કોંગ્રેસના લલિત વસોયાને કેમ સફાયો આપવો પડ્યો ?


  • Published By :
  • Published Date : 2022-11-07 18:26:20

રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી.સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.અને આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાતો જોવા મળ્યો હતો. સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.જોકે આ બાબતે ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા હતા કે આ વિડિઓ કટ કરીને ચલાવવામાં આવ્યો છે આ બાબતે ગુજરાત કોંગ્રેસે પણ ટ્વિટ કર્યું હતું અને વિડીયો મૂકી હતી


લલિત વસોયાએ વિડિઓ બનાવી વળતો જવાબ આપ્યો

લલિત વસોયાનો આ વિડિઓ વાયરલ થયા બાદ તેઓએ એક વિડિઓ બનાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી BJPની B ટિમ છે આ લોકો ભેગા મળી કોંગ્રેસના વોટ તોડવા આવ્યા છે..ઉલ્લેખનીય છે કે લલિત વસોયાનો વાયરલ થઇ રહેલો વિડિઓ મીડિયામાં પણ જોવા મળ્યો હતો અને આ વિડિઓમાં લલિત ભાઈ આડકતરી રીતે એવું બોલી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતા ભાજપને મત આપજો આમ આદમી પાર્ટી બીજેપીની B ટિમ છે આ નિવેદનના કારણે આખો વિવાદ સર્જાયો હતો 


અગાઉ પણ લલિત વસોયા ભાજપમાં જશે તેવી વાત ફેલાઈ હતી 

લલિત વસોયા અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા કે જેમાં તેમના પોસ્ટરમાં કોંગ્રેસનો કોઈ ઉલ્લેખ નહોતો.ધોરાજીના MLA લલિત વસોયા ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેવી તેજ ચર્ચાઑ વચ્ચે લલિત વસોયાના જન્માષ્ટમીની શુભેચ્છા આપતા પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ ન કરાતા એ વખતે અટકળો તેજ બની હતી લલીત વસોયાના પોસ્ટરમાંથી 'પંજો' ગાયબ થતાં ફરી અટકળોનો દૌર પણ જામ્યો હતો.




ગીરસોમનાથ જિલ્લામાં કાયદો વ્યવસ્થા પર પ્રશ્નો ઉભા કરતી એક ગંભીર ઘટના સામે આવી છે. જેમાં , જિલ્લાના વેરાવળ શહેરમાં ધોળા દિવસે ફાયરિંગ કરવામાં આવ્યું છે. વેરાવળના સોમનાથ ટોકીઝ વિસ્તારમાં અજાણ્યા શખ્સો દ્વારા તુરક સમાજના પ્રમુખ જાવીદ તાજવાની પર અંધાધૂંધ ફાયરિંગ કરવામાં આવ્યું છે. આ ઘાતક હુમલામાં જાવીદ તાજવાનીને માથાના ભાગે ઇજા થતા તેઓ ઢળી પડ્યા હતા. ત્યારબાદ , ગીર સોમનાથના SP જયદીપસિંહ જાડેજા ઘટનાસ્થળે દોડી ગયા હતા.

મોરબીમાં ભારતીય જનતા પાર્ટીમાં જૂથવાદ ચૂંટણી પછી સપાટી પર આવી ગયો છે. ભારતીય જનતા પાર્ટીની પાર્લિયામેંટ્રી બોર્ડની મિટિંગમાં મોરબી મહાનગરપાલિકાના મેયર અને જિલ્લાના અન્ય હોદ્દેદારોને લઇને કાંતિ અમૃતિયા અને મોહન કુંડારીયા આમનેસામને આવી ગયા છે. ત્યારબાદ મોરબી મેયરના નામ પર હાલ ચર્ચા મોકૂફ રાખવામાં આવી છે.

ગુજરાતમાં જયારે જયારે કોઈ ગંભીર ગુના બને છે. ત્યારે આપણી પોલીસ જાહેરમાં આરોપીઓનો વરઘોડો કાઢીને રિકંસ્ટ્રક્શન હાથ ધરે છે. આ પછી , આ વરઘોડાની રીલો ખુબ વાઇરલ થાય છે. લોકો હજારોની સંખ્યામાં ઘટના સ્થળ પર ઉમટી પડે છે. ત્યારે હવે રાજ્યના ઇન્ચાર્જ પોલીસ વડા ડૉ. કે.એલ.એન. રાવે રાજ્યના તમામ પોલીસ અધિકારીઓને ગુજરાત હાઇકોર્ટનો એક કેસ ટાંકીને ‘કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો’ તેવી લેખિત ચેતવણી આપી છે.

ઈરાન યુદ્ધમાં પાકિસ્તાન દ્વારા ઈરાન અને અમેરિકા વચ્ચે મધ્યસ્થી કરાવવામાં આવી છે. ત્યારે આજે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા CBS દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, પાકિસ્તાને ઈરાનને તેના મિલિટરી એરક્રાફ્ટ છુપાવવા માટે યુદ્ધ દરમ્યાન મદદ કરી હતી. જોકે હવે એક પાકિસ્તાની અધિકારી દ્વારા CBSના અહેવાલને ખોટો ગણાવવામાં આવ્યો છે. બીજી તરફ, અમેરિકામાં પાકિસ્તાનની ઈરાન યુદ્ધમાં મધ્યસ્થીને લઇને પ્રશ્નો ઉભા થયા છે.