ગરમીની આગાહી માટે શા માટે અપાય છે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ? જાણો શું છે આ કલર કોડનો મતલબ?


  • Published By :
  • Published Date : 2023-05-10 09:10:50

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજથી લઈ આગામી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ક્યારે આપવામાં આવે તે જાણીશું. 


અમદાવાદમાં થશે કાળઝાળ ગરમીનો અનુભવ! 

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ વધવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચ ડિગ્રી જેટલું તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાન પ્રમાણે કલર કોડ આપવામાં આવે છે જેથી લોકોને ખબર પડે કે તાપમાન કેટલું રહેશે. કલર પ્રમાણે તાપમાન કેટલું રહેશે તેની ખબર પડે છે ઉપરાંત તે દિવસ દરમિયાન ગરમીથી બચવા શું કરવું જોઈએ તેની પણ ખબર પડે છે. 


ક્યારે આપવામાં આવે છે યેલો એલર્ટ? 

સૌથી પહેલા વાત કરીએ યેલો એલર્ટની તો જ્યારે શહેરમાં તાપમાન 41થી 43ની વચ્ચે રહેવાની સંભાવના હોય ત્યારે આ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ એલર્ટનો મતલબ છે કે ગરમી સામાન્ય રહેશે. આ એલર્ટની સૌથી વધારે અસર નાના બાળકો તેમજ ગંભીર બિમારી ધરાવતા લોકોને થાય છે. ગરમીથી બચવા આછા રંગના કપડા પહેરવા તેમજ સૂર્યના કિરણોથી બચવું જોઈએ.


જો તાપમાન આટલા ડિગ્રીથી વધારે જાય તો અપાય છે ઓરેન્જ એલર્ટ!

જો તાપમાન 43 ડિગ્રીથી વધારે હોય તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. 43થી 45 ડિગ્રીની વચ્ચે જો તાપમાન રહેવાની સંભાવના હોય તે વખતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. હાલ અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મતલબ કે અમદાવાદનું તાપમાન 43થી 45 ડિગ્રીની વચ્ચે રહેશે. ઓરેન્જ એલર્ટને કારણે થતી અસરની વાત કરીએ તો લાંબા સમય સુધી સૂર્યના કિરણોમાં રહેવાથી લૂ લાગી શકે છે. લૂ તેમજ ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારે પાણી પીવું જોઈએ. ઉપરાંત કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. તે સિવાય ઠંડક વાળા વાતાવરણમાં બને ત્યાં સુધી રહેવું જોઈએ. 


રેડ એલર્ટ ક્યારે જાહેર કરવામાં આવે છે?   

સૌથી ખતરનાક હોય છે રેડ એલર્ટ. રેડ એલર્ટ જ્યારે આપવામાં આવે છે ત્યારે હિટવેવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ એલર્ટમાં તાપમાન 45 ડિગ્રીથી વધારે રહેવાની સંભાવના રહેતી હોય છે. રેડ એલર્ટ જ્યારે આપવામાં  આવ્યું ત્યારે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહુ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર જવું જોઈએ. અને જો ઘરની બહાર જવાનું થાય તો સુર્યના કિરણોથી રક્ષણ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરીને નિકળવું જોઈએ. 


આજે ક્યાં કેટલી પડશે ગરમી?  

જો આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તાપમાન વધવાની સંભાવના છે. જ્યારે સુરત, વલસાડ અને નવસારીમાં તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે. મહત્વનું છે કે આ વખતની ગરમી કાળઝાળ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.        



ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે