અધિક માસને શા માટે કહેવાય છે પુરૂષોત્તમ માસ? અધિક માસના સ્વામી કેવી રીતે બન્યા વિષ્ણુ ભગવાન, જાણો


  • Published By :
  • Published Date : 2023-07-18 16:03:09

હિંદુ ધર્મમાં દરેક મહિનાનું વિશેષ મહત્વ રહેલું હોય છે. પ્રત્યેક મહિનામાં વિવિધ દેવી-દેવતાઓની પૂજા કરવામાં આવતી હોય છે. ત્યારે દર ત્રણ વર્ષે અધિક મહિનો આવતો હોય છે જેનું વિશેષ મહત્વ રહેલું હોય છે. આ વખતે શ્રાવણ મહિના પહેલા અધિક માસ આવ્યો છે જેને લઈ અધિક મહિનો ખાસ માનવામાં આવે છે. અધિક મહિનાને પુરુષોત્તમ માસ પણ કહેવામાં આવે છે. શ્રાવણ મહિનો ભગવાન શંકરને પ્રિય છે જ્યારે પરષોત્તમ મહિનો ભગવાન વિષ્ણુને પ્રિય છે. એવું માનવામાં આવે છે કે આ મહિનામાં પ્રાર્થના કરવાથી ભગવાનની વિશેષ કૃપા મળે છે અને સર્વ મનોકામના પૂર્ણ થાય છે.

અધિક માસ સાથે શ્રાવણનો સંગમ, પુરુષોત્તમ માસમાં કરો હર-હરીની સાધના | Sandesh

શા માટે દર ત્રણ વર્ષે આવે છે અધિક માસ?

દર ત્રણ વર્ષે અધિક મહિનો આવતો હોય છે. ત્રણ વર્ષમાં અધિક માસ આવવા પાછળનું ગણિત છે. જે મુજબ હિંદુ કલેન્ડરમાં 12 મહિનાઓ આવતા હોય છે. હિંદુ વર્ષના તમામ દિવસોની ગણતરી કર્યા પછી માત્ર 354 દિવસ થાય છે, જ્યારે એક વર્ષમાં 365 દિવસ હોય છે. આ એ સમય હોય છે જે સમયમાં પૃથ્વી સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરે છે. આ ગણતરી પ્રમાણે ઈંગલિશ કેલેન્ડર તેમજ હિન્દુ કેલેન્ડરમાં 11 દિવસ ઓછા હોય છે આ દિવસો પુરા કરવા માટે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે, જેને મલમાસ અથવા પુરુષોત્તમ માસ તરીકે પણ ઓળખવામાં આવે છે.


વિષ્ણુ ભગવાન આવી રીતે બન્યા આ મહિનાના સ્વામી!

ધાર્મિક ગ્રંથોમાં મળતા ઉલ્લેખ પ્રમાણે આ માસને અશુભ માનવામાં આવે છે, જેના કારણે મલમાસ પડ્યું.તમામ બારેય મહિના અલગ અલગ દેવતાઓ, સ્વામીના દેવતાઓ હોય છે. પરંતુ આ અધિક માસના કોઈ દેવતા ન હતા. તેના સ્વામી કોઈ દેવતા બનવા માગતા હતા. તે સમયે માલમાસે વિષ્ણુજીને પ્રાર્થના કરી હતી. ત્યારે તેની પ્રાર્થનાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા અને આ મહિનાના સ્વામી બન્યા. આ કથાને કારણે આ માસને પુરુષોત્તમ માસ કહેવામાં આવે છે. અધિક મહિના દરમિયાન કરવામાં આવતી પૂજાનો વિશેષ લાભ મળતો હોય છે. એમાં પણ શ્રાવણ મહિનામાં અધિક મહિનો આવવાથી શિવજીના ભક્તોમાં તેમજ ભગવાન વિષ્ણુના ભક્તોમાં આનંદની લાગણી પ્રવર્તિ ઉઠી છે. 



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.