ભાજપના ધારાસભ્ય કેમ આટલા ગુસ્સે થઈ ગયા? માણાવદરના ધારાસભ્ય Arvind Ladaniએ તડકામાં બેસી અધિકારીઓનો કેમ લીધો ક્લાસ?


  • Published By :
  • Published Date : 2024-06-15 17:44:31

રાજ્યમાં અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓનો અંતરઆત્મા જાગતો હતો અને ભાજપમાં જોડાઈ જતા હતા..  હવે તો ભાજપના ધારાસભ્યોનો પણ અંતરઆત્મા જાગ્યો છે અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના જ નેતાઓ મેદાનમાં આવ્યા છે...સંજય કોરડિયા, યોગેશ પટેલ ,કુમાર કાનાણી, અમુલ ભટ્ટ પછી હવે જૂનાગઢ જિલ્લાના માણવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ પ્રશાસન સામે આકરાપાણીએ થયા છે... 



ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લીધો અધિકારીઓનો ઉધડો!

જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીનો ઉધડો લેતો વીડિયો સામે આવ્યો છે... ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીને માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો મળતા અધિકારીઓને હાજર રાખી લોકદરબાર યોજ્યો હતો. માણાવદર મામલતદાર કચેરીમાં યોજેલા લોકદરબાર સમયે ધારાસભ્ય મેદાનમાં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો. 



જો 24 તારીખ સુધીમાં પ્રી મોનસુનની કામગીરી પૂર્ણ નહીં થાય તો... 

ધારાસભ્ય અરવિંદ લાડાણી તંત્ર સામે આકરા થયા છે. ધારાસભ્યે મામલતદાર ઓફિસે પહોંચી તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો...પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવાના કારણે લાઈટબિલ ભરવાના નાણાં પણ ન હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો....માણાવદર નગરપાલિકામાં પસ્તી અને ભંગાર વેચવામાં કૌભાંડ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લાડાણીએ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ નહીં થાય તો 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરશે. નગરપાલિકામાં 'નાયક' અંદાજમાં રજૂઆત માટે પહોંચેલા ધારાસભ્ય જનતાના પ્રશ્નોની રજૂઆત સમયે ભાષાની મર્યાદા પણ ભૂલ્યા હતા.... 


અરવિંદ લાડાણીએ યોજ્યો લોકદરબાર

અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, માણાવદરમાં ગટર અને વોકળાની સફાઈને લઈ ફરિયાદો મળતા મામલતદાર કચેરીના મેદાનમાં લોકદરબાર યોજ્યો હતો. જેમાં નગરપાલિકાના વહીવટદાર(મામલતદાર)ને પણ હાજર રહેવા જણાવ્યું હતું પણ તેઓ હાજર રહ્યા ન હતા. ચીફ ઓફિસરે હાજરી આપી હતી. કામગીરી મોડી થવા માટે અધિકારીઓ આચારસંહિતાની વાત કરી રહ્યા છે જે વાત ખોટી છે. નગરપાલિકાના ભંગારના વેચાણમાં ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરાવી જરુરી પગલાં લેવડાવીશું. 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. અન્યથા 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.



એવો જનપ્રતિનિધી હોવો જોઈએ જે... 

માણાવદરથી ગાંધીનગર સુધી ભાજપનું શાસન છે. તેમ છતા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રિમોન્સુન કામગીરીને લઈ અલ્ટીમેટમ આપવું પડ્યું છે.... એટલે એક વાત તો સ્પષ્ટ છે કે, આંદોલન કરો, વિરોધ કરો કે ક્લાસ લો તો  જ કામ થાય બાકી તો રેઢિયાળ ખાતું છે.. જેમ કરો એમ ચાલ્યે જાય... એક વાત એ પણ છે.... જ્યાં પણ ખોટુ થતું હોય ત્યાં એક એવો જનપ્રતિનિધિ હોવો જોઈએ જે ખોટુ કરતું હોય તેના કાન આમળે અને તેને સબક શીખવાડે.... જેથી પ્રજા બિચારી પરેશાન ન થાય.. અરવિંદ લાડાણી અત્યારે એ રસ્તા પર જઈ રહ્યાં છે... જનતાના સેવક બનીને કામ કરી રહ્યાં છે...અપેક્ષા એ છે કે પ્રજાની ફરિયાદોનો ઉકેલ આવે... તમે આ મુદ્દે શું માનો છો કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો..



રાજકોટના જંગલેશ્વર ખાતે આજે ડિમોલિશન પૂર્ણ થયું છે. મહાનગરપાલિકા અને પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે જે કામગીરી ચાલી રહી હતી , તેમાં કુલ ૧૫૦૯ જેટલા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા છે. જંગલેશ્વરની જે શેરીઓ થોડાક સમય અગાઉ લોકોથી ધમધમતી હતી તે શેરીઓની જગ્યાએ હવે કાટમાળના ઢગલા અને વેરાન મેદાન જોવા મળી રહ્યા છે. આ ડિમોલિશન કામગીરી દરમ્યાન RMCના ૧ કર્મચારીનો જીવ માંડમાંડ બચ્યો હતો.

ગીર સોમનાથ જિલ્લામાં SP જયદીપસિંહ જાડેજા દ્વારા જિલ્લામાં અસામાજિક તત્વોને નિયંત્રણમાં લેવા હવે આઠ આરોપીઓની સામે ગુજસીટોકનું શાસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. જેના કારણે , ગીર સોમનાથના અસામાજિક તત્વોમાં ભારે ફફડાટનો માહોલ છે. આ આઠ આરોપીઓની સામે પ્રોહિબિશન સહીત અનેક ગુનાઓ નોંધાયેલા છે , હવે આ ઈસમોની સામે , વેરાવળ સીટી પોલીસ સ્ટેશન ખાતે GUJSITOKની વિવિધ કલમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.

દિલ્હીની AI ઈમ્પૅક્ટ સમિટમાં ઉદ્યોગપતિ મુકેશ અંબાણી દ્વારા સંબોધન કરવામાં આવ્યું છે. મુકેશ અંબાણીએ AIના હકારાત્મક ઉપયોગ પર ભાર મુકવામાં આવ્યો છે. તેમણે કહ્યું છે કે , " AI નોકરીઓ નઈ ખાય. એટલુંજ નહિ AI ખુબ મોટાપાયે તક ઉભી કરશે."

સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલ પર આજે બીજી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જૂનાગઢના મહાશિવરાત્રીના મેળામાં મૃગુ કુંડમાં ડૂબકી લગાવવા પર કીર્તિ પટેલ વિવાદોમાં આવ્યા હતા. આ બાબતે સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી હતી. ત્યારે હવે કીર્તિ પટેલ વિરૂદ્ધ ભવનાથ પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ મહંત બજરંગદાસ બાપુ દ્વારા નોંધાવવામાં આવી છે. જૂનાગઢના ભવનાથ ખાતે દર વર્ષે , મહાશિવરાત્રીના પર્વ નિમિતે, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે. આ વર્ષે , ભવનાથના મેળામાં સોશ્યિલ મીડિયા ઇન્ફુએન્સર કીર્તિ પટેલને લઇને વિવાદ થયો છે. મૃગી કુંડમાં સ્નાન કરવા બદલ સાધુ સંતોમાં ભારે નારાજગી જોવા મળી છે. તે જ સમયે PI સાથે મૃગીકુંડમાં કીર્તિ પટેલને ઘર્ષણ પણ થયું હતું. આ પછી , ભવનાથ પોલીસ સ્ટેશનમાં મહિલા PI કે જે મોડ દ્વારા કીર્તિ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પોલીસની કામગીરીમાં અવરોધ ઉભો કરવાનો આરોપ , PIને જાનથી મારી નાખવાની ધમકી , શાંતિ ડહોળવાનો પ્રયાસની કલમ એડ કરવામાં આવી છે. હવે આજે , બીજી ફરિયાદ સાધુ-સંત દ્વારા કરવામાં આવી છે. આ ફરિયાદ સાધુ સંતોની લાગણી દુભાવવા પર અને તેમને બદનામ કરવા બદલ ભવનાથ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. પ્રભાસ પાટણ નિરાલી ખોડિયાર આશ્રમના મહંત બજરંગદાસ બાપુએ કીર્તિ પટેલન સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે કીર્તિને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરાઈ છે.