કેમ BJPના નેતાઓ અને MLAએ CMને પત્ર લખવાનો વારો આવ્યો? કેમ તંત્ર સામે એક્શનની વાત નેતાઓ કરે છે?


  • Published By :
  • Published Date : 2024-05-17 16:54:20

એક સમય એવું માનવામાં આવતું કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ, ધારાસભ્યો પક્ષ સામે સવાલ ના કરી શકે..! પરંતુ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી અનેક પત્રો ધારાસભ્યો, ઉમેદવારો દ્વારા લખવામાં આવી રહ્યા છે પોતાની જ પાર્ટીને, રાજ્યની સત્તાધારી પાર્ટીને, રાજ્યના મુખ્યમંત્રીને લખવામાં આવી રહ્યા છે... ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં સતધારી પક્ષ છે પણ આજ કાલ ભાજપના નેતાઓના પત્ર ખૂબ ચર્ચામાં છે પહેલા જુનાગઢના ધારાસભ્યએ પત્ર લખ્યો પછી અમરેલી લોકસભાના ઉમેદવારે પત્ર લખ્યો કુમાર કાનાણીએ પત્ર લખ્યો..

ભાજપના નેતાઓ સીએમને લખી રહ્યા છે પત્ર 

છેલ્લા ઘણા સમયથી ભારતીય જનતા પાર્ટીમાં ચાલતા આંતરિક ડખા ચર્ચામાં છે.. અનેક નેતાઓ નારાજ ચાલી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે... આ બધા વચ્ચે ભાજપના નેતાઑ મુખ્યમંત્રીને પત્ર લખી રહ્યા છે.. અધિકારીઓ તેમનું સાંભળતા નથી તેવી ફરિયાદ જાણે તે સીએમને કરતા હોય તેવું લાગી રહ્યું છે. કેમ વિકાસની વાત કરતાં પક્ષના નેતાઓ તંત્ર સામે ખિજાયા છે...! 


પહેલા કુમાર કાનાણી, પછી જૂનાગઢના ધારાસભ્ય અને પછી.. 

ગઈકાલથી એક બાદ એક નેતાઓના પત્રોની ખૂબ ચર્ચા થઈ રહી છે.. પહેલા કુમાર કાનાણીનો પત્ર આવ્યો, પછી સંજય કોરડીયાનો પત્ર સામે આવ્યો અને પછી અમરેલીના ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાનો પત્ર સામે આવ્યો.. સવાલ સૌથી પહેલાએ થાય કે ભાજપના નેતાઓને કેમ પક્ષ અને સત્તાને સવાલ કરવાનો કે વિનંતી કરવાનો વારો આવ્યો છે? ત્રણેય પત્રમાં ઘટનાઓ અલગ અલગ છે.. 


નુકસાની અંગે સર્વે કરાવા કરી વિનંતી

પહેલા પત્ર વિશે વાત કરી તો અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદના કારણે નુકસાન જતા ભરત સુતરીયાએ સીએમને પત્ર લખ્યો છે. બાબરા પીજીવીસીએલમાં જિનિંગ મિલ જીઆઇડીસીમાં નુકસાન જતા રજુઆત કરવામાં આવીછે. ભરત સુતરીયાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની સાથે ટેલિફોનિક વાતચીત કરી નુકસાની અંગે સર્વે કરી સહાય આપવા માટેની રજુઆત કરી છે. 


સંજય કોરડીયાએ પણ લખ્યો મુખ્યમંત્રીને પત્ર 

બીજી બાજુ એમએલએ સંજય કોરડીયાએ પણ  મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. પત્ર લખીને કહ્યું છે કે સાહેબ તંત્ર સામે પગલાં લો... ધારાસભ્ય સંજય કોરડીયાએ પત્રમાં લખ્યું છે કે જૂનાગઢ શહેરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલા શહેરના મધ્યમાં આવેલા નરસિંહ મહેતા તળાવના નવીનીકરણની કામગીરી ગોકળગાયની ગતિથી ચાલી રહી છે. ગત વર્ષે શહેરમાં આ કામગીરીમાં કોન્ટ્રેક્ટર અને અધિકારીઓની બેદરકારીને કારણે વરસાદના પાણી રહેણાક વિસ્તારોમાં ઘૂસ્યાં હતાં અને કૃત્રિમ પૂર હોનારતની પરિસ્થિતી ઊભી થઈ હતી. એને કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 


ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેલ જતા લખ્યો હતો પત્ર 

હવે વાત કરીએ કુમાર કાનાણીની... કુમાર કાનાણીએ કલેક્ટરને પત્ર લખીને આવકના દાખલા માટે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ કરી છે. આવકનો દાખલો લેવા માટે મોટી લાઈનો લાગતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા જે બાદ તેમણે આ પત્ર લખ્યો છે. મહત્વનું છે કે એક મહિના પહેલા જ સુરતમાં વિવિધ જગ્યાએથી લેવામાં આવેલા ખાદ્ય પદાર્થના સેમ્પલ ફેલ થયા હતા. જે બાદ ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો હતો. 



કડક કાર્યવાહી થાય તે માટે લખવો પડી રહ્યો છે સીએમને પત્ર

હવે આ ત્રણેય નેતાઓની વાત કરીએ તો એ સરસ કામ કરી રહ્યા છે ભાજપમાં છે અને પદ પર છે તો લોકોના કામ માટે અવાજ ઉઠાવે છે. પણ આ પત્રો અને ઘટનાઓ જોતાં એક સવાલ એ પણ થાય કે શું અધિકારીઓ ધારાસભ્ય અને ભાજપના નેતાઓનું માનતા નથી? ધારાસભ્ય કક્ષાના માણસે પણ મુખ્યમંત્રીને પત્ર લખી અને કડક કાર્યવાહી અને તંત્ર સામે એક્શન લેવા કહેવું પડે તે નવાઈની વાત લાગે... મોટા ભાગે બધાને એવું લાગે કે વિપક્ષના નેતાઓ જ પત્ર લખીને કમ્પલેન કરે પણ અહિયાં તો સત્તા પક્ષના નેતા પણ પત્ર લખે છે એક્શન માટે...સવાલ એ પણ થાય કે જો અધિકારીઓ ધારાસભ્યોનું, નેતાઓનું નથી માનતા તો સામાન્ય માણસની તો વાત જ ના થાય... તમારું આ મામલે શું માનવું છે અમને કોમેન્ટમાં જણાવો. 



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.