વંદે ભારત ટ્રેન સાથે કેમ ટકરાઇ રહ્યા છે ઢોર? રેલવેના અધિકારીઓએ સરપંચોને નોટિસ ફટકારી


  • Published By :
  • Published Date : 2022-11-04 19:09:44

વંદે ભારત ટ્રેન સાથે એક પછી એક જાનવરોના ટકરાવવાની ઘટનાએ રેલ્વે પોલીસને સતર્ક કરી દીધી છે. રેલ્વે સુરક્ષા દળએ મહારાષ્ટ્રના પાલઘરમાં રેલ માર્ગ સાથે જોડાયેલા ગામના સરપંચોને નોટિસ જાહેર કરવાનું શરૂ કર્યુ છે. નોટિસમાં પાટા પાસે પશુઓને જવા ના દેવા માટે કહેવામાં આવ્યુ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી. નોટિસમાં ચેતવણી આપવામાં આવી છે કે જો કોઇ ઢોરનો માલિક બેદરકારી દાખવે છે તો તેના વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 સપ્ટેમ્બરે ગુજરાત અને મહારાષ્ટ્રના પાટનગર વચ્ચે સેમી-હાઇ સ્પીડ એક્સપ્રેસ ટ્રેન સેવાની શરૂઆત કરી હતી. આ ટ્રેનની શરૂઆત બાદ ગુજરાતમાં આવી ત્રણ ઘટના બની ચુકી છે જેમાં ટ્રેન રખડતા ઢોર સાથે ટકરાઇ છે. પશ્ચિમી રેલ્વેના મુખ્ય પ્રવક્તા સુમિત ઠાકુરે જણાવ્યુ કે નોટિસ RPFના મુંબઇ ડિવીઝન દ્વારા સરપંચોને જાહેર કરવામાં આવી છે, જેમાં અધિકારીઓએ સ્થાનિકોને પોતાના ઢોરને પાટાની આસપાસ ના જવા દેવાની અપીલ કરી છે જેથી આ રીતની દૂર્ઘટનાને ટાળી શકાય. ઠાકુરે કહ્યુ કે સરપંચોને જાહેર નોટિસ નિવારક પ્રકૃતિની છે.

મહત્વપૂર્ણ છે કે ગત શનિવારે ગુજરાતના અતુલ સ્ટેશન પાસે મુંબઇ-ગાંધીનગર વંદે ભારત સુપરફાસ્ટ એક્સપ્રેસ ટ્રેનની ઝપટમાં કેટલાક ઢોર આવી ગયા હતા. આ ટ્રેન સેવા શરૂ થયા બાદ આ રીતની ત્રીજી ઘટના હતી. આ પહેલા છ અને સાત ઓક્ટોબરે પણ ટ્રેનની ટક્કરમાં કેટલાક ઢોર આવ્યા હતા. આ બન્ને ઘટના ગુજરાતમાં બની હતી. આ તમામ ઘટનાઓમાં મુસાફરોને કોઇ ઇજા થઇ નહતી. જોકે, ટ્રેનનો આગળનો ભાગ ક્ષતિગ્રસ્ત થઇ ગયો હતો.



જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.