Australian High Commissionerએ ગોપાલ ઈટાલિયાનો માન્યો આભાર, જાણો કેમ કહ્યું Thank You


  • Published By :
  • Published Date : 2023-01-13 14:22:14

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ અનેક વખત જનતાની વચ્ચે દેખાયા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોંપી છે. ત્યારે  ગોપાલ ઈટાલિયાએ Australian High Commissionerની સાથે મુલાકાત કરી હતી.

  

ગોપાલ ઈટાલિયાએ કરી મુલાકાત 

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને તેમજ ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાતમાં વિજેતા બનેલા ધારાસભ્યો લોકોની વચ્ચે જતાં જોવા મળે છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ  Australian High Commissioner Barry O'Farrellની સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે Consulate General Peter Truswell, ausralian embassy political secretaryની સાથે પણ મુલાકાત કરી હતી. 


આપની આગામી રણનીતિ અંગે થઈ ચર્ચા 

તેમની સાથે મુલાકાત દરમિયાન ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટી અંગે વાતચીત કરી હતી. ઉપરાંત આવનાર સમયમાં આમ આદમી પાર્ટી કઈ રીતે અને કયા મુદ્દાઓને લઈ આગળ વધશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકેનું બિરૂદ મેળવી લીધું છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.    




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.