મા મહાકાળીએ શા માટે મહાદેવજી ઉપર મૂક્યો પગ? જાણો તેની પાછળ રહેલી કહાની


  • Published By :
  • Published Date : 2022-11-23 15:02:33

દેવી દુર્ગાના અનેક સ્વરૂપો છે. માતાજી મુખ્યત્વે સૌમ્ય સ્વરૂપમાં જ જોવા મળે છે. પરંતુ મહાકાળી દેવીને માતાજીનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. મહાકાળી માતાનું સ્વરૂપ એકદમ ઉગ્ર અને ભયજનક છે. આ સ્વરૂપમાં માતાજી એકદમ ગુસ્સામાં દેખાતા હોય છે. આપણે જ્યારે પણ મહાકાળી માતાના સ્વરૂપની વાત કરીએ તો તે તેમના પગ નીચે મહાદેવજી સૂતેલા દેખાય છે. પણ શું તમને ખબર છે આની પાછળની રહેલી કથા?

એવી માન્યતા છે કે દૈત્યોનો નાશ કરવા માતાજીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. પહેલાના જમાનામાં દૈત્યો તપ કરી દેવો પાસેથી અનેક મનો વાંછિત વરદાન માગી લેતા હતા. રક્તબીજ નામના દૈત્યે પણ ઉગ્ર તપ કરી ભગવાનને પ્રસન્ન કરી વરદાન માગ્યું હતું કે જ્યાં પણ તેના રક્તનું એક બુંદ પણ પડે તો તેમાંથી તેના જોવો શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જાય. આ વરદાનને કારણે તે એકદમ શક્તિશાળી બની ગયો હતો. શક્તિશાળી બનેલો રક્તબીજ દેવો પર તેમજ નિર્દોષ લોકો પર ત્રાસ ગુજારી રહ્યો હતો. દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે તેને રોકવા દેવતાઓએ માતાજીને પ્રાર્થના કરી હતી. એવી પ્રચલિત કથા છે કે માતાજીએ એટલો બધો ગુસ્સો કર્યો જેને કારણે તેમનો વર્ણ કાળો પડી ગયો હતો. જેને કારણે તેઓ મહાકાળી નામથી ઓળખાયા. 

શ્રી મહાકાળી માતા ના દર્શન પાવાગઢ... - Gujarat Tourist Guide | Facebook

યુદ્ધ મેદાનમાં ઉતરી માતાજીએ દૈત્યોના સંહાર કરવાની શરૂઆત કરી દીધી. દૈત્યનો વધ કરવા માતાજીએ પોતાની શક્તિને યુદ્ધ મેદાનમાં ઉતારી હતી. માતાજી દૈત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. વરદાનને કારણે જ્યાં પણ રક્તબીજના રક્તનું એક પણ ટીપું પડતું ત્યાં એક દૈત્ય ઉત્પન્ન થઈ જતો. જેને કારણે અનેક દૈત્યો ઉત્પન્ન થઈ ગયા. વધુ દૈત્યો ઉત્પન્ન ના થાય તે માટે માતાજીએ રક્તબીજના રક્તનું પાન કરવાનું શરૂ કર્યું. 

રક્તનું પાન કરવાથી તેમની જીભ એકદમ લાલ થઈ ગઈ હતી. દાંત પણ લાલ થઈ ગયા હતા. ઉપરાંત લોહી તેમના કપડા પરથી અને તેમના શસ્ત્ર પરથી ટપકી રહ્યું હતું. માતાજીએ રક્તબીજનો વધ કરી દીધો પરંતુ માતાજીનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો હતો. તેમની ઉર્જા એટલી બધી વધી ગઈ હતી કે કોઈ પણ દેવતામાં તેમને શાંત કરવાની ક્ષમતા ન હતી. તમામ દેવતાઓએ મહાદેવજીને માતા પાર્વતીને શાંત કરવા પ્રાર્થના કરી. માતાજીને શાંત કરવા શંકર ભગવાને પણ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ ગયા.

જેને કારણે અંતે શંકર ભગવાન માતાજીનો માર્ગ રોકવા જમીન પર સૂઈ ગયા. જ્યારે માતાજી ત્યાંથી પસાર થયા ત્યારે મહાકાળીએ તેમનો પગ મહાદેવજી પર રાખી દીધો હતો. ભગવાન શિવ પર ચરણ મૂકાઈ જવાને કારણે તેઓ એકદમ રોકાઈ ગયા અને તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. આ ઘટનાને કારણે માતાજીની જીભ બહાર આવી ગઈ હતી. અને આપણે માતાજીના આ જ સ્વરૂપની આરાધના કરીએ છીએ.   



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.