મા મહાકાળીએ શા માટે મહાદેવજી ઉપર મૂક્યો પગ? જાણો તેની પાછળ રહેલી કહાની


  • Published By :
  • Published Date : 2022-11-23 15:02:33

દેવી દુર્ગાના અનેક સ્વરૂપો છે. માતાજી મુખ્યત્વે સૌમ્ય સ્વરૂપમાં જ જોવા મળે છે. પરંતુ મહાકાળી દેવીને માતાજીનું ઉગ્ર સ્વરૂપ માનવામાં આવે છે. મહાકાળી માતાનું સ્વરૂપ એકદમ ઉગ્ર અને ભયજનક છે. આ સ્વરૂપમાં માતાજી એકદમ ગુસ્સામાં દેખાતા હોય છે. આપણે જ્યારે પણ મહાકાળી માતાના સ્વરૂપની વાત કરીએ તો તે તેમના પગ નીચે મહાદેવજી સૂતેલા દેખાય છે. પણ શું તમને ખબર છે આની પાછળની રહેલી કથા?

એવી માન્યતા છે કે દૈત્યોનો નાશ કરવા માતાજીએ મહાકાળીનું રૂપ ધારણ કર્યું હતું. પહેલાના જમાનામાં દૈત્યો તપ કરી દેવો પાસેથી અનેક મનો વાંછિત વરદાન માગી લેતા હતા. રક્તબીજ નામના દૈત્યે પણ ઉગ્ર તપ કરી ભગવાનને પ્રસન્ન કરી વરદાન માગ્યું હતું કે જ્યાં પણ તેના રક્તનું એક બુંદ પણ પડે તો તેમાંથી તેના જોવો શક્તિશાળી દૈત્ય ઉત્પન્ન થઈ જાય. આ વરદાનને કારણે તે એકદમ શક્તિશાળી બની ગયો હતો. શક્તિશાળી બનેલો રક્તબીજ દેવો પર તેમજ નિર્દોષ લોકો પર ત્રાસ ગુજારી રહ્યો હતો. દૈત્યો અને દેવતાઓ વચ્ચે ભયંકર યુદ્ધ થયું હતું. ત્યારે તેને રોકવા દેવતાઓએ માતાજીને પ્રાર્થના કરી હતી. એવી પ્રચલિત કથા છે કે માતાજીએ એટલો બધો ગુસ્સો કર્યો જેને કારણે તેમનો વર્ણ કાળો પડી ગયો હતો. જેને કારણે તેઓ મહાકાળી નામથી ઓળખાયા. 

શ્રી મહાકાળી માતા ના દર્શન પાવાગઢ... - Gujarat Tourist Guide | Facebook

યુદ્ધ મેદાનમાં ઉતરી માતાજીએ દૈત્યોના સંહાર કરવાની શરૂઆત કરી દીધી. દૈત્યનો વધ કરવા માતાજીએ પોતાની શક્તિને યુદ્ધ મેદાનમાં ઉતારી હતી. માતાજી દૈત્ય સાથે યુદ્ધ કરવા લાગ્યા. વરદાનને કારણે જ્યાં પણ રક્તબીજના રક્તનું એક પણ ટીપું પડતું ત્યાં એક દૈત્ય ઉત્પન્ન થઈ જતો. જેને કારણે અનેક દૈત્યો ઉત્પન્ન થઈ ગયા. વધુ દૈત્યો ઉત્પન્ન ના થાય તે માટે માતાજીએ રક્તબીજના રક્તનું પાન કરવાનું શરૂ કર્યું. 

રક્તનું પાન કરવાથી તેમની જીભ એકદમ લાલ થઈ ગઈ હતી. દાંત પણ લાલ થઈ ગયા હતા. ઉપરાંત લોહી તેમના કપડા પરથી અને તેમના શસ્ત્ર પરથી ટપકી રહ્યું હતું. માતાજીએ રક્તબીજનો વધ કરી દીધો પરંતુ માતાજીનો ગુસ્સો ચરમ સીમાએ પહોંચી ગયો હતો. તેમની ઉર્જા એટલી બધી વધી ગઈ હતી કે કોઈ પણ દેવતામાં તેમને શાંત કરવાની ક્ષમતા ન હતી. તમામ દેવતાઓએ મહાદેવજીને માતા પાર્વતીને શાંત કરવા પ્રાર્થના કરી. માતાજીને શાંત કરવા શંકર ભગવાને પણ અનેક પ્રયત્નો કર્યા પરંતુ તમામ પ્રયાસ નિષ્ફળ ગયા.

જેને કારણે અંતે શંકર ભગવાન માતાજીનો માર્ગ રોકવા જમીન પર સૂઈ ગયા. જ્યારે માતાજી ત્યાંથી પસાર થયા ત્યારે મહાકાળીએ તેમનો પગ મહાદેવજી પર રાખી દીધો હતો. ભગવાન શિવ પર ચરણ મૂકાઈ જવાને કારણે તેઓ એકદમ રોકાઈ ગયા અને તેમનો ગુસ્સો શાંત થઈ ગયો. આ ઘટનાને કારણે માતાજીની જીભ બહાર આવી ગઈ હતી. અને આપણે માતાજીના આ જ સ્વરૂપની આરાધના કરીએ છીએ.   



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .