મા મહાકાળીએ શા માટે મહાદેવજી ઉપર મૂક્યો પગ? જાણો તેની પાછળ રહેલી કહાની


  • Published By :
  • Published Date : 2022-11-23 15:02:33

દેવી દુર્ગાના અનેક સ્વરૂપો છે. માતાજી મુખ્યત્વે સૌમ્ય સ્વરૂપમાં જ જોવા મળે છે. પરંતુ મહાકાળી દેવીને માતાજીનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. મહાકાળી માતાનું સ્વરૂપ એકદમ ઉગ્ર અને ભયજનક છે. આ સ્વરૂપમાં માતાજી એકદમ ગુસ્સામાં દેખાતા હોય છે. આપણે જ્યારે પણ મહાકાળી માતાના સ્વરૂપની વાત કરીએ તો તે તેમના પગ નીચે મહાદેવજી સૂતેલા દેખાય છે. પણ શું તમને ખબર છે આની પાછળની રહેલી કથા?

એવી માન્યતા છે કે દૈત્યોનો નાશ કરવા માતાજીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. પહેલાના જમાનામાં દૈત્યો તપ કરી દેવો પાસેથી અનેક મનો વાંછિત વરદાન માગી લેતા હતા. રક્તબીજ નામના દૈત્યે પણ ઉગ્ર તપ કરી ભગવાનને પ્રસન્ન કરી વરદાન માગ્યું હતું કે જ્યાં પણ તેના રક્તનું એક બુંદ પણ પડે તો તેમાંથી તેના જોવો શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જાય. આ વરદાનને કારણે તે એકદમ શક્તિશાળી બની ગયો હતો. શક્તિશાળી બનેલો રક્તબીજ દેવો પર તેમજ નિર્દોષ લોકો પર ત્રાસ ગુજારી રહ્યો હતો. દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે તેને રોકવા દેવતાઓએ માતાજીને પ્રાર્થના કરી હતી. એવી પ્રચલિત કથા છે કે માતાજીએ એટલો બધો ગુસ્સો કર્યો જેને કારણે તેમનો વર્ણ કાળો પડી ગયો હતો. જેને કારણે તેઓ મહાકાળી નામથી ઓળખાયા. 

શ્રી મહાકાળી માતા ના દર્શન પાવાગઢ... - Gujarat Tourist Guide | Facebook

યુદ્ધ મેદાનમાં ઉતરી માતાજીએ દૈત્યોના સંહાર કરવાની શરૂઆત કરી દીધી. દૈત્યનો વધ કરવા માતાજીએ પોતાની શક્તિને યુદ્ધ મેદાનમાં ઉતારી હતી. માતાજી દૈત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. વરદાનને કારણે જ્યાં પણ રક્તબીજના રક્તનું એક પણ ટીપું પડતું ત્યાં એક દૈત્ય ઉત્પન્ન થઈ જતો. જેને કારણે અનેક દૈત્યો ઉત્પન્ન થઈ ગયા. વધુ દૈત્યો ઉત્પન્ન ના થાય તે માટે માતાજીએ રક્તબીજના રક્તનું પાન કરવાનું શરૂ કર્યું. 

રક્તનું પાન કરવાથી તેમની જીભ એકદમ લાલ થઈ ગઈ હતી. દાંત પણ લાલ થઈ ગયા હતા. ઉપરાંત લોહી તેમના કપડા પરથી અને તેમના શસ્ત્ર પરથી ટપકી રહ્યું હતું. માતાજીએ રક્તબીજનો વધ કરી દીધો પરંતુ માતાજીનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો હતો. તેમની ઉર્જા એટલી બધી વધી ગઈ હતી કે કોઈ પણ દેવતામાં તેમને શાંત કરવાની ક્ષમતા ન હતી. તમામ દેવતાઓએ મહાદેવજીને માતા પાર્વતીને શાંત કરવા પ્રાર્થના કરી. માતાજીને શાંત કરવા શંકર ભગવાને પણ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ ગયા.

જેને કારણે અંતે શંકર ભગવાન માતાજીનો માર્ગ રોકવા જમીન પર સૂઈ ગયા. જ્યારે માતાજી ત્યાંથી પસાર થયા ત્યારે મહાકાળીએ તેમનો પગ મહાદેવજી પર રાખી દીધો હતો. ભગવાન શિવ પર ચરણ મૂકાઈ જવાને કારણે તેઓ એકદમ રોકાઈ ગયા અને તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. આ ઘટનાને કારણે માતાજીની જીભ બહાર આવી ગઈ હતી. અને આપણે માતાજીના આ જ સ્વરૂપની આરાધના કરીએ છીએ.   



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.