Australian High Commissionerએ ગોપાલ ઈટાલિયાનો માન્યો આભાર, જાણો કેમ કહ્યું Thank You


  • Published By :
  • Published Date : 2023-01-13 14:22:14

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 5 સીટો મેળવી હતી. આમ આદમી પાર્ટીના ધારાસભ્યો પણ અનેક વખત જનતાની વચ્ચે દેખાયા છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોંપી છે. ત્યારે  ગોપાલ ઈટાલિયાએ Australian High Commissionerની સાથે મુલાકાત કરી હતી.

  

ગોપાલ ઈટાલિયાએ કરી મુલાકાત 

આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ સંગઠનમાં અનેક ફેરફાર કર્યા છે. ઈસુદાન ગઢવીને તેમજ ગોપાલ ઈટાલિયાને મોટી જવાબદારી સોપવામાં આવી છે. ગુજરાતમાં વિજેતા બનેલા ધારાસભ્યો લોકોની વચ્ચે જતાં જોવા મળે છે. ત્યારે ગોપાલ ઈટાલિયાએ  Australian High Commissioner Barry O'Farrellની સાથે મુલાકાત કરી હતી. તેમની સાથે Consulate General Peter Truswell, ausralian embassy political secretaryની સાથે પણ મુલાકાત કરી હતી. 


આપની આગામી રણનીતિ અંગે થઈ ચર્ચા 

તેમની સાથે મુલાકાત દરમિયાન ગોપાલ ઈટાલિયાએ આમ આદમી પાર્ટી અંગે વાતચીત કરી હતી. ઉપરાંત આવનાર સમયમાં આમ આદમી પાર્ટી કઈ રીતે અને કયા મુદ્દાઓને લઈ આગળ વધશે તે અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી તરીકેનું બિરૂદ મેળવી લીધું છે. સંગઠનમાં અનેક ફેરફાર કરવામાં આવ્યા છે. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીને મોટી જવાબદારી સોંપવામાં આવી છે.    




રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.