મા મહાકાળીએ શા માટે મહાદેવજી ઉપર મૂક્યો પગ? જાણો તેની પાછળ રહેલી કહાની


  • Published By :
  • Published Date : 2022-11-23 15:02:33

દેવી દુર્ગાના અનેક સ્વરૂપો છે. માતાજી મુખ્યત્વે સૌમ્ય સ્વરૂપમાં જ જોવા મળે છે. પરંતુ મહાકાળી દેવીને માતાજીનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. મહાકાળી માતાનું સ્વરૂપ એકદમ ઉગ્ર અને ભયજનક છે. આ સ્વરૂપમાં માતાજી એકદમ ગુસ્સામાં દેખાતા હોય છે. આપણે જ્યારે પણ મહાકાળી માતાના સ્વરૂપની વાત કરીએ તો તે તેમના પગ નીચે મહાદેવજી સૂતેલા દેખાય છે. પણ શું તમને ખબર છે આની પાછળની રહેલી કથા?

એવી માન્યતા છે કે દૈત્યોનો નાશ કરવા માતાજીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. પહેલાના જમાનામાં દૈત્યો તપ કરી દેવો પાસેથી અનેક મનો વાંછિત વરદાન માગી લેતા હતા. રક્તબીજ નામના દૈત્યે પણ ઉગ્ર તપ કરી ભગવાનને પ્રસન્ન કરી વરદાન માગ્યું હતું કે જ્યાં પણ તેના રક્તનું એક બુંદ પણ પડે તો તેમાંથી તેના જોવો શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જાય. આ વરદાનને કારણે તે એકદમ શક્તિશાળી બની ગયો હતો. શક્તિશાળી બનેલો રક્તબીજ દેવો પર તેમજ નિર્દોષ લોકો પર ત્રાસ ગુજારી રહ્યો હતો. દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે તેને રોકવા દેવતાઓએ માતાજીને પ્રાર્થના કરી હતી. એવી પ્રચલિત કથા છે કે માતાજીએ એટલો બધો ગુસ્સો કર્યો જેને કારણે તેમનો વર્ણ કાળો પડી ગયો હતો. જેને કારણે તેઓ મહાકાળી નામથી ઓળખાયા. 

શ્રી મહાકાળી માતા ના દર્શન પાવાગઢ... - Gujarat Tourist Guide | Facebook

યુદ્ધ મેદાનમાં ઉતરી માતાજીએ દૈત્યોના સંહાર કરવાની શરૂઆત કરી દીધી. દૈત્યનો વધ કરવા માતાજીએ પોતાની શક્તિને યુદ્ધ મેદાનમાં ઉતારી હતી. માતાજી દૈત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. વરદાનને કારણે જ્યાં પણ રક્તબીજના રક્તનું એક પણ ટીપું પડતું ત્યાં એક દૈત્ય ઉત્પન્ન થઈ જતો. જેને કારણે અનેક દૈત્યો ઉત્પન્ન થઈ ગયા. વધુ દૈત્યો ઉત્પન્ન ના થાય તે માટે માતાજીએ રક્તબીજના રક્તનું પાન કરવાનું શરૂ કર્યું. 

રક્તનું પાન કરવાથી તેમની જીભ એકદમ લાલ થઈ ગઈ હતી. દાંત પણ લાલ થઈ ગયા હતા. ઉપરાંત લોહી તેમના કપડા પરથી અને તેમના શસ્ત્ર પરથી ટપકી રહ્યું હતું. માતાજીએ રક્તબીજનો વધ કરી દીધો પરંતુ માતાજીનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો હતો. તેમની ઉર્જા એટલી બધી વધી ગઈ હતી કે કોઈ પણ દેવતામાં તેમને શાંત કરવાની ક્ષમતા ન હતી. તમામ દેવતાઓએ મહાદેવજીને માતા પાર્વતીને શાંત કરવા પ્રાર્થના કરી. માતાજીને શાંત કરવા શંકર ભગવાને પણ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ ગયા.

જેને કારણે અંતે શંકર ભગવાન માતાજીનો માર્ગ રોકવા જમીન પર સૂઈ ગયા. જ્યારે માતાજી ત્યાંથી પસાર થયા ત્યારે મહાકાળીએ તેમનો પગ મહાદેવજી પર રાખી દીધો હતો. ભગવાન શિવ પર ચરણ મૂકાઈ જવાને કારણે તેઓ એકદમ રોકાઈ ગયા અને તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. આ ઘટનાને કારણે માતાજીની જીભ બહાર આવી ગઈ હતી. અને આપણે માતાજીના આ જ સ્વરૂપની આરાધના કરીએ છીએ.   



ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનના પ્રમુખ તરીકે ફરી એકવાર રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીની નિમણુંક કરવામાં આવી છે. આ માટે , ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશનની કારોબારી સમિતિની 47મી વાર્ષિક સભા મળી હતી. ગુજરાતમાં GSFAએ ફૂટબોલના ક્રમશઃ વિકાસ અને વૃદ્ધિ માટે ખુબ મહત્વનો ફાળો આપ્યો છે. ફૂટબોલમાં સારામાં સારું પ્રદર્શન કરનારા જિલ્લાઓ , ક્લબો , રેફરી , ખેલાડીઓ અને કોચને એવોર્ડ અને પ્રોત્સાહન આપવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સ્વપ્નનું બિલ એટલે , "બિગ બ્યુટીફૂલ બિલ" જેને , હવે યુએસ કોંગ્રેસના ઉપલા ગૃહ સેનેટે મંજૂરી આપી દીધી છે. ૯૪૦ પન્નાનું આ બિલ ટ્રમ્પના બીજા કાર્યકાળ માટેનું ખુબ મહત્વનું બિલ મનાય છે. જોકે હવે ડોનાલ્ડ ટ્રમ્પના આ "બિલ બ્યુટીફૂલ બિલનો" વિરોધ ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક દ્વારા કરવામાં આવ્યો છે. તો આવો જાણીએ ડોનાલ્ડ ટ્રમ્પનું આ "બિગ બ્યુટીફૂલ બિલ " છે શું તેને કેમ ઈલોન મસ્કે તેને ખરાબ ગણાવ્યું છે?

હાલમાં દુનિયામાં સૌથી વધારે ચર્ચિત જગ્યા હોય તો તે ઈરાનનું ફોરદો પરમાણુ મથક. થોડાક સમય પેહલા અમેરિકા અને ઈઝરાયલે તેને બરબાદ કરવાનો પ્રયાસ કર્યો હતો . અમેરિકાએ તેના સૌથી શક્તિશાળી બી ૨ સ્ટીલ્થ બોમ્બર વાપર્યા હતા . પરંતુ હવે સવાલ એ છે કે , આ ઈરાનનું ફોરદો પરમાણુ મથક બરબાદ થયું છે કે નહિ? તો આનો જવાબ આપણને યુએસના એક ખાનગી રિપોર્ટ પરથી મળે છે જે BBC દ્વારા છાપવામાં આવ્યો છે.

ભારત તરફથી , અમેરિકા સાથે વ્યાપારી કરારોની ચર્ચા કરવા માટે , એક પ્રતિનિધિમંડળ અમેરિકા પહોંચી ચૂક્યું છે. ભારત અને અમેરિકા વચ્ચે વ્યાપારી કરારો માટેની ડેડલાઈન ૯ મી જુલાઈ રાખવામાં આવી છે. તો હવે આ બાબતે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ વ્હાઇટ હાઉસમાં નિવેદન આપ્યું છે કે , ભારત અને અમેરિકા વચ્ચે ટૂંક સમયમાં એક "મોટો" વેપાર સોદો થવા જઈ રહ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પએ આ નિવેદન વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત "બિગ બ્યુટીફૂલ બિલ" કાર્યક્રમમાં આપ્યું છે .