દ્વારકાધીશ મંદિર પર કેમ ફરકી રહી છે બે ધ્વજા? દ્વારકા પહોંચ્યા હર્ષ સંઘવી! ધારાસભ્ય પબુભા માણેકે ગળામાં શ્રદ્ધાથી પહેરાતા ખેસથી પહેલા હાથ અને પછી નાક લૂછ્યું!


  • Published By :
  • Published Date : 2023-06-12 17:24:46

બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના મંત્રીઓને અલગ અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હર્ષ સંઘવીને દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈ તેઓ દ્વારકા પહોંચી ગયા છે. જખૌ બંદર આસપાસ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ત્યારે 16 જૂન સુધી દ્વારકાના પ્રવાસે ન આવવા અપીલ કરી છે. વાવાઝોડાને કારણે પવન તેજગતિએ વહી રહ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં બે ધ્વજા ફરકી રહી છે કારણ કે ભારે પવનને કારણે સવારે દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચઢી ન હતી. જેથી હાલ બે ધ્વજાઓ ફરકી રહી છે. એવી પણ માન્યતા છે કે બે ધ્વજા ચઢાવવાથી સંકટ ટળી જાય છે.

   

નાક લૂછતાં ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો!

દ્વારકા પહોંચેલા હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. તે સમય દરમિયાન પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પબુભા માણેક ખેસથી નાક સાફ કરી રહ્યા છે. ન માત્ર નાક પરંતુ વારાફતી ખેસ શરીર પર ફેરવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ખેસ પ્રસાદી તરીકે તેમને આપવામાં આવ્યો હોઈ શકે છે કારણ કે તેની ઉપર દ્વારકાધીશ મંદિરની પ્રિન્ટ પણ છે. આપણે સમજીએ છીએ કે દરિયાકિનારે ગરમી અને ભેજ વધારે હોવાથી ધારાસભ્યને તકલીફ પડી શકતી હોય પરંતુ એનો અર્થ એ નથી થતો કે હાથમાં જે કપડું હોય તેનાથી તમે નાક સાફ કરો. 

 

જો કોઈ બીજા પક્ષના નેતાએ આમ કર્યું હોત તો? 

ત્યારે આ વીડિયો જોઈને એક પ્રશ્ન થાય કે આની જગ્યાએ બીજા કોઈ પક્ષના નેતા હોત તો એ વાતને આટલી સરળતાથી લેવાતી?શું બીજા કોઈ પક્ષના નેતા હોત તો એમને ધર્મ વિરોધી ના ચીતરી દેવતા? પબુભા માણેકે આ અજાણતામાં કર્યું હોય શકે. અને દ્વારિકાના નાથને આવી નાની નાની વાતો અસર નથી કરતી. એ તો કરુણા અને પ્રેમનો સાગર છે. પણ રાજનેતાઓએ આ ઘટના પરથી યાદ રાખવું જોઈએ કે કોઈની પણ સાથે થતી આવી ઘટનાઓને ધર્મ કે શ્રદ્ધા વિરોધી સાબિત કરવાની હરીફાઈમાં ના ઉતરી જવું જોઈએ. આશા રાખીએ છીએ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સફળતા પુર્વક પૂર્ણ થાય.    



પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.