ગરમીની આગાહી માટે શા માટે અપાય છે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ? જાણો શું છે આ કલર કોડનો મતલબ?


  • Published By :
  • Published Date : 2023-05-10 09:10:50

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજથી લઈ આગામી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ક્યારે આપવામાં આવે તે જાણીશું. 


અમદાવાદમાં થશે કાળઝાળ ગરમીનો અનુભવ! 

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ વધવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચ ડિગ્રી જેટલું તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાન પ્રમાણે કલર કોડ આપવામાં આવે છે જેથી લોકોને ખબર પડે કે તાપમાન કેટલું રહેશે. કલર પ્રમાણે તાપમાન કેટલું રહેશે તેની ખબર પડે છે ઉપરાંત તે દિવસ દરમિયાન ગરમીથી બચવા શું કરવું જોઈએ તેની પણ ખબર પડે છે. 


ક્યારે આપવામાં આવે છે યેલો એલર્ટ? 

સૌથી પહેલા વાત કરીએ યેલો એલર્ટની તો જ્યારે શહેરમાં તાપમાન 41થી 43ની વચ્ચે રહેવાની સંભાવના હોય ત્યારે આ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ એલર્ટનો મતલબ છે કે ગરમી સામાન્ય રહેશે. આ એલર્ટની સૌથી વધારે અસર નાના બાળકો તેમજ ગંભીર બિમારી ધરાવતા લોકોને થાય છે. ગરમીથી બચવા આછા રંગના કપડા પહેરવા તેમજ સૂર્યના કિરણોથી બચવું જોઈએ.


જો તાપમાન આટલા ડિગ્રીથી વધારે જાય તો અપાય છે ઓરેન્જ એલર્ટ!

જો તાપમાન 43 ડિગ્રીથી વધારે હોય તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. 43થી 45 ડિગ્રીની વચ્ચે જો તાપમાન રહેવાની સંભાવના હોય તે વખતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. હાલ અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મતલબ કે અમદાવાદનું તાપમાન 43થી 45 ડિગ્રીની વચ્ચે રહેશે. ઓરેન્જ એલર્ટને કારણે થતી અસરની વાત કરીએ તો લાંબા સમય સુધી સૂર્યના કિરણોમાં રહેવાથી લૂ લાગી શકે છે. લૂ તેમજ ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારે પાણી પીવું જોઈએ. ઉપરાંત કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. તે સિવાય ઠંડક વાળા વાતાવરણમાં બને ત્યાં સુધી રહેવું જોઈએ. 


રેડ એલર્ટ ક્યારે જાહેર કરવામાં આવે છે?   

સૌથી ખતરનાક હોય છે રેડ એલર્ટ. રેડ એલર્ટ જ્યારે આપવામાં આવે છે ત્યારે હિટવેવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ એલર્ટમાં તાપમાન 45 ડિગ્રીથી વધારે રહેવાની સંભાવના રહેતી હોય છે. રેડ એલર્ટ જ્યારે આપવામાં  આવ્યું ત્યારે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહુ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર જવું જોઈએ. અને જો ઘરની બહાર જવાનું થાય તો સુર્યના કિરણોથી રક્ષણ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરીને નિકળવું જોઈએ. 


આજે ક્યાં કેટલી પડશે ગરમી?  

જો આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તાપમાન વધવાની સંભાવના છે. જ્યારે સુરત, વલસાડ અને નવસારીમાં તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે. મહત્વનું છે કે આ વખતની ગરમી કાળઝાળ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.        



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.