મણિનગરની ઘટનામાં પોલીસે કેમ કાયદો હાથમાં લીધો? આવી કાર્યવાહી બૂટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરવામાં આવતી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-07-25 17:16:39

રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી અકસ્માતોની ચર્ચા કરવામાં આવી રહી છે. તથ્ય પટેલને લઈ લોકોમાં રોષ છે. ઈસ્કોન ખાતે અકસ્માત સર્જાયો હતો તેમાં 10 નિર્દોષ લોકોના મોત થયા હતા. તથ્ય પટેલ વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માગ હતી. આ કેસ હજી સુધી શાંત થયો ન હતો ત્યારે ગઈકાલે મણિનગરમાં અકસ્માત સર્જાયો હતો. તે અકસ્માતમાં સદનસીબે જાનહાનિ ટળી હતી. આ અકસ્માત સર્જાયા બાદ પોલીસ એક્શન મોડમાં દેખાઈ હતી. માત્ર થોડા કલાકોની અંદર પોલીસે નબીરાઓની અટકાયત કરી લીધી હતી. ત્યારે આજે પોલીસે જાહેરમાં તેમની સરભરા કરી. 

પોલીસનું કામ છે કાયદો વ્યવસ્થાને જાળવવાનું  

ગઈકાલે ગુજરાત હાઈકોર્ટે જૂનાગઢમાં પોલીસ દ્વારા કરાયેલી એક્શન વિરૂદ્ધ લાલઆંખ કરી હતી. થોડા સમય પહેલા જૂનાગઢમાં પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. તે દરમિયાન પોલીસે અનેક લોકોને જાહેરમાં ફટકાર્યા હતા. આ ઘટનાને લઈ ગુજરાત હાઈકોર્ટે 32 પોલીસકર્મીઓને નોટિસ પાઠવી હતી. આ કેસ હજી સુધી શાંત નથી થયો ત્યારે આજે અમદાવાદ પોલીસ દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું હતું. મણિનગરમાં અકસ્માત સર્જનાર વ્યક્તિો પર જાહેરમાં પોલીસે લાઠીચાર્જ કર્યો છે. ત્યાં હાજર લોકોને તે જોઈને મજા પણ આવી હશે. પરંતુ શું પોલીસનું કામ સજા ફટકારવાનું છે? 

પોલીસ બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરતી કાર્યવાહી?

પોલીસ જ્યારે ન્યાય કરવા પર ઉતરી આવે ત્યારે? પોલીસનું કામ સજા આપવાનું નથી પરંતુ આરોપીને પકડી, કોર્ટ સમક્ષ પૂરાવા સાથે રજૂ કરવાનું છે. આરોપી સાથે શું થવું જોઈએ, આરોપીને શું સજા મળવી જોઈએ તે કોર્ટ નક્કી કરશે, પોલીસ નહી. પોલીસ દ્વારા આ લેવાયેલા પગલા વિશે એટલું જ કહેવું છે કે આવી કાર્યવાહી બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી કરવામાં આવતી? અનેક એવા કિસ્સાઓ આપણી સામે છે જેમાં પોલીસને પણ જાણ હોતી હોય છે, જાણ તો ઠીક પરંતુ પોલીસ સ્ટેશનની નજીક જ દારૂ વેચાતો હોય છે. ત્યારે શા માટે આવી કાર્યવાહી કરવામાં નથી આવતી? આવા પગલા બુટલેગરો વિરૂદ્ધ કેમ નથી ઉઠાવામાં આવતા?      


જો કાયદાનું પાલન કરાવનાર જ કાયદાને હાથમાં લેશે તો? 

કાયદાને હાથમાં લેવાનો હક કોઈને પણ નથી. આપણે ત્યાં દરેક વસ્તુ સિસ્ટમથી ચાલે છે. પોલીસનું કામ છે જો કોઈ આરોપી પકડાય છે તો તેને કોર્ટ સમક્ષ રજૂ કરવા, આરોપીને સજા કરવા માટે જરૂરી પૂરાવા કોર્ટ સમક્ષ પ્રસ્તુત કરવા.. જેમનું કામ કાયદાનું પાલન કરાવવાનું છે તે જ કાયદાને હાથમાં લેશે તો કાયદાનું પાલન કોણ કરાવશે? પોલીસ વાળા જ જો કાયદાનું ઉલ્લંઘન કરતા રહેશે તો કાયદો કોઈ દિવસ સુરક્ષિત નહીં હોય. આરોપીને સજા થાય તે ખૂબ જરૂરી છે પરંતુ આવી રીતે ક્યારેય નહી. પોલીસ કાયદો હાથમાં ન લઈ શકે.  



ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.

આકરી ગરમીનો માર સહન કરવો પડી રહ્યો છે. કાળઝાળ ગરમીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. વરસાદની રાહ લોકો જોઈ રહ્યા છે. ત્યારે વરસાદને લઈ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

નાના હોઈએ ત્યારે મોટા થવાની તીવ્ર ઈચ્છા હોય છે. પરંતુ જ્યારે મોટા થઈએ છીએ ત્યારે આપણને બાળક બનવાની ઈચ્છા હોય છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના મારે પાછુું બાળક બનવું છે...

પ્રચાર દરમિયાન પીએમ મોદી અનેક વખત આક્રામક દેખાયા છે. વિપક્ષ પર પ્રહાર કરતા દેખાયા છે.. ત્યારે રામ મંદિરને લઈ પીએમ મોદીએ ફરી એક વખત કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણી બાદ સમાજવાદી પાર્ટી- કોંગ્રેસ ગઠબંધન સત્તામાં આવશે તો રામ મંદિરને બુલડોઝરથી તોડી પાડવામાં આવશે. તેમણે કહ્યું કે