ગરમીની આગાહી માટે શા માટે અપાય છે રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ? જાણો શું છે આ કલર કોડનો મતલબ?


  • Published By :
  • Published Date : 2023-05-10 09:10:50

રાજ્યમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે. તાપમાનનો પારો સતત વધી રહ્યો છે. કમોસમી વરસાદ બાદ કાળઝાળ ગરમીનો અનુભવ કરવા લોકોએ તૈયાર રહેવું પડશે. ખાસ કરીને અમદાવાદ માટે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આજથી લઈ આગામી 5 દિવસ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારે આ રેડ એલર્ટ, યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ ક્યારે આપવામાં આવે તે જાણીશું. 


અમદાવાદમાં થશે કાળઝાળ ગરમીનો અનુભવ! 

અમદાવાદ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ વધવાનો શરૂ થઈ ગયો છે. અમદાવાદમાં તાપમાન 41 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. ત્યારે આગામી પાંચ દિવસ માટે તંત્ર દ્વારા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પાંચ ડિગ્રી જેટલું તાપમાન વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તાપમાન પ્રમાણે કલર કોડ આપવામાં આવે છે જેથી લોકોને ખબર પડે કે તાપમાન કેટલું રહેશે. કલર પ્રમાણે તાપમાન કેટલું રહેશે તેની ખબર પડે છે ઉપરાંત તે દિવસ દરમિયાન ગરમીથી બચવા શું કરવું જોઈએ તેની પણ ખબર પડે છે. 


ક્યારે આપવામાં આવે છે યેલો એલર્ટ? 

સૌથી પહેલા વાત કરીએ યેલો એલર્ટની તો જ્યારે શહેરમાં તાપમાન 41થી 43ની વચ્ચે રહેવાની સંભાવના હોય ત્યારે આ એલર્ટ જાહેર કરવામાં આવે છે. આ એલર્ટનો મતલબ છે કે ગરમી સામાન્ય રહેશે. આ એલર્ટની સૌથી વધારે અસર નાના બાળકો તેમજ ગંભીર બિમારી ધરાવતા લોકોને થાય છે. ગરમીથી બચવા આછા રંગના કપડા પહેરવા તેમજ સૂર્યના કિરણોથી બચવું જોઈએ.


જો તાપમાન આટલા ડિગ્રીથી વધારે જાય તો અપાય છે ઓરેન્જ એલર્ટ!

જો તાપમાન 43 ડિગ્રીથી વધારે હોય તો ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. 43થી 45 ડિગ્રીની વચ્ચે જો તાપમાન રહેવાની સંભાવના હોય તે વખતે ઓરેન્જ એલર્ટ આપવામાં આવે છે. હાલ અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મતલબ કે અમદાવાદનું તાપમાન 43થી 45 ડિગ્રીની વચ્ચે રહેશે. ઓરેન્જ એલર્ટને કારણે થતી અસરની વાત કરીએ તો લાંબા સમય સુધી સૂર્યના કિરણોમાં રહેવાથી લૂ લાગી શકે છે. લૂ તેમજ ડિહાઈડ્રેશનથી બચવા માટે વધારે પાણી પીવું જોઈએ. ઉપરાંત કામ વગર ઘરની બહાર જવાનું ટાળવું જોઈએ. તે સિવાય ઠંડક વાળા વાતાવરણમાં બને ત્યાં સુધી રહેવું જોઈએ. 


રેડ એલર્ટ ક્યારે જાહેર કરવામાં આવે છે?   

સૌથી ખતરનાક હોય છે રેડ એલર્ટ. રેડ એલર્ટ જ્યારે આપવામાં આવે છે ત્યારે હિટવેવ જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે. આ એલર્ટમાં તાપમાન 45 ડિગ્રીથી વધારે રહેવાની સંભાવના રહેતી હોય છે. રેડ એલર્ટ જ્યારે આપવામાં  આવ્યું ત્યારે કામ વગર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. જો બહુ જરૂરી કામ હોય તો જ ઘરની બહાર જવું જોઈએ. અને જો ઘરની બહાર જવાનું થાય તો સુર્યના કિરણોથી રક્ષણ મળે તે પ્રમાણેની વ્યવસ્થા કરીને નિકળવું જોઈએ. 


આજે ક્યાં કેટલી પડશે ગરમી?  

જો આજના તાપમાનની વાત કરીએ તો અમદાવાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તે ઉપરાંત રાજ્યના મધ્ય અને પૂર્વના જિલ્લાઓમાં ગરમીનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાઈ પટ્ટીના ભાગો જેવા કે ગીર સોમનાથ, અમરેલી, પોરબંદર, જૂનાગઢમાં તાપમાન વધવાની સંભાવના છે. જ્યારે સુરત, વલસાડ અને નવસારીમાં તાપમાન 40 ડિગ્રી સુધી જઈ શકે છે. મહત્વનું છે કે આ વખતની ગરમી કાળઝાળ રહેશે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું.        



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.