Dediyapadaના MLA Chaitar Vasavaએ Bharuchના MP Mansukh Vasavaને કેમ ઘેર્યા? સાંભળો પ્રહાર કરતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-27 10:17:41

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થતિ છે, દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી  હાલત જોવા મળી રહી છે. અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સુરત, હોય સૌરાષ્ટ્રના ભાગો હોય, વડોદરા હોય ત્યાં વરસાદને કારણે પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.  

ચૈતર વસાવાએ કર્યા ભાજપ પર પ્રહાર

ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજાની બેટિંગ જોરદાર ચાલી રહી છે . ત્યારે ભરૂચ અને વડોદરાની સ્થિતિને લઈને ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે , ભાજપના નેતાઓને માત્ર મત લેવામાં જ રસ છે. સ્થિતિ વિકટ બની હોવા છતાં નેતાઓ પીડિતોને મળવા નથી આવ્યા . પાણીનો નિકાલ પણ નથી થયો . મસમોટું બજેટ વરસાદી પાણીના નિકાલ માટે ફળવાયું  હોવા છતાં આ સ્થિતિ બની છે . 



અનેક વિસ્તારોમાં ઉતારવામાં આવી NDRFની ટીમને 

ચૈતર વસાવાએ પ્લેટફોર્મ X પર ટ્વિટ પણ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે , ગુજરાતના ભરૂચના MP મનસુખ વસાવાએ અને તંત્રએ પાણીની સ્થિતિને લઈને મૌન ધારણ કરેલ છે . ભાજપની લાલચ અને ભ્રષ્ટાચારે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી . ગલીઓમાં મહોલ્લામાં વરસાદથી પરિસ્થિતિ વિકટ બને છે. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમને પણ ગુજરાતના અનેક ભાગોમાં તૈનાત કરવામાં આવી છે.



ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે તણાવમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો છે. આ તણાવની મધ્યમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ કેનેડામાં G 7 ની બેઠકને વચ્ચે છોડીને , અમેરિકા પરત ફર્યા છે. આ માટે ટ્રુથ સોશ્યિલ નામની સાઈટ પર એક પોસ્ટ સામે આવી છે જેમાં લખવામાં આવ્યું છે કે , તેહરાનને ખાલી કરો . સાથે જ ભારતે પોતાના વિદ્યાર્થીઓને સુરક્ષાના કારણોસર તેહરાનમાંથી ખાલી કરાવડાવ્યા છે.

મધ્ય એશિયામાં પરિસ્થિતિઓ સતત વણસી રહી છે. કેમ કે , ઈરાન અને ઇઝરાયેલના એક બીજા પર જોરદાર હુમલાઓ ચાલુ છે. બેઉ તરફ મૃત્યુનો આંક વધી રહ્યો છે. રવિવારે મોડી રાતથી આજે સવારે , ઈરાન દ્વારા ઇઝરાયેલ પર મિસાઈલ હુમલા સતત ચાલુ છે જે અંતર્ગત હવે ઇસરાએલની રાજધાની તેલઅવીવમાં આવેલી યુએસ એમ્બેસીને નુકશાન થયું છે. યુએસ એમ્બેસેડર માઈક હકાબીએ આ સમાચાર કન્ફર્મ કર્યા છે. તો બીજી તરફ ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સીસએ ઇરાનમાં છેક અંદર સુધી સ્ટ્રાઇક કરી છે. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ ટ્રુથ સોશ્યિલ પર એક પોસ્ટ કરીને ભારત પાકિસ્તાનનો સંદર્ભ આપીને ઈરાન અને ઇઝરાયેલ વચ્ચે સમાધાન કરાવવાની વાત કરી છે.

ઇઝરાયેલએ હવે ફરી એકવાર ઈરાન પર હુમલો કર્યો છે . જેમાં ઈઝરાઈલે ઈરાનની ઓઇલ અને પરમાણુ સાઇટ્સને નિશાન બનાવી છે. બેઉ દેશો વચ્ચે પરિસ્થિતિ જબરદસ્ત રીતે એસ્કેલેટ થઇ રહી છે . અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ અમેરિકાની કોઈ પણ પ્રકારની ભૂમિકા નકારી દીધી છે. સાથે જ ઈરાનને ધમકી આપી છે કે , અમેરિકાની વિરુદ્ધમાં કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો , અમેરિકા નઈ છોડે. સાથે જ એ પણ ચર્ચા કરીશું કે , કેવી રીતે ઈરાન , ઇઝરાયેલ યુદ્ધ ભારત અને વિશ્વના અર્થતંત્રને અસર કરી શકે છે.

૨૦૨૫ના આ વર્ષમાં સમગ્ર વિશ્વ ખુબ મોટી અસ્થિરતામાંથી પસાર થઈ રહ્યું છે . કેમ કે હવે ઇઝરાયેલએ ઈરાન પર હુમલો કરી દીધો છે. સાથે જ ઇઝરાયલે પોતાના ત્યાં "સ્ટેટ ઓફ ઇમર્જન્સી'' જાહેર કરી દીધી છે. ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી છે કે , ઈરાન પર હુમલા ત્યાં સુધી ચાલુ રહેશે જ્યાં સુધી ઇઝરાયેલને ઈરાનથી ખતરો ખતમ ના થઈ જાય . ઇઝરાયેલના હુમલા પછી ઈરાનની રાજધાની તેહરાનના અલગ અલગ ભાગોમાં ધડાકાઓ સંભળાયા હતા .