે દર ત્રણ વર્ષે આવે છે અધિક માસ?

દર ત્રણ વર્ષે અધિક મહિનો આવતો હોય છે. ત્રણ વર્ષમાં અધિક માસ આવવા પાછળનું ગણિત છે. જે મુજબ હિંદુ કલેન્ડરમાં 12 મહિનાઓ આવતા હોય છે. હિંદુ વર્ષના તમામ દિવસોની ગણતરી કર્યા પછી માત્ર 354 દિવસ થાય છે, જ્યારે એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ એ સમય હોય છે જે સમયમાં પૃથ્વી સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરે છે. આ ગણતરી પ્રમાણે ઈંગલિશ કેલેન્ડર તેમજ હિન્દુ કેલેન્ડરમાં 11 દિવસ ઓછા હોય છે આ દિવસો પુરા કરવા માટે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે, જેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.


વિષ્ણુ ભગવાન આવી રીતે બન્યા આ મહિનાના સ્વામી!

ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ માસને અશુભ માનવામાં આવે છે, જેના કારણે મલમાસ પડ્યું.તમામ બારેય મહિના અલગ અલગ દેવતાઓ, સ્વામીના દેવતાઓ હોય છે. પરંતુ આ અધિક માસના કોઈ દેવતા ન હતા. તેના સ્વામી કોઈ દેવતા બનવા માગતા હતા. તે સમયે માલમાસે વિષ્ણુજીને પ્રાર્થના કરી હતી. ત્યારે તેની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને આ મહિનાના સ્વામી બન્યા. આ કથાને કારણે આ માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. અધિક મહિના દરમિયાન કરવામાં આવતી પૂજાનો વિશેષ લાભ મળતો હોય છે. એમાં પણ શ્રાવણ મહિનામાં અધિક મહિનો આવવાથી શિવજીના ભક્તોમાં તેમજ ભગવાન વિષ્ણુના ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.