ભાજપના ધારાસભ્ય કેમ આટલા ગુસ્સે થઈ ગયા? માણાવદરના ધારાસભ્ય Arvind Ladaniએ તડકામાં બેસી અધિકારીઓનો કેમ લીધો ક્લાસ?


  • Published By :
  • Published Date : 2024-06-15 17:44:31

રાજ્યમાં અત્યાર સુધી કોંગ્રેસના નેતાઓનો અંતરઆત્મા જાગતો હતો અને ભાજપમાં જોડાઈ જતા હતા..  હવે તો ભાજપના ધારાસભ્યોનો પણ અંતરઆત્મા જાગ્યો છે અને ભ્રષ્ટાચાર મુદ્દે ભાજપના જ નેતાઓ મેદાનમાં આવ્યા છે...સંજય કોરડિયા, યોગેશ પટેલ ,કુમાર કાનાણી, અમુલ ભટ્ટ પછી હવે જૂનાગઢ જિલ્લાના માણવદરના ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણી પણ પ્રશાસન સામે આકરાપાણીએ થયા છે... 



ધારાસભ્ય અરવિંદ લાડાણીએ લીધો અધિકારીઓનો ઉધડો!

જૂનાગઢની માણાવદર બેઠક પર કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ પેટાચૂંટણીમાં ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી ધારાસભ્ય બનેલા અરવિંદ લાડાણીનો અધિકારીનો ઉધડો લેતો વીડિયો સામે આવ્યો છે... ભાજપના ધારાસભ્ય અરવિંદ લાડાણીને માણાવદર નગરપાલિકા વિસ્તારમાં પ્રિમોન્સુન કામગીરીને લઈ ફરિયાદો મળતા અધિકારીઓને હાજર રાખી લોકદરબાર યોજ્યો હતો. માણાવદર મામલતદાર કચેરીમાં યોજેલા લોકદરબાર સમયે ધારાસભ્ય મેદાનમાં જમીન પર જ બેસી ગયા હતા અને ચીફ ઓફિસરને પણ જમીન પર બેસાડી સવાલોનો મારો ચલાવ્યો હતો. 



જો 24 તારીખ સુધીમાં પ્રી મોનસુનની કામગીરી પૂર્ણ નહીં થાય તો... 

ધારાસભ્ય અરવિંદ લાડાણી તંત્ર સામે આકરા થયા છે. ધારાસભ્યે મામલતદાર ઓફિસે પહોંચી તડકામાં બેસી અધિકારીનો બરોબરનો ક્લાસ લીધો હતો...પાલિકાની આર્થિક સ્થિતિ કથળી હોવાના કારણે લાઈટબિલ ભરવાના નાણાં પણ ન હોવાનો ધારાસભ્યએ આક્ષેપ કર્યો હતો....માણાવદર નગરપાલિકામાં પસ્તી અને ભંગાર વેચવામાં કૌભાંડ કરાયું હોવાનો પણ આક્ષેપ કર્યો હતો. લાડાણીએ અલ્ટીમેટમ આપતા કહ્યું હતું કે, જો 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ નહીં થાય તો 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરશે. નગરપાલિકામાં 'નાયક' અંદાજમાં રજૂઆત માટે પહોંચેલા ધારાસભ્ય જનતાના પ્રશ્નોની રજૂઆત સમયે ભાષાની મર્યાદા પણ ભૂલ્યા હતા.... 


અરવિંદ લાડાણીએ યોજ્યો લોકદરબાર

અરવિંદ લાડાણીએ કહ્યું હતું કે, માણાવદરમાં ગટર અને વોકળાની સફાઈને લઈ ફરિયાદો મળતા મામલતદાર કચેરીના મેદાનમાં લોકદરબાર યોજ્યો હતો. જેમાં નગરપાલિકાના વહીવટદાર(મામલતદાર)ને પણ હાજર રહેવા જણાવ્યું હતું પણ તેઓ હાજર રહ્યા ન હતા. ચીફ ઓફિસરે હાજરી આપી હતી. કામગીરી મોડી થવા માટે અધિકારીઓ આચારસંહિતાની વાત કરી રહ્યા છે જે વાત ખોટી છે. નગરપાલિકાના ભંગારના વેચાણમાં ભ્રષ્ટાચાર થયો છે તેની તપાસ કરાવી જરુરી પગલાં લેવડાવીશું. 24 તારીખ સુધીમાં પ્રિમોન્સુન કામગીરી પૂર્ણ કરવા કહેવામાં આવ્યું છે. અન્યથા 25 તારીખે જનતાને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.



એવો જનપ્રતિનિધી હોવો જોઈએ જે... 

માણાવદરથી ગાંધીનગર સુધી ભાજપનું શાસન છે. તેમ છતા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પ્રિમોન્સુન કામગીરીને લઈ અલ્ટીમેટમ આપવું પડ્યું છે.... એટલે એક વાત તો સ્પષ્ટ છે કે, આંદોલન કરો, વિરોધ કરો કે ક્લાસ લો તો  જ કામ થાય બાકી તો રેઢિયાળ ખાતું છે.. જેમ કરો એમ ચાલ્યે જાય... એક વાત એ પણ છે.... જ્યાં પણ ખોટુ થતું હોય ત્યાં એક એવો જનપ્રતિનિધિ હોવો જોઈએ જે ખોટુ કરતું હોય તેના કાન આમળે અને તેને સબક શીખવાડે.... જેથી પ્રજા બિચારી પરેશાન ન થાય.. અરવિંદ લાડાણી અત્યારે એ રસ્તા પર જઈ રહ્યાં છે... જનતાના સેવક બનીને કામ કરી રહ્યાં છે...અપેક્ષા એ છે કે પ્રજાની ફરિયાદોનો ઉકેલ આવે... તમે આ મુદ્દે શું માનો છો કોમેન્ટ કરીને અમને ચોક્કસથી જણાવજો..



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.