IPLની મેચ જોવા આવેલા લોકો કેમ મોદી-મોદી કરવા લાગ્યા?, કોણ IPLના ફાઇનલ સુધી પહોંચશે?


  • Published By : Payal rathod
  • Published Date : 2023-05-26 18:14:34


IPl આપણાં દેશમાં બધા તહેવારથી મોટો તહેવાર મનાય છે IPLની આજે એટલે 25 મે ના રોજ ક્વોલિફાયર-2ની મેચ છે જેમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઇંડિયન આમનેસામને હશે. અમે જ્યારે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ લોકો સાથે વાત કરવા માટે પહોંચ્યા ત્યારે લોકોનો ચહેરા પરનો ઉત્સાહ જ કઈક અલગ જ હતો. ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે સાંજે 7.30 વાગ્યે આ મેચ રમાવા જઈ રહી છે. એને લઈને ક્રિકેટરસિયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


IPLની મેચ માટે લોકોમાં જબરજસ્ત ઉત્સાહ!

અમે જ્યારે  સ્ટેડિયમ પહોંચ્યા ત્યારે લોકો અલગ અલગ રાજ્યોથી અમદાવાદ આવી ગયા હતા લગભગ 7 વાગ્યાની મેચ માટે લોકો બપોરે 1 વાગે આવીને સ્ટેડિયમ બહાર બેઠા હતા અમે લોકો સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ જાણવાની કોશિશ કરી ત્યારે ચારેય બાજુથી લોકો ભેગા થઈ ગયા કોઈ કહે અમે ગુજરાત ટાઈટન્સના ફેન છીએ કોઈ કહે અમે અમે મુંબઈ ઇંડિયનના ફેન છીએ તો કોઈતો આ આખી ચર્ચા વચ્ચે નરેન્દ્ર મોદી અને મુકેશ અંબાણીને લઈ આવ્યા હજુ તો ગુજરાત ટાઈટન્સ જીત્યું નથી ત્યાં લોકોએ તેને ટ્રોફી અપાય દીધી. 



" દેશમાં મોદી અને મેચમાં તો ખાલી ધોની જ ચાલે"

એટલે આ બધા લોકો સાથે વાત કરતાં એ તો ખ્યાલ આવ્યો કે આ દેશના લોકો માટે ક્રિકેટ એટલું જ મહત્વ છે જેટલું પાણી કારણે 43 ડિગ્રી તાપમાનમાં પણ આ લોકો પરશેવે રેપઝેબ થઈ એક બીજા સાથે ઝઘડી રહ્યા હતા. એક ભાઈએ કહ્યું" મુંબઈ ઇંડિયનતો બાપ છે બધાનો" ત્યારે બીજો અવાજ આવ્યો કે "જલેબી ફાફડા હાર્દિક ભાઈ આપણા" ત્યાં ત્રીજા ભાઈ બોલ્યા " દેશમાં મોદી અને મેચમાં તો ખાલી ધોની જ ચાલે" હવે સવાલ એ છે કે મેચ જોવા આવ્યા છે આ લોકો કે ઇલેક્શનનો પ્રાચાર કરવા માટે  આખી વાતમાં  એક ભાઈ કહે છે "જો ગુજરાત જીતશે તો મોદી સાહેબને કારણે" ને "મુંબઈ જીતશેતો મુકેશ અંબાણીને કારણે" હજુ અમને સમજ નથી આવ્યું કે મેચ જોવા આવેલા લોકો ત્યાં કેમ પોલિટીક્સની વાતો કરે છે 



IPLની ટિકિટ માટે લોકો ધક્કામુક્કી પર આવી ગયા!

હજુ આ તો ક્વોલિફાયર-2ની ઝલક હતી IPL ફાઇનલતો બાકી જ છે ત્યાં લોકોના કેવા તેવર હશે? IPL 2023ની ફાઇનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં 28મી મેના રોજ સાંજે 7:30 વાગ્યે રમવાની છે. ફાઇનલ મેચની તમામ ટિકિટો વેચાઈ ગઈ છે, આજે સવારે પણ ટિકિટ લેવા માટે લોકોની ભીડ સ્ટેડિયમની બહાર જોવા મળી હતી, પરંતુ મેચની તમામ ટિકિટો વેચાઈ જતાં લોકો નિરાશ થઈ પાછા ફર્યા હતા. જે લોકોએ આજની મેચની ઓનલાઇન ટિકિટ બુક કરાવી છે તેમને સ્ટેડિયમમાંથી ટિકિટ આપવામાં આવી રહી છે. સ્ટેડિયમની બહાર ટિકિટ લેવા માટે મોટી સંખ્યામાં પડાપડી થઈ હતી. ટિકિટ લેવા માટે લોકોની ભીડ એટલી હતી કે આખી અવ્યવસ્થા સર્જાઈ ગઈ હતી, એને કારણે કેટલાક લોકો નીચે પણ પડી ગયા હતા અને તેના વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા.અને તે વિડિયોની હકીકત જોવા અમે સ્ટેડિયમ પહોંચ્યા હતા પણ ત્યાં અમને ક્રિકેટ ફેન માંડ્યા અને પછી તે લોકોએ જે વાતોની બેટિંગ કરી છે જોરદાર બોસ! 



ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.