દ્વારકાધીશ મંદિર પર કેમ ફરકી રહી છે બે ધ્વજા? દ્વારકા પહોંચ્યા હર્ષ સંઘવી! ધારાસભ્ય પબુભા માણેકે ગળામાં શ્રદ્ધાથી પહેરાતા ખેસથી પહેલા હાથ અને પછી નાક લૂછ્યું!


  • Published By :
  • Published Date : 2023-06-12 17:24:46

બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના મંત્રીઓને અલગ અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હર્ષ સંઘવીને દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈ તેઓ દ્વારકા પહોંચી ગયા છે. જખૌ બંદર આસપાસ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ત્યારે 16 જૂન સુધી દ્વારકાના પ્રવાસે ન આવવા અપીલ કરી છે. વાવાઝોડાને કારણે પવન તેજગતિએ વહી રહ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં બે ધ્વજા ફરકી રહી છે કારણ કે ભારે પવનને કારણે સવારે દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચઢી ન હતી. જેથી હાલ બે ધ્વજાઓ ફરકી રહી છે. એવી પણ માન્યતા છે કે બે ધ્વજા ચઢાવવાથી સંકટ ટળી જાય છે.

   

નાક લૂછતાં ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો!

દ્વારકા પહોંચેલા હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. તે સમય દરમિયાન પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પબુભા માણેક ખેસથી નાક સાફ કરી રહ્યા છે. ન માત્ર નાક પરંતુ વારાફતી ખેસ શરીર પર ફેરવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ખેસ પ્રસાદી તરીકે તેમને આપવામાં આવ્યો હોઈ શકે છે કારણ કે તેની ઉપર દ્વારકાધીશ મંદિરની પ્રિન્ટ પણ છે. આપણે સમજીએ છીએ કે દરિયાકિનારે ગરમી અને ભેજ વધારે હોવાથી ધારાસભ્યને તકલીફ પડી શકતી હોય પરંતુ એનો અર્થ એ નથી થતો કે હાથમાં જે કપડું હોય તેનાથી તમે નાક સાફ કરો. 

 

જો કોઈ બીજા પક્ષના નેતાએ આમ કર્યું હોત તો? 

ત્યારે આ વીડિયો જોઈને એક પ્રશ્ન થાય કે આની જગ્યાએ બીજા કોઈ પક્ષના નેતા હોત તો એ વાતને આટલી સરળતાથી લેવાતી?શું બીજા કોઈ પક્ષના નેતા હોત તો એમને ધર્મ વિરોધી ના ચીતરી દેવતા? પબુભા માણેકે આ અજાણતામાં કર્યું હોય શકે. અને દ્વારિકાના નાથને આવી નાની નાની વાતો અસર નથી કરતી. એ તો કરુણા અને પ્રેમનો સાગર છે. પણ રાજનેતાઓએ આ ઘટના પરથી યાદ રાખવું જોઈએ કે કોઈની પણ સાથે થતી આવી ઘટનાઓને ધર્મ કે શ્રદ્ધા વિરોધી સાબિત કરવાની હરીફાઈમાં ના ઉતરી જવું જોઈએ. આશા રાખીએ છીએ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સફળતા પુર્વક પૂર્ણ થાય.    



ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.