"બધા ચોરની અટક Modi જ કેમ છે?" નિવેદન મામલે Supreme Courtમાં Rahul Gandhiએ નવું સોગંદનામું રજૂ કર્યું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 16:59:55

આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે માનહાનીની ફરિયાદ કરી હતી, પછી રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ ગયું કારણ કે બે વર્ષની સજા થઈ હતી. પણ આ મામલે કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી હતી જેમાં તેમણે સજા પર રોક લગાવાની માગ કરી હતી સાથે એવું પણ કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ છે' તે ટિપ્પણી માટે મારે એટલે કે રાહુલ ગાંધીને માફી માગવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટની અંદર શું થયું હતું અને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં શું વાત રાખી હતી. 


નવા સોગંદનામામાં રાહુલ ગાંધીએ આપ્યો સોગંદનામાનો જવાબ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેણે હંમેશા કહ્યું છે કે આ કેસમાં તે દોષી નથી અને જે દોષ મૂકવામાં આવ્યો છે એ પૂર્ણ નથી. જો મારે માફી માગવી હતી અને ગુનો ઓછો કરવો હોત તો એ તો હું ક્યારનોય કરી ચૂક્યો હોત. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અરજી કરનારને કોઈ પણ ભૂલ વગર માફી માગવા મજબૂર કરવા માટે કાયદાનો ઉપયોગ કરવો ન્યાયીક પ્રક્રિયા માટે ખરાબ છે. તેને પોષી લેવું ન જોઈએ.  રાહુલ ગાંધીના નવા સોગંદનામામાં ફરિયાદી પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલ સોગંદનામાનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ પોતાને દોષી ઠરાવાનો વિરોધ કર્યો છે. 


આ મામલો એવો નથી જેમાં કોઈના નામને કે હોદ્દાને નુકસાન પહોંચ્યું હોય 

રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મામલો એવો બિલકુલ નથી કે જેમાં ફરિયાદીના નામને કે હોદ્દાને નુકસાન થયું હોય કે તેમની માનહાની થઈ હોય. રાહુલ ગાંધીનું સોગંદનામામાં કહેવું છે કે માનહાની આઈપીસી અંતર્ગત 22 ગુનાઓમાંનો એક છે. જેમાં સામાન્ય સજાની જોગવાઈ છે. કોઈ કઠોર સજાની જોગવાઈ નથી. જે જણાવે છે કે ગુનો ગંભીર તો છે જ નહીં, 


ભાષણને પૂરી રીતે સાંભળવા રાહુલ ગાંધીએ કરી અપીલ 

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ કેસમાં સૌથી કઠોરમાં કઠોર સજા સંભળાવાના કારણે તેમનું સંસદ પદ જતું રહ્યું છે. જેના કારણે ન્યાયાલયે સજા મામલે એકવાર વિચાર કરવો જોઈએ. હું વિપક્ષમાં છું માટે મારે સત્તાની ભૂલ પર ધ્યાન દોરવું મારું કર્તવ્ય છે. મારી અપીલ છે કે ભાષણને પૂરી રીતે સાંભળીને સમજવું જોઈએ. જેથી ખબર પડે કે આ મામલામાં માનહાનીનો કોઈ ઉદ્દેશ્ય હતો જ નહીં. 


ફરિયાદીએ નથી સાંભળ્યું સંપૂર્ણ ભાષણ!

રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં સર્વોચ્ચ અદાલત સામે પોતાની વાત રાખી હતી કે ફરિયાદીએ જાતે રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યું નથી અને તેમણે મીડિયા અને વોટ્સએપના સ્ક્રીનશોટ પર ભરોસો કરી લીધો છે. રાહુલ ગાંધીએ પોતાની સામે પૂરાવાના ભાગરૂપે જે સીડી મૂકી છે તે મામલે કહ્યું છે કે તે ફરિયાદ સાથે સંબંધિત નથી.  રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં એવું પણ કહ્યું છે કે મોદી સમાજ કોઈ સમાજ નથી, મોદી ઉપનામ વિવિધ જાતિઓ હેઠળ આવે છે અને લોકોએ સ્વયં તેનો સ્વિકાર કર્યો છે. 



જો સજા યથાવત રહેશે તો રાહુલ ગાંધી નહીં લડી શકે લોકસભા ચૂંટણી!

રાહુલ ગાંધીએ કહ્યું છે કે નીરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી એક જ જાતિથી નથી આવતા. એટલે આ વસ્તુની પરિભાષા હજુ સ્પષ્ટ નથી અને આ લોકોને ઓળખવા માટેનો કોઈ વર્ગ પણ નથી જેવો તેને દેખાડવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તેમના દોષ પર રોક લગાવી દેવામાં આવે તો તેમને કોઈ નુકસાન નહીં થાય. અને જો આવું નથી થતું તો તે લોકસભાની બેઠકોમાં ભાગ નથી લઈ શકતા. 


આ ધારાશાસ્ત્રીઓએ તૈયાર કર્યું છે સોગંદનામું 

આપને જણાવી દઈએ કે આ બધી સોગંદનામાની વાતો રાહુલ ગાંધી દ્વારા જણાવામાં ન આવી હોય. કોઈ ધારાશાસ્ત્રી દ્વારા આને તૈયાર કરવામાં આવતી હોય છે. આ સોગંદનામું ધારાશાસ્ત્રી પ્રસન્ના એસ અને તરન્નુમ ચીમાએ તૈયાર કર્યું છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડોક્ટર એલ એમ સિંઘવીએ આ સોગંદનામામાં ફેરબદલીઓ કરી છે. 



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .