"બધા ચોરની અટક Modi જ કેમ છે?" નિવેદન મામલે Supreme Courtમાં Rahul Gandhiએ નવું સોગંદનામું રજૂ કર્યું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 16:59:55

આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે માનહાનીની ફરિયાદ કરી હતી, પછી રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ ગયું કારણ કે બે વર્ષની સજા થઈ હતી. પણ આ મામલે કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી હતી જેમાં તેમણે સજા પર રોક લગાવાની માગ કરી હતી સાથે એવું પણ કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ છે' તે ટિપ્પણી માટે મારે એટલે કે રાહુલ ગાંધીને માફી માગવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટની અંદર શું થયું હતું અને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં શું વાત રાખી હતી. 


નવા સોગંદનામામાં રાહુલ ગાંધીએ આપ્યો સોગંદનામાનો જવાબ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેણે હંમેશા કહ્યું છે કે આ કેસમાં તે દોષી નથી અને જે દોષ મૂકવામાં આવ્યો છે એ પૂર્ણ નથી. જો મારે માફી માગવી હતી અને ગુનો ઓછો કરવો હોત તો એ તો હું ક્યારનોય કરી ચૂક્યો હોત. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અરજી કરનારને કોઈ પણ ભૂલ વગર માફી માગવા મજબૂર કરવા માટે કાયદાનો ઉપયોગ કરવો ન્યાયીક પ્રક્રિયા માટે ખરાબ છે. તેને પોષી લેવું ન જોઈએ.  રાહુલ ગાંધીના નવા સોગંદનામામાં ફરિયાદી પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલ સોગંદનામાનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ પોતાને દોષી ઠરાવાનો વિરોધ કર્યો છે. 


આ મામલો એવો નથી જેમાં કોઈના નામને કે હોદ્દાને નુકસાન પહોંચ્યું હોય 

રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મામલો એવો બિલકુલ નથી કે જેમાં ફરિયાદીના નામને કે હોદ્દાને નુકસાન થયું હોય કે તેમની માનહાની થઈ હોય. રાહુલ ગાંધીનું સોગંદનામામાં કહેવું છે કે માનહાની આઈપીસી અંતર્ગત 22 ગુનાઓમાંનો એક છે. જેમાં સામાન્ય સજાની જોગવાઈ છે. કોઈ કઠોર સજાની જોગવાઈ નથી. જે જણાવે છે કે ગુનો ગંભીર તો છે જ નહીં, 


ભાષણને પૂરી રીતે સાંભળવા રાહુલ ગાંધીએ કરી અપીલ 

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ કેસમાં સૌથી કઠોરમાં કઠોર સજા સંભળાવાના કારણે તેમનું સંસદ પદ જતું રહ્યું છે. જેના કારણે ન્યાયાલયે સજા મામલે એકવાર વિચાર કરવો જોઈએ. હું વિપક્ષમાં છું માટે મારે સત્તાની ભૂલ પર ધ્યાન દોરવું મારું કર્તવ્ય છે. મારી અપીલ છે કે ભાષણને પૂરી રીતે સાંભળીને સમજવું જોઈએ. જેથી ખબર પડે કે આ મામલામાં માનહાનીનો કોઈ ઉદ્દેશ્ય હતો જ નહીં. 


ફરિયાદીએ નથી સાંભળ્યું સંપૂર્ણ ભાષણ!

રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં સર્વોચ્ચ અદાલત સામે પોતાની વાત રાખી હતી કે ફરિયાદીએ જાતે રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યું નથી અને તેમણે મીડિયા અને વોટ્સએપના સ્ક્રીનશોટ પર ભરોસો કરી લીધો છે. રાહુલ ગાંધીએ પોતાની સામે પૂરાવાના ભાગરૂપે જે સીડી મૂકી છે તે મામલે કહ્યું છે કે તે ફરિયાદ સાથે સંબંધિત નથી.  રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં એવું પણ કહ્યું છે કે મોદી સમાજ કોઈ સમાજ નથી, મોદી ઉપનામ વિવિધ જાતિઓ હેઠળ આવે છે અને લોકોએ સ્વયં તેનો સ્વિકાર કર્યો છે. 



જો સજા યથાવત રહેશે તો રાહુલ ગાંધી નહીં લડી શકે લોકસભા ચૂંટણી!

રાહુલ ગાંધીએ કહ્યું છે કે નીરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી એક જ જાતિથી નથી આવતા. એટલે આ વસ્તુની પરિભાષા હજુ સ્પષ્ટ નથી અને આ લોકોને ઓળખવા માટેનો કોઈ વર્ગ પણ નથી જેવો તેને દેખાડવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તેમના દોષ પર રોક લગાવી દેવામાં આવે તો તેમને કોઈ નુકસાન નહીં થાય. અને જો આવું નથી થતું તો તે લોકસભાની બેઠકોમાં ભાગ નથી લઈ શકતા. 


આ ધારાશાસ્ત્રીઓએ તૈયાર કર્યું છે સોગંદનામું 

આપને જણાવી દઈએ કે આ બધી સોગંદનામાની વાતો રાહુલ ગાંધી દ્વારા જણાવામાં ન આવી હોય. કોઈ ધારાશાસ્ત્રી દ્વારા આને તૈયાર કરવામાં આવતી હોય છે. આ સોગંદનામું ધારાશાસ્ત્રી પ્રસન્ના એસ અને તરન્નુમ ચીમાએ તૈયાર કર્યું છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડોક્ટર એલ એમ સિંઘવીએ આ સોગંદનામામાં ફેરબદલીઓ કરી છે. 



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.