દ્વારકાધીશ મંદિર પર કેમ ફરકી રહી છે બે ધ્વજા? દ્વારકા પહોંચ્યા હર્ષ સંઘવી! ધારાસભ્ય પબુભા માણેકે ગળામાં શ્રદ્ધાથી પહેરાતા ખેસથી પહેલા હાથ અને પછી નાક લૂછ્યું!


  • Published By :
  • Published Date : 2023-06-12 17:24:46

બિપોરજોય વાવાઝોડાને લઈ તંત્ર એલર્ટ થઈ ગયું છે. રાજ્યના મંત્રીઓને અલગ અલગ જગ્યાઓની જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે હર્ષ સંઘવીને દ્વારકાની જવાબદારી સોંપવામાં આવી છે જેને લઈ તેઓ દ્વારકા પહોંચી ગયા છે. જખૌ બંદર આસપાસ વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. ત્યારે 16 જૂન સુધી દ્વારકાના પ્રવાસે ન આવવા અપીલ કરી છે. વાવાઝોડાને કારણે પવન તેજગતિએ વહી રહ્યો છે. દ્વારકાધીશ મંદિરમાં બે ધ્વજા ફરકી રહી છે કારણ કે ભારે પવનને કારણે સવારે દ્વારકાધીશ મંદિરમાં ધ્વજા ચઢી ન હતી. જેથી હાલ બે ધ્વજાઓ ફરકી રહી છે. એવી પણ માન્યતા છે કે બે ધ્વજા ચઢાવવાથી સંકટ ટળી જાય છે.

   

નાક લૂછતાં ધારાસભ્યનો વીડિયો સામે આવ્યો!

દ્વારકા પહોંચેલા હર્ષ સંઘવીએ મીડિયા સમક્ષ વાતચીત કરી હતી. તે સમય દરમિયાન પબુભા માણેકનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. પબુભા માણેક ખેસથી નાક સાફ કરી રહ્યા છે. ન માત્ર નાક પરંતુ વારાફતી ખેસ શરીર પર ફેરવી રહ્યા છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આ ખેસ પ્રસાદી તરીકે તેમને આપવામાં આવ્યો હોઈ શકે છે કારણ કે તેની ઉપર દ્વારકાધીશ મંદિરની પ્રિન્ટ પણ છે. આપણે સમજીએ છીએ કે દરિયાકિનારે ગરમી અને ભેજ વધારે હોવાથી ધારાસભ્યને તકલીફ પડી શકતી હોય પરંતુ એનો અર્થ એ નથી થતો કે હાથમાં જે કપડું હોય તેનાથી તમે નાક સાફ કરો. 

 

જો કોઈ બીજા પક્ષના નેતાએ આમ કર્યું હોત તો? 

ત્યારે આ વીડિયો જોઈને એક પ્રશ્ન થાય કે આની જગ્યાએ બીજા કોઈ પક્ષના નેતા હોત તો એ વાતને આટલી સરળતાથી લેવાતી?શું બીજા કોઈ પક્ષના નેતા હોત તો એમને ધર્મ વિરોધી ના ચીતરી દેવતા? પબુભા માણેકે આ અજાણતામાં કર્યું હોય શકે. અને દ્વારિકાના નાથને આવી નાની નાની વાતો અસર નથી કરતી. એ તો કરુણા અને પ્રેમનો સાગર છે. પણ રાજનેતાઓએ આ ઘટના પરથી યાદ રાખવું જોઈએ કે કોઈની પણ સાથે થતી આવી ઘટનાઓને ધર્મ કે શ્રદ્ધા વિરોધી સાબિત કરવાની હરીફાઈમાં ના ઉતરી જવું જોઈએ. આશા રાખીએ છીએ કે તંત્ર દ્વારા કરવામાં આવતી કામગીરી સફળતા પુર્વક પૂર્ણ થાય.    



ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.