Australian High Commissionerએ ગોપાલ ઈટાલિયાનો માન્યો આભાર, જાણો કેમ કહ્યું Thank You


  • Published By :
  • Published Date : 2023-01-13 14:22:14

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ અનેક વખત જનતાની વચ્ચે દેખાયા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોંપી છે. ત્યારે  ગોપાલ ઈટાલિયાએ Australian High Commissionerની સાથે મુલાકાત કરી હતી.

  

ગોપાલ ઈટાલિયાએ કરી મુલાકાત 

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને તેમજ ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાતમાં વિજેતા બનેલા ધારાસભ્યો લોકોની વચ્ચે જતાં જોવા મળે છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ  Australian High Commissioner Barry O'Farrellની સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે Consulate General Peter Truswell, ausralian embassy political secretaryની સાથે પણ મુલાકાત કરી હતી. 


આપની આગામી રણનીતિ અંગે થઈ ચર્ચા 

તેમની સાથે મુલાકાત દરમિયાન ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટી અંગે વાતચીત કરી હતી. ઉપરાંત આવનાર સમયમાં આમ આદમી પાર્ટી કઈ રીતે અને કયા મુદ્દાઓને લઈ આગળ વધશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકેનું બિરૂદ મેળવી લીધું છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.    




ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.