મણિનગરની ઘટનામાં પોલીસે કેમ કાયદો હાથમાં લીધો? આવી કાર્યવાહી બૂટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરવામાં આવતી?


  • Published By :
  • Published Date : 2023-07-25 17:16:39

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતોની ચર્ચા કરવામાં આવી રહી છે. તથ્ય પટેલને લઈ લોકોમાં રોષ છે. ઈસ્કોન ખાતે અકસ્માત સર્જાયો હતો તેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ હતી. આ કેસ હજી સુધી શાંત થયો ન હતો ત્યારે ગઈકાલે મણિનગરમાં અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. આ અકસ્માત સર્જાયા બાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ હતી. માત્ર થોડા કલાકોની અંદર પોલીસે નબીરાઓની અટકાયત કરી લીધી હતી. ત્યારે આજે પોલીસે જાહેરમાં તેમની સરભરા કરી. 

પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થાને જાળવવાનું  

ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢમાં પોલીસ દ્વારા કરાયેલી એક્શન વિરૂદ્ધ લાલઆંખ કરી હતી. થોડા સમય પહેલા જૂનાગઢમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તે દરમિયાન પોલીસે અનેક લોકોને જાહેરમાં ફટકાર્યા હતા. આ ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટે 32 પોલીસકર્મીઓને નોટિસ પાઠવી હતી. આ કેસ હજી સુધી શાંત નથી થયો ત્યારે આજે અમદાવાદ પોલીસ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હતું. મણિનગરમાં અકસ્માત સર્જનાર વ્યક્તિો પર જાહેરમાં પોલીસે લાઠીચાર્જ કર્યો છે. ત્યાં હાજર લોકોને તે જોઈને મજા પણ આવી હશે. પરંતુ શું પોલીસનું કામ સજા ફટકારવાનું છે? 

પોલીસ બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરતી કાર્યવાહી?

પોલીસ જ્યારે ન્યાય કરવા પર ઉતરી આવે ત્યારે? પોલીસનું કામ સજા આપવાનું નથી પરંતુ આરોપીને પકડી, કોર્ટ સમક્ષ પૂરાવા સાથે રજૂ કરવાનું છે. આરોપી સાથે શું થવું જોઈએ, આરોપીને શું સજા મળવી જોઈએ તે કોર્ટ નક્કી કરશે, પોલીસ નહી. પોલીસ દ્વારા આ લેવાયેલા પગલા વિશે એટલું જ કહેવું છે કે આવી કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરવામાં આવતી? અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પોલીસને પણ જાણ હોતી હોય છે, જાણ તો ઠીક પરંતુ પોલીસ સ્ટેશનની નજીક જ દારૂ વેચાતો હોય છે. ત્યારે શા માટે આવી કાર્યવાહી કરવામાં નથી આવતી? આવા પગલા બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી ઉઠાવામાં આવતા?      


જો કાયદાનું પાલન કરાવનાર જ કાયદાને હાથમાં લેશે તો? 

કાયદાને હાથમાં લેવાનો હક કોઈને પણ નથી. આપણે ત્યાં દરેક વસ્તુ સિસ્ટમથી ચાલે છે. પોલીસનું કામ છે જો કોઈ આરોપી પકડાય છે તો તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા, આરોપીને સજા કરવા માટે જરૂરી પૂરાવા કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવા.. જેમનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે તે જ કાયદાને હાથમાં લેશે તો કાયદાનું પાલન કોણ કરાવશે? પોલીસ વાળા જ જો કાયદાનું ઉલ્લંઘન કરતા રહેશે તો કાયદો કોઈ દિવસ સુરક્ષિત નહીં હોય. આરોપીને સજા થાય તે ખૂબ જરૂરી છે પરંતુ આવી રીતે ક્યારેય નહી. પોલીસ કાયદો હાથમાં ન લઈ શકે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.