"બધા ચોરની અટક Modi જ કેમ છે?" નિવેદન મામલે Supreme Courtમાં Rahul Gandhiએ નવું સોગંદનામું રજૂ કર્યું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 16:59:55

આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે માનહાનીની ફરિયાદ કરી હતી, પછી રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ ગયું કારણ કે બે વર્ષની સજા થઈ હતી. પણ આ મામલે કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી હતી જેમાં તેમણે સજા પર રોક લગાવાની માગ કરી હતી સાથે એવું પણ કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ છે' તે ટિપ્પણી માટે મારે એટલે કે રાહુલ ગાંધીને માફી માગવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટની અંદર શું થયું હતું અને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં શું વાત રાખી હતી. 


નવા સોગંદનામામાં રાહુલ ગાંધીએ આપ્યો સોગંદનામાનો જવાબ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેણે હંમેશા કહ્યું છે કે આ કેસમાં તે દોષી નથી અને જે દોષ મૂકવામાં આવ્યો છે એ પૂર્ણ નથી. જો મારે માફી માગવી હતી અને ગુનો ઓછો કરવો હોત તો એ તો હું ક્યારનોય કરી ચૂક્યો હોત. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અરજી કરનારને કોઈ પણ ભૂલ વગર માફી માગવા મજબૂર કરવા માટે કાયદાનો ઉપયોગ કરવો ન્યાયીક પ્રક્રિયા માટે ખરાબ છે. તેને પોષી લેવું ન જોઈએ.  રાહુલ ગાંધીના નવા સોગંદનામામાં ફરિયાદી પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલ સોગંદનામાનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ પોતાને દોષી ઠરાવાનો વિરોધ કર્યો છે. 


આ મામલો એવો નથી જેમાં કોઈના નામને કે હોદ્દાને નુકસાન પહોંચ્યું હોય 

રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મામલો એવો બિલકુલ નથી કે જેમાં ફરિયાદીના નામને કે હોદ્દાને નુકસાન થયું હોય કે તેમની માનહાની થઈ હોય. રાહુલ ગાંધીનું સોગંદનામામાં કહેવું છે કે માનહાની આઈપીસી અંતર્ગત 22 ગુનાઓમાંનો એક છે. જેમાં સામાન્ય સજાની જોગવાઈ છે. કોઈ કઠોર સજાની જોગવાઈ નથી. જે જણાવે છે કે ગુનો ગંભીર તો છે જ નહીં, 


ભાષણને પૂરી રીતે સાંભળવા રાહુલ ગાંધીએ કરી અપીલ 

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ કેસમાં સૌથી કઠોરમાં કઠોર સજા સંભળાવાના કારણે તેમનું સંસદ પદ જતું રહ્યું છે. જેના કારણે ન્યાયાલયે સજા મામલે એકવાર વિચાર કરવો જોઈએ. હું વિપક્ષમાં છું માટે મારે સત્તાની ભૂલ પર ધ્યાન દોરવું મારું કર્તવ્ય છે. મારી અપીલ છે કે ભાષણને પૂરી રીતે સાંભળીને સમજવું જોઈએ. જેથી ખબર પડે કે આ મામલામાં માનહાનીનો કોઈ ઉદ્દેશ્ય હતો જ નહીં. 


ફરિયાદીએ નથી સાંભળ્યું સંપૂર્ણ ભાષણ!

રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં સર્વોચ્ચ અદાલત સામે પોતાની વાત રાખી હતી કે ફરિયાદીએ જાતે રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યું નથી અને તેમણે મીડિયા અને વોટ્સએપના સ્ક્રીનશોટ પર ભરોસો કરી લીધો છે. રાહુલ ગાંધીએ પોતાની સામે પૂરાવાના ભાગરૂપે જે સીડી મૂકી છે તે મામલે કહ્યું છે કે તે ફરિયાદ સાથે સંબંધિત નથી.  રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં એવું પણ કહ્યું છે કે મોદી સમાજ કોઈ સમાજ નથી, મોદી ઉપનામ વિવિધ જાતિઓ હેઠળ આવે છે અને લોકોએ સ્વયં તેનો સ્વિકાર કર્યો છે. 



જો સજા યથાવત રહેશે તો રાહુલ ગાંધી નહીં લડી શકે લોકસભા ચૂંટણી!

રાહુલ ગાંધીએ કહ્યું છે કે નીરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી એક જ જાતિથી નથી આવતા. એટલે આ વસ્તુની પરિભાષા હજુ સ્પષ્ટ નથી અને આ લોકોને ઓળખવા માટેનો કોઈ વર્ગ પણ નથી જેવો તેને દેખાડવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તેમના દોષ પર રોક લગાવી દેવામાં આવે તો તેમને કોઈ નુકસાન નહીં થાય. અને જો આવું નથી થતું તો તે લોકસભાની બેઠકોમાં ભાગ નથી લઈ શકતા. 


આ ધારાશાસ્ત્રીઓએ તૈયાર કર્યું છે સોગંદનામું 

આપને જણાવી દઈએ કે આ બધી સોગંદનામાની વાતો રાહુલ ગાંધી દ્વારા જણાવામાં ન આવી હોય. કોઈ ધારાશાસ્ત્રી દ્વારા આને તૈયાર કરવામાં આવતી હોય છે. આ સોગંદનામું ધારાશાસ્ત્રી પ્રસન્ના એસ અને તરન્નુમ ચીમાએ તૈયાર કર્યું છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડોક્ટર એલ એમ સિંઘવીએ આ સોગંદનામામાં ફેરબદલીઓ કરી છે. 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.