"બધા ચોરની અટક Modi જ કેમ છે?" નિવેદન મામલે Supreme Courtમાં Rahul Gandhiએ નવું સોગંદનામું રજૂ કર્યું, જાણો વિગત


  • Published By :
  • Published Date : 2023-08-03 16:59:55

આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટીના નેતા પૂર્ણેશ મોદીએ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે માનહાનીની ફરિયાદ કરી હતી, પછી રાહુલ ગાંધીનું સાંસદ પદ પણ ગયું કારણ કે બે વર્ષની સજા થઈ હતી. પણ આ મામલે કોંગ્રેસના નેતાએ સુપ્રીમ કોર્ટમાં નવી અરજી કરી હતી જેમાં તેમણે સજા પર રોક લગાવાની માગ કરી હતી સાથે એવું પણ કહ્યું હતું કે 'બધા ચોરની અટક મોદી કેમ છે' તે ટિપ્પણી માટે મારે એટલે કે રાહુલ ગાંધીને માફી માગવાની કોઈ જરૂર નથી. સુપ્રીમ કોર્ટની અંદર શું થયું હતું અને રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં શું વાત રાખી હતી. 


નવા સોગંદનામામાં રાહુલ ગાંધીએ આપ્યો સોગંદનામાનો જવાબ

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે તેણે હંમેશા કહ્યું છે કે આ કેસમાં તે દોષી નથી અને જે દોષ મૂકવામાં આવ્યો છે એ પૂર્ણ નથી. જો મારે માફી માગવી હતી અને ગુનો ઓછો કરવો હોત તો એ તો હું ક્યારનોય કરી ચૂક્યો હોત. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અરજી કરનારને કોઈ પણ ભૂલ વગર માફી માગવા મજબૂર કરવા માટે કાયદાનો ઉપયોગ કરવો ન્યાયીક પ્રક્રિયા માટે ખરાબ છે. તેને પોષી લેવું ન જોઈએ.  રાહુલ ગાંધીના નવા સોગંદનામામાં ફરિયાદી પૂર્ણેશ મોદી દ્વારા દાખલ કરવામાં આવેલ સોગંદનામાનો જવાબ આપ્યો છે. રાહુલ ગાંધીએ પોતાને દોષી ઠરાવાનો વિરોધ કર્યો છે. 


આ મામલો એવો નથી જેમાં કોઈના નામને કે હોદ્દાને નુકસાન પહોંચ્યું હોય 

રાહુલ ગાંધીએ કહ્યું છે કે આ મામલો એવો બિલકુલ નથી કે જેમાં ફરિયાદીના નામને કે હોદ્દાને નુકસાન થયું હોય કે તેમની માનહાની થઈ હોય. રાહુલ ગાંધીનું સોગંદનામામાં કહેવું છે કે માનહાની આઈપીસી અંતર્ગત 22 ગુનાઓમાંનો એક છે. જેમાં સામાન્ય સજાની જોગવાઈ છે. કોઈ કઠોર સજાની જોગવાઈ નથી. જે જણાવે છે કે ગુનો ગંભીર તો છે જ નહીં, 


ભાષણને પૂરી રીતે સાંભળવા રાહુલ ગાંધીએ કરી અપીલ 

રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે આ કેસમાં સૌથી કઠોરમાં કઠોર સજા સંભળાવાના કારણે તેમનું સંસદ પદ જતું રહ્યું છે. જેના કારણે ન્યાયાલયે સજા મામલે એકવાર વિચાર કરવો જોઈએ. હું વિપક્ષમાં છું માટે મારે સત્તાની ભૂલ પર ધ્યાન દોરવું મારું કર્તવ્ય છે. મારી અપીલ છે કે ભાષણને પૂરી રીતે સાંભળીને સમજવું જોઈએ. જેથી ખબર પડે કે આ મામલામાં માનહાનીનો કોઈ ઉદ્દેશ્ય હતો જ નહીં. 


ફરિયાદીએ નથી સાંભળ્યું સંપૂર્ણ ભાષણ!

રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં સર્વોચ્ચ અદાલત સામે પોતાની વાત રાખી હતી કે ફરિયાદીએ જાતે રાહુલ ગાંધીનું ભાષણ સાંભળ્યું નથી અને તેમણે મીડિયા અને વોટ્સએપના સ્ક્રીનશોટ પર ભરોસો કરી લીધો છે. રાહુલ ગાંધીએ પોતાની સામે પૂરાવાના ભાગરૂપે જે સીડી મૂકી છે તે મામલે કહ્યું છે કે તે ફરિયાદ સાથે સંબંધિત નથી.  રાહુલ ગાંધીએ નવા સોગંદનામામાં એવું પણ કહ્યું છે કે મોદી સમાજ કોઈ સમાજ નથી, મોદી ઉપનામ વિવિધ જાતિઓ હેઠળ આવે છે અને લોકોએ સ્વયં તેનો સ્વિકાર કર્યો છે. 



જો સજા યથાવત રહેશે તો રાહુલ ગાંધી નહીં લડી શકે લોકસભા ચૂંટણી!

રાહુલ ગાંધીએ કહ્યું છે કે નીરવ મોદી, લલીત મોદી, મેહુલ ચોક્સી એક જ જાતિથી નથી આવતા. એટલે આ વસ્તુની પરિભાષા હજુ સ્પષ્ટ નથી અને આ લોકોને ઓળખવા માટેનો કોઈ વર્ગ પણ નથી જેવો તેને દેખાડવામાં આવી રહ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે જો તેમના દોષ પર રોક લગાવી દેવામાં આવે તો તેમને કોઈ નુકસાન નહીં થાય. અને જો આવું નથી થતું તો તે લોકસભાની બેઠકોમાં ભાગ નથી લઈ શકતા. 


આ ધારાશાસ્ત્રીઓએ તૈયાર કર્યું છે સોગંદનામું 

આપને જણાવી દઈએ કે આ બધી સોગંદનામાની વાતો રાહુલ ગાંધી દ્વારા જણાવામાં ન આવી હોય. કોઈ ધારાશાસ્ત્રી દ્વારા આને તૈયાર કરવામાં આવતી હોય છે. આ સોગંદનામું ધારાશાસ્ત્રી પ્રસન્ના એસ અને તરન્નુમ ચીમાએ તૈયાર કર્યું છે. વરિષ્ઠ ધારાશાસ્ત્રી ડોક્ટર એલ એમ સિંઘવીએ આ સોગંદનામામાં ફેરબદલીઓ કરી છે. 



રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .