કોંગ્રેસના લલિત વસોયાને કેમ સફાયો આપવો પડ્યો ?


  • Published By :
  • Published Date : 2022-11-07 18:26:20

રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી.સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.અને આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાતો જોવા મળ્યો હતો. સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.જોકે આ બાબતે ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા હતા કે આ વિડિઓ કટ કરીને ચલાવવામાં આવ્યો છે આ બાબતે ગુજરાત કોંગ્રેસે પણ ટ્વિટ કર્યું હતું અને વિડીયો મૂકી હતી


લલિત વસોયાએ વિડિઓ બનાવી વળતો જવાબ આપ્યો

લલિત વસોયાનો આ વિડિઓ વાયરલ થયા બાદ તેઓએ એક વિડિઓ બનાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી BJPની B ટિમ છે આ લોકો ભેગા મળી કોંગ્રેસના વોટ તોડવા આવ્યા છે..ઉલ્લેખનીય છે કે લલિત વસોયાનો વાયરલ થઇ રહેલો વિડિઓ મીડિયામાં પણ જોવા મળ્યો હતો અને આ વિડિઓમાં લલિત ભાઈ આડકતરી રીતે એવું બોલી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતા ભાજપને મત આપજો આમ આદમી પાર્ટી બીજેપીની B ટિમ છે આ નિવેદનના કારણે આખો વિવાદ સર્જાયો હતો 


અગાઉ પણ લલિત વસોયા ભાજપમાં જશે તેવી વાત ફેલાઈ હતી 

લલિત વસોયા અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા કે જેમાં તેમના પોસ્ટરમાં કોંગ્રેસનો કોઈ ઉલ્લેખ નહોતો.ધોરાજીના MLA લલિત વસોયા ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેવી તેજ ચર્ચાઑ વચ્ચે લલિત વસોયાના જન્માષ્ટમીની શુભેચ્છા આપતા પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ ન કરાતા એ વખતે અટકળો તેજ બની હતી લલીત વસોયાના પોસ્ટરમાંથી 'પંજો' ગાયબ થતાં ફરી અટકળોનો દૌર પણ જામ્યો હતો.




જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.

આંતરરાષ્ટ્રીય સંબંધોમાં USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાઓમાં છે તેમણે ફરી એકવાર , ભારતને લઇને નિવેદનબાજીઓ કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પને અપેક્ષા છે કે , ભારત આ વર્ષના અંતથી રશિયન ક્રૂડની આયાત કરવાનું બંધ કરી દેશે. આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પએ ચીન વિશે નિવેદન આપતા કહ્યું છે કે , બાઈડેન અને ઓબામાની નીતિઓના કારણે ચીન અને રશિયા એક થયા છે. બાકી બંને મિત્ર રહી શકે તેમ છે જ નહીં. ચીનના રશિયા સાથેના સંબંધો અલગ પ્રકારના છે.

રાજકોટના ગોંડલના ખુબ ચર્ચિત રાજકુમાર જાટ કેસમાં આ આખા કેસની તપાસ હવે સુરેન્દ્રનગરના SP , IPS પ્રેમસુખ ડેલુંને સોંપાઈ છે. જે ડી પુરોહિત કે જેઓ ધ્રાંગધ્રાના DYSP છે એ તેમને આ કેસની તપાસમાં મદદ કરશે. આમ હવે રાજકુમાર જાટ કેસમાં તપાસ માટે એક નવી તપાસ ટીમ બનાવવામાં આવશે. રાજકુમાર જાટના પરિવારજનોનું માનવું છે કે , સ્થાનિક પોલીસ પૂર્વ MLA જયરાજસિંહને બચાવી રહી છે. આ કેસની વધુ તપાસ CBIને સોંપવામાં આવે તેવી અરજી પણ તેમના દ્વારા દાખલ કરવામાં આવી હતી. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આ કેસને લઇને મહત્વના નિર્દેશ આપવામાં આવ્યા છે.

રાજકોટના ખુબ ચર્ચિત કેસ અમિત ખૂંટ કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાના દીકરા રાજદીપસિંહ જાડેજાના આગોતરા જામીન હવે સુપ્રીમ કોર્ટે ફગાવી દીધા છે. સુપ્રીમ કોર્ટે દ્વારા રાજદીપ સિંહ જાડેજાના આગોતરા જામીન ના મંજુર કરવાંમાં આવ્યા છે. જેનાથી હવે રાજદીપ જાડેજાની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. આપને જણાવી દયિકે , રાજદીપસિંહ જાડેજાના પિતા અનિરુદ્ધસિંહ જાડેજા હાલમાં EX MLA પોપટલાલ સોરઠીયા કેસમાં સજામાફી રદ થવાના કારણે જેલમાં જ છે.