Dediyapadaના MLA Chaitar Vasavaએ Bharuchના MP Mansukh Vasavaને કેમ ઘેર્યા? સાંભળો પ્રહાર કરતા શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2024-07-27 10:17:41

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થતિ છે, દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં પૂર જેવી  હાલત જોવા મળી રહી છે. અનેક દ્રશ્યો સામે આવ્યા છે જેમાં પાણી ભરાઈ જવાને કારણે જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. સુરત, હોય સૌરાષ્ટ્રના ભાગો હોય, વડોદરા હોય ત્યાં વરસાદને કારણે પરિસ્થિતિ કફોડી બની ગઈ છે. ભરૂચથી પણ અનેક વીડિયો સામે આવ્યા છે જેમાં શહેરોમાં જાણે નદી વહેતી હોય તેવું લાગે. વરસાદને કારણે સર્જાયેલી પરિસ્થિતિને લઈ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર પ્રહાર કર્યા છે.  

ચૈતર વસાવાએ કર્યા ભાજપ પર પ્રહાર

ગુજરાતના અનેક ભાગોમાં મેઘરાજાની બેટિંગ જોરદાર ચાલી રહી છે . ત્યારે ભરૂચ અને વડોદરાની સ્થિતિને લઈને ડેડિયાપાડાના MLA ચૈતર વસાવાએ ભાજપના નેતાઓ પર ગંભીર આક્ષેપો કર્યા છે. ચૈતર વસાવાએ કહ્યું છે કે , ભાજપના નેતાઓને માત્ર મત લેવામાં જ રસ છે. સ્થિતિ વિકટ બની હોવા છતાં નેતાઓ પીડિતોને મળવા નથી આવ્યા . પાણીનો નિકાલ પણ નથી થયો . મસમોટું બજેટ વરસાદી પાણીના નિકાલ માટે ફળવાયું  હોવા છતાં આ સ્થિતિ બની છે . 



અનેક વિસ્તારોમાં ઉતારવામાં આવી NDRFની ટીમને 

ચૈતર વસાવાએ પ્લેટફોર્મ X પર ટ્વિટ પણ કરી છે જેમાં તેમણે લખ્યું છે કે , ગુજરાતના ભરૂચના MP મનસુખ વસાવાએ અને તંત્રએ પાણીની સ્થિતિને લઈને મૌન ધારણ કરેલ છે . ભાજપની લાલચ અને ભ્રષ્ટાચારે વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી કરી . ગલીઓમાં મહોલ્લામાં વરસાદથી પરિસ્થિતિ વિકટ બને છે. મહત્વનું છે કે વરસાદને કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બની ગયા છે. અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. એનડીઆરએફની ટીમને પણ ગુજરાતના અનેક ભાગોમાં તૈનાત કરવામાં આવી છે.



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .