ભાજપના ધારાસભ્ય કેમ આટલા ગુસ્સે થઈ ગયા? માણાવદરના ધારાસભ્ય Arvind Ladaniએ તડકામાં બેસી અધિકારીઓનો કેમ લીધો ક્લાસ?


  • Published By :
  • Published Date : 2024-06-15 17:44:31

રાજ્યમાં અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓનો અંતરઆત્મા જાગતો હતો અને ભાજપમાં જોડાઈ જતા હતા..  હવે તો ભાજપના ધારાસભ્યોનો પણ અંતરઆત્મા જાગ્યો છે અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના જ નેતાઓ મેદાનમાં આવ્યા છે...સંજય કોરડિયા, યોગેશ પટેલ ,કુમાર કાનાણી, અમુલ ભટ્ટ પછી હવે જૂનાગઢ જિલ્લાના માણવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ પ્રશાસન સામે આકરાપાણીએ થયા છે... 



ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લીધો અધિકારીઓનો ઉધડો!

જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીનો ઉધડો લેતો વીડિયો સામે આવ્યો છે... ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીને માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો મળતા અધિકારીઓને હાજર રાખી લોકદરબાર યોજ્યો હતો. માણાવદર મામલતદાર કચેરીમાં યોજેલા લોકદરબાર સમયે ધારાસભ્ય મેદાનમાં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો. 



જો 24 તારીખ સુધીમાં પ્રી મોનસુનની કામગીરી પૂર્ણ નહીં થાય તો... 

ધારાસભ્ય અરવિંદ લાડાણી તંત્ર સામે આકરા થયા છે. ધારાસભ્યે મામલતદાર ઓફિસે પહોંચી તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો...પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવાના કારણે લાઈટબિલ ભરવાના નાણાં પણ ન હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો....માણાવદર નગરપાલિકામાં પસ્તી અને ભંગાર વેચવામાં કૌભાંડ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લાડાણીએ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ નહીં થાય તો 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરશે. નગરપાલિકામાં 'નાયક' અંદાજમાં રજૂઆત માટે પહોંચેલા ધારાસભ્ય જનતાના પ્રશ્નોની રજૂઆત સમયે ભાષાની મર્યાદા પણ ભૂલ્યા હતા.... 


અરવિંદ લાડાણીએ યોજ્યો લોકદરબાર

અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, માણાવદરમાં ગટર અને વોકળાની સફાઈને લઈ ફરિયાદો મળતા મામલતદાર કચેરીના મેદાનમાં લોકદરબાર યોજ્યો હતો. જેમાં નગરપાલિકાના વહીવટદાર(મામલતદાર)ને પણ હાજર રહેવા જણાવ્યું હતું પણ તેઓ હાજર રહ્યા ન હતા. ચીફ ઓફિસરે હાજરી આપી હતી. કામગીરી મોડી થવા માટે અધિકારીઓ આચારસંહિતાની વાત કરી રહ્યા છે જે વાત ખોટી છે. નગરપાલિકાના ભંગારના વેચાણમાં ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરાવી જરુરી પગલાં લેવડાવીશું. 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. અન્યથા 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.



એવો જનપ્રતિનિધી હોવો જોઈએ જે... 

માણાવદરથી ગાંધીનગર સુધી ભાજપનું શાસન છે. તેમ છતા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રિમોન્સુન કામગીરીને લઈ અલ્ટીમેટમ આપવું પડ્યું છે.... એટલે એક વાત તો સ્પષ્ટ છે કે, આંદોલન કરો, વિરોધ કરો કે ક્લાસ લો તો  જ કામ થાય બાકી તો રેઢિયાળ ખાતું છે.. જેમ કરો એમ ચાલ્યે જાય... એક વાત એ પણ છે.... જ્યાં પણ ખોટુ થતું હોય ત્યાં એક એવો જનપ્રતિનિધિ હોવો જોઈએ જે ખોટુ કરતું હોય તેના કાન આમળે અને તેને સબક શીખવાડે.... જેથી પ્રજા બિચારી પરેશાન ન થાય.. અરવિંદ લાડાણી અત્યારે એ રસ્તા પર જઈ રહ્યાં છે... જનતાના સેવક બનીને કામ કરી રહ્યાં છે...અપેક્ષા એ છે કે પ્રજાની ફરિયાદોનો ઉકેલ આવે... તમે આ મુદ્દે શું માનો છો કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો..



પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.

રાજકોટ જિલ્લાનું રીબડા ગામ કે જ્યાં આજે અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. EX MLA પોપટ સોરઠીયા કેસમાં અનિરુદ્ધસિંહના સમર્થનમાં મહાસંમેલન મળવા જઈ રહ્યું છે. ત્યારે આ સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉમટી પડે તેવી શક્યતાઓ છે. આ મહાસંમેલનમાં અનિરુદ્ધસિંહ જાડેજાની સજા માફી યથાવત રાખવામાં આવે તેવી સરકારને રજૂઆત કરવામાં આવશે.