કોંગ્રેસના લલિત વસોયાને કેમ સફાયો આપવો પડ્યો ?


  • Published By :
  • Published Date : 2022-11-07 18:26:20

રાજકોટના ધોરાજીમાં કોંગ્રેસ દ્વારા પરિવર્તન યાત્રા કાઢવામાં આવી હતી.સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.અને આ વિડિઓ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો જેમાં લલિત વસોયાનો ભાજપ પ્રેમ છલકાતો જોવા મળ્યો હતો. સભામાં ધારાસભ્ય લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને મત આપવા કરતા ભાજપને મત આપવા જણાવ્યું હતું.જોકે આ બાબતે ધારાસભ્ય લલિત વસોયાએ આક્ષેપ કર્યા હતા કે આ વિડિઓ કટ કરીને ચલાવવામાં આવ્યો છે આ બાબતે ગુજરાત કોંગ્રેસે પણ ટ્વિટ કર્યું હતું અને વિડીયો મૂકી હતી


લલિત વસોયાએ વિડિઓ બનાવી વળતો જવાબ આપ્યો

લલિત વસોયાનો આ વિડિઓ વાયરલ થયા બાદ તેઓએ એક વિડિઓ બનાવી ભાજપ પર પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટી BJPની B ટિમ છે આ લોકો ભેગા મળી કોંગ્રેસના વોટ તોડવા આવ્યા છે..ઉલ્લેખનીય છે કે લલિત વસોયાનો વાયરલ થઇ રહેલો વિડિઓ મીડિયામાં પણ જોવા મળ્યો હતો અને આ વિડિઓમાં લલિત ભાઈ આડકતરી રીતે એવું બોલી રહ્યા હતા કે આમ આદમી પાર્ટીને વોટ આપવા કરતા ભાજપને મત આપજો આમ આદમી પાર્ટી બીજેપીની B ટિમ છે આ નિવેદનના કારણે આખો વિવાદ સર્જાયો હતો 


અગાઉ પણ લલિત વસોયા ભાજપમાં જશે તેવી વાત ફેલાઈ હતી 

લલિત વસોયા અગાઉ પણ વિવાદમાં આવ્યા હતા કે જેમાં તેમના પોસ્ટરમાં કોંગ્રેસનો કોઈ ઉલ્લેખ નહોતો.ધોરાજીના MLA લલિત વસોયા ભાજપમાં જોડાઇ રહ્યા છે. તેવી તેજ ચર્ચાઑ વચ્ચે લલિત વસોયાના જન્માષ્ટમીની શુભેચ્છા આપતા પોસ્ટરમાં ક્યાંય કોંગ્રેસનો ઉલ્લેખ ન કરાતા એ વખતે અટકળો તેજ બની હતી લલીત વસોયાના પોસ્ટરમાંથી 'પંજો' ગાયબ થતાં ફરી અટકળોનો દૌર પણ જામ્યો હતો.




પહલગામના આતંકી હુમલા પછી રાજધાની દિલ્હીમાં એક પછી એક મહત્વની બેઠકો મળવાનું ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ૭ , લોક કલ્યાણ માર્ગ સ્થિત નિવાસ સ્થાને કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની મિટિંગ મળી છે. આ પછી કેબિનેટ કમિટી ઓન પોલિટિકલ અફેર્સની મિટિંગ પણ મળી છે.

ભારત સરકારે પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફનું ઓફિસિયલ પ્લેટફોર્મ એક્સનું એકાઉન્ટ સસ્પેન્ડ કરી નાખ્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફએ જે પેહલા નિવેદન આપ્યું હતું તે પણ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. આ પેહલા તેમણે એક ખાનગી ન્યુઝ ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં એ વાતનો સ્વીકાર કરી લીધો છે કે , પાકિસ્તાન છેલ્લા ૩૦ વર્ષથી આતંકીઓને ટ્રેનિંગ આપતું આવ્યું છે. હવે તેમણે આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થા રીયુટર્સને આપેલા ઇન્ટરવ્યુમાં એક વાતનો સાફ સ્વીકાર કરી લીધો છે કે , ભારત ગમે ત્યારે પાકિસ્તાન પર હુમલો કરી શકે છે.

ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.